અધ્યાય-૨૧-ભીમે દ્રૌપદીને સાંત્વન આપ્યું
II भीमसेन उवाच II धिगस्तु मे बाहुबलं गाण्डीव फ़ाल्गुनस्य च I यत्तैरक्तौ पुरा भूत्वा पाणीकृतकिणाविमौ II १ II
ભીમસેન બોલ્યો-એકવાર તારા હાથ રાતાં તળિયાવાળા હતા,તે આજે પારકાના કામ કરીને કણીઓવાળા થયા છે,
તેથી મારા બાહુબળને ધિક્કાર હોયને ધિક્કાર હો અર્જુનના તે ગાંડીવને ! હું તો વિરાટની સભામાં જ મહાસંહાર
માંડત,પણ યુધિષ્ઠિરે 'છતા ના થવું' એવી સૂચના કરતાં મારી સામે જોયું એટલે હું રોકાઈ ગયો હતો.બાકી ઐશ્વર્યના
મદમાં ગંદા થયેલા એ કીચકનું માથું હું રમત વાતમાં પગ તળે કચરી નાખત.હે કૃષ્ણા,એ કીચકે તને લાત મારી,તે જ
વખતે હું મત્સ્યદેશવાસીઓનો મહાસંહાર કરવા તલપી રહ્યો હતો,પણ ધર્મરાજે મને વાર્યો,ને હું બેસી રહ્યો હતો.