Aug 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-604

 

અધ્યાય-૩૩-ભીમસેને વિરાટરાજને છોડાવ્યો 


II वैशंपायन उवाच II तमसाभिप्लुते लोके रजसा चैव भारत I अतिष्ठन्वै मुहूर्त तु व्यूढानिकाः प्रहारिणः II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,આ પ્રમાણે જયારે આ લોક ધૂળ અને અંધકારમાં ડૂબી ગયો ત્યારે વ્યુહબદ્ધ યોદ્ધાઓ ઘડીભર વિરામ લઈને ઉભા.પછી,ચંદ્રમા ઉગ્યો એટલે તેના પ્રકાશમાં ફરીથી ભયંકર યુદ્ધ શરુ થયું.ને સુશર્માએ પોતાના નાના ભાઈઓને સાથે લઈને વિરાટરાજની સેના પર બધી બાજુએથી ધસારો કર્યો,ને સર્વ સેનાને બળપૂર્વક છિન્નભિન્ન કરીને તેને હરાવીને વિરાટરાજ પર એકદમ હલ્લો કર્યો.તેણે વિરાટરાજના રથના ઘોડાઓને 

મારી નાખ્યા અને તેની પાછળના અંગરક્ષકોને પણ મારી નાખ્યા ને આમ રથ વગરના ને સહાય વગરના તે મત્સ્યરાજને એણે જીવતો જ પકડી પડ્યો,ને તેને પોતાના રથમાં નાખીને ઉતાવળે ત્યાંથી ચાલી નીકળ્યો.(9)

Aug 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-603

 

અધ્યાય-૩૨-વિરાટરાજ અને સુશર્માનુ યુદ્ધ 


II वैशंपायन उवाच II निर्याय नगराच्छुरा व्यूढानिकाः प्रहारिणः I त्रिगर्तानस्पृशन्मत्स्या: सूर्ये परिणते सति II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,મત્સ્યદેશના શૂર યોદ્ધાઓ નગરની બહાર નીકળ્યા અને સેનાને વ્યુહબદ્ધ કરીને તેમણે સૂર્ય અસ્ત પામે તે પહેલાં જ ત્રિગર્તોને પકડી પાડ્યા.ત્રિગર્તો અને મત્સ્યોને ક્રોધમાં આવીને યુદ્ધ કરવા માટે ભારે મદ ચડ્યો હતો,ને બંને ગાયો લઇ જવા તત્પર હતા.ત્યાં તેઓ એકબીજા સામે ગર્જના કરવા લાગ્યા,ને પછી,

પરસ્પર અસ્ત્રોના પ્રહાર કરીને ભયંકર યુદ્ધની શરૂઆત થઇ.રણસંગ્રામમાં આવેશમાં આવેલા તે યોદ્ધાઓ,

તલવારો,પ્રાસો,શક્તિઓ,બાણો આદિ જાતજાતનાં અસ્ત્રો વડે એકબીજાને હણવા લાગ્યા.

Aug 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-602

 

અધ્યાય-૩૧-વિરાટરાજનો રણઉદ્યોગ 


II वैशंपायन उवाच II ततस्तेषां महाराज तत्रैवामिततेजसाम् I छद्मलिंग[प्रविष्टानां पांडवानां महात्मानम् II १ II

વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,અમાપ તેજવાળા અને કપટવેશમાં રહેલા તે મહાત્મા પાંડવોનો,અજ્ઞાતવાસનો સમય ત્યાં,વિરાટનગરમાં રહેતાં ને રાજાના કાર્યો કરતાં સારી રીતે વીતી ગયો.કીચક માર્યો ગયો પછી વિરાટરાજા યુધિષ્ઠિર પર સારી આશા રાખી રહ્યો હતો.ત્યાં તેરમા વર્ષની આખરે,સુશર્માએ આવીને વિરાટરાજના પુષ્કળ ગોધનને વેગપૂર્વક કબ્જે કરી લીધું.ત્યારે ગોપોનો અઘ્યક્ષ સભામાં દોડી આવ્યો ને વિરાટરાજને કહેવા લાગ્યો કે-

'સુશર્માએ અમારા બાંધવોને પરાભવ આપીને તે તમારી એકલાખ ગાયોને હાંકી જાય છે,તો તેનું રક્ષણ કરો'

Aug 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-601

 

અધ્યાય-૩૦-ત્રિગર્તરાજે વિરાટની ગાયોનું કરેલું હરણ 


II वैशंपायन उवाच II अथ राजा त्रिगर्तानां सुशर्मा रथयुथपः I प्राप्तकालमिदं वाक्यमुवाच त्वरितो बली II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,રથસમૂહનો પાલક ત્રિગર્તરાજ સુશર્મા ઉતાવળો આવીને સમયોચિત વચન કહેવા લાગ્યો કે-મત્સ્યરાજના સેનાપતિ કીચકે  મારા રાજ્યને અનેકવાર રંજાડ્યું છે,પણ હવે તે કીચકોને ગંધર્વોએ મારી નાખ્યો છે

એટલે વિરાટરાજનો આધાર તૂટી ગયો હશે એમ હું માનું છું.આથી તમને સર્વ કૌરવો ને કર્ણને રુચે તો આપણે

તેના રાજ્ય પર ચડાઈ કરી એનાં રત્નો,વિવિધ ધનને કબ્જે કરી ભાગ પાડી વહેંચી લઈએ.અથવા આપણે બળપૂર્વક

તેના નગરને સારી રીતે પીડીએ ને તેની જાતજાતની અત્યંત સુંદર એવી ગાયોનું હરણ કરીએ.

આપણે સેનાના વિભાગ કરીને,ચારે બાજુથી આક્રમણ કરી તેના સૈન્યને હણીને,તેમને આધીન કરવાથી 

તમારા બળમાં નિઃસંશય વૃદ્ધિ થશે.અને આપણે સુખેથી રહી શકીશું (13)

Aug 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-600

 

અધ્યાય-૨૮-ભીષ્મનું ભાષણ 


II वैशंपायन उवाच II ततः शांतनवो भीष्मो भरतानां पितामहः I श्रुतवान्देशकालज्ञस्तत्त्वज्ञ: सर्वधर्मवित II १ II

વૈશંપાયન બોલ્યા-દ્રોણાચાર્યનું ભાષણ પૂરું થયું ત્યારે શાસ્ત્રજ્ઞ,દેશકાળને જાણનારા,તત્વના જ્ઞાતા,સર્વ ધર્મોના જ્ઞાનવાળા,ભરતવંશીઓના પિતામહ અને શાંતનુના પુત્ર ભીષ્મ,કૌરવોના હિત માટે બોલવા લાગ્યા કે-

સર્વ વિષયના તત્વોને જાણનારા દ્રોણે,પાંડવોના સંબંધમાં જે કહ્યું તે સત્ય જ છે.તે પાંડવો ધર્મથી અને અત્યંત

પરાક્રમથી સુરક્ષિત છે તેથી તેઓ નાશ નહિ જ પામે,એવું મારુ પણ માનવું છે.હું મારી બુદ્ધિ અનુસાર જે કહું છું 

તે સાંભળો,ને હું તમારો દ્રોહ કરું છું એવું તમે રખે સમજતા.મારા જેવાએ આ નીતિ દુર્જનોને કહેવી 

જોઈએ નહિ,તેમ છતાં મારે અનીતિ પણ કહેવી જોઈએ નહિ.

Aug 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-599

 

અધ્યાય-૨૬-કર્ણ અને દુઃશાસનના વાક્યો 


II वैशंपायन उवाच II ततो दुर्योधनो राज ज्ञात्वा तेषां वचस्तदा I चिरमंतर्मना भूत्वा प्रत्युवाच सभासदः II १ II

ત્યારે દૂતોનાં આ વચન સાંભળીને દુર્યોધનરાજ ઘણા સમય સુધી મનમાં વિચાર કરીને સભાસદોને કહેવા લાગ્યો કે-

'તમે સર્વ સારી રીતે વિચાર કરો કે તે પાંડવો ક્યાં ગયા હશે? અજ્ઞાતવાસનો હવે થોડો જ સમય બાકી રહ્યો છે,

જો આ સમય વીતી જશે તો તે તીવ્ર વિષવાળા સર્પો જેવા પાંડવો પોતાની પ્રતિજ્ઞા પુરી થવાથી અહીં પાછા આવશે

અને અહીં આવી કૌરવો પર કોપશે ને દુઃખ આપશે.આથી તેઓને જલ્દી શોધી કાઢો,એટલે તેઓ ફરીથી વનવાસ

જાય ને આપણું રાજ્ય નિષ્કંટક થાય.તેઓ ન ઓળખી શકાય તેવા વેશ ધરીને રહ્યા હોવા જોઈએ.(7)