Jul 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-571

આરણેય પર્વ 

અધ્યાય-૩૧૧-મૃગની શોધ 


II जनमेजय उवाच II एवं हृतायां भार्यायां प्राप्य क्लेशमनुत्ततं I प्रतिपद्य ततः कृष्णां किमकुर्वत पांडवा :II १ II

જન્મેજય બોલ્યા-જયદ્રથે કૃષ્ણાનું હરણ કર્યું,ત્યારે પાંડવોને કષ્ટ પડ્યું હતું,

પોતાની પત્નીને પાછી લાવ્યા પછી તેમણે શું કર્યું? 

વૈશંપાયન બોલ્યા-પછી,પાંડવો કામ્યક વનનો ત્યાગ કરીને ફરી દ્વૈતવનમાં આવ્યા.એ વનમાં તેઓને પરિણામે સુખદાયી એવું એક કષ્ટ પડ્યું હતું તે વિશે તમે સાંભળો.તે વનમાં એક તપસ્વી બ્રાહ્મણે એક વૃક્ષ પર,અગ્નિ ઉત્પન્ન કરવાના અરણીપાત્ર અને મંથનદંડ ભરાવ્યાં હતા.એક વખત એક હરણ તે ઝાડની સાથે માથું ઘસતો હતો ત્યારે તે 

તેના શિંગડાંમાં ભરાઈ ગયાં.ને પછી તે મૃગ ત્યાંથી દોડતો ત્યાંથી દૂર નીકળી ગયો.મૃગને પોતાનાં પાત્ર હરી જતો જોઈને

તે વિપ્રે,યુધિષ્ઠિર પાસે આવી તે પાત્ર પાછું મેળવવા સહાય માગી,એટલે યુધિષ્ઠિર ભાઈઓ સાથે ધનુષ્ય લઈને તેની

પાછળ પડ્યા.પણ મૃગ અદ્રશ્ય થઇ ગયો.ઘણો સમય વીત્યો પણ તે મૃગ ન મળવાથી 

તે પાંડવો દુઃખી થયા,વળી થાક પણ લાગ્યો હતો ને તરસ લાગી હતી એટલે તેઓ એક ઝાડ નીચે બેઠા (19)

Jul 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-570

 

અધ્યાય-૩૧૦-કર્ણે ઇન્દ્રને કવચ-કુંડળ આપ્યાં 


II वैशंपायन उवाच II देवराजमनुप्राप्तं ब्राह्मणच्छद्मना वृतं I द्रष्ट्वा स्वागतमित्याह न वुवोधास्य मानसं II १ II

વૈશંપાયન બોલ્યા-બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવેલા દેવરાજ ઇન્દ્રને જોઈને કર્ણ બોલ્યો-ભલે પધાર્યા.બોલો 

હું તમને શું આપું?સોનાની કંઠીઓ વાળી પ્રમદાઓ,ગામો,અનેક ગોકુલો કે ગમે તે માગો તે હું આપીશ'

બ્રાહ્મણ (ઇન્દ્ર) બોલ્યો-'તમે જે કહો છો તેની હું ઈચ્છા કરતો નથી,તમે જો સત્યવ્રતી હો તો

આ જે તમારાં કવચ-કુંડળો છે તે મને આપો,મારે માત્ર આ જ દાન લેવાની ઈચ્છા છે'(5)

Jul 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-569

અધ્યાય-૩૦૯-રાધાએ કર્ણને અપનાવીને મોટો કર્યો 


II वैशंपायन उवाच II एतस्मिन्नेव काले तु धृतराष्ट्रस्य वे सखा I सुतोधिरथ इत्येव सदारो जाह्नवीं ययौ II १ II

વૈશંપાયન બોલ્યા-એ જ સમયે ધૃતરાષ્ટ્રનો મિત્ર સારથી અધિરથ પોતાની પત્ની રાધા સાથે ગંગાજી પર ગયો હતો.

રાધાને કોઈ સંતાન નહોતું.તેણે ગંગાજીમાં તણાઈને આવતી પેટી જોઈ,દૈવેચ્છાએ તે મોજાંઓથી તણાતી કિનારા

તરફ આવવા લાગી,ત્યારે રાધાએ તેને પકડીને કિનારા પર લાવી,પતિ અધિરથને તે બતાવી.અધિરથે તે પેટી ઊંચકીને બહાર લાવી તેનું ઢાંકણું ખોલ્યું તો તેમણે કવચ-કુંડળથી સજ્જ બાળકને જોયો,ત્યારે બંનેનાં નયનો વિસ્મયથી ખીલી ઉઠ્યાં.અધિરથે તે બાળકને ખોળામાં લઈને પત્નીને કહ્યું કે-'મારી જિંદગીમાં આજે મેં આવું પ્રથમવાર જ આશ્ચર્ય જોયું છે,હું માનું છું કે આ કોઈ દેવબાળક જ આપણી પાસે આવ્યો છે.નક્કી,જ સંતાન વગરના એવા મને દેવોએ જ

આ દીકરો દીધો છે' આમ કહી તેણે એ પુત્ર રાધાને આપ્યો.(10)

Jul 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-568

અધ્યાય-૩૦૭-સૂર્ય અને કુંતીનો સમાગમ 

II वैशंपायन उवाच II सा तु कन्या बहुविधं ब्रुवंति मधुरं वचः I अनुनेतु सहस्त्रांशुं न शशाक मनस्विनी II १ II

વૈશંપાયન  બોલ્યા-તે મનસ્વિની કન્યા અનેક પ્રકારનાં મીઠાં મીઠાં વચનો કહેવા લાગી પણ તેમ કરીને પણ તે સૂર્યને સમજાવી શકી નહિ.સૂર્યના શાપના ભયથી તે પોતાનો,પિતાનો અને તે બ્રાહ્મણનો વિચાર કરવા લાગી.

બાળસ્વભાવથી પોતે કરેલી મૂર્ખાઈને લીધે તે ભયભીત થઇ વિચારતી હતી કે-'કેમ કરીને હું પોતે જ પોતાનું દાન કરવારૂપી અયોગ્ય કાર્ય કરું?' લજ્જાથી વ્યાકુળ થયેલી તેણે સૂર્યદેવને કહ્યું કે-

Jul 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-567

 

અધ્યાય-૩૦૬-કુંતીએ કરેલું સૂર્યનું આવાહન 


II वैशंपायन उवाच II गते तस्मिन् द्विजश्रेष्ठे कस्मिश्चित्कारणांतरे I चिंतयामास सा कन्या मंत्रग्रामबलाबलम् II १ II

વૈશંપાયન બોલ્યા-આમ એ દ્વિજોત્તમ ગયા પછી,કોઈ કારણે તે કન્યા,મંત્રસમૂહના બલાબલ વિશે વિચારમાં પડી.

કુતુહલતાથી તે વિચારવા લાગી કે-'આ મંત્રસમૂહનું બળ કેવું હશે? મારે તે જાણવું જોઈએ?'

એ આમ વિચારી રહી હતી,તેવામાં તેણે એકાએક પોતાને ઋતુમાં આવેલી જોઈ.તે પૃથા જયારે મહેલની અગાસીએ

ઉભી હતી ત્યારે તેણે પૂર્વ દિશામાં સૂર્યને ઉગતો જોયો.ત્યારે તેની દ્રષ્ટિ દિવ્ય થઇ અને કુંડળથી વિભૂષિત થયેલા,

કવચને ધારણ કરનારા ને દિવ્ય દર્શનવાળા તે સૂર્યદેવને તેણે જોયા.

Jul 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-566

 

અધ્યાય-૩૦૪-કુંતીએ કરેલી દુર્વાસાની સેવા 


II कुन्ती उवाच II ब्राह्मणं यंत्रिता राजन्न्रुपस्यास्यामि पूजया I यथा प्रतिज्ञां राजेन्द् न च मिथ्या ब्रविभ्यहम II १ II

કુંતી બોલી-હે રાજન,હું નિયમબદ્ધ રહીને એ બ્રાહ્મણની તમારી પ્રતિજ્ઞા પ્રમાણે સેવા કરીશ,હું આ મિથ્યા કહેતી નથી.બ્રાહ્મણોની પૂજા કરવી એ મારો મૂળથી જ સ્વભાવ છે અને તમારું પ્રિય કરવું તેમાં જ મારુ કલ્યાણ છે.

હું એવો યત્ન કરીશ કે જેથી એ બ્રાહ્મણનું કશું અપ્રિય થશે નહિ,માટે તમે સંતાપ કરશો નહિ.હું એ દ્વિજોત્તમને સંતોષ આપીશ તેથી તેમના તરફથી તમને કોઈ જ વ્યથા નહિ થાય.પૂર્વે સુકન્યાએ કરેલા અપરાધ માટે ચ્યવનઋષિ તેના

પિતા પર કોપ્યા હતા,પણ હું એવો કોઈ અપરાધ કરીશ નહિ જેથી તમારે ચિંતા કરવી નહિ.