અધ્યાય-૧૩૫-વિદુલાનો પુત્રને ઉપદેશ (ચાલુ)
II पुत्र उवाच II कृष्णायसस्येव च ते संहत्य ह्रदयं कृतं I मम मातस्त्वकरुणे वीरप्रज्ञे ह्यमर्षणे II १ II
પુત્રે કહ્યું-ઓ મારી વીર બુદ્ધિવાળી,નિર્દય તથા અસહનશીલ માતા,તારું હૃદય તો તીક્ષ્ણ લોખંડને ટીપીટીપીને,તેનું ઘડેલું લાગે છે.અહો,ક્ષત્રિયનો આચાર કેવો વિલક્ષણ છે કે જેને લીધે તું પરાઈ માતા હોય તેમ મને યુદ્ધ કરવા પ્રેરણા કરે છે.હું તારો એક્નોએક પુત્ર છું,ને યુદ્ધમાં હું મરીશ તો તને આખી પૃથ્વીના વૈભવો કે જીવનનું પણ શું પ્રયોજન રહેશે?