અધ્યાય-૬૭-વ્યાસ તથા ગાંધારીનું આગમન
II वैशंपायन उवाच II दुर्योधने धार्तराष्ट्रे तद्वचो नाभिनन्दति I तुष्णिभूतेषु सर्वेषु समुत्तस्यर्नरर्षभा :II १ II
વૈશંપાયને કહ્યું-ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધને,જયારે તે વચનને અભિનંદન આપ્યું નહિ અને સર્વે મૌન ધારણ કરી રહ્યા,
ત્યારે સર્વ અને બીજા રાજાઓ ત્યાંથી ઉઠીને ચાલી નીકળ્યા.તેઓના ગયા પછી એકાંત થતાં ધૃતરાષ્ટ્ર રાજાએ,
સંજયને,પોતાનો,તટસ્થ રાજાઓનો અને પાંડવોનો નિશ્ચય પૂછવાનો આરંભ કર્યો.