અધ્યાય-૨૯૭-યમ અને સાવિત્રીનો સંવાદ
II मार्कण्डेय उवाच II अथ भार्यासहायः स फ़लान्यादाय वीर्यवान I कठिनं पूरयामास ततः काष्टान्यपाटयत II १ II
માર્કંડેય બોલ્યા-પછી,પત્નીના સાથવાળા તે વીર્યવાન સત્યવાને ફળો વીણીને ટોપલી ભરી અને પછી લાકડાં ચીરવા માંડ્યા.પરિશ્રમને કારણે તેને પરસેવો થઇ આવ્યો ને માથામાં વેદના થવા લાગી એટલે તે પત્ની પાસે જઈને કહેવા
લાગ્યો કે-'હે સાવિત્રી મારા માથામાં વેદના થાય છે ને મારા હૃદયમાં ને મારા ગાત્રોમાં દાહ થાય છે.
મને ઠીક લાગતું નથી,હું સુઈ જવા ઈચ્છું છું,મારામાં ઉભા રહેવાની પણ શક્તિ નથી'