Aug 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-588

 

અધ્યાય-૧૫-કીચક અને સુદેષ્ણાની યુક્તિ 


II वैशंपायन उवाच II प्रस्याख्यातो राजपुत्र्या सुदेष्णां कीचकोब्रवीत् I अमर्यादेन कामेन घोरेणामिपरिप्लुतः II १ II

વૈશંપાયન બોલ્યા-આમ રાજપુત્રી દ્રૌપદીએ,કીચકને હડધૂતી કાઢ્યો ત્યારે ભયંકર અને અમર્યાદ કામથી ઘેરાયલો એ (બહેન)સુદેષ્ણા પાસે જઈ તેને કહેવા લાગ્યો કે-હે કૈકેયી,તું એવું ગોઠવ કે તે સૈરંધ્રી મારી પાસે આવી મારા પર પ્રેમ કરે,એની ઘેલછામાં હું જીવ ખોઈ ન બેસું એમ તું કર' કીચકનાં વિલાપવચનો સાંભળીને સુદેષ્ણાએ એના પર દયા કરીને કહ્યું કે-તું પર્વનો દિવસ જોઈને સૂરા ને ભોજનો તૈયાર કરાવજે એટલે હું તેને સૂરા લાવવા તારી પાસે મોકલીશ,

એટલે તું અડચણ વિનાના તારા સ્થાનમાં તેને સમજાવજે,તો કદાચ તે તારે વશ થાય'(6)

Aug 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-587

કીચક વધ પર્વ

અધ્યાય-૧૪-કામાંધ કીચક અને કૃષ્ણાનો સંવાદ 


II वैशंपायन उवाच II वसमानेषु पार्थेषु मत्स्यनगरे तदा I महारथेषु च्छ्न्नेषु मासा दश समाययुः II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,તે મહારથી પૃથાનંદનોને મત્સ્યનગરમાં ગુપ્ત રીતે રહેતાં દશ માસ વીતી ગયા.

યાજ્ઞસેની કે જે સેવા કરાવવાને યોગ્ય હતી તે સુદેષ્ણાની સેવા કરતી હતી.એવામાં વિરાટરાજના (સાળા) મહાબળવાન સેનાપતિ કીચકે એ દ્રુપદપુત્રીને દીઠી.દેવકન્યાના જેવી કાંતિવાળી અત્યંત સુંદર દ્રૌપદીને જોઈને તે કીચક કામબાણથી અત્યંત પીડાવા લાગ્યો.તે સુદેષ્ણા પાસે જઈને કહેવા લાગ્યો કે-

Aug 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-586

 

સમયપાલન પર્વ 

અધ્યાય-૧૩-જીમૂતનો વધ 


II जनमेजय उवाच II एवं ते मत्स्यनगरे प्रच्छनाः कुरुनन्दनाः I अत ऊर्ध्व महावीर्याः किमकुर्वत वै द्विज II १ II

જન્મેજય બોલ્યા-હે દ્વિજ,એ મહાવીર્યવાન કુરુનંદનોએ મત્સ્યનગરમાં ગુપ્તવાસ કર્યા પછી શું કર્યું?

વૈશંપાયન બોલ્યા-ધર્મદેવના અનુગ્રહથી પાંડવો વિરાટનગરમાં અજ્ઞાતવાસે રહ્યા.ત્યાં યુધિષ્ઠિર સભાસદ થયા ને વિરાટરાજ,તેમના પુત્રો ને મત્સ્યદેશવાસીઓનાં પ્રિયપાત્ર થયા હતા.યુધિષ્ઠિર,તે વિરાટરાજને દ્યુતસભામાં યથેચ્છ

રીતે રમાડતા હતા ને પોતાનું જીતેલું ધન વિરાટરાજ ન જાણે એ રીતે ભાઈઓને યથાયોગ્ય આપતા હતા. 

વળી,તે ભાઈઓ પણ પોતપોતાનું કામ કરીને એકબીજાને સહાયક થતા હતા 

ને દ્રૌપદીની સંભાળ રાખીને તેઓ વિરાટનગરમાં ગુપ્તપણે વિચરતા હતા.(13)

Aug 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-585

 

અધ્યાય-૧૨-નકુલનો પ્રવેશ 


II वैशंपायन उवाच II अथापरोद्श्यत पांडव: प्रभुर्विराटराजं तरसा समेयिवान् I 

तमापतंतं ददशे पृथग्जनो विमुक्तमभ्रादिव सूर्यमण्डलं II १ II

વૈશંપાયન બોલ્યા-એ પછી,એક બીજો સમર્થ પાંડુપુત્ર નકુલ ઉતાવળે વિરાટરાજ પાસે આવી ઉભેલ જણાયો.અન્યજનોએ તેને મેઘમંડળમાંથી મુક્ત થયેલા સૂર્યમંડળ જેવો જોયો.તે નકુળ ઘોડાઓની તપાસ કરતો હતો ત્યારે વિરાટરાજે તેને જોયો.ને પોતાના અનુચરોને કહ્યું કે-દેવના જેવો આ પુરુષ ક્યાંથી આવે છે? એ પોતે મારા અશ્વોને ઝીણવટથી તપાસે છે,તો એ કોઈ અશ્વવેત્તા હોવો જોઈએ,એને મારી પાસે લઇ આવો'

Aug 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-584

 

અધ્યાય-૧૧-અર્જુનનો પ્રવેશ 


II वैशंपायन उवाच II अथापरोद्श्यत रूपसंपदा स्त्रीणांलंकारधरो ब्रुह्त्युमान I 

प्राकारवप्रे प्रतिमुच्य कुण्डले दीर्घे च कंवुपरिहाटके शुभे  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ત્યાં સ્ત્રીઓના અલંકારોને ધારણ કરનારો એક રૂપસંપત્તિવાળો ભવ્ય પુરુષ કોટની નજીકમાં દેખાયો,કે જેણે કાને મોટાં કુંડળો પહેર્યા હતા અને હાથમાં શંખનાં બલૈયાં તેમ જ સોનાનાં કડાં પહેર્યા હતાં.એ અર્જુન,પોતાના લાંબા બાહુઓને તથા કેશોને પ્રસારીને વિરાટરાજની સભા પાસે આવી ઉભો.

Aug 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-583

 

અધ્યાય-૧૦-સહદેવનો પ્રવેશ 


II वैशंपायन उवाच II सह्देवोपि गोपानां कृत्वा वेषमनुत्तमम् I भाषां चैपां समास्थाय विराटमुपयादथ II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,સહદેવ પણ ગોવાળનો ઉત્તમ વેશ લઈને,ગોવાળિયાઓની બોલી બોલતો વિરાટરાજાની

પાસે જવા નીકળ્યો,ને રાજભવન પાસેની ગૌશાળા પાસે જઈને ઉભો રહ્યો.રાજાએ તેને જોયો,ત્યારે તેને પૂછ્યું કે-

'તું કોણ છે?ક્યાંથી આવ્યો છે?તું શું કરવા ઈચ્છે છે? મેં તને પૂર્વે જોયો નથી,તો તું સાચેસાચું કહે'