Jun 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-542

અધ્યાય-૨૭૯-રામે કરેલો કબંધ વધ 


II मार्कण्डेय उवाच II सखा दशरथस्यासीज्जटायुररुणात्मजः I गृधराजो महावीरः संपात्तिर्यस्यसोदरः II १ II

માર્કંડેય બોલ્યા-અરુણનો પુત્ર જટાયુ,દશરથ રાજાનો મિત્ર હતો.ને મહાવીર ગૃધરાજ સંપાતિ તેનો ભાઈ હતો.

પોતાની પુત્રવધુ જેવી સીતાનું હરણ થતું જોઈને તે રાવણની સામે ધસ્યો.ને કહેવા લાગ્યો કે-'ઓ રાક્ષસ,હું જીવું છું

ત્યાં સુધી તું મારી પુત્રવધુ જેવી આ મૈથિલીને નહિ હરી શકે.તું તેને છોડી દે અથવા તું મારે હાથે જીવતો નહિ છૂટે'

Jun 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-541

 

અધ્યાય-૨૭૮-મારીચનો વધ ને સીતાહરણ 


II मार्कण्डेय उवाच II मारीचस्त्वथ संभ्रातो द्रष्ट्वा रावणमागतम् I पूजयामास सत्कारैः फ़लमुलादिभिस्ततः II १ II

માર્કંડેય બોલ્યા-રાવણને આવેલો જોઈને મારીચ તો ભારે ગભરાઈ ગયો ને ફળમૂળ આદિ આપી તેનો સત્કાર કર્યો.

અને રાવણને કહેવા લાગ્યો કે-'\તારા મુખની કાંતિ હંમેશના જેવી નથી,સર્વ કુશળ છે ને? તારે અહીં આવવા

જેવું શું દુષ્કર કાર્ય આવી પડ્યું છે?કાર્ય ગમે તેવું હોય પણ તે થઇ ગયું છે એમ જ માની લે.(4)

Jun 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-540

 

અધ્યાય-૨૭૭-રામનો વનવાસ 


II युधिष्ठिर उवाच II उक्तं भगवता जन्म रामादीनां पृथक् पृथक् I प्रस्थानकारणं ब्रह्मन् श्रोतुमिच्छामि कथ्यतां II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે ભગવન,તમે રામ આદિ પ્રત્યેકના જન્મ વિશે કહ્યું,હવે હું રામના વનવાસનું કારણ સાંભળવા

ઈચ્છું છું.રામ અને લક્ષ્મણ એ બંને ભાઈઓ સીતા (મૈથિલી)સાથે વનમાં કેમ ગયા હતા?

માર્કંડેય બોલ્યા-ધર્મપરાયણ રાજા દશરથને ચાર પુત્રો હતા જેમાં રામ સૌથી મોટા હતા.પોતાને વૃદ્ધાવસ્થા આવેલી

જોઈને દશરથરાજાએ રામનો યુવરાજપદે અભિષેક કરવાનો નિશ્ચય કર્યો.અને પુરોહિતને તે માટે સર્વ તૈયારી કરવાનું કહ્યું.રામના અભિષેકની વાત સાંભળી મંથરા કૈકેયી પાસે ગઈ અને તેના કાન ફૂંક્યા.

Jun 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-539

 

અધ્યાય-૨૭૬-વાનર આદિની ઉત્પત્તિ 


II मार्कण्डेय उवाच II तत्तो ब्रह्मर्षय: सर्वे सिध्ध देवर्षयस्तथा I हव्यवाहं पुरस्कृत्य ब्रह्माणं शरणं गताः II १ II

માર્કંડેય બોલ્યા-પછી,સર્વ સિદ્ધો,બ્રહ્મર્ષિઓ ને દેવર્ષિઓ અગ્નિને આગળ રાખીને બ્રહ્માના શરણે ગયા.

અગ્નિ બોલ્યા-વિશ્રવાના દશગ્રીવ નામના જે મહાબળવાન પુત્રને તમે વરદાન આપી અવધ્ય કર્યો છે,

તે સર્વ પ્રજાઓને પીડા આપે છે,માટે આપ ભગવાન અમને તેનાથી બચાવો,તમારા સિવાય 

અમારું રક્ષણ કરનાર કોઈ નથી' બ્રહ્મા બોલ્યા-'હે અગ્નિ,દેવો ને દૈત્યો તેને યુદ્ધમાં જીતી શકે તેમ નથી,

પણ આ સંબંધમાં જે કરવા યોગ્ય છે તેની ગોઠવણ થઇ ગઈ છે,તેનો વધકાળ હવે સમીપમાં જ છે.

મારી વિનંતીથી શ્રીવિષ્ણુએ (રામ રૂપી)અવતાર ધારણ કર્યો છે અને તે તેનો વધ કરશે' (5)

Jun 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-538

 

અધ્યાય-૨૭૫-રાવણ-આદિની જન્મકથા ને રાવણને વરદાન 


II मार्कण्डेय उवाच II पुलस्तस्य तु यः क्रोधादर्धदेहोभवन्मुनिः I विश्रवा नाम सक्रोधः स वैश्रवणमैक्षत II १ II

માર્કંડેય બોલ્યા-પુલસ્ત્યના ક્રોધથી તેમના અર્ધદેહરૂપે વિશ્રવા નામના જે મુનિ ઉત્પન્ન થયા તે વૈશ્રવણની તરફ ક્રોધથી જોવા લાગ્યા.રાક્ષસેશ્વર વૈશ્રવણ (કુબેર),પિતાને ક્રોધયુક્ત થયેલા જાણીને તેમને પ્રસન્ન કરવા સદૈવ પ્રયત્ન  કરવા લાગ્યો.તે લંકામાં નિવાસ કરતો હતો.તેણે તે પિતા (વિશ્રવા)ને ત્રણ રાક્ષસીઓ (પુષ્પોત્કટા,રાકા,માલિની)

પરિચારિકા તરીકે આપી.કે જે પરિચારિકાઓ પરસ્પર સ્પર્ધા કરતી હતી ને પોતાના કલ્યાણની કામના રાખતી હતી.વિશ્ર્વા તેમનાથી સંતુષ્ટ થયા અને તેમને પ્રત્યેકને ઇચ્છામાં આવે તેવા પુત્રોનાં વરદાન આપ્યા.(6)

Jun 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-537

 

રામોપાખ્યાન પર્વ 

અધ્યાય-૨૭૩-યુધિષ્ઠિરનો માર્કંડેયને પ્રશ્ન 


II जनमेजय उवाच II एवं हृतायां कृष्णायां प्राप्य क्लेशमनुत्तमम् I अत ऊर्ध्व नरव्याघ्राः किमकुर्वत पम्दवाः II १ II

જન્મેજય બોલ્યા-આ રીતે દ્રૌપદીનું હરણ થયું ને તેને પાછી મેળવ્યા બાદ તે નરસિંહ પાંડવોએ શું કર્યું?

વૈશંપાયન બોલ્યા-દ્રૌપદીને છોડાવીને ધર્મરાજ યુધિષ્ઠિર મુનિગણો સાથે બેઠા હતા ત્યારે તેમણે 

માર્કંડેયને કહ્યું-'હે ભગવન,દેવર્ષિઓમાં તમે ભૂત અને ભવિષ્યના વેત્તા તરીકે પ્રસિદ્ધ છો,

તેથી હું  તમને મારા હૃદયમાં રહેલા એક સંશય વિષે પૂછું છું તો તમે તેનું નિરાકરણ કરો.