Oct 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-641

 

અધ્યાય-૪-દ્રુપદનું ભાષણ 


II द्रुपद उवाच II एवमेतन्महाबाहो भविष्यति न संशयः I न हि दुर्योधनो राज्यं मधुरेण प्रदास्यति II १ II 

દ્રુપદ બોલ્યા-હે મહાબાહુ સાત્યકિ,તું કહે છે એ બાબત એમ જ થશે,એમાં સંશય નથી,કારણકે દુર્યોધન કંઈ મીઠાશથી રાજ્ય આપશે નહિ.ધૃતરાષ્ટ્ર પણ પુત્રપ્રીતિથી દુર્યોધનને જ અનુસરશે,ભીષ્મ અને દ્રોણ ઓશિયાળા હોવાથી તેને અનુસરશે અને કર્ણ તથા શકુનિ મૂર્ખતાથી તેને અનુસરશે.મને બળદેવનાં વાક્ય ડાહ્યા પુરુષના સમાજમાં યોગ્ય લાગતા નથી પરંતુ ન્યાય ઇચ્છનારે પ્રથમ તે પ્રમાણે કરવું જોઈએ.જો કે દુર્યોધનને કોઈ રીતે કોમળ વચનો કહેવાં યોગ્ય નથી કેમ કે તે કોમળતાથી વળે તેવો નથી,એવું મારુ માનવું છે.

Oct 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-640

 

અધ્યાય-૩-સાત્યકિનું ભાષણ


II सात्यकिरुवाच II यादशः पुरुस्यात्मा तादशं संप्रभाषते I यथारूपेन्ततात्मा ते तथारूपे प्रभाषसे II १ II

સાત્યકિ બોલ્યો-પુરુષનું જેવું અંતઃકરણ હોય છે તેવું જ તે બોલે છે,માટે હે બલરામ,તમારું પણ જેવું અંતઃકરણ છે તેવું જ તમે બોલો છો.પુરુષોમાં બે પક્ષ કાયમ જોવામાં આવે છે,કેટલાક શૂરા તો કેટલાક કાયર હોય છે,હું તમારા વચનને દોષ દેતો નથી પણ જેઓ તમારા વચનને સાંભળે છે તેઓને દોષ દઉં છું.કારણકે ધર્મરાજાના અલ્પદોષને પણ બોલનારો પુરુષ સભાની વચ્ચે બોલવા જ કેમ પામે? પાક્કા જુગારીઓએ દ્યુતની રમતમાં અજાણ એવા યુધિષ્ઠિરને પોતાને ત્યાં દ્યુત રમવા બોલાવીને કપટથી જીતી લીધા તેમાં તેઓનો ધર્મપૂર્વક જય કેમ કહેવાય?

Oct 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-639

અધ્યાય-૨-બળરામનું ભાષણ 


II बलदेव उवाच II श्रुतं भवद्विर्गदपूर्वजस्य वाक्यं यथा धर्मवदर्थवश्व I 

अजातशस्त्रोस्च हितं हितं च दुर्योधनस्यायि तथैव राज्ञः II १ II

બળદેવ બોલ્યા-તમે શ્રીકૃષ્ણનું ધર્મયુક્ત તથા અર્થયુક્ત ભાષણ સાંભળ્યું ને?એમાં યુધિષ્ઠિર અને દુર્યોધન એ બંનેનું હિત છે.વીર કુંતીપુત્રો અર્ધરાજ્ય દુર્યોધન માટે ત્યજી દઈને,પોતાના માટે અર્ધરાજ્ય મેળવવા જ યત્ન કરે છે,તેથી દુર્યોધન તે અર્ધરાજ્ય પાંડવોને આપીને સુખી થશે,જો કૌરવો સારી રીતે વર્તશે તો પાંડવો પણ જરૂર શાંત થઈને સુખ ભોગવશે.કે જેથી કૌરવોને પણ શાંતિ થશે ને પ્રજાનું પણ હિત થશે.આ માટે દુર્યોધનનો અભિપ્રાય જાણવા અને યુધિષ્ઠિરનો સંદેશો કહેવા જો કોઈ દૂત જાય તો જ પ્રિય થશે.જે દૂત ત્યાં જાય

Oct 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-638-Book-Part-3

 

મહાભારત-મૂળરૂપે-ભાગ-૩

(૫) ઉદ્યોગ પર્વ 

સેનોદ્યોગ પર્વ 

અધ્યાય-૧-વિરાટની સભામાં શ્રીકૃષ્ણનું ભાષણ 

મંગલાચરણ 

नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II 

ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને 

'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.

વૈશંપાયન બોલ્યા-અભિમન્યુના પક્ષના પાંડવો તથા યાદવો વગેરે અભિમન્યુનો વિવાહ કરીને આનંદ પામ્યા અને રાત્રે વિસામો લઈને સવારે વિરાટરાજની સભામાં ગયા.વૃદ્ધોમાં માન્ય એવા વિરાટરાજા અને દ્રુપદ રાજા સભામાં આવીને બેઠા તે પછી પિતા વાસુદેવની સાથે શ્રીકૃષ્ણ અને બલરામ આવીને આસન પર બેઠા.પછી પાંડવો,દ્રુપદના પુત્રો,કૃષ્ણના પુત્રો ને અભિમન્યુ ઉત્તમ આસનો પર આવીને બેઠા.ત્યારે તે સભા ગ્રહોથી ભરેલા આકાશની જેમ શોભવા'લાગી.પછી સર્વેએ પરસ્પર અભિવાદન અને વાતો કરીને શ્રીકૃષ્ણ પર દ્રષ્ટિ રાખી વિચાર કરવા લાગ્યા.વાતોના અંતે શ્રીકૃષ્ણે પાંડવોના કાર્ય માટે સર્વને સાવધાન કર્યા એટલે સર્વે સાથે મળીને મહાન અર્થવાળા શ્રીકૃષ્ણના વચનને સાંભળવા લાગ્યા.(9)

Sep 28, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-637

 

અધ્યાય-૭૨-ઉત્તરાનાં લગ્ન 


II विराट उवाच II किमर्थ पांडवश्रेष्ठ भार्या दुहितरं मम I प्रतिग्रहीतुं नेमां रवं मया दत्तामिहेच्छसि II १ II

વિરાટ બોલ્યો-હે પાંડવશ્રેષ્ઠ અર્જુન,હું મારી પુત્રીને તમારી વેરે આપું છું તો તેને તમે પોતે કેમ ભાર્યા તરીકે સ્વીકારતા નથી?

અર્જુન બોલ્યો-હે રાજા,મારામાં પિતાની જેમ વિશ્વાસ રાખનારી તમારી પુત્રીને,જાહેર અને એકાંતમાં જોતો હું તમારા અંતઃપુરમાં રહ્યો છું.હું કુશળ નર્તક અને ગાયક હતો તેથી તમારી પુત્રીને હું અત્યંત પ્રિય હતો ને તે મને સદૈવ આચાર્યની જેમ આદર આપતી હતી.આમ તમારી વયમાં આવેલી એ પુત્રી સાથે હું એક વર્ષ રહ્યો છું,તેથી હું જો તેને પરણું તો લોકને ભારે શંકાનું સ્થાન થઇ પડે.આથી તમારી દીકરીને મારી પુત્રવધુ કરવાની માંગણી કરું છું.

Sep 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-636

 

અધ્યાય-૭૧-ઉત્તરાના વિવાહનો પ્રસ્તાવ 


II विराट उवाच II यद्येष राजा कौरव्यः कुन्तीपुत्रो युधिष्ठिरः I कतमोस्यार्जुनो भ्राता भीमश्च कतमो बली II १ II

વિરાટે પૂછ્યું-જો આ યુધિષ્ઠિર છે,તો પછી આમાં અર્જુન કોણ છે? ભીમ,નકુલ અને સહદેવ અને દ્રૌપદી કોણ છે? 

જ્યારથી તે કુંતીપુત્ર જુગારમાં હારી ગયા,ત્યારથી તો તેમનો કોઈ પતો નથી.

અર્જુન બોલ્યો-હે રાજન,તમારો જે બલ્લવ નામધારી રસોઈઓ છે તે જ ભીમ છે.દુરાત્મા કીચકોનો સંહાર કરવાવાળા 

ગંધર્વ પણ તે જ છે.એમને જ હિડિમ્બ,બકાસુર,કિરમીર અને જટાસુર નામના રાક્ષસોનો સંહાર કર્યો હતો.