Aug 31, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-610

 

અધ્યાય-૪૩-અર્જુનનો ઉત્તર 


II बृहन्नला उवाच II यन्मां पुर्वमिहाप्रुच्छ: शत्रुसेनापहारिणीम I गाण्डिवमेतत्पार्थस्य लोकेषु विदितं धनुः II १ II

બ્રહન્નલા બોલ્યો-તેં મને પ્રથમ આ જે ધનુષ્ય વિશે પૂઢહ્યું તે શત્રુસેનાને સંહારનારું અને ત્રણે લોકમાં પ્રસિદ્ધ એવું અર્જુનનું ગાંડીવ ધનુષ્ય છે,આ ધનુષ્ય આગળ સર્વ ધનુષ્યો પાણી ભરે છે,અર્જુનનું આ પરમ આયુધ લાખ ધનુષ્યોની બરાબરી કરનારું છે,કે જેનાથી અર્જુન દેવો ને મનુષ્યો પર વિજય મેળવે છે.પૂર્વે આ ગાંડીવને બ્રહ્માએ એક હજાર વર્ષ સુધી ધારણ કર્યું હતું,પછી પ્રજાપતિએ પાંચસો ને ત્રણ વર્ષ,ઇન્દ્રે પંચ્યાશી વર્ષ,સોમરાજાએ પાંચસો વર્ષ,વરુણે સો વર્ષ સુધી ધારણ કર્યું હતું ને પછી અર્જુને વરુણ પાસેથી તે મેળવી,પાંસઠ વર્ષથી તેને ધારણ કર્યું છે.

Aug 30, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-609

 

અધ્યાય-૪૧-ઉત્તરે અસ્ત્રો ઉતાર્યા 


II उत्तर उवाच II अस्मिन् वृक्षे किलोदबद्वं शरीरमिति नः श्रुतम् I तदहं राजपुत्रः सन् स्पृशेयं पाणिना कथम् II १ II

ઉત્તર બોલ્યો-'મેં સાંભળ્યું છે કે આ ઝાડ પર કોઈનું મડદું બાંધ્યું છે,તો હું રાજપુત્ર કેમ તેને હાથથી અડું?

હું ક્ષત્રિયવંશમાં જન્મ્યો છું,મંત્ર-તંત્ર ને યજ્ઞોનો જાણકાર છું,તો હું તેને અડકું તે યોગ્ય નથી,હું તેને સ્પર્શ કરું તો શબના

ખાંધિયાની જેમ અપવિત્ર થઈશ,તો એ સ્થિતિમાં તું મારી સાથે સ્પર્શાદિક વ્યવહાર કરી શકે નહિ.

Aug 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-608

 
અધ્યાય-૩૯-અર્જુનની પ્રશંસા 

II वैशंपायन उवाच II तं दष्ट्वा क्लीववेषेण रथस्थं नरपुंगवम I शमीमभिमुखं यांतं रथमारोप्य चोत्तरम्  II १ II

વૈશંપાયન બોલ્યા-આમ ઉત્તરને રથમાં બેસાડીને નપુંસક વેશમાં રહેલો તે ધનંજય પોતે રથમાં બેઠો અને શમીવૃક્ષ તરફ જવા લાગ્યો.

તેને જોઈને ભીષ્મ,દ્રોણ આદિ શ્રેષ્ઠ મહારથીઓ 'આ અર્જુન છે' એવી બીકથી મનમાં થરથર્યા.

આમ ઉત્સાહભંગ થયેલા તેમને જોઈને ને અદ્ભૂત ઉત્પાતોને નીરખીને ગુરુ ભારદ્વાજ બોલ્યા કે-

Aug 28, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-607

 

અધ્યાય-૩૮-કૌરવોની સેનાએ જોઈને ઉત્તર ગભરાયો 


II वैशंपायन उवाच II स राजधान्या निर्याय वैराटिरकुतोभय: I प्रयाहीत्यब्रवित्सुतं यत्र ते कुरवो गता II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે નિર્ભય વિરાટપુત્ર ઉત્તર,રાજધાનીમાંથી બહાર નીકળ્યો ને સારથિને કહેવા લાગ્યો કે-'પેલા કુરુઓ જ્યાં ગયા હોય ત્યાં તું રથને હાંકીને લઇ જા.તે સર્વને હું હરાવીને,ગાયો પાછી મેળવીને જલદીથી આ નગરમાં પાછો આવીશ' ત્યારે અર્જુને ઉત્તમ અશ્વોને હાંક્યા ને રથ વેગથી દોડવા લાગ્યો.

Aug 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-606

 

અધ્યાય-૩૬-ઉત્તરની બડાઈ 


II उत्तर उवाच II अद्याहमनुगच्छेयम् द्रढधन्वा गवां पदम् I यदि मे सारथिः कस्चिद्भवेदश्वेषु कोविदः II १ II

ઉત્તર બોલ્યો-'અહો,મારી પાસે જો કોઈ અશ્વનિષ્ણાત સારથિ હોય,તો હું આ જ ઘડીએ ધનુષ્ય ધારણ કરીને

ગાયોની પાછળ જાઉં.પણ એવો કોઈ પુરુષ મારી નજરમાં આવતો નથી,માટે કોઈ સારથિને શીઘ્ર શોધી કાઢો,

પૂર્વે થયેલા યુદ્ધમાં મારો સારથિ તો મારાં પામ્યો છે,હવે જો અશ્વગતિને જાણનારો બીજો કોઈ સારથિ મળે તો હું પલકવારમાં નીકળી પડું ને તે કુરુઓને નિર્વીર્ય કરી નાખી,પશુઓને પાછાં વાળી લાવું.તે એકઠા થયેલા કુરુઓ મારુ પરાક્રમ જોશે તો તેઓ એમ માનશે કે શું સાક્ષાત અર્જુન જ આપણને પીલી રહ્યો છે કે શું?

Aug 26, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-605

 

અધ્યાય-૩૪-વિરાટની કૃતજ્ઞતા અને જયઘોષણા 


II वैशंपायन उवाच II एवमुक्ते तु सव्रिडः सुशर्मासीदधोमुखः I समुक्तोभ्येत्य राजानमभिवाद्य प्रतस्थिवान II १ II

વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિરના આમ કહેવાથી સુશર્માએ શરમથી પોતાનું માથું નીચે કર્યું.ભીમસેને તેને છોડી દીધો

ત્યારે તે વિરાટરાજને અભિનંદન આપી ત્યાંથી ચાલ્યો ગયો.આમ,યુદ્ધ જીતીને તે પાંડવો તે રાત્રે તે સંગ્રામના

મધ્ય ભાગમાં સુઈ રહ્યા.વાંચી,વિરાટરાજે તે પાંડવોને માન અને ધનથી સન્માન આપતાં કહ્યું કે-આ જે મારાં

રત્નો છે તે તમારાં જ છે તો તમે તમને સુખ થાય તેમ કરો.હું તમને શણગાર સજેલી કન્યાઓ ને વિવિધ ધનો

આપું છું.ને વળી તમારી જે કોઈ બીજી ઈચ્છા હોય તે પૂરવાને હું તૈયાર છું.કેમ કે તમારા પરાક્રમથી જ

હું મુક્ત ને સ્વાધીન થયો છું.આથી તમે જ મત્સ્યદેશના સ્વામી થાઓ (6)