અધ્યાય-૫૦-અશ્વસ્થામાનું ભાષણ
II अश्वस्थामा उवाच II न च ताव्ज्विता गावो न च सिमांतरं गताः I न हस्तिनापुरं प्राप्तास्तवं च कर्ण विकत्थसे II १ II
અશ્વસ્થામા બોલ્યો-હે કર્ણ,હજુ તો આ ગાયો હસ્તિનાપુરમાં પહોંચી નથી ને તું શેની બડાશો મારે છે? શૂરાઓ તો સંગ્રામો જીતીને
પોતાના પરાક્રમની કશી લાંબીચોડી વાતો કરતા નથી.અગ્નિ બોલ્યા વિના જ બળે છે,સૂર્ય મૌન રહીને જ ઝળહળે છે.
જુગટાથી ને છેતરપિંડીથી,ક્રૂર અને નિર્લજ્જ દુર્યોધને રાજ્ય મેળવ્યું છે,ને આવા રાજ્યથી કયો ક્ષત્રિય સંતોષ લઇ શકે?
કે કોણ તેની બડાઈ હાંકી શકે? આજે મેળવેલું ગૌધન શું તેં કોઈ સામે યુદ્ધ કરીને મેળવ્યું છે? કયા યુદ્ધમાં તેં પાંડવોના એકને
પણ જીત્યો છે? કયા યુદ્ધમાં ઇન્દ્રપ્રસ્થ પર વિજય મેળવ્યો છે? કયા યુદ્ધમાં દ્રૌપદીને જીતી હતી?