Feb 29, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૧૮


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય-૧૭ -શ્રધ્ધાત્રય વિભાગ યોગ

અર્જુન-હે કૃષ્ણ, જે પુરુષો શાસ્ત્રવિધિ છોડી ફક્ત શ્રદ્ધા યુક્ત થઇ આપને ભજે છે,તેમની ભક્તિ કેવા પ્રકારનીસમજવી?સાત્વિક,રજસ કે તમસ?


કૃષ્ણ- મનુષ્યની જે સ્વાભાવિક શ્રદ્ધા છે તે –સાત્વિક,રજસ અને તમસ એમ ત્રણ પ્રકારની હોય છે (૨)

સર્વને પોતપોતાના પૂર્વ સંસ્કાર અનુસાર શ્રદ્ધા ઉત્પન્ન થાય છે,એ જે પ્રકારની શ્રદ્ધા થી યુક્ત હોય છે,તે તેવી જ યોગ્યતા નો હોય છે.(૩)

જેઓ સાત્વિક છે,તેઓ દેવોનું પૂજન કરે છે,
જેઓ રાજસિક છે તેઓ રાક્ષસો-યક્ષો નું પૂજન કરે છે,અને 
તામસિક લોકો પ્રેત,ભૂતગણો નું પૂજન કરે છે.(૪)

રસાળ,ચીકણા,પૌષ્ટિક અને ચિત્તને રુચિકર આહાર સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે.(૮)

તીખા,ખાટા,લુખ્ખા,કડવા,અતિ ગરમ અને દાહ કરનારા આહાર રાજસી મનુષ્યોને પ્રિય છે(૯)

વાસી,ઉતરી ગયેલું,રસહીન,વાસવાળું અને અપવિત્ર ભોજન તામસી  મનુષ્યોને પ્રિય હોય છે.(૧૦)

જે ફળની ઈચ્છા રાખ્યા વગર,કર્તવ્ય સમજી યજ્ઞ કરે તે સાત્વિક યજ્ઞ છે.(૧૧)

જે ફળની કામનાથી તેમજ દેખાડા માટે યજ્ઞ કરે છે તે રાજસિક  યજ્ઞ છે.(૧૨)

જેમાં શાસ્ત્રવિધિ,અન્નદાન,મંત્ર,દક્ષિણા અને શ્રધ્ધા નથી હોતા તેવા યજ્ઞને તામસિક યજ્ઞ કહે છે.(૧૩)

ફળની ઈચ્છા વિના,સમ ચિત્ત થી,ઉત્તમ શ્રદ્ધા થી કરેલા તપને સાત્વિક તપ કહે છે (૧૭)

પોતાની સ્તુતિ,માન,અને પૂજા થવાના હેતુથી,કેવળ દામ્ભિકતાથી કરેલા તપ ને રાજસિક તપ કહે છે.(૧૮)

અજ્ઞાનતાથી,હઠથી,વાણી-શરીરને કષ્ટ આપી,બીજાનું અનિષ્ઠ કરવાના હેતુ થી કરેલું તપ તામસિક છે.(૧૯)

દાન દેવું એ આપણું કર્તવ્ય છે,એવી બુદ્ધિ થી,
બદલાની આશા વિના,યોગ્ય સ્થળે,યોગ્ય સમયે,
ઉપકાર પાછો વાળવા અસમર્થ હોય તેવી 
યોગ્ય વ્યક્તિને દાન અપાય તે સાત્વિક દાન છે.(૨૦)

બદલો મેળવવાની આશાએ ,અથવા ફળની આશાથી કચવાતા મને આપેલા દાન ને રાજસિક દાન કહ્યું છે.(૨૧)

સત્કાર વગર,તુચ્છ ભાવથી,તિરસ્કારથી,અયોગ્ય દેશ-કાળમાં આપેલ દાનને તામસિક દાન કહ્યું છે(૨૨)
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1 

Feb 28, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૧૯


   PREVIOUS PAGE                INDEX PAGE                           


અધ્યાય-૧૮-મોક્ષસંન્યાસ  યોગ

અર્જુન-હે કૃષ્ણ,હું સંન્યાસ અને ત્યાગ નું તત્વ અલગ અલગ જાણવા ઈચ્છું છું.(૧)

કૃષ્ણ-કામ્ય કર્મો (ફળની ઈચ્છા થી કરાતાં કર્મો)ના ત્યાગ ને જ્ઞાનીઓ ‘સંન્યાસ’ કહે છે.અને સર્વ કર્મોના ‘ફળ’ના ત્યાગ ને ‘ત્યાગ’ કહે છે.(૨)

ત્યાગ ત્રણ પ્રકારનો છે,કર્તવ્ય તરીકે નિયત થયેલાં કર્મોનો મોહ-અજ્ઞાન વશ ત્યાગ તે તામસિક ત્યાગ(૭)

કર્મો દુઃખરૂપ છે,એમ સમજી શારીરિક પીડાના ભયથી કર્મો નો ત્યાગ તે રાજસિક ત્યાગ(૮)

કર્તવ્ય કર્મ ને ધર્મ સમજી,આશક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરી કરેલો ત્યાગ તે સાત્વિક ત્યાગ (૯)

શરીર,મન અને વાણી વડે મનુષ્ય જે કઈ ધર્મ કે અધર્મ રૂપ કર્મ કરે છે તેના પાંચ કારણો—દેહ,જીવાત્મા,સાધનો,ક્રિયાઓ અને દૈવ છે.(૧૪-૧૫)

પણ ‘હું કર્તા છું’ એવો જેનામાં અહંકાર ભાવ નથી,અને ફળની ઇચ્છાથી જેની બુદ્ધિ લેપાતી નથી,તે જ્ઞાની સર્વ પ્રાણીઓને હણી નાખે,તો પણ ખરી રીતે તે મારતો નથી કે બંધન માં પડતો નથી.(૧૭)

પછી ત્રણ જાતના (સાત્વિક,રાજસિક અને તામસિક )જ્ઞાન (૨૦-૨૨),કર્મ (૨૩-૩૫),કર્તા (૨૬-૨૮)બુદ્ધિ (૩૦-૩૨),ધીરજ(૩૩-૩૫)સુખ(૩૭-૩૯) બતાવ્યા છે.

બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય અને શુદ્રોના ‘કર્મો’ તેમના ‘સ્વભાવગત ગુણો’ અનુસાર અલગ અલગ વિભાગ કરવામાં આવ્યા છે(૪૧)
તેમના કર્મો નું વર્ણન (૪૨-૪૪) માં છે.

“અહંકાર અને મોહને લીધે તું યુદ્ધ કરવા ઈચ્છતો નથી પણ તારો ક્ષત્રિય સ્વભાવ અને તારા ‘સ્વભાવજન્ય’પૂર્વકર્મ નું બંધન તને વિવશ કરીને પણ યુદ્ધ કરાવડાવશે”(૫૯- ૬૦)

સંસાર રૂપ યંત્ર પર 
પૂતળાની જેમ બેઠેલા સર્વ પ્રાણીઓ ને 
માયા વડે ભરમાવતો પરમાત્મા તે સર્વ પ્રાણીઓના હૃદય માં વસે છે,
માટે સર્વ ભાવથી મારે શરણે આવ અને પરમ શાંતિ-મોક્ષ પ્રાપ્ત કર(૬૧-૬૨)

આ પ્રમાણે મેં તને ગુહ્યત્તમ જ્ઞાન કહ્યું, તેને તું બરાબર ‘વિચારીને’ પછી 
તારી ‘ઈચ્છા’ હોય તેમ કર (૬૩)

આ ગીતા શાસ્ત્ર નું ગૂઢ જ્ઞાન તારે કદી તપરહિત,ભક્તિરહિત,સાંભળવા નહિ ઈચ્છનારને, અને મારી અસૂયા (નિંદા) કરે છે,તેને કહેવું નહિ (૬૭)


અર્જુન-હે કૃષ્ણ,આપની કૃપાથી મારો મોહ સંપૂર્ણ પણે દૂર થયો છે,અને હવે શંશય વગરનો થઇ આપના કહેવા પ્રમાણે જ કરીશ (૭૩)

જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને જે પક્ષમાં ધનુર્ધારી અર્જુન છે,ત્યાં લક્ષ્મી,વિજય,ઐશ્વર્ય અને અવિચળ નીતિ વાસ કરે છે(૭૮)

   PREVIOUS PAGE               INDEX PAGE                           


જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1 

Feb 24, 2012

ડોંગરેજી મહારાજ ભાગવત કથા(MP3-Audio Only)

ડોંગરેજી મહારાજ ભાગવત કથા(MP3-Audio Only)-Downloadable
.................................................................................................................
આ પ્લેયર માં બધા જ ભાગ છે. એક ભાગ  ચાલુ કર્યા  પછી ,તેના પછી નો ઓટોમેટીક આવશે
IPAD-વાપરનારને આ  ઓડીઓ પ્લેયર  દેખાશે નહિ-યુ ટ્યુબ ના વિડિઓ લાઈનસર જોવા  માટે અહીં ક્લિક કરો.



આ પણ જુઓ ..લખાણ રૂપે.......

ભાગવત  રહસ્ય

ડોંગરેજી મહારાજ ની ભાગવત કથા પર આધારિત                                

રજૂઆત--અનિલ પ્રવિણભાઈ શુક્લ   નવી શ્રેણી નું લખાણ .....