અધ્યાય-૪૪-અર્જુનનો પરિચય
II उत्तर उवाच II सुवर्णविकृतानिमान्यायुधानि महात्मनः I रुचिराणि प्रकाशंते पार्थानामाशुकरिणां II १ II
ઉત્તર બોલ્યો-શીઘ્ર કામ કરનારા આ મહાત્મા પૃથાનંદનોના સુવર્ણચિત્રિત અને સોહામણાં આયુધો અહીં છે તો તે
અર્જુન,યુધિષ્ઠિર,ભીમ,નકુલ અને સહદેવ ક્યાં છે?દ્રૌપદી પણ તેમની પાછળ વનમાં ગઈ હતી,તો તે ક્યાં છે?
અર્જુન બોલ્યો-'હું અર્જુન છું,તારા પિતાના સભાસદ યુધિષ્ઠિર છે,બલ્લવ ભીમસેન છે,અશ્વશિક્ષક નકુલ છે અને
ગોરક્ષક સહદેવ છે.ને જેને કારણે કીચકો માર્યા ગયા તે સૈરંધ્રીને તું દ્રૌપદી જાણ (6)