Jan 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-716

 

આ ભીમસેન,ગદારહિત,ધનુષરહિત,રથ ને કવચરહિત થઈને માત્ર બે હાથથી યુદ્ધ કરે તો પણ તેની સામે કયો પુરુષ ઉભો રહી શકે તેમ છે? તેના પરાક્રમને હું જાણું છું,તેમ જ ભીષ્મ,દ્રોણ અને કૃપ પણ જાણે છે.પરંતુ તે મહાપુરુષો,આર્યપુરુષોના વ્રતને જાણે છે તેથી અને સંગ્રામનો અંત લાવવાની ઈચ્છાથી તેઓ મારા પુત્રોની સેનાના મોખરા પર ઉભા રહેશે.મને પાંડવોનો જય દેખાય છે,છતાં હું મારા પુત્રોને રોકતો નથી,એ ઉપરથી પુરુષનું દૈવ જ બળવાન છે એમ હું માનું છું.(47)

Jan 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-715

 

અધ્યાય-૫૧-ભીમથી ત્રાસ 


II धृतराष्ट्र उवाच II सर्व एते महोत्साहा ये त्वया परिकीर्तिताः I एकतस्त्वेव ते सर्व समेता भीम एकतः  II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-તેં જે યોદ્ધાઓ કહ્યા તે સર્વે મોટા ઉત્સાહવાળા છે પણ તે એકઠા મળેલાને એક તરફ મૂકીએ અને ભીમ એકલાને એક તરફ મૂકીએ તો તે સર્વની સમાન થાય.જેમ,વાઘથી મહામૃગને ભય લાગે તેમ મને તે ક્રોધી તથા અસહનશીલ ભીમનો મહાભય લાગે છે,ને હું નિસાસા નાખતો રાતોના ઉજાગરા કરું છું.તેના સમાન હું આપણી સેનામાં કોઈને જોતો નથી કે જે તેની સામે યુદ્ધમાં ટકી શકે,તે મહાબળવાન મારા પુત્રોનો સંહાર કરી નાખશે.હું મારા મનથી,ભીમની તે આઠ ખૂણાવાળી ભયંકર ગદાને,ઉગામેલા બ્રહ્મદંડની જેવી જોઉં છું કે જે મહાહઠે ભરાયેલા કૌરવોને યુદ્ધમાં દંડધારી કાળરૂપ થઇ પડશે.(8)

Jan 16, 2025

Bhagvat-Gujarati-with shlok and translation-As it is

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-714

 

અધ્યાય-૫૦-પાંડવોના પક્ષનું સંજયનું ભાષણ 


II धृतराष्ट्र उवाच II किमसौ पाण्डवो राज धर्मपुत्रोभ्यभाषत I श्रुत्वेह बहुलाः सेनाः प्रीत्यर्थ नः समागताः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,અહીં અમારી પ્રીતિને માટે ઘણી સેનાઓ આવી છે,એ સાંભળીને ધર્મપુત્ર યુધિષ્ઠિર શું બોલ્યો?

યુદ્ધની ઈચ્છાથી તે શી તૈયારી કરી રહ્યા છે? અને તેને યુદ્ધ કરવા માટે કોણ સાથ આપે છે ને કોણ રોકે છે?

સંજય બોલ્યો-પાંડવોની સાથે પાંચાલો,યુધિષ્ઠિરની આજ્ઞા ઉઠાવવા માટે તેમની સામે ઉભા છે.પાંચાલો,સોમકો યુધિષ્ઠિરને અભિનંદન આપે છે ને તેમનું સન્માન કરે છે.કેકયો અને મત્સ્યો પણ તેમનું સન્માન કરે છે.(8)

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-પાંડ્વો કોના સૈન્યની સહાયથી યુદ્ધ કરવા તૈયાર થયા છે? ધૃષ્ટદ્યુમ્નના સૈન્ય કે સોમકોના સૈન્યથી?

Jan 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-713

 

હે દુર્યોધન,તું જો મારુ કહેવું માનીશ નહિ,તો કૌરવોનો વિનાશ પાસે જ આવી લાગ્યો છે એમ સમજ.તારી બુદ્ધિ અધર્મ ને અર્થથી ભ્રષ્ટ થઇ છે.તારે સર્વને મરણ પામેલા સાંભળવા પડશે કારણકે સર્વ કૌરવો તારા મતને જ અનુસરે છે,ને તું ત્રણના જ મતને માન્ય ગણે છે.કે જેમાંનો એક,પરશુરામે જેને શાપ આપેલો છે તે હલકી જાતિનો સૂતપુત્ર કર્ણ છે,બીજો સુબલનો પુત્ર શકુનિ છે ને ત્રીજો તારો પાપી ભાઈ દુઃશાસન છે (28)

Jan 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-712

અધ્યાય-૪૯-ભીષ્મ તથા દ્રોણનાં વાક્યો 


 II वैशंपायन उवाच II समवेतेषु सर्वेषु तेषु राजसु भारत I दुर्योधनमिदं वाक्यं भीष्मः शान्तनवोब्रवीत II १ II

વૈશંપાયને કહ્યું-હે જન્મેજય,તે સર્વે રાજાઓ એકઠા મળ્યા હતા,તેમાં શાંતનુના પુત્ર ભીષ્મ,દુર્યોધનને કહેવા લાગ્યા કે-

'પૂર્વે બૃહસ્પતિ અને શુક્રાચાર્ય બ્રહ્મા પાસે ગયા હતા તે સમયે ઇન્દ્ર સહિત વાયુઓ,આદિત્યો,સપ્તર્ષિઓ-આદિ સર્વ પણ બ્રહ્મા પાસે આવ્યા અને તેમને પ્રણામ કરીને તેમને વીંટળાઈને બેઠા.તે વખતે પોતાના તેજ વડે આકર્ષણ કરતા પુરાતન દેવ નર અને નારાયણ ઋષિ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યારે બૃહસ્પતિએ બ્રહ્માને પૂછ્યું કે-'તમારી ઉપાસના ન કરનારા આ બે કોણ છે?તે કહો.