Oct 17, 2024
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪-અધ્યાય - 2-Gita Rahasya-Gnaneshvari-4-Adhyaya-2
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-649
અધ્યાય-૧૨-કામમોહિત નહુષ પાસે ઈન્દ્રાણી
II शल्य उवाच II क्रुद्धं तु नहुष द्रष्ट्वा देव ऋषिपुरोगमाः I अब्रुवन्देवराजा नहुषं घोरदर्शनम् II १ II
શલ્યે કહ્યું-નહુષને કોપેલો જોઈને દેવો તેને કહેવા લાગ્યા કે-'હે પ્રભો,તમારા કોપવાથી આ જગત ત્રાસ પામે છે,તમે આ કોપનો ત્યાગ કરો.દેવી ઈન્દ્રાણી પારકાની પત્ની છે માટે તમે કૃપા કરો અને પરસ્ત્રીસેવનરૂપી પાપથી તમારા મનને પાછું વાળો.તમારું કલ્યાણ થાઓ,તમે દેવતાઓના રાજા છો માટે ધર્મથી પ્રજાપાલન કરો.'
Oct 16, 2024
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩-અધ્યાય - 2-Gita Rahasya-Gnaneshvari-3-Adhyaya-2
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-648
અધ્યાય-૧૧-નહુષને ઇન્દ્ર કર્યો
II शल्य उवाच II ऋषयोथाब्रुवनसर्वे देवाश्व त्रिदशेश्वरा: I अयं वै नहुषः श्रीमान देवराज्ये भिपिच्यताम् II १ II
શલ્યે કહ્યું-પછી,સ્વર્ગાધિપતિ સર્વ દેવો તથા ઋષિઓ બોલ્યા કે -શ્રીમાન નહુષ રાજાનો આ દેવરાજય ઉપર અભિષેક કરો.એ તેજસ્વી અને ધાર્મિક છે' આમ કહી તેઓ નહુષ પાસે જઈને તેમની ઈચ્છા પ્રગટ કરી ત્યારે નહુષે કહ્યું કે-હું દુર્બળ છું,આપનું રક્ષણ કરવાની મારામાં શક્તિ નથી બળવાન હોય તે જ ઇન્દ્ર થઇ શકે છે'
દેવો અને ઋષિઓએ કહ્યું કે-'તમે અમારાં તપોબળથી યુક્ત થઈને સ્વર્ગના રાજ્યનું રક્ષણ કરો'
Oct 15, 2024
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨-અધ્યાય - 2-Gita Rahasya-Gnaneshvari-2-Adhyaya-2
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-647
અધ્યાય-૧૦-વૃત્રનો વધ
II इन्द्र उवाच II सर्व व्याप्तमिदं देवा वृत्रेण जगदव्यः I न ह्यस्य सदशं किंचित्प्रतिघाताय यद्भवेत् II १ II
ઇન્દ્ર બોલ્યો-હે દેવો,વૃત્રાસુરે આ શાશ્વત આખું જગત ઘેરી લીધું છે અને એનો નાશ કરે તેવું કંઈ જ નથી.
પહેલાં હું સમર્થ હતો પણ હમણાં હું અસમર્થ થઇ ગયો છું.હવે મારે તમારું કલ્યાણ કેવી રીતે કરવું?
મને તો તે ન જીતી શકાય તેવો જ લાગે છે.માટે આપણે સહુ સાથે મળીને વિષ્ણુના સ્થાનમાં જઈને
તેમની સાથે વિચાર કરીને વૃત્રના વધનો ઉપાય જાણીએ.