Jun 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-546

 

અધ્યાય-૨૮૩-સેતુબંધન અને શ્રીરામની લંકા પર ચડાઈ 


II मार्कण्डेय उवाच II ततस्तत्रैव रामस्य समासीनस्य तैः सह I समाजम्भुः कपिश्रेष्ठाः सुग्रीववचनातदा II १ II

માર્કંડેય બોલ્યા-પછી ત્યાં,વાનરો સાથે રામચંદ્ર બેઠા હતા,ત્યારે સુગ્રીવની આજ્ઞાથી અનેક કપિવરો ત્યાં ભેગા થવા લાગ્યા.વાલીનો સસરો સુષેણ,હજારો ને કરોડો વેગવાન વાનરોથી વીંટળાઈને રામ પાસે આવ્યો.વળી,ગજ,ગવય અને ગવાક્ષ નામના વાનરેન્દ્રો પણ કરોડો વાનરો સાથે ત્યાં આવ્યા.ગંધમાદન પર્વત પર રહેનારો ગંધમાદન વાનર,

અતિ બળવાન પનસ વાનર,વાનરોમાં વૃદ્ધ દધિમુખ વાનર આદિ વાનર રાજાઓ પણ કરોડો વાનર સાથે ત્યાં આવ્યા.

આ ઉપરાંત ભયંકર કર્મ કરનારાં કરોડો કાળાં રીંછો સાથે વૃદ્ધ રીંછ જાંબવાન ત્યાં જોવામાં આવ્યો.

Jun 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-545

 

અધ્યાય-૨૮૨-હનુમાન સીતાની શોધ કરી આવ્યા 


II मार्कण्डेय उवाच II राघवः सहसौमित्रिः सुगृवेणाभिपालितः I वसन्माल्यवतः पृष्ठे ददशे विमलं नभः II १ II

માર્કંડેય બોલ્યા-આ તરફ રઘુનંદન રામ અને લક્ષ્મણ,સુગ્રીવથી રક્ષાઇને માલ્યવાન પર્વત પર રહેતા હતા.

ત્યાં તેમણે આકાશને નિર્મળ થયેલું જોયું.એટલે રામે લક્ષ્મણને કહ્યું કે-હે લક્ષ્મણ,તું કિષ્કિન્ધામાં જા અને સ્ત્રીસંગમાં

પાગલ થયેલા તેને તેની પ્રતિજ્ઞા યાદ કરાવ અને પૂછ કે તે સીતાની શોધમાં કયો પ્રયત્ન કરે છે?'

રામની આજ્ઞાથી લક્ષ્મણ ક્રોધમાં આવીને સુગ્રીવ પાસે ગયો.સુગ્રીવ લક્ષ્મણનો ક્રોધ પામી ગયો અને બે હાથ જોડીને બોલ્યો કે-હે લક્ષ્મણ,હું કૃતઘ્ની નથી.મેં વાનરોને સર્વ દિશામાં મોકલ્યા છે ને એક મહિનામાં પાછા ફરવાની મર્યાદા

આપી છે.પાંચ દિવસ પછી આ અવધ પુરી થાય છે,એટલે કોઈ ને કોઈ ખબર તો મળશે જ'

Jun 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-544

 

અધ્યાય-૨૮૧-રાવણ અને સીતાનો સંવાદ 


II मार्कण्डेय उवाच II ततस्तां भर्तृशोकार्ता दीनां मलिनवाससां I मणिशेषाभ्यलंकारां रुदतीं च पतिव्रतां II १ II

માર્કંડેય બોલ્યા-કામબાણથી પીડાયેલા રાવણે,શોકથી વ્યાકુળ,દીન બનેલી,મલિન વસ્ત્ર ધારણ કરી રહેલી,એકમાત્ર મણિના અલંકારવાળી,ને રાક્ષસીઓથી ઘેરાયેલી ને રોતી પતિવ્રતાને જોઈ તેની પાસે ગયો,

ને તે સીતાને કહેવા લાગ્યો કે-'હે સીતા,હવે બહુ થયું.તું મારા પર પ્રસન્ન થા.આ મહામૂલવાન વસ્ત્રો ને અલંકારો સજીને તું મારો સ્વીકાર કર,ને મારી સર્વે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ થઈને રહે.મારી સ્ત્રીઓમાં દેવકન્યાઓ છે,ગંધર્વનારીઓ છે,દાનવકન્યાઓ છે અને દૈત્યયુવતિઓ પણ છે.ચૌદ કરોડ પિશાચો મારી આણમાં ઉભા રહે છે.તેનાથી યે અધિક રાક્ષસો ને યક્ષો મારી આજ્ઞાને આધીન રહે છે.ગંધર્વો ને અપ્સરાઓ મારી સદૈવ સેવા કરે છે,હું વિશ્રવા મુનિનો પુત્ર ને પાંચમા લોકપાલ તરીકે મારી કીર્તિ ફેલાયેલી છે.મારી પાસે ઇન્દ્ર સમાન ઐશ્વર્ય છે,તું મારી ભાર્યા થઈને રહે'

Jun 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-543

 

અધ્યાય-૨૮૦-રામ-સુગ્રીવ મેળાપ ને વાલી વધ 


II मार्कण्डेय उवाच II ततोविदूरे नलिनींप्रभुतकंलोत्पलां I सीताहरणदुखार्तः पंपां रामः समासदत II १ II

માર્કંડેય બોલ્યા-પછી,સીતાહરણથી દુઃખાતુર થયેલા રામ,કમળો ને ઉત્પલોથી ભરેલા પંપા સરોવરે પહોંચ્યા.

ત્યાં સ્નાન કરી તેઓ ઋષ્યમૂક પર્વત પાસે ગયા કે જ્યાં તેમણે ગિરિશિખર પર પાંચ વાનરોને બેઠેલા જોયા.

ત્યારે વાનરશ્રેષ્ઠ સુગ્રીવે,પોતાના બુદ્ધિમાન મંત્રી હનુમાનને તેમની પાસે મોકલ્યા.હનુમાનજીએ રામ-લક્ષ્મણને સુગ્રીવ

સાથે મૈત્રી કરાવી.રામે પોતાના કાર્યનું નિવેદન કર્યું ત્યારે સુગ્રીવે સીતાજીએ નાખેલું વસ્ત્ર તેમને બતાવ્યું.

એટલે શ્રીરામને સીતાના હરણની ખાત્રી થઇ.સુગ્રીવે પણ,પોતાના ભાઈ વાલી તરફથી મળેલું.પોતાનું દુઃખ કહ્યું.

કે-વાલીએ તેનો દેશનિકાલ કર્યો છે.ને પોતાની પત્નીનું હરણ કર્યું છે.

Jun 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-542

અધ્યાય-૨૭૯-રામે કરેલો કબંધ વધ 


II मार्कण्डेय उवाच II सखा दशरथस्यासीज्जटायुररुणात्मजः I गृधराजो महावीरः संपात्तिर्यस्यसोदरः II १ II

માર્કંડેય બોલ્યા-અરુણનો પુત્ર જટાયુ,દશરથ રાજાનો મિત્ર હતો.ને મહાવીર ગૃધરાજ સંપાતિ તેનો ભાઈ હતો.

પોતાની પુત્રવધુ જેવી સીતાનું હરણ થતું જોઈને તે રાવણની સામે ધસ્યો.ને કહેવા લાગ્યો કે-'ઓ રાક્ષસ,હું જીવું છું

ત્યાં સુધી તું મારી પુત્રવધુ જેવી આ મૈથિલીને નહિ હરી શકે.તું તેને છોડી દે અથવા તું મારે હાથે જીવતો નહિ છૂટે'

Jun 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-541

 

અધ્યાય-૨૭૮-મારીચનો વધ ને સીતાહરણ 


II मार्कण्डेय उवाच II मारीचस्त्वथ संभ्रातो द्रष्ट्वा रावणमागतम् I पूजयामास सत्कारैः फ़लमुलादिभिस्ततः II १ II

માર્કંડેય બોલ્યા-રાવણને આવેલો જોઈને મારીચ તો ભારે ગભરાઈ ગયો ને ફળમૂળ આદિ આપી તેનો સત્કાર કર્યો.

અને રાવણને કહેવા લાગ્યો કે-'\તારા મુખની કાંતિ હંમેશના જેવી નથી,સર્વ કુશળ છે ને? તારે અહીં આવવા

જેવું શું દુષ્કર કાર્ય આવી પડ્યું છે?કાર્ય ગમે તેવું હોય પણ તે થઇ ગયું છે એમ જ માની લે.(4)