Sep 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-612

 

અધ્યાય-૪૫-ઉત્તર અને અર્જુનનો સંવાદ 


II उत्तर उवाच II आस्थाय रुचिरं वीर रथं सारथिना मया I कतमं यास्यसेनीकमुक्तो यास्याम्यहं त्वया II १ II

ઉત્તર બોલ્યો-હે વીર,તમે આ સોહામણા રથમાં બેસીને કઈ બાજુ જવા ઈચ્છો છે તે મને સારથિને કહો,

તમારી આજ્ઞા થતાં જ,હું તમને આ રથમાં એ પ્રમાણે લઇ જઈશ 

અર્જુન બોલ્યો-હે ઉત્તર,હું પ્રસન્ન થયો છું,હવે તને ભય નથી,હું તારા સર્વ શત્રુઓને રણમાંથી નસાડી મુકીશ,હવે તું મારુ

મહાભયંકર કર્મ જો,તું આ સર્વ ભાથાઓને રથ સાથે બાંધી દે ને માત્ર સોનાથી મઢેલી મારી તલવાર લઇ લે.

Sep 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-611

 

અધ્યાય-૪૪-અર્જુનનો પરિચય 


II उत्तर उवाच II सुवर्णविकृतानिमान्यायुधानि महात्मनः I रुचिराणि प्रकाशंते पार्थानामाशुकरिणां II १ II

ઉત્તર બોલ્યો-શીઘ્ર કામ કરનારા આ મહાત્મા પૃથાનંદનોના સુવર્ણચિત્રિત અને સોહામણાં આયુધો અહીં છે તો તે 

અર્જુન,યુધિષ્ઠિર,ભીમ,નકુલ અને સહદેવ ક્યાં છે?દ્રૌપદી પણ તેમની પાછળ વનમાં ગઈ હતી,તો તે ક્યાં છે?

અર્જુન બોલ્યો-'હું અર્જુન છું,તારા પિતાના સભાસદ યુધિષ્ઠિર છે,બલ્લવ ભીમસેન છે,અશ્વશિક્ષક નકુલ છે અને

ગોરક્ષક સહદેવ છે.ને જેને કારણે કીચકો માર્યા ગયા તે સૈરંધ્રીને તું દ્રૌપદી જાણ (6)

Aug 31, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-610

 

અધ્યાય-૪૩-અર્જુનનો ઉત્તર 


II बृहन्नला उवाच II यन्मां पुर्वमिहाप्रुच्छ: शत्रुसेनापहारिणीम I गाण्डिवमेतत्पार्थस्य लोकेषु विदितं धनुः II १ II

બ્રહન્નલા બોલ્યો-તેં મને પ્રથમ આ જે ધનુષ્ય વિશે પૂઢહ્યું તે શત્રુસેનાને સંહારનારું અને ત્રણે લોકમાં પ્રસિદ્ધ એવું અર્જુનનું ગાંડીવ ધનુષ્ય છે,આ ધનુષ્ય આગળ સર્વ ધનુષ્યો પાણી ભરે છે,અર્જુનનું આ પરમ આયુધ લાખ ધનુષ્યોની બરાબરી કરનારું છે,કે જેનાથી અર્જુન દેવો ને મનુષ્યો પર વિજય મેળવે છે.પૂર્વે આ ગાંડીવને બ્રહ્માએ એક હજાર વર્ષ સુધી ધારણ કર્યું હતું,પછી પ્રજાપતિએ પાંચસો ને ત્રણ વર્ષ,ઇન્દ્રે પંચ્યાશી વર્ષ,સોમરાજાએ પાંચસો વર્ષ,વરુણે સો વર્ષ સુધી ધારણ કર્યું હતું ને પછી અર્જુને વરુણ પાસેથી તે મેળવી,પાંસઠ વર્ષથી તેને ધારણ કર્યું છે.

Aug 30, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-609

 

અધ્યાય-૪૧-ઉત્તરે અસ્ત્રો ઉતાર્યા 


II उत्तर उवाच II अस्मिन् वृक्षे किलोदबद्वं शरीरमिति नः श्रुतम् I तदहं राजपुत्रः सन् स्पृशेयं पाणिना कथम् II १ II

ઉત્તર બોલ્યો-'મેં સાંભળ્યું છે કે આ ઝાડ પર કોઈનું મડદું બાંધ્યું છે,તો હું રાજપુત્ર કેમ તેને હાથથી અડું?

હું ક્ષત્રિયવંશમાં જન્મ્યો છું,મંત્ર-તંત્ર ને યજ્ઞોનો જાણકાર છું,તો હું તેને અડકું તે યોગ્ય નથી,હું તેને સ્પર્શ કરું તો શબના

ખાંધિયાની જેમ અપવિત્ર થઈશ,તો એ સ્થિતિમાં તું મારી સાથે સ્પર્શાદિક વ્યવહાર કરી શકે નહિ.

Aug 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-608

 
અધ્યાય-૩૯-અર્જુનની પ્રશંસા 

II वैशंपायन उवाच II तं दष्ट्वा क्लीववेषेण रथस्थं नरपुंगवम I शमीमभिमुखं यांतं रथमारोप्य चोत्तरम्  II १ II

વૈશંપાયન બોલ્યા-આમ ઉત્તરને રથમાં બેસાડીને નપુંસક વેશમાં રહેલો તે ધનંજય પોતે રથમાં બેઠો અને શમીવૃક્ષ તરફ જવા લાગ્યો.

તેને જોઈને ભીષ્મ,દ્રોણ આદિ શ્રેષ્ઠ મહારથીઓ 'આ અર્જુન છે' એવી બીકથી મનમાં થરથર્યા.

આમ ઉત્સાહભંગ થયેલા તેમને જોઈને ને અદ્ભૂત ઉત્પાતોને નીરખીને ગુરુ ભારદ્વાજ બોલ્યા કે-

Aug 28, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-607

 

અધ્યાય-૩૮-કૌરવોની સેનાએ જોઈને ઉત્તર ગભરાયો 


II वैशंपायन उवाच II स राजधान्या निर्याय वैराटिरकुतोभय: I प्रयाहीत्यब्रवित्सुतं यत्र ते कुरवो गता II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે નિર્ભય વિરાટપુત્ર ઉત્તર,રાજધાનીમાંથી બહાર નીકળ્યો ને સારથિને કહેવા લાગ્યો કે-'પેલા કુરુઓ જ્યાં ગયા હોય ત્યાં તું રથને હાંકીને લઇ જા.તે સર્વને હું હરાવીને,ગાયો પાછી મેળવીને જલદીથી આ નગરમાં પાછો આવીશ' ત્યારે અર્જુને ઉત્તમ અશ્વોને હાંક્યા ને રથ વેગથી દોડવા લાગ્યો.