અધ્યાય-૧૬-ઇન્દ્ર તથા વરુણ આદિનો સંવાદ
II बृहस्पति उवाच II त्वामग्ने सर्व देवानां मुखं त्वमसि हव्यवाट् I त्वमंतः सर्वभूतानां गूढश्चरसि साक्षिवत II १ II
બૃહસ્પતિ બોલ્યા-'હે અગ્નિ,તમે સર્વ દેવોનું મુખ છો,તમે હવ્યને વહન કરો છો અને સર્વ પ્રાણીમાં સાક્ષીની જેમ ગૂઢ રીતે ફરો છો,કેટલાએક વિદ્વાનો તમને જઠરાગ્નિ રૂપે એક કહે છે તો કેટલાએક ગાર્હપત્ય,દક્ષિણાગ્નિ તથા આહવનીય રૂપે-એમ ત્રણ પ્રકારે કહે છે.તમે જો આ જગતનો ત્યાગ કરો તો તે તુરત જ નાશ પામી જાય.
તમે આ ત્રણ લોકોને ઉત્પન્ન કરીને સંહારકાળ આવતાં પ્રદીપ્ત થઈને પુનઃ સંહાર કરો છો.