Jul 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-565

 

અધ્યાય-૩૦૩-કુંતીભોજનો કુંતીને ઉપદેશ 


II जनमेजय उवाच II किं तद् गुह्यं न चाख्यातं कर्नोयेहोष्णरश्मिना I कीदशे कुण्डले ते कवचं कीदशं II १ II

જન્મેજય બોલ્યા-સૂર્યે કર્ણને કઈ ગુપ્ત વાત કહી નહિ?તે કુંડળો ને કવચ કેવાં હતાં?તે ક્યાંથી આવ્યાં હતાં?

વૈશંપાયન બોલ્યા-હે રાજન,સૂર્યનું ગુપ્ત રહસ્ય હું કહું છું તે તમે સાંભળો.પૂર્વે,તેજસ્વી,દંડ અને જટાને ધારણ કરનાર

દુર્વાસા મુનિ કુંતીભોજ રાજા પાસે જઈ તેમને કહેવા લાગ્યા કે-'હે નિર્મત્સર,હું તારે ઘેર ભિક્ષા જમવા ઈચ્છું છું.તને રુચે

તો હું તારા ઘરમાં રહીશ.પણ તારે કે તારા સેવકોએ મારુ કોઈ અપ્રિય કરવું નહિ.હું મારી ઇચ્છામાં આવે ત્યારે

આવીશ ને જઈશ.મારી શય્યા ને આસન પર કોઈએ સૂવું કે બેસવું નહિ' 

Jul 4, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-564

 

અધ્યાય-૩૦૧-સૂર્યનો કર્ણને વધુ ઉપદેશ 


II सूर्य उवाच II माSहितं कर्ण कार्पिस्तवमात्मनः सुह्रदां तथा I पुत्राणामथ भार्याणामथो मातुरथो पितुः II १ II

સૂર્ય બોલ્યા-હે કર્ણ,તું તારું પોતાનું,મિત્રોનું,પત્નીનું,માતાનું અને પિતાનું અહિત કરીશ નહિ.પ્રાણીઓને માટે શરીરને વિરોધ થાય નહિ એજ રીતે યશની પ્રાપ્તિ અને સ્વર્ગલોકમાં સ્થિર કીર્તિ ઇચ્છવા યોગ્ય છે.

રાજાઓ પણ જીવતા રહીને,પુરુષાર્થ કરીને બીજાને લાભ અપાવે છે.જીવતા પુરુષને જ કીર્તિ કલ્યાણકારી છે,

જેનો દેહ ભસ્મ થઇ ગયો છે એવા મૃત મનુષ્યને કીર્તિનું શું પ્રયોજન છે? જીવતો મનુષ્ય જ કીર્તિને ભોગવે છે.

તું મારો ભક્ત છે,ને મારે મારા ભક્તોનું રક્ષણ કરવું જોઈએ,માટે હું તારું હિત કરવાની ઈચ્છાથી આ કહું છું.

Jul 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-563

કુંડલાહરણ પર્વ 

અધ્યાય-૩૦૦-સૂર્ય અને કર્ણનો સંવાદ 


II जनमेजय उवाच II यत्तत्तदा महद् ब्रह्मन् लोमशो वाक्यमब्रवित् I द्रस्य वचनादेव पांडुपुत्रं युधिष्ठिरम् II १ II

જન્મેજય બોલ્યા-'હે બ્રહ્મન,લોમશ મુનિએ,જે વખતે ઇન્દ્રની આજ્ઞાથી,યુધિષ્ઠિરને એક વાક્ય કહ્યું હતું કે-

'તમને જે મહાન ભય છે (કે જે તમે કદી પણ કહેતા નથી) તે પણ ધનંજય અહીંથી (ઇન્દ્ર પાસે સ્વર્ગમાં)જવા નીકળશે,ત્યાર પછી હું દૂર કરીશ' તો હે જપશ્રેષ્ઠ,યુધિષ્ઠિરને કર્ણ તરફથી એવો તે કયો ભય હતો?'

Jul 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-562

 

અધ્યાય-૨૯૯-દ્યુમત્સેનને રાજ્યપ્રાપ્તિ 

II मार्कण्डेय उवाच II तस्यां रात्र्यां व्यतीतायामुदिते सूर्यमण्डले I कृतपौर्वाह्निकाः सर्वे समेपुस्ते तपोधनाः II १ II

માર્કંડેય બોલ્યા-તે રાત્રિ વીતી ગઈ ને જયારે સૂર્યમંડળ ઉદય પામ્યું,ત્યારે તપોધની ઋષિઓ પ્રાતઃકર્મો કરીને ભેગા થયા અને તે દ્યુમત્સેનને સાવિત્રીનું સર્વ મહાભાગ્ય ફરીફરી કહીને તૃપ્તિ પામ્યા નહિ.એવામાં શાલ્વદેશનું પ્રધાનમંડળ ત્યાં આવી પહોંચ્યું ને દ્યુમત્સેનને કહેવા લાગ્યું કે-તમારા તે શત્રુને,તમારા પ્રધાને જ તેના સહાયકો તથા બંધુઓ સાથે મારી નાખ્યો છે.શત્રુસેના ભાગી ગઈ છે,તેથી સર્વ પ્રજાજનો એક વિચાર પર આવ્યા છે કે તમે જ અમારા રાજા થાઓ.માટે

હે મહારાજ તમે પાછા પધારો અને તમારા બાપદાદાના રાજ્યાસને વિરાજો'

Jul 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-561

 

અધ્યાય-૨૯૮-સત્યવાન માતપિતાને મળ્યો 


II मार्कण्डेय उवाच II एतस्मिन्नेवकाले तु ध्युमत्सेनो महाबलः I लब्धचक्षु: प्रसन्नायां दष्ट्यां सर्व ददश ह् II १ II

માર્કંડેય બોલ્યા-એ જ સમયે મહાબળવાન દ્યુમત્સેનને ફરી દૃષ્ટિ મળી તેથી આશ્ચર્ય ને પ્રસન્નતાભરી આંખે તે સઘળી વસ્તુઓને જોવા લાગ્યો.ને પત્ની સાથે તે પુત્રને જોવા આશ્રમમાં ફરી વળ્યો.પણ પુત્રને નહિ જોતાં,તે શોકથી અતિ વ્યાકુળ થયો.ત્યારે આશ્રમના સત્યવાદી તપસ્વીઓ તેને આશ્વાસન આપ્યું,એટલે તેને થોડી ધીરજ આવી.પછી થોડા સમય પછી સાવિત્રી પોતાના પતિ સત્યવાન સાથે ત્યાં આવી પહોંચી ને આનંદપૂર્વક આશ્રમમાં દાખલ થઇ.પછી,તે સર્વ બ્રાહ્મણો અગ્નિ પ્રગટાવીને દ્યુમત્સેનની પાસે બેઠા,ત્યારે શૈબ્યા,સાવિત્રી ને સત્યવાન પણ ત્યાં આવીને બેઠા.કુતુહલ પામેલા સર્વ લોકોએ રાતે મોડા પાછા આવવાનું કારણ સત્યવાનને પૂછ્યું.(29)

Jun 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-560

 

યમ બોલ્યો-'તેં જે વચન કહ્યું તે મનને અનુકૂળ,જ્ઞાનીની બુદ્ધિને વધારનારૂ અને યુક્તિપુર:સર છે.

હે ભામિની,આ સત્યવાનના જીવન સિવાય,બીજું ગમે તે એક વરદાન માગી લે'

સાવિત્રી બોલી-'મારા સસરાને તેમનું છીનવી લીધેલું રાજ્ય પાછું મળે'