Jun 28, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-559

 

અધ્યાય-૨૯૭-યમ અને સાવિત્રીનો સંવાદ 


II मार्कण्डेय उवाच II अथ भार्यासहायः स फ़लान्यादाय वीर्यवान I कठिनं पूरयामास ततः काष्टान्यपाटयत II १ II

માર્કંડેય બોલ્યા-પછી,પત્નીના સાથવાળા તે વીર્યવાન સત્યવાને ફળો વીણીને ટોપલી ભરી અને પછી લાકડાં ચીરવા માંડ્યા.પરિશ્રમને કારણે તેને પરસેવો થઇ આવ્યો ને માથામાં વેદના થવા લાગી એટલે તે પત્ની પાસે જઈને કહેવા

લાગ્યો કે-'હે સાવિત્રી મારા માથામાં વેદના થાય છે ને મારા હૃદયમાં ને મારા ગાત્રોમાં દાહ થાય છે.

મને ઠીક લાગતું નથી,હું સુઈ જવા ઈચ્છું છું,મારામાં ઉભા રહેવાની પણ શક્તિ નથી'

Jun 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-558

 

અધ્યાય-૨૯૬-સાવિત્રીનું વ્રત અને પતિ સાથે વનગમન 

II मार्कण्डेय उवाच II ततः काले बहुतिथे व्यतिक्रान्ते कदाचन I प्राप्तः स कालो मर्तव्यं यत्र सत्यवता नृप II १ II

માર્કંડેય બોલ્યા-હે રાજા,આમ,ઘણો સમય વીતી ગયો ને સત્યવાનના મરણનો સમય આવી પહોંચ્યો.સાવિત્રી એક એક દિવસ જતાં,બાકી રહેલા દિવસની ગણતરી રાખ્યા કરતી હતી.પછી,'આજથી ચોથે દહાડે સત્યવાનનું અવસાન છે'

એમ વિચારીને એ ભક્તિસંપન્ન સાવિત્રી ત્રિરાત્રવ્રત કરીને રાતદિવસ વ્રતનિષ્ઠ રહી.

સાવિત્રીના આ નિયમવ્રત વિશે સાંભળીને દ્યુમત્સેનને અત્યંત દુઃખ થયું ને તેણે સાવિત્રીને કહ્યું કે-

'તેં આ અતિ તીવ્ર વ્રતનો આરંભ કર્યો છે,પણ ત્રણ દિવસ સુધી અનશન રાખવું અતિ કઠિન છે'

Jun 26, 2024

Yog Sutro-Gujarati Book-PDF-યોગ સૂત્રો-બુક

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-557

 

અધ્યાય-૨૯૫-સાવિત્રીનાં લગ્ન 

II मार्कण्डेय उवाच II अथ कन्या प्रदाने स तमेवार्थ विचिंतयन I समानिन्ये च तत्सर्व भांडं वैवाहिकं नृपः II १ II


માર્કંડેય બોલ્યા-પછી,રાજા અશ્વપતિ,કન્યાદાન સંબંધમાં વિચાર કરીને વિવાહ અંગેની સામગ્રીઓ એકઠીકરવા લાગ્યો.પછી એક પુણ્યદિવસે તે દ્વિજો,ઋત્વિજો,પુરોહિતો ને પુત્રી સાથે વનમાં દ્યુમત્સેનના આશ્રમે જવા નીકળ્યો.

ત્યાં પહોંચી તેણે તે રાજર્ષિની યથાયોગ્ય પૂજા કરીને પોતાની ઓળખાણ આપી તેમને કહ્યું કે-

'હે રાજર્ષિ,આ સાવિત્રી નામની મારી કન્યાને આપ તમારી પુત્રવધુ તરીકે સ્વીકારો.મૈત્રીપૂર્વક હું તમને પ્રણામ કરું છું,

તમે મને ના પાડશો નહિ.તમે મારે માટે ને હું તમારા માટે યોગ્ય ને અનુરૂપ છીએ.માટે મારી પુત્રીને સ્વીકારો'

Jun 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-556

 

અધ્યાય-૨૯૪-સાવિત્રીએ પતિ પસંદ કર્યો 


II मार्कण्डेय उवाच II अथ मद्राधिपो राज नारदेन समागतः I उपविष्ट: सभामध्ये कथायोगेन भारत II १ II

માર્કંડેય બોલ્યા-પછી,હે ભારત,એક દિવસ મદ્રાધિપતિ રાજા અશ્વપતિ,નારદજી સાથે સભામાં વાતચીત કરી રહ્યો હતો ત્યારે સર્વ તીર્થો ને આશ્રમોમાં ફરીને સાવિત્રી,મંત્રીઓની સાથે સભામાં આવી.અને પિતા તથા નારદજીને 

પગે લાગી.અશ્વપતિએ,નારદજીને પોતાની પુત્રીની ઓળખાણ કરાવીને પછી પુત્રીને તેની પતિની પસંદગી વિશે 

વિસ્તારથી કહેવાની આજ્ઞા આપી એટલે પિતાની આજ્ઞાને માન આપીને સાવિત્રી કહેવા લાગી કે-

Jun 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-555

પતિવ્રતામાહાત્મ્ય પર્વ 

અધ્યાય-૨૯૩-સાવિત્રી ચરિત્ર 


II युधिष्ठिर उवाच II नाSSत्मानमनुशोचामि नेमान भ्रातृन्महामुने I हरणं चापि राज्यस्य यथेमां द्रुपदात्मजाम II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે મહામુનિ,મને આ દ્રુપદનંદિનીને માટે જેટલો શોક થાય છે તેટલો નથી મારી જાતનો,

ભાઈઓનો કે ચાલી ગયેલા રાજ્યનો થતો.ધૃતરાષ્ટ્ર પુત્રે અમને જુગારમાં કષ્ટ આપ્યું 

ત્યારે દ્રૌપદીએ જ અમને તારી લીધા હતા.વળી,જયદ્રથે તેનું હરણ કર્યું તેનો તો અધિક શોક છે.

દ્રૌપદી જેવી સ્ત્રી પૂર્વે તમે સાંભળી કે જોઈ છે ખરી? (3)