અધ્યાય-૪૭-કર્ણ અને દુર્યોધનનાં વચન
II वैशंपायन उवाच II अथ दुर्योधनो राजा समरे भीष्मब्रवीत I द्रोणं च रथशार्दुलं कृपं च सुमहारथम् II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,દુર્યોધને રણભૂમિમાં ભીષ્મને,રથશાર્દુલ દ્રોણને અને ઉત્તમ મહારથી કૃપાચાર્યને કહ્યું કે-
'મેં આ એક વાત વારંવાર કહી છે કે એવો ઠરાવ હતો કે પાંડવોએ તેરમે વર્ષે અજ્ઞાતવાસમાં રહેવું,હવે એ અજ્ઞાતવાસનું તેરમું વર્ષ
પૂરું થયું નથી અને અર્જુન આપણી સામે આવ્યો છે,એટલે પાંડવોએ ફરીથી બાર વર્ષ વનમાં રહેવાનું થશે.તેઓ સમયની
ગણતરીમાં ચૂક ખાઈ ગયા હોય કે અમારી કોઈ ગફલત થતી હોય તો સમયના સંબંધમાં નિર્ણય કરવા ભીષ્મ યોગ્ય છે.
આપણે તો મત્સ્યદેશની ઉત્તર તરફની ગાયો મેળવવાને યુદ્ધ કરી રહ્યા છીએ,ત્યારે અર્જુન જ સામેથી આવ્યો હોય
તો તેમાં આપણે કોનો અપરાધ કર્યો ગણાય? (5)