Aug 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-600

 

અધ્યાય-૨૮-ભીષ્મનું ભાષણ 


II वैशंपायन उवाच II ततः शांतनवो भीष्मो भरतानां पितामहः I श्रुतवान्देशकालज्ञस्तत्त्वज्ञ: सर्वधर्मवित II १ II

વૈશંપાયન બોલ્યા-દ્રોણાચાર્યનું ભાષણ પૂરું થયું ત્યારે શાસ્ત્રજ્ઞ,દેશકાળને જાણનારા,તત્વના જ્ઞાતા,સર્વ ધર્મોના જ્ઞાનવાળા,ભરતવંશીઓના પિતામહ અને શાંતનુના પુત્ર ભીષ્મ,કૌરવોના હિત માટે બોલવા લાગ્યા કે-

સર્વ વિષયના તત્વોને જાણનારા દ્રોણે,પાંડવોના સંબંધમાં જે કહ્યું તે સત્ય જ છે.તે પાંડવો ધર્મથી અને અત્યંત

પરાક્રમથી સુરક્ષિત છે તેથી તેઓ નાશ નહિ જ પામે,એવું મારુ પણ માનવું છે.હું મારી બુદ્ધિ અનુસાર જે કહું છું 

તે સાંભળો,ને હું તમારો દ્રોહ કરું છું એવું તમે રખે સમજતા.મારા જેવાએ આ નીતિ દુર્જનોને કહેવી 

જોઈએ નહિ,તેમ છતાં મારે અનીતિ પણ કહેવી જોઈએ નહિ.

Aug 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-599

 

અધ્યાય-૨૬-કર્ણ અને દુઃશાસનના વાક્યો 


II वैशंपायन उवाच II ततो दुर्योधनो राज ज्ञात्वा तेषां वचस्तदा I चिरमंतर्मना भूत्वा प्रत्युवाच सभासदः II १ II

ત્યારે દૂતોનાં આ વચન સાંભળીને દુર્યોધનરાજ ઘણા સમય સુધી મનમાં વિચાર કરીને સભાસદોને કહેવા લાગ્યો કે-

'તમે સર્વ સારી રીતે વિચાર કરો કે તે પાંડવો ક્યાં ગયા હશે? અજ્ઞાતવાસનો હવે થોડો જ સમય બાકી રહ્યો છે,

જો આ સમય વીતી જશે તો તે તીવ્ર વિષવાળા સર્પો જેવા પાંડવો પોતાની પ્રતિજ્ઞા પુરી થવાથી અહીં પાછા આવશે

અને અહીં આવી કૌરવો પર કોપશે ને દુઃખ આપશે.આથી તેઓને જલ્દી શોધી કાઢો,એટલે તેઓ ફરીથી વનવાસ

જાય ને આપણું રાજ્ય નિષ્કંટક થાય.તેઓ ન ઓળખી શકાય તેવા વેશ ધરીને રહ્યા હોવા જોઈએ.(7)

Aug 19, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-598

 

ગોહરણ પર્વ 

અધ્યાય-૨૫-ગુપ્ત દૂતો દુર્યોધન પાસે પાછા આવ્યા 


II वैशंपायन उवाच II कीचकस्य तु घातेन सानुजस्य विशांपते I अत्याहितं चिंतयित्वा व्यस्ययंत पृथक्जना: II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજન,કીચક અને તેના ભાઈઓનો એકસાથે નાશ થયો,તેને ભયંકર કામ જાણીને સાધારણ

માણસો પણ આશ્ચર્યમાં પડી ગયા.તે નગરમાં અને આખા દેશમાં વાતો ચાલવા લાગી કે-'તે મહાબળવાન કીચક

તેના શૌર્યને કારણે રાજાને વહાલો હતો,પણ તેની બુદ્ધિ દુષ્ટ હતી અને પરસ્ત્રીની લાજ લૂંટતો હતો

તેથી જ તે પાપી મનના દુષ્ટ પુરુષને ગંધર્વોએ મારી નાખ્યો છે' (4)

Aug 18, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-597

 

અધ્યાય-૨૪-દ્રૌપદી નગરમાં આવી 


II वैशंपायन उवाच II ते द्रष्ट्वा निहतान्सुतान राज्ञे गत्वा न्यवेदयन I गन्धर्वैर्निहता राजन सूतपुत्रा महाबलाः II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે સુતપુત્રોને માર્યા ગયેલા જોઈને,તે લોકોએ રાજાને ખબર આપી કે-હે રાજન ગાંધર્વોએ મહાબલાવન સૂતપુત્રોને મારી નાખ્યા છે,ને તે પૃથ્વી પર આડાઅવળા પડયા છે,સૈરંધ્રી તેમનાથી છૂટી થઈને રાજભવને પછી આવી રહી છે,તમારું સમસ્ત નગર ભયમાં આવી પડશે તેથી તમે તત્કાલ એવો ઉપાય કરો કે તે સૈરંધ્રીના રોષથી આ નગરનો વિનાશ થાય નહિ' તેમનાં વચન સાંભળી વિરાટરાજ બોલ્યો કે -'પહેલાં તો તે સૂતપુત્રોની અંત્યેષ્ટિક્રિયા કરો' પછી ભયભીત થયેલા તે રાજાએ સુદેષ્ણા પાસે જઈને કહ્યું કે-

'તે સૈરંધ્રી ઘેર આવે ત્યારે મારા કહેવાથી તેને કહેજે કે-તારું કલ્યાણ થાઓ.હવે તારી ઇચ્છામાં આવે 

ત્યાં તું ચાલી જા,કેમ કે ગંધર્વો તારી રક્ષા કરે છે ને રાજાને તેમનાથી પરાભવ થવાનો ડર છે' (10)

Aug 17, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-596

 

અધ્યાય-૨૩-કીચકના ભાઈઓનો વધ 


II वैशंपायन उवाच II तस्मिन्काले समागम्य सर्वे तव्रास्य बान्धवाः I रुरुदुः कीचकं द्रष्ट्वा परिवार्य समंततः II १ II

વૈશંપાયન બોલ્યા-તે સમયૅ કીચકના ભાઈઓ ત્યાં ભેગા થઇ ગયા,કીચકને મરેલો જોઈને તેની આસપાસ

વીંટળાઈને મોટેથી પોક મૂકીને રડવા લાગ્યા.ઓળખાઈ પણ ન શકે તેવી કીચકની હાલત જોઈને,તેના અગ્નિસંસ્કાર

કરવા લઇ જવાની તૈયારી કરવા લાગ્યા.તે જ સમયે તેઓએ દ્રૌપદીને ત્યાં નજીકમાં જોઈ એટલે તે સર્વે

એક સાથે બોલી ઉઠયા કે-આને.લીધે જ કીચકને મોત આવ્યું છે તેથી તેને પણ કીચક સાથે બાળી મુકો'

Aug 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-595

અધ્યાય-૨૨-કીચક વધ 


II भीमसेन उवाच II तथा भद्रे करिष्यामि यथा त्वं भीरु भाषसे I अद्य तं सुदयिष्यामि कीचकं सह बान्धवं II १ II

ભીમસેન બોલ્યો-હે ભદ્રા,તું કહે છે તેમ જ હું કરીશ.આજેજ હું તે કીચકને ને તેના ભાઈઓ સાથે પૂરો કરી દઈશ.

તું શોક અને દુઃખને ખંખેરી નાખી એ કીચકને મળીને એવી રીતે વાત કરજે કે તે કાલની રાતની સંઘ્યાવેળાએ

અવશ્ય આ નૃત્યશાળામાં આવે.બીજા કોઈ તને તેની સાથે વાત કરતી ન જુએ તેનો ખ્યાલ રાખજે'

આમ વાતચીત કરીને તે બંનેએ તે રાત્રિ  મહાભારની જેમ જેમતેમ વિતાવી (6)