Jul 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-569

અધ્યાય-૩૦૯-રાધાએ કર્ણને અપનાવીને મોટો કર્યો 


II वैशंपायन उवाच II एतस्मिन्नेव काले तु धृतराष्ट्रस्य वे सखा I सुतोधिरथ इत्येव सदारो जाह्नवीं ययौ II १ II

વૈશંપાયન બોલ્યા-એ જ સમયે ધૃતરાષ્ટ્રનો મિત્ર સારથી અધિરથ પોતાની પત્ની રાધા સાથે ગંગાજી પર ગયો હતો.

રાધાને કોઈ સંતાન નહોતું.તેણે ગંગાજીમાં તણાઈને આવતી પેટી જોઈ,દૈવેચ્છાએ તે મોજાંઓથી તણાતી કિનારા

તરફ આવવા લાગી,ત્યારે રાધાએ તેને પકડીને કિનારા પર લાવી,પતિ અધિરથને તે બતાવી.અધિરથે તે પેટી ઊંચકીને બહાર લાવી તેનું ઢાંકણું ખોલ્યું તો તેમણે કવચ-કુંડળથી સજ્જ બાળકને જોયો,ત્યારે બંનેનાં નયનો વિસ્મયથી ખીલી ઉઠ્યાં.અધિરથે તે બાળકને ખોળામાં લઈને પત્નીને કહ્યું કે-'મારી જિંદગીમાં આજે મેં આવું પ્રથમવાર જ આશ્ચર્ય જોયું છે,હું માનું છું કે આ કોઈ દેવબાળક જ આપણી પાસે આવ્યો છે.નક્કી,જ સંતાન વગરના એવા મને દેવોએ જ

આ દીકરો દીધો છે' આમ કહી તેણે એ પુત્ર રાધાને આપ્યો.(10)

Jul 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-568

અધ્યાય-૩૦૭-સૂર્ય અને કુંતીનો સમાગમ 

II वैशंपायन उवाच II सा तु कन्या बहुविधं ब्रुवंति मधुरं वचः I अनुनेतु सहस्त्रांशुं न शशाक मनस्विनी II १ II

વૈશંપાયન  બોલ્યા-તે મનસ્વિની કન્યા અનેક પ્રકારનાં મીઠાં મીઠાં વચનો કહેવા લાગી પણ તેમ કરીને પણ તે સૂર્યને સમજાવી શકી નહિ.સૂર્યના શાપના ભયથી તે પોતાનો,પિતાનો અને તે બ્રાહ્મણનો વિચાર કરવા લાગી.

બાળસ્વભાવથી પોતે કરેલી મૂર્ખાઈને લીધે તે ભયભીત થઇ વિચારતી હતી કે-'કેમ કરીને હું પોતે જ પોતાનું દાન કરવારૂપી અયોગ્ય કાર્ય કરું?' લજ્જાથી વ્યાકુળ થયેલી તેણે સૂર્યદેવને કહ્યું કે-

Jul 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-567

 

અધ્યાય-૩૦૬-કુંતીએ કરેલું સૂર્યનું આવાહન 


II वैशंपायन उवाच II गते तस्मिन् द्विजश्रेष्ठे कस्मिश्चित्कारणांतरे I चिंतयामास सा कन्या मंत्रग्रामबलाबलम् II १ II

વૈશંપાયન બોલ્યા-આમ એ દ્વિજોત્તમ ગયા પછી,કોઈ કારણે તે કન્યા,મંત્રસમૂહના બલાબલ વિશે વિચારમાં પડી.

કુતુહલતાથી તે વિચારવા લાગી કે-'આ મંત્રસમૂહનું બળ કેવું હશે? મારે તે જાણવું જોઈએ?'

એ આમ વિચારી રહી હતી,તેવામાં તેણે એકાએક પોતાને ઋતુમાં આવેલી જોઈ.તે પૃથા જયારે મહેલની અગાસીએ

ઉભી હતી ત્યારે તેણે પૂર્વ દિશામાં સૂર્યને ઉગતો જોયો.ત્યારે તેની દ્રષ્ટિ દિવ્ય થઇ અને કુંડળથી વિભૂષિત થયેલા,

કવચને ધારણ કરનારા ને દિવ્ય દર્શનવાળા તે સૂર્યદેવને તેણે જોયા.

Jul 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-566

 

અધ્યાય-૩૦૪-કુંતીએ કરેલી દુર્વાસાની સેવા 


II कुन्ती उवाच II ब्राह्मणं यंत्रिता राजन्न्रुपस्यास्यामि पूजया I यथा प्रतिज्ञां राजेन्द् न च मिथ्या ब्रविभ्यहम II १ II

કુંતી બોલી-હે રાજન,હું નિયમબદ્ધ રહીને એ બ્રાહ્મણની તમારી પ્રતિજ્ઞા પ્રમાણે સેવા કરીશ,હું આ મિથ્યા કહેતી નથી.બ્રાહ્મણોની પૂજા કરવી એ મારો મૂળથી જ સ્વભાવ છે અને તમારું પ્રિય કરવું તેમાં જ મારુ કલ્યાણ છે.

હું એવો યત્ન કરીશ કે જેથી એ બ્રાહ્મણનું કશું અપ્રિય થશે નહિ,માટે તમે સંતાપ કરશો નહિ.હું એ દ્વિજોત્તમને સંતોષ આપીશ તેથી તેમના તરફથી તમને કોઈ જ વ્યથા નહિ થાય.પૂર્વે સુકન્યાએ કરેલા અપરાધ માટે ચ્યવનઋષિ તેના

પિતા પર કોપ્યા હતા,પણ હું એવો કોઈ અપરાધ કરીશ નહિ જેથી તમારે ચિંતા કરવી નહિ.

Jul 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-565

 

અધ્યાય-૩૦૩-કુંતીભોજનો કુંતીને ઉપદેશ 


II जनमेजय उवाच II किं तद् गुह्यं न चाख्यातं कर्नोयेहोष्णरश्मिना I कीदशे कुण्डले ते कवचं कीदशं II १ II

જન્મેજય બોલ્યા-સૂર્યે કર્ણને કઈ ગુપ્ત વાત કહી નહિ?તે કુંડળો ને કવચ કેવાં હતાં?તે ક્યાંથી આવ્યાં હતાં?

વૈશંપાયન બોલ્યા-હે રાજન,સૂર્યનું ગુપ્ત રહસ્ય હું કહું છું તે તમે સાંભળો.પૂર્વે,તેજસ્વી,દંડ અને જટાને ધારણ કરનાર

દુર્વાસા મુનિ કુંતીભોજ રાજા પાસે જઈ તેમને કહેવા લાગ્યા કે-'હે નિર્મત્સર,હું તારે ઘેર ભિક્ષા જમવા ઈચ્છું છું.તને રુચે

તો હું તારા ઘરમાં રહીશ.પણ તારે કે તારા સેવકોએ મારુ કોઈ અપ્રિય કરવું નહિ.હું મારી ઇચ્છામાં આવે ત્યારે

આવીશ ને જઈશ.મારી શય્યા ને આસન પર કોઈએ સૂવું કે બેસવું નહિ' 

Jul 4, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-564

 

અધ્યાય-૩૦૧-સૂર્યનો કર્ણને વધુ ઉપદેશ 


II सूर्य उवाच II माSहितं कर्ण कार्पिस्तवमात्मनः सुह्रदां तथा I पुत्राणामथ भार्याणामथो मातुरथो पितुः II १ II

સૂર્ય બોલ્યા-હે કર્ણ,તું તારું પોતાનું,મિત્રોનું,પત્નીનું,માતાનું અને પિતાનું અહિત કરીશ નહિ.પ્રાણીઓને માટે શરીરને વિરોધ થાય નહિ એજ રીતે યશની પ્રાપ્તિ અને સ્વર્ગલોકમાં સ્થિર કીર્તિ ઇચ્છવા યોગ્ય છે.

રાજાઓ પણ જીવતા રહીને,પુરુષાર્થ કરીને બીજાને લાભ અપાવે છે.જીવતા પુરુષને જ કીર્તિ કલ્યાણકારી છે,

જેનો દેહ ભસ્મ થઇ ગયો છે એવા મૃત મનુષ્યને કીર્તિનું શું પ્રયોજન છે? જીવતો મનુષ્ય જ કીર્તિને ભોગવે છે.

તું મારો ભક્ત છે,ને મારે મારા ભક્તોનું રક્ષણ કરવું જોઈએ,માટે હું તારું હિત કરવાની ઈચ્છાથી આ કહું છું.