અધ્યાય-૯-દ્રૌપદીનો પ્રવેશ
II वैशंपायन उवाच II ततःकेशान्समुत्क्षिप्य वेल्लिताग्राननिंदितान I
कृष्णान सुक्ष्मान मृदून दीघान समुद्ग्रथ्य शुचिस्मिता II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,નિર્મળ સ્મિતવાળી,શ્યામળ લોચનવાળી કૃષ્ણાએ પોતાના વાંકડિયા,સુંદર,કાળા,પાતળા,
કોમળ અને લાંબા કેશોને એકઠા કરીને ગૂંથી લીધા,ને તેને જમણા પડખામાં ઢાંકીને,અત્યંત મલિન એવું એક વસ્ત્ર પહેરીને,સૈરંધ્રીનો વેશ ધારણ કરીને દુ:ખીયારીની જેમ વિરાટનગરમાં ભટકવા લાગી.નગરવાસી સ્ત્રીઓએ
તેને પૂછ્યું કે-'તું કોણ છે? ને તું શું કરવા ઈચ્છે છે?'