Aug 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-587

કીચક વધ પર્વ

અધ્યાય-૧૪-કામાંધ કીચક અને કૃષ્ણાનો સંવાદ 


II वैशंपायन उवाच II वसमानेषु पार्थेषु मत्स्यनगरे तदा I महारथेषु च्छ्न्नेषु मासा दश समाययुः II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,તે મહારથી પૃથાનંદનોને મત્સ્યનગરમાં ગુપ્ત રીતે રહેતાં દશ માસ વીતી ગયા.

યાજ્ઞસેની કે જે સેવા કરાવવાને યોગ્ય હતી તે સુદેષ્ણાની સેવા કરતી હતી.એવામાં વિરાટરાજના (સાળા) મહાબળવાન સેનાપતિ કીચકે એ દ્રુપદપુત્રીને દીઠી.દેવકન્યાના જેવી કાંતિવાળી અત્યંત સુંદર દ્રૌપદીને જોઈને તે કીચક કામબાણથી અત્યંત પીડાવા લાગ્યો.તે સુદેષ્ણા પાસે જઈને કહેવા લાગ્યો કે-

Aug 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-586

 

સમયપાલન પર્વ 

અધ્યાય-૧૩-જીમૂતનો વધ 


II जनमेजय उवाच II एवं ते मत्स्यनगरे प्रच्छनाः कुरुनन्दनाः I अत ऊर्ध्व महावीर्याः किमकुर्वत वै द्विज II १ II

જન્મેજય બોલ્યા-હે દ્વિજ,એ મહાવીર્યવાન કુરુનંદનોએ મત્સ્યનગરમાં ગુપ્તવાસ કર્યા પછી શું કર્યું?

વૈશંપાયન બોલ્યા-ધર્મદેવના અનુગ્રહથી પાંડવો વિરાટનગરમાં અજ્ઞાતવાસે રહ્યા.ત્યાં યુધિષ્ઠિર સભાસદ થયા ને વિરાટરાજ,તેમના પુત્રો ને મત્સ્યદેશવાસીઓનાં પ્રિયપાત્ર થયા હતા.યુધિષ્ઠિર,તે વિરાટરાજને દ્યુતસભામાં યથેચ્છ

રીતે રમાડતા હતા ને પોતાનું જીતેલું ધન વિરાટરાજ ન જાણે એ રીતે ભાઈઓને યથાયોગ્ય આપતા હતા. 

વળી,તે ભાઈઓ પણ પોતપોતાનું કામ કરીને એકબીજાને સહાયક થતા હતા 

ને દ્રૌપદીની સંભાળ રાખીને તેઓ વિરાટનગરમાં ગુપ્તપણે વિચરતા હતા.(13)

Aug 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-585

 

અધ્યાય-૧૨-નકુલનો પ્રવેશ 


II वैशंपायन उवाच II अथापरोद्श्यत पांडव: प्रभुर्विराटराजं तरसा समेयिवान् I 

तमापतंतं ददशे पृथग्जनो विमुक्तमभ्रादिव सूर्यमण्डलं II १ II

વૈશંપાયન બોલ્યા-એ પછી,એક બીજો સમર્થ પાંડુપુત્ર નકુલ ઉતાવળે વિરાટરાજ પાસે આવી ઉભેલ જણાયો.અન્યજનોએ તેને મેઘમંડળમાંથી મુક્ત થયેલા સૂર્યમંડળ જેવો જોયો.તે નકુળ ઘોડાઓની તપાસ કરતો હતો ત્યારે વિરાટરાજે તેને જોયો.ને પોતાના અનુચરોને કહ્યું કે-દેવના જેવો આ પુરુષ ક્યાંથી આવે છે? એ પોતે મારા અશ્વોને ઝીણવટથી તપાસે છે,તો એ કોઈ અશ્વવેત્તા હોવો જોઈએ,એને મારી પાસે લઇ આવો'

Aug 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-584

 

અધ્યાય-૧૧-અર્જુનનો પ્રવેશ 


II वैशंपायन उवाच II अथापरोद्श्यत रूपसंपदा स्त्रीणांलंकारधरो ब्रुह्त्युमान I 

प्राकारवप्रे प्रतिमुच्य कुण्डले दीर्घे च कंवुपरिहाटके शुभे  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ત્યાં સ્ત્રીઓના અલંકારોને ધારણ કરનારો એક રૂપસંપત્તિવાળો ભવ્ય પુરુષ કોટની નજીકમાં દેખાયો,કે જેણે કાને મોટાં કુંડળો પહેર્યા હતા અને હાથમાં શંખનાં બલૈયાં તેમ જ સોનાનાં કડાં પહેર્યા હતાં.એ અર્જુન,પોતાના લાંબા બાહુઓને તથા કેશોને પ્રસારીને વિરાટરાજની સભા પાસે આવી ઉભો.

Aug 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-583

 

અધ્યાય-૧૦-સહદેવનો પ્રવેશ 


II वैशंपायन उवाच II सह्देवोपि गोपानां कृत्वा वेषमनुत्तमम् I भाषां चैपां समास्थाय विराटमुपयादथ II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,સહદેવ પણ ગોવાળનો ઉત્તમ વેશ લઈને,ગોવાળિયાઓની બોલી બોલતો વિરાટરાજાની

પાસે જવા નીકળ્યો,ને રાજભવન પાસેની ગૌશાળા પાસે જઈને ઉભો રહ્યો.રાજાએ તેને જોયો,ત્યારે તેને પૂછ્યું કે-

'તું કોણ છે?ક્યાંથી આવ્યો છે?તું શું કરવા ઈચ્છે છે? મેં તને પૂર્વે જોયો નથી,તો તું સાચેસાચું કહે'

Aug 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-582

 

અધ્યાય-૯-દ્રૌપદીનો પ્રવેશ 


II वैशंपायन उवाच II ततःकेशान्समुत्क्षिप्य वेल्लिताग्राननिंदितान I 

कृष्णान सुक्ष्मान मृदून दीघान समुद्ग्रथ्य शुचिस्मिता II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,નિર્મળ સ્મિતવાળી,શ્યામળ લોચનવાળી કૃષ્ણાએ પોતાના વાંકડિયા,સુંદર,કાળા,પાતળા,

કોમળ અને લાંબા કેશોને એકઠા કરીને ગૂંથી લીધા,ને તેને જમણા પડખામાં ઢાંકીને,અત્યંત મલિન એવું એક વસ્ત્ર પહેરીને,સૈરંધ્રીનો વેશ ધારણ કરીને દુ:ખીયારીની જેમ વિરાટનગરમાં ભટકવા લાગી.નગરવાસી સ્ત્રીઓએ

તેને પૂછ્યું કે-'તું કોણ છે? ને તું શું કરવા ઈચ્છે છે?'