Jun 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-554

 

અધ્યાય-૨૯૧-સીતા શુદ્ધિ અને રામનો રાજ્યાભિષેક 


II मार्कण्डेय उवाच II स हत्वा रावणं क्षद्रं राक्षसेन्द्रं सुरद्विपं I वभूव हृष्टः ससुह्रुदामः सौमित्रिणा सह II १ II

માર્કંડેય બોલ્યા-દેવોના શત્રુ તે નીચ રાક્ષસરાજ રાવણને મારીને રામચંદ્ર સ્નેહીઓ તથા લક્ષ્મણ સાથે આનંદ પામ્યા.દશમુખ રાવણ હણાયો,ત્યારે દેવોએ તથા ઋષિવરોએ જયયુક્ત આશીર્વાદ આપી મહાબાહુ રામનું સન્માન કર્યું.દેવો અને ગંધર્વોએ શ્રીરામની સ્તુતિ કરી ને પુષ્પવર્ષા કરી.આમ,રાવણને હણ્યા પછી,વિભીષણને લંકા આપી.પછી,વૃદ્ધ અવિંદ્ય અને વિભીષણે સન્માનેલાં સીતાજીને,શ્રીરામની આગળ લાવી કહ્યું કે-'હે મહાત્મન,

આ સદાચાર વાળાં દેવી જાનકીજીનો સ્વીકાર કરો' ત્યારે શ્રીરામે આંસુભર્યા નેત્રવાળા સીતાજીને જોયા. (8)

Jun 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-553

 

અધ્યાય-૨૯૦-રાવણનો વધ 


II मार्कण्डेय उवाच II ततः क्रुद्धो दशग्रीवः प्रिये पुत्रे निपापिते I निर्ययौ रथमास्थाय हेमरत्नविभूषितम II १ II

માર્કંડેય બોલ્યા-પછી,પોતાના પ્રિય પુત્રનો વધ થવાથી ક્રોધે ભરાયેલા દશમુખ રાવણે સુવર્ણ અને રત્નોથી વિભૂષિત

રથમાં બેસીને રણપ્રયાણ કર્યું.વિવિધ હથિયારોથી સજ્જ ભયંકર રાક્ષસોથી વીંટાઇને તે રામની સામે ધસ્યો.

ક્રોધિત રાવણને આવતો જોઈને નીલ,નલ,અંગદ,હનુમાન,જાંબવાન-આદિએ સેના સાથે રહીને તેને ચારે બાજુથી

ઘેરી લીધો.ત્યારે રાવણે માયા પ્રકટાવી ને ત્યારે તેના દેહમાંથી હજારો રાક્ષસોને નીકળતા જોવામાં આવ્યા.શ્રીરામે

તે સર્વ રાક્ષસોને દિવ્ય અસ્ત્રથી મારી નાખ્યા.એટલે રાવણે ફરીથી માયા રચીને રામ અને લક્ષ્મણનાં

અનેક રૂપ ધારણ કર્યા ને રામ લક્ષ્મણ સામે ધસારો કર્યો.

Jun 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-552

 

અધ્યાય-૨૮૯-ઇંદ્રજીતનો વધ 


II मार्कण्डेय उवाच II तावुभौ पतितौ द्रष्ट्वा भ्रातरो रामलक्ष्मणौ I वबन्ध रावणिर्भुयः शरैर्दत्तवरैस्तदा II १ II

માર્કંડેય બોલ્યા-રામ અને લક્ષ્મણ એ બે ભાઈને પડેલા જોઈને,રાવણસુત ઇન્દ્રજિતે,દેવોનાં વરદાન પામેલાં બાણો વડે તેમને ચારે બાજુથી બાંધી દીધા.ત્યારે,સુગ્રીવ,સુષેણ,અંગદ,હનુમાન,નીલ આદિ સર્વ વાનરો તેમની આસપાસ આવીને તેમને વીંટીને ઉભા રહ્યા.ત્યાં વિભીષણે આવીને તે બંને વીરોને પ્રજ્ઞાસ્ત્રથી સચેત કર્યા.સુગ્રીવે પણ દિવ્ય મંત્રોથી મંત્રેલી વિશલ્યા નામની મહાઔષધિથી તેમને એક ક્ષણમાં ઘાવરહિત કરી દીધા.શુદ્ધિમાં આવતાં તે બંને એક ક્ષણમાં જ ઉભા થઇ ગયા.ત્યારે વિભીષણે હાથ જોડીને રામને કહ્યું કે-

Jun 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-551

 

અધ્યાય-૨૮૮-ઇંદ્રજીતના માયાયુદ્ધમાં રામ-લક્ષ્મણનું પતન


II मार्कण्डेय उवाच II ततः श्रुत्वा हृतं संख्ये कुम्भकर्ण सहानुगम I प्रहस्तं च महेष्वासं धूम्राक्षं चातितेजसम् II १ II

માર્કંડેય બોલ્યા-હવે અનુનાયીઓ સહિત કુંભકર્ણ,પ્રહસ્ત.ધૂમ્રાક્ષ આદિ અતિતેજસ્વી યોદ્ધાઓને રણમાં રોળાઈ ગયેલા જોઈને રાવણે,પોતાના પુત્ર ઇંદ્રજીતને કહ્યું કે-'તું યુદ્ધમાં જઈ,સુગ્રીવ,રામ અને લક્ષ્મણને મારી નાખ.પૂર્વે ઇન્દ્રને જીતીને તેં મને જેમ આનંદ પમાડ્યો હતો તેમ આજે પણ શત્રુઓનો નાશ કરીને મને આનંદ પમાડ'

Jun 19, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-550

 

અધ્યાય-૨૮૭-કુંભકર્ણ આદિનો વધ 


II मार्कण्डेय उवाच II ततो निर्याय स्वपुरात्कुम्भकर्ण: सहानुगः I अपश्यत्कपिसैन्यं तज्जितकाश्यग्रतः स्थितम् II १ II

માર્કંડેય બોલ્યા-પછી,કુંભકર્ણ,પોતાના અનુનાયીઓ સાથે નગરની બહાર નીકળ્યો,ત્યારે તેણે સામે જ વાનરસૈન્યને દૃઢ મુઠ્ઠીઓ વાળીને ઉભેલું જોયું.રામને જોવાની ઇચ્છાએ તેણે તે સૈન્યને જોવા માંડ્યું,ત્યાં તેણે લક્ષ્મણને હાથમાં ધનુષ્ય ધારણ કરીને ઉભેલા જોયા.વાનરોએ ધસી આવીને કુંભકર્ણને ચારે બાજુથી ઘેરી લીધો ન પ્રચંડ વૃક્ષોથી તેને મારવા લાગ્યા.જેમ જેમ પ્રહારો પડતા ગયા તેમ તેમ તે હસતો હસતો વાનરોને મોમાં મુકવા લાગ્યો.

કુંભકર્ણના આવા પરાક્રમથી વાનરો ત્રાસી ગયા ને મોટેથી ચીસો મારીને ભાગવા લાગ્યા .

Jun 18, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-549

 

અધ્યાય-૨૮૬-વાનરો ને રાક્ષસોનું યુદ્ધ-કુંભકર્ણ રણમેદાને 


II मार्कण्डेय उवाच II ततः प्रहस्तः सहस समभ्येत विभीषणं I गदया ताडयामास विनध्य रणकर्कशः II १ II

માર્કંડેય બોલ્યા-પછી,યુદ્ધમાં કઠોર કર્મ કરનાર પ્રહસ્તે એકદમ ધસી આવીને ગર્જના કરી અને વિભીષણ પર ગદાથી

પ્રહાર કર્યો.આમ છતાં વિભીષણ સ્થિર રહ્યો ને તેણે સામે સો ઘંટાવાળી મહાન અને વિશાળ શક્તિ 

તે પ્રહસ્તના માથા પર ફેંકીને તેના માથાને ઉડાવી દીધું.પ્રહસ્તને રણમાં રોળાયેલો જોઈને ધૂમ્રાક્ષ મહાવેગથી વાનરો

સામે ધસી આવ્યો.ત્યારે શત્રુજિત હનુમાને તેને વેગથી સામનો આપ્યો.તેમના વચ્ચે ઘોર યુદ્ધ થયું.