હે રાજન,યુદ્ધને માટે એકઠા થયેલા આ સર્વ રાજાઓ,ઉત્તમ કુળમાં જન્મેલા ને એકબીજાના સહાયક છે,તેઓને મહાભયમાંથી ઉગારો.આ આવેલા રાજાઓ,સુખથી એકબીજાને ભેટી,સાથે ભોજનપાન કરી,વૈર ને ઇર્ષાને દૂર કરીને,સત્કાર પામીને પોતપોતાના ઘેર જાય તેમ કરો.હે રાજન,પાંડવો બાળક હતા ત્યારે તમારી તેઓના પર જેવી પ્રીતિ હતી,તેવી જ પ્રીતિ હવે તમારી છેલ્લી અવસ્થામાં પણ રાખો અને તેઓની સાથે સંધિ કરો.પિતા વિનાના બાળક પાંડવોને તમે જ ઉછેર્યા હતા,માટે હમણાં પણ ન્યાય પ્રમાણે તેઓનું તથા પુત્રોનું પાલન કરો.આપત્તિમાં ખાસ કરીને તમારે જ તેઓનું રક્ષણ કરવું જોઈએ,હે રાજન તમારો ધર્મ અને અર્થ નાશ ન પામો.(39)
Mar 19, 2025
Mar 18, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-760
અધ્યાય-૯૫-શ્રીકૃષ્ણની શિખામણ
II वैशंपायन उवाच II तेष्वासीनेषु सर्वेषु तुष्णार्भुतेषु राजसु I वाक्यमभ्याददे कृष्णः सुदंष्टो दुन्दुभिस्वनः II १ II
વૈશંપાયને કહ્યું-તે સર્વ રાજાઓ આસનો પર શાંત થઈને બેઠા,પછી,સુંદર દંતપંક્તિવાળા તથા દુંદુભિના જેવા સાદવાળા,લક્ષ્મીપતિ શ્રીકૃષ્ણ,ધૃતરાષ્ટ્રના તરફ જોઈને,વર્ષાઋતુના મેઘના જેવી ગર્જનાથી,સર્વ સભાને સંભળાવતા કહેવા લાગ્યા કે-'હે ભરતવંશી રાજા,વીર પુરુષોનો વિનાશ થયા વિના,કૌરવ-પાંડવોની વચ્ચે સલાહ થાય,એવી માગણી કરવા માટે હું અહીં આવ્યો છું.મારે તમારા હિતને માટે એ વિના બીજું વચન કહેવાનું નથી.હે રાજા,આજે આ કુરૂકૂળ,સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ છે,શાસ્ત્રજ્ઞાન અને સદવર્તનથી સંપન્ન છે અને ગુણોથી ઝળકી રહેલું છે.આવા સદગુણવાળા,કુળમાં ખાસ કરીને તમારા જ નિમિત્તે દયા,વગેરેથી વિરુદ્ધ વર્તન થાય તે કુરૂકૂળને યોગ્ય નથી.(7)
Mar 17, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-759
અધ્યાય-૯૪-શ્રીકૃષ્ણનો સભામાં પ્રવેશ
II वैशंपायन उवाच II तथा कथयतोरेव तयोर्बुध्धिमतोस्तदा I शिवा नक्षत्रसंपन्ना सा व्यतीयाय शर्वरी II १ II
વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે વાતો કરતાં કરતાં તે બંને બુદ્ધિમાનોની સુખકારક તથા નક્ષત્રોવાળી રાત્રિ વીતી ગઈ.રાત્રિ પુરી થતાં જ,ઉત્તમ સ્વરવાળા સૂત તથા માગધોએ સ્તુતિથી અને શંખ દુંદુભીઓના સ્વરોથી શ્રીકૃષ્ણને જાગ્રત કર્યા.શ્રીકૃષ્ણે ઉઠયા પછી નિત્યકર્મ કર્યું અને તે સંધ્યા કરતા હતા તે વખતે દુર્યોધન અને શકુનિ ત્યાં આવ્યા અને તેમને કૃષ્ણને કહ્યું કે-'સભામાં,ધૃતરાષ્ટ્ર,
ભીષ્મ આદિ સર્વ રાજાઓ આવ્યા છે,હે ગોવિંદ,સ્વર્ગમાં જેમ ઇન્દ્રની વાટ જુએ તેમ તે તમારી રાહ જુએ છે'
Mar 16, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-758
અધ્યાય-૯૩-શ્રીકૃષ્ણનું વિદુર પ્રત્યે ભાષણ
II श्रीभगवानुवाच II यथा बुयान्महाप्राज्ञो यथा बुयाद्विचक्षणः I यथा वाच्यस्त्वद्विधेन भवत मद्विधः सुहृत II १ II
શ્રીભગવાન બોલ્યા-હે વિદુર,મહાબુદ્ધિમાન,વિચક્ષણ પુરુષ જે પ્રમાણે કહે,અને તમારા જેવાએ મારા જેવા સ્નેહીને જે પ્રમાણે કહેવું જોઈએ,તેવું ધર્માર્થયુક્ત સત્યવચન,તમે મને માતપિતાની જેમ કહ્યું છે.તમે મને જે સત્ય,સમયોચિત તથા યોગ્ય કહ્યું છે તે યથાર્થ છે.પણ હવે તમે સ્વસ્થ થાઓ ને મારા આવવાનું કારણ સાંભળો.હું દુર્યોધનની દુષ્ટતા અને મારો ક્ષત્રિયો સાથેનો વેરભાવ,એ સર્વ જાણીને જ આજે અહીં કૌરવો પાસે આવ્યો છું.ઘોડા-રથ અને હાથીઓની સાથે આ પૃથ્વી નાશ પામવા બેઠી છે,તેને જે પુરુષ મૃત્યુપાશથી મુક્ત કરે,તે ઉત્તમ ધર્મને પ્રાપ્ત થાય છે.(5)
Mar 15, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-757
અધ્યાય-૯૨-શ્રીકૃષ્ણ આગળ વિદુરનું ભાષણ
II वैशंपायन उवाच II तं भुक्तवंतमाश्वस्तं निशायां विदुरोब्रवीत I नेदं सम्यग्व्यवसितं केशवागमनं तव II १ II
વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણ ભોજન કર્યા પછી રાત્રે શાંતિથી બેઠા હતા તે વખતે વિદુર તેમને કહેવા લાગ્યા કે-'હે કેશવ,તમારું અહીં આવવું થયું,એ સારા વિચારપૂર્વક થયું નથી,કારણકે આ દુર્યોધન,અર્થ,ધર્મનું ઉલ્લંઘન કરનારો,મૂર્ખ,ક્રોધી,બીજાનું અપમાન કરીને પોતે માનની ઈચ્છા રાખનારો અને બીજા ઘણા દોષોથી ભરેલો છે,માટે તમે તેને કલ્યાણની વાત કહેશો તો પણ તે ક્રોધને લીધે ગ્રહણ કરશે નહિ.વળી,તે ભીષ્મ,દ્રોણ,કૃપ,કર્ણ,અશ્વસ્થામા,જયદ્રથ આદિ સર્વ યુદ્ધ કરીને,તેને રાજ્યરૂપી જીવન અપાવશે,એવા વિચારથી સલાહ કરવા ધારતો નથી.
Mar 14, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-756
અધ્યાય-૯૧-દુર્યોધનને ત્યાં શ્રીકૃષ્ણ
II वैशंपायन उवाच II प्रुथामामन्त्र्य गोविन्दः कृत्वा चाभिप्रदक्षिणम् I दुर्योधनगृहं शौरिरभ्यगच्छदरिन्दमः II १ II
વૈશંપાયને કહ્યું-પછી,ઇન્દ્રના મહાલય જેવા,શોભાસંપન્ન તથા ચિત્રવિચિત્ર આસનોથી યુક્ત દુર્યોધનના મહેલમાં શ્રીકૃષ્ણ દાખલ થયા.ત્યાં,દુર્યોધન,હજારો રાજાઓ,કૌરવો,દુઃશાસન,કર્ણ અને શકુનિ આદિથી વીંટાઇને બેઠેલો હતો.શ્રીકૃષ્ણને પાસે આવેલા જોઈ દુર્યોધન,તેમને માન આપવા અમાત્યોની સાથે ઉભો થયો ને તેમને આસન આપીને તેમનો વિધિપૂર્વક સત્કાર કર્યો.
દુર્યોધને શ્રીકૃષ્ણને ભોજન માટે નિમંત્રણ કર્યું હતું,પરંતુ કેશવે તે કબુલ કર્યું નહોતું,એટલે દુર્યોધને ઉપરથી મૃદુ પણ અંદરથી શઠતાભરેલાં વાક્ય વડે શ્રીકૃષ્ણને કહ્યું કે-