Dec 24, 2011

ભાગવત-૭

સ્કંધ-૩ (ભાગ-૧ )


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

અહીં થોડુંક પાછળના બે સ્કંધ પર ઉપલક દ્રષ્ટિ કરી ને આગળ વધીએ.

પહેલા સ્કંધ માં (મુખ્ય પાત્ર) કૃષ્ણ ના 'પ્રેમ' નો 'અધિકારી' કોણ ?
એ સમજાવવા માટે ચાર પાત્રો મુક્યા છે.

--નારદ-ભક્તિ માર્ગ ના પ્રણેતા છે.સતત હરિ નું સંકીર્તન કરે છે.
--વ્યાસ -કર્મ માર્ગી છે.હરિ મિલન માટે વ્યાકુળ છે.
--શુકદેવ-જ્ઞાન માર્ગી છે.સતત હરિનું અનુસંધાન રાખે છે.
--પરિક્ષિત-રાજા છે,કર્મ માર્ગી છે,મૃત્યુ સાત  દિવસ માં આવવાનું જાણી 'વૈરાગ્ય' આવ્યો છે.

અને આ 'વૈરાગ્ય' એ પ્રેમ નો અધિકારી છે.જેની પૂર્ણતા કરવા શુકદેવ પધાર્યા છે.

બીજા સ્કંધ માં મુખ્યત્વે 'જ્ઞાન' ની લીલા છે.અહીં મુખ્ય પાત્રો બે જ છે.
શુકદેવ,પરિક્ષિત ને જ્ઞાન અને ભક્તિ નું પ્રદાન કરે છે.
--------------------------------------------------------------------------------------
સ્કંધ -૩ ની શરૂઆત બે મુખ્ય પાત્રો -વિદુર અને ઉદ્ધવ થી કરી છે.અને
અંત ત્રણ મુખ્ય પાત્રો થી કર્યો છે-કર્દમ,દેવહુતિ અને કપિલ.

આસુરી સંપત્તિવાળા કૌરવો વચ્ચે એક માત્ર વિદુર દૈવી સંપત્તિ ધરાવે છે.અને જેની સાથે કૃષ્ણ ની 'પ્રેમ સગાઇ' છે.વગર આમંત્રણે ,દુર્યોધન ના મેવા ત્યાગી,વિદુરના ઘરમાં જઈ જાતે ચૂલા પરથી ઉતારી કૃષ્ણ ભાજી ખાય છે.અને ઉદ્ધવ તો બાલસખા હતા,કૃષ્ણે દેહ ત્યાગતા પહેલાં બધું જ્ઞાન (ઉદ્ધવ ગીતા) એમને આપ્યું હતું.

અધ્યાય-૧ માં જયારે કૌરવોની સભામાં ,પાંડવોને ભાગ આપવા વિદુર નીતિશાત્ર,વિદુરે કહ્યું,ત્યારે તે ના સાંભળતા,કૌરવો એ તેમનું અપમાન કર્યું.ત્યારે  'હરિ ની મરજી' સમજી વિદુર તીર્થ યાત્રા કરવા નીકળી ગયા છે.ફરતાં ફરતાં તે યમુના કિનારે આવે છે ,ત્યારે ઉદ્ધવ જોડે તેમનો મેળાપ થાય છે.અને બધાં ના ખબર અંતર પૂછે છે.

અધ્યાય-૨ માં ઉદ્ધવ કૃષ્ણ ના દેહત્યાગ ની વાત કરે છે અને કૃષ્ણ વિયોગ થી શોકમય થઇ જાય છે.અને કૃષ્ણ ના સંભારણા માં તેમના બાલ ચરિત્રો ની વાતો કહે છે.

અધ્યાય -૩ માં ઉદ્ધવ કૃષ્ણ ના મથુરા અને દ્વારકા ના ચરિત્રો ની વાતો યાદ કરી ને કહે છે.

અધ્યાય-૪ માં દારૂ પીને ઉન્મત્ત થયેલા યાદવોનો બ્રાહ્મણોના શ્રાપ થી તેમનો વિનાશ અને કૃષ્ણ ના દેહત્યાગ સુધી ની વાતો કહી સંભળાવે છે.દેહત્યાગ પહેલાં ઉદ્ધવ ને આપેલું જ્ઞાન 'ઉદ્ધવ ગીતા "તરીકે જાણીતું છે.જયારે વિદુર તે જ્ઞાન સાંભળવાની ઈચ્છા પ્રગટ કરે છે.ત્યારે ઉદ્ધવ તેમને મૈત્રેય ઋષિ જોડે જવાનું કહે છે.કેમકે તેવી કૃષ્ણ ની આજ્ઞા હતી .

અધ્યાય-૫ માં વિદુર,મૈત્રેયી ને અનેક પ્રશ્નો પૂછે છે.--સંસાર માં સર્વ લોકો સુખ માટે પ્રયત્ન કરે છે,પણ કેમ મળતું નથી? ભગવાન અકર્તા હોવા છતાં આ સૃષ્ટિની રચના કલ્પ ના આરંભ માં કેવી રીતે કરી?

મૈત્રેયી કહે છે કે-"તત્વ દ્રષ્ટિ થી જગત ખોટું છે એટલે ઋષિઓ એ તેનો બહુ વિચાર કર્યો નથી,પણ આ જગત જેને આધારે રહેલું છે તે પરમાત્મા નો બહુ વિચાર કર્યો છે."

સૃષ્ટિ ની પહેલાં એકમાત્ર પરમાત્મા હતા.એમનામાં જ રહેલી શક્તિ (માયા) થી એક માં થી અનેક થવા નો સંકલ્પ થયો.પ્રકૃતિ અને પુરૂષ નું જોડું થયું.અને મહત્ તત્વ બન્યું.મહત્ તત્વ માંથી અહંકાર,અને પછી પાંચ મહાભૂતો ની ઉત્પત્તિ થઇ.આ પાંચ મહાભૂતો ક્રિયા  કરી શક્યા નહી

અધ્યાય -૬ માં "જયારે પરમાત્મા એ એકે એક વસ્તુમાં શક્તિ રૂપે પ્રવેશ કર્યો.ત્યારે કાર્ય શક્તિ,થી વિરાટ સૃષ્ટિ ની ઉત્પત્તિ થઇ."-પ્રકૃતિ ના ત્રણ ગુણો અનુસાર દેવો,અસુરો,મનુષ્યો અને પ્રાણી ઓ સૃષ્ટિ ની રચના થઇ.

અધ્યાય  ૫ અને ૬ અધ્યાય માં જે સર્ગ સિધ્ધાંત બહુ ઝીણવટ થી સમજાવવામાં આવ્યો છે.તે જિજ્ઞાસુ ઓ ને ઊંડાણ પુર્વક માહિતી આપી શકે તેમ છે.અહીં માત્ર સાર રૂપ, સમજ માં આવે તે રીતે ટુંકાણ માં -પૂરતું -ઉપર મુજબ વર્ણવ્યું છે.આ સર્ગ સિધ્ધાંત ઘણા બધા પરમાત્મા વિષયક પ્રશ્નો નો જવાબ આપી શકે તેમ છે.

અધ્યાય -૭ માં જીવાત્મા અને અવિદ્યા (માયા) વિષે પ્રશ્ન કરેલો છે.જેના જવાબ માં ફરીથી અહીં માયાને સ્વપ્ન જોડે સરખાવી છે.અને માત્ર ભક્તિ યોગ થી આ માયાને પાર કરી  શકાય છે,તેમ જણાવ્યું  છે.

અધ્યાય -૮ જલશાયી ભગવાનની નાભિ માં થી બ્રહ્મા ની ઉત્પત્તિ વિષે જણાવ્યું છે.પ્રલય કાળે આ જગત એક સમુદ્ર રૂપ થયેલા જળ માં ડૂબ્યું હતું ત્યારે કેવળ કાળ શક્તિને(સમય ને) જાગ્રત રાખી ,નારાયણ શેષ નાગ રૂપી શય્યા પર સુતા હતા.
આ કાળ શક્તિ ની પ્રેરણાથી અને રજોગુણ ના વિકારથી -કાળ ક્રમે તેમની નાભિ માંથી કમળ ઉત્પન્ન થયું.તેમાંથી બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્મા એ કમળ નું મૂળ શોધવા પ્રયત્ન કર્યો.અને નારાયણ ના દર્શન થયાં.(આ સર્ગ સિધ્ધાંત નું  ઉદાહરણ છે)

અધ્યાય-૯ માં બ્રહ્મા ,નારાયણ ની સ્તુતિ કરે છે.ત્યારે નારાયણ તેમણે સૃષ્ટિ ને વધારવાની આજ્ઞા કરે છે.

અધ્યાય ૧૦-માં ૧૦ પ્રકારની સૃષ્ટિ રચી તેનું વિગત વાર વર્ણન છે.


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           



Dec 20, 2011

ભાગવત-૬

બીજો સ્કંધ-ભાગ-૨


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

અધ્યાય-૪ માં પરિક્ષિત પ્રશ્ન કરે છે કે-ભગવાને આ સૃષ્ટી ની રચના કેવી રીતે અને કેમ કરી હશે? નિરાકાર બ્રહ્મ અને માયાનું મૂળ ક્યા છે?

અધ્યાય-૫ માં ૨૧ થી ૪૨ શ્લોકોમાં ખુબ જ સુંદર રીતે સૃષ્ટિ ની રચના (સર્ગ) વિષે વર્ણન છે.જિજ્ઞાસુ એ તે વાંચવું રહ્યું.

પણ આ  ટુંક માં નીચેની રીતે સમજી શકાય.---

માયાપતિ ભગવાન ને (બ્રહ્મ ને) એકમાં થી અનેક થવાની ઈચ્છા થઇ,ત્યારે તેમણે ૨૪ તત્વો (કારણરૂપ) ઉત્પન્ન  કર્યા,
પણ જયારે આ ૨૪ તત્વો કોઈ 'કાર્ય' કરી શક્યા નહી, ત્યારે દરેક તત્વ માં ચેતના 'શક્તિ'(કાર્ય રૂપ) પ્રેરી.અને
આમ સૃષ્ટિ (બ્રહ્માંડ અને શરીર) ની રચના કરી.

અધ્યાય -૬ માં વિરાટ પુરૂષ ની વિભૂતિઓ નું વર્ણન છે.

અધ્યાય-૭ માં બ્રહ્મા અને નારદ નો સંવાદ છે.ભગવાન ના થઇ ગયેલા અને આવનારા અવતારો (લીલાવતારો) નું તેમની લીલાઓ સાથે ટુંક માં વર્ણન કરેલું છે.અને છેલ્લે કહે છે કે ---

અવતારો મનુષ્ય (દેવ) રૂપે થયેલા છે,પણ ભગવાન નું સાચું -સ્વરૂપ- આનંદ સ્વરૂપ -બ્રહ્મ- છે.

અધ્યાય-૮ માં પરિક્ષિત સૃષ્ટિ અને માયા વિષે વધુ પ્રશ્ન કરી ભગવાન ની લીલા ઓ નું વર્ણન કરવા વિનંતી કરે છે,

ત્યારે શુકદેવજી એ ભાગવત પુરાણ સંભળાવવાની શરુઆત કરી (ભા/૨/૮/૨૮)

અધ્યાય -૯ માં શુકદેવજી એ શરૂઆત 'માયા'થી કરી ચતુશ્લોકી ભાગવત કહ્યું છે.

માયા  ને સમજાવવા સ્વપ્ન નું દ્રષ્ટાંત આપીને કહે છે કે-
સ્વપ્ન માં દેખાતા પદાર્થો જોડે સ્વપ્ન જોવાવાળાને કોઈ સંબંધ નથી તેમ માયાને 'જીવ' જોડે કોઈ સંબંધ નથી.
માયા એટલે અજ્ઞાન..તે અનાદિ છે.તેનું મૂળ ખોળી શકાય તેમ નથી.અજ્ઞાન નો આરંભ ખોળી શકાય નહી.

જયારે સૃષ્ટી ની રચના આગળ વધારવા બ્રહ્મા ની પાસે જ્ઞાન દ્રષ્ટિ ની કમીલાગી ત્યારે તેમણે નારાયણ ના કહેવાથી તપ કર્યું.ત્યારે નારાયણે તેમને ચતુશ્લોકી ભાગવત કહ્યું.

"સૃષ્ટિ પહેલા હું જ હતો,સૃષ્ટિ પછી હુ જ રહું છું,અને હાલ સૃષ્ટી માં હું જ છું. માયા ને લીધે "આત્મારૂપ"મારું અંશ પણું દેખાતું  નથી.
જેમ પાંચ મહાભૂતો પ્રત્યેક ભૌતિક પદાર્થ માં સૃષ્ટિ પછી દાખલ થયાં છે,અને દાખલ થયાં પણ નથી,
તેમ હું પણ એ પંચમહાભૂતોમાં રહ્યો છું અને નથી પણ રહ્યો.આવવી મારી સર્વત્ર સ્થિતિ છે.

આત્મા નું સ્વરૂપ જાણનારા માંગતા પુરુષે માત્ર એટલું જ જાણવાનું બસ છે કે-
જે વસ્તુ અન્વય(આત્મા નું ભાન થવું તે) અને અતિરેક(આત્મા નું ભાન થવાથી દેહ નું વિસ્મરણ થવું તે) થી
સર્વ સ્થળે સર્વદા છે,તે "આત્મા" છે.(૨/૯/૩૨,૩૩,૩૪,૩૫)

છેલ્લે અધ્યાય -૧૦ માં ભાગવત ના ૧૦-વિષયો વિષે ટુંકમાં વર્ણન કર્યું છે.
સર્ગ,વિસર્ગ,સ્થાન,પોષણ,ઉતી,મન્વંતર,ઈશાનુકથા,નિરોધ,મુક્તિ અને આશ્રય --
આ દરેક વિષયો ની ટુંક માં વ્યાખ્યા આપી છે.

---બીજો સ્કંધ સમાપ્ત -----

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


ભાગવત-૫

બીજો સ્કંધ-ભાગ-૧


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

પહેલા સ્કંધ ને ટુંક માં જોઈએ તો પરિક્ષિત ના 'અહમે' તેની બુદ્ધિ ભ્રમિત કરી,અને શ્રાપ ની પ્રાપ્તિ  થઇ.

'અહમ' એક પડદો બની જીવને ઈશ્વર થી વિમુખ કરે છે.ઈશ્વરનો જ્ઞાન-પ્રકાશ રોકાય છે અને અજ્ઞાન-અંધારું થાય છે.

પરિક્ષિત શુકદેવ ને પ્રશ્ન કરે છે કે-સર્વ કાળે અને મૃત્યુ કાળે મનુષ્ય નું કર્તવ્ય શું છે?

આ સ્કંધ માં શુકદેવજી નો સીધો સાદો જવાબ એ છે કે--

"જે 'અભયપદ'(મોક્ષ પદ)ને પ્રાપ્ત કરવા માગે છે,તેને તો સર્વાત્મા-સર્વ શક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ નું
શ્રવણ-કીર્તન અને સ્મરણ કરવું જોઈએ" (ભા/૨/૧/૫)

સામાન્ય પ્રમાદી માનવી 'સ્વ'રૂપ ને અહમ થી ભૂલી જઈને અનેક બંધનો પેદા કરે છે,અને અજ્ઞાન ની વૃદ્ધિ કરે છે,પણ જો પરમાત્માની  શરણાગતિ (ભક્તિ યોગ) સ્વીકારવાથી - બે ઘડી પણ 'સ્વ'રૂપ નુ ભાન થાય તો તે બે ઘડી પણ ઉત્તમ છે (ભા/૨/૧/૧૨)

બંધનો માનવી ની પોતાની આગવી પેદાશ છે,નહીતર તો માનવી હરઘડી મુક્ત જ છે.

પછીના ૧૭ થી ૨૦ શ્લોક માં યોગ ના બધા અંગ બતાવી દીધા છે.

--સંસાર ની આશક્તિ અને કુટુંબ ની મમતા છોડી
--ત્રણ અક્ષર ના બનેલા 'અ ઉ મ 'પ્રણવ મંત્ર ઓમકાર નો મનમાં જપ કરવો,
--શ્વાસ ને જીતી (પ્રાણ-અપાન સમાન કરી) મન ને વશ કરવું
--બુદ્ધિ ને મન ના સહાયક કરી,ઇન્દ્રિયો ને તેના વિષય માં થી પાછા વાળી ભગવાન ના સ્વરૂપ માં મન ને સ્થિર કરી -સમાધિ માં જોડવું.
--વિષયો માંથી જો મન એકાગ્ર ના થાય તો,તેને 'વિરાટ પુરૂષ'(પરમાત્મા) ને 'ધારણા' નો વિષય બનાવી ભક્તિ યોગ થી સમાધિ માં બેસવું

ટુંક માં --આશક્તિ,શ્વાસ અને ઇન્દ્રિયો  પર વિજય મેળવી,'બુદ્ધિ' ના દ્વારા મન ને ભગવાન ના સ્થૂળ સ્વરૂપ માં લગાવવું જોઈએ.

વિરાટ ભગવાન ના સ્થૂળ રૂપ નું વર્ણન કરેલુ છે.(ભા/૨/૧/૨૬ થી ૩૮)  

ત્યાર બાદ વેદ માં દર્શાવેલ સદ્યોમુક્તિ અને ક્રમ મુક્તિ નું વર્ણન કરેલ છે.

આગળ વધેલા સાધકો ને ઉપયોગી થાય તેવું ષટચક્રભેદન નું ખૂબ સરસ વર્ણન છે.(ભા/૨/૨/૧૯,૨૦,૨૧)
 જે અત્યારના જમાના નો સામાન્ય માનવી કરી શકે કે કેમ તે પ્રશ્ન છે.

ટુંક માં--
જીવ -- નિર્ગુણ -નિરાકાર બ્રહ્મ નું ચિંતન કરતાં કરતાં ખુદ બ્રહ્મ રૂપ થઇ જાય છે,અને મુક્ત બને છે
.(અદ્વૈત ને-એકને- પ્રાપ્ત કરી)---

હું ને મારો ઈશ્વર એમ દ્વૈત માની સાકાર  ઈશ્વરની સેવા કરતાં કરતાં પણ બંને એક થઇ જાયછે ,અને મુક્ત બને છે.(દ્વૈત થી અદ્વૈત પ્રાપ્ત કરી )---

જુદી જુદી પ્રકૃતિ ના મનુષ્યો ના અનુસાર જુદા જુદા જુદા 'દેવો' અને આવા મનુષ્યો ની 'કામના' અનુસાર કયા કયા દેવોની આરાધના કરવી તે બતાવી ,

છેલ્લે કહેછે કે,જે બુદ્ધિમાન છે,તે-ભલે નિષ્કામ હોય કે કામનાથી યુક્ત હોય,પણ જો મોક્ષ ઈચ્છતો હોય તો તેને
પુરુષોત્તમ ભગવાન ની આરાધના કરવી જોઈએ.(ભા/૨/૩/૧૦)

આમ બીજા સ્કંધ ના આ પહેલા ત્રણ અધ્યાય માં ભાગવત નો બધો સાર બોધ આવી જાય છે.
પરિક્ષિત ને જે ઉપદેશ કરવાનો હતો તે આ ત્રણ અધ્યાય માં કર્યો છે.ત્યાર બાદ રાજા  નું ધ્યાન વિષય તરફ ના જાય તે માટે બધાં ચરિત્રો કહ્યા છે.

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           



Dec 19, 2011

ભાગવત-૪

સ્કંધ-૧  (ભાગ-૨)


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

અત્યંત વિચક્ષણ અને ઉચ્ચ બુદ્ધિ-જ્ઞાન ધરાવનાર વ્યાસે કૌશલ્યતાથી મહાભારત ના વિવિધ પ્રકારના પાત્રો સર્જી
વાર્તા રૂપે વેદ ના ગૂઢ જ્ઞાન ને સમજાવ્યું.જેમાં સતત પ્રવૃત્તિ માર્ગ નું (કર્મ) નું પ્રાધાન્ય બતાવ્યું છે.

મહા જ્ઞાની  હોવા છતાં વ્યાસને સમય જતા પુત્રેષણા થયેલી અને પુત્ર શુકદેવ ના આગમન પછી પુત્ર ની આશક્તિ પણ થયેલી.વળી જેને પોતે જ-- જે બ્રહ્મનું -દેવ- 'કૃષ્ણ' રૂપે અવતરણ કર્યું હોય , તેના પ્રતિ 'ભક્તિ' ની કમી રહી ગયેલી.અને પોતે આટ આટલા પ્રયત્નો અને લખાણ પટ્ટી કર્યા પછી પણ સામાન્ય માનવી માં ભક્તિભાવ પેદા કરી શક્યા નથી,કે પોતાનું જ્ઞાન લોકો ને સમજાવી શક્યા નથી તેનો અસંતોષ પેદા થઇ વ્યાકુળ થયાં છે.

નારદ જી નું આગમન થયું છે,કહે છેકે-
"તમે બધું કર્યું પણ ભગવાનના યશગાન ગાયા નથી.હરિ કીર્તન વગર હરિ પ્રસન્ન થતાં નથી,અને જ્ઞાન અધૂરું રહે છે.તમે એવી કથા લખો કે કન્હૈયો સર્વ ને વહાલો લાગે.અને સંસાર ની આશક્તિ છૂટે."
આમ કહી તે પોતાનો પૂર્વ ઇતિહાસ કહે છે.અને 'ભક્તિ' અને 'હરિકિર્તન' ની પ્રાધાન્યતા બતાવે છે.

વ્યાસજી હવે નદીકિનારે બેસી કૃષ્ણલીલા (ભક્તિ) પર લખવા બેસી 'ભાગવત' નું સર્જન કરે છે.
અને આ ભાગવત કથા તેમણે પોતાના નિવૃત્તિ પરાયણ પુત્ર શુકદેવ ને ક્રમ થી ભણાવી.

હવે જે ચાર શ્લોકો છે,તે આખા ભાગવત નો સંક્ષિપ્ત માં અર્થ છે.

"ભક્તિ યોગ વડે સારી રીતે નિશ્ચલ કરેલા મનમાં -પ્રથમ ઈશ્વરનું અને પછી તેના આશ્રયે રહેલી માયા નું તેમણે દર્શન કર્યું.
તેમણે જોયું કે-માયા વડે મોહિત થયેલો -જીવ -એ- પોતે માયાના ત્રણ ગુણો વગરનો હોવા છતાં ત્રણે ગુણો વાળો માની લે છે.અને
પોતાનું  'સ્વ'રૂપ ભૂલી જાય છે.---પાછું -આવું માનવાથી થતા-અનર્થો પણ પોતે કરેલા છે.એવું ય માને છે.આવા અનર્થો થી
શાંતિ માટે એક માત્ર ઉપાય ભક્તિ યોગ છે.--આ સમજાવવા માટે તેમણે ભાગવત ની રચના કરી" (ભા/૧/૭/૪-૫-૬)

હજુ ભાગવત ની કથાની શરૂઆત થઇ નથી,પણ જેમાં થી શ્રી કૃષ્ણ ની અનેક કથા ઓ નીકળે તે મહાભારત ના અંત ભાગ નું થોડુંક વિવરણ કરી,પરીક્ષિત સુધીની પૂર્વ ભૂમિકા નું વિવરણ ચાલુ છે.

--મહાભારત નું યુદ્ધ ખતમ થયું છે,ત્યારે અશ્વસ્થામા દ્રૌપદી ના બધા પુત્રો ની હત્યા કરે છે.શોક માં ડૂબેલી દ્રૌપદી ને અર્જુન આશ્વાસન આપી ,અશ્વસ્થામા ને પકડી તેની સમક્ષ હાજર કરે છે,ત્યારે દ્રૌપદી ના કહેવાથી અને કૃષ્ણ ની સલાહ થી અર્જુન તેન મસ્તક નો મણિ અને કેશ કાપી માનભંગ કરી જવા દે છે.
--અભિમન્યુ ની પત્ની ઉત્તરા ના પેટમાં રહેલા ગર્ભ (પરીક્ષિત) ની કૃષ્ણ બ્રહ્માસ્ત્ર થી રક્ષા કરે છે.
--બાણશૈયા પર સુતેલા ભીષ્મે પાંડવોને ધર્મોપદેશ કર્યો.અને કૃષ્ણ ની સ્તુતિ કરી દેહત્યાગ કર્યો.
--કૃષ્ણ પછી દ્વારકા પધારે છે.
--વિદુરના ઉપદેશ થી ધૃતરાષ્ટ્ર વનમાં જાય છે.અને પાંડવો રાજ્ય સંભાળે છે.
--પાંડવોના એક માત્ર વંશજ -પરીક્ષિત નો જન્મ થાય છે.
--પાંડવો હિમાળે હાડ ગાળવા જાય છે અને કૃષ્ણ માનવ શરીર નો ત્યાગ કરે છે.
--પરિક્ષિત રાજ્ય ચલાવે છે.
--એક દિવસ રાજા ના વેશ માં 'કલિયુગ' જયારે ગાય અને બળદ ને મારતો હોય છે ત્યારે પરિક્ષિત કલિયુગને શિક્ષા કરવા તલવાર ઉગામે છે.કલિયુગ શરણે આવી -ક્યાંક રહેવા માટે જગા ની માગણી  કરી અભય વચન માગેછે.
--ઉદાર પરિક્ષિત તેને રહેવા પાંચ સ્થાન આપે છે.
૧/ જુગાર (માં અસત્ય રૂપે)--૨/ મદિરાપાન(માં મદ રૂપે)--૩/ સ્ત્રી(માં કામ રૂપે)--૪/ હિંસા(માં દયાનાશક ક્રૂરતા રૂપે)--૫/ સોનું(માં વેર રૂપે)
--આમ તો શ્રી કૃષ્ણે પૃથ્વી પર થી વિદાય લીધી ત્યારેજ 'કલિયુગ' નું આગમન થઇ ચૂક્યું હતું, (ભા/૧/૧૮/૬)
પણ દ્વેષ થી મુક્ત પરિક્ષિત ના રાજ્ય માં તેનું કંઇ ઉપજતું નહોતું. પણ હવે તેને મોકળાશ મળી.

--એક દિવસ મૃગયા કરતાં પરિક્ષિત ને તરસ લાગી ત્યારે તે જંગલમાં સમીક ઋષિના આશ્રમે ગયો ત્યારે
સમીક ધ્યાન માં બેઠેલા હતા અને પોતાને માનપાન ના મળતા ગુસ્સાથી તેમના ગળે સર્પ લગાવી રાજા ત્યાંથી નીકળી ગયો. સમિક ના પુત્ર શૃંગી એ આ જોયું અને ગુસ્સા થી પરિક્ષિત ને શ્રાપ આપ્યો કે-
'સાતમે દિવસે તક્ષક નાગ કરડી તારું મૃત્યુ થશે'
--આમ સાત  દિવસ માં આવનારા મૃત્યુ ના વિચાર થી પરિક્ષિત માં વૈરાગ્ય આવ્યો અને ગંગા કિનારે જઈ અનશન લઇ ,અનન્ય ભાવે કૃષ્ણ ચરણ નું ધ્યાન કરવા લાગ્યો.
--એકત્રિત થયેલા ઋષિ મુનીઓ માં શુકદેવજી નું આગમન થયું છે.એમને પરિક્ષિત પ્રશ્ન કરે છે----

"સર્વ કાળે અને ખાસ કરીને મરણ કાળે શરીર,ઇન્દ્રિયો અને અંતઃકરણ દ્વારા કરવા યોગ્ય પવિત્ર કાર્ય શું છે?"  (ભા/૧/૧૮/૨૪)

-----પહેલો સ્કંધ સમાપ્ત -----

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


ભાગવત-૩

સ્કંધ -૧ (ભાગ-૧ )


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

ભાગવત નાં પહેલા સ્કંધ માં ભાગવત ની પૂર્વભૂમિકા છે.

વેદ વ્યાસ અસંતોષ થી વ્યાકુળ છે.નારદજી આ વ્યાકુળતા નું નિવારણ સમજાવે છે.
અને વ્યાસ-- ભાગવતની રચના કરે છે.

અહીં થોડું -વ્યાસ ની વ્યાકુળતા શા માટે હતી તે સમજવું જરૂરી છે.થોડી ભૂતકાળ પર નજર કરીએ તો ------

'યુગ' પરિવર્તન થતાં દ્વાપર યુગ માં વ્યાસ નો જન્મ થયો.તે ભૂત અને ભવિષ્ય ને જાણતા હોઈ --તેમણે જોયું કે-ભવિષ્ય ના મનુષ્યો ભૌતિક પદાર્થો પ્રત્યે આશક્તિ વાળા અને અશ્રદ્ધા વાળા હશે.અને સત્ય-પરમાત્મા થી વિમુખ થશે.એટલે સર્વ મનુષ્યો ને સત્ય-પરમાત્મા થી દૂર ના જાય અને તે વિષેનું જ્ઞાન ટકી રહે તે માટે,પોતાનું સર્વ જ્ઞાન ઠાલવીને ચાર વેદ ની રચના કરી.પરંતુ બન્યું એવું હશે કે -આ જ્ઞાન અમુક અતિ બુદ્ધિશાળી વ્યક્તિ ઓ જ પચાવી શક્યા.એટલે ફરીથી આ વેદો ના નાના નાના ભાગો થઈને ઉપનિષદો બન્યા. પણ ફરીથી એવુંજ થયું -કે મંદ બુદ્ધિ જીવો આ પણ પચાવી શકે તેવા નહોતાં.
 (વળી વ્યાસે વેદો પર અધિકાર અમુક વર્ગ પુરતો મર્યાદિત રાખેલો.)

એટલે વ્યાસે વિચાર્યું કે -જો ઉદાહરણ-દ્રષ્ટાંતો કે વાર્તા રૂપે આ જ વેદનું તત્વ જ્ઞાન કહેવામાં આવે તો -તે સામાન્ય માનવી સમજી શકે,અને જેના પર સર્વ વર્ગ ના અધિકાર હોય,તેવી કોઈ રચના કરવી જોઈએ,-આમ તેમણે 'મહાભારત' પુરાણ ની રચના કરી (૧/૪/૨૫ )

થોડું વિષયાંતર કરીને મહાભારત ના પાત્રો ની રચના વિષે જાણવાનો પ્રયત્ન કરીએ.

નિરાકાર પરમાત્મા (બ્રહ્મ) ને ના સમજનારા માટે તેના અવતાર રૂપ દૈવિક સંપતિ ધરાવતા 'દેવ'(અને દેવી)  નું મનુષ્ય રૂપે પૃથ્વી પર અવતરણ કર્યું. અહીં 'કૃષ્ણ' આનું મુખ્ય ઉદાહરણ છે.જે નિર્ગુણ છે.

આનાથી વિરુદ્ધ દુર્ગુણો ધરાવનાર-વિષયાશકત -ખાલી પ્રાણ ને પોષણ કરનારી જ પ્રવૃત્તિ કરનાર -આસુરી સંપત્તિ ધરાવનાર,અસુરો ના પાત્રો બનાવ્યા.
 બ્રહ્માંડ હોય,પૃથ્વી હોય કે શરીર હોય,સર્વ જગાએ આ આસુરી સંપત્તિ અને દૈવિક સંપતિ નો સંગ્રામ ચાલતો રહે છે.

સામાન્ય માનવી માં આસુરી સંપત્તિ નો પ્રાદુર્ભાવ બહુ જલ્દી થી -સંગ્ થી,વાતાવરણ થી,કે પછી સંસ્કાર થી અનાયાસ જ થાય છે.અને સતત વૃદ્ધિ પામતો રહે છે. જ્યાર સારા સંગ્ થી ,વિચારોથી અને પ્રયત્ન થી દૈવી સંપત્તિ નો પ્રાદુર્ભાવ પછી થી થાય છે.

એટલે જ અસુરો મોટા અને દેવો નાના એવું બૃહદારણ્યક ઉપનિષદ માં વર્ણન છે.

ઉદાહરણ રૂપે હવે જો કૌરવો અને પાંડવો જોઈએ તો-
કૌરવો આસુરી સંપત્તિ વાળા છે.અને પાંડવો દૈવિક સંપત્તિવાળા છે.

કૌરવો માં મુખ્ય બે પાત્રો--માં

--મોહ,આશક્તિ અને 'અવિવેક' થી માનવી છતી આંખે અંધ જેવો છે-તે સમજાવવા ધ્રુતરાષ્ટ્ર ને અંધ બતાવ્યો છે.
--કામ (પોતાની પાસે જે નથી તે પામવાની ઈચ્છા)અને લોભ (પોતાનું નહી ગુમાવવાની ઈચ્છા) માનવી ના દુશ્મન છે.   તે બતાવવા કામી-વિષયી અને લોભી દુર્યોધન નું પાત્ર બનાવ્યું.
--આ મોહ,કામ અને લોભ-જેમ - સઘળા 'શરીર' ના ક્ષેત્ર નો કબજો કરી લે છે,
   તેમ આ બંને એ (આસુરી સંપત્તિ એ)સઘળું રાજ્ય પડાવી પાડ્યું છે.

સામે ની બાજુ એ પાંડવો દૈવી સંપત્તિ ધરાવે છે.
--પાંડુ એ 'વિવેક' છે. અને કુંતી અને માદ્રી બંને -શક્તિ (બુદ્ધિ) છે.
--આ બંને સ્ત્રી ઓ એ પંચ મહાભૂતો ને આકર્ષી પાંચ પુત્રો ઉપજાવ્યા છે.(પતિ ના સમાગમ થી નહી !!!)
--આકાશ તત્વ થી (સત્ય થી-ધર્મથી) સધર્મી--યુધિષ્ઠિર
--વાયુ તત્વ થી બલ્વિષ્ઠ,સાહસિક---ભીમ
--તેજ તત્વ થી  મંદ -વૈરાગ્ય વાળો અર્જુન
--જલ તત્વ થી વિક્ષેપો દૂર કરનાર નકુલ
--પૃથ્વી તત્વ થી ભક્તિ વાળો,આત્મદેવ ની જોડે રહેનાર સહદેવ

આ દૈવી સંપત્તિ ધરાવનાર પાંચ પાંડવો ના સહાયક નેતા ,સારથી,મિત્ર કૃષ્ણ (આત્મદેવ) બતાવ્યા છે.
જે સદાય સાચું માર્ગદર્શન અને સાચો રસ્તો બતાવનાર છે.

આમ મહાભારત ના બીજા પાત્રો ના નામ પરથી પણ આવી સરખામણી પર ઘણો પ્રકાશ પાડી શકાય તેમ છે.

હવે પાછા મૂળ વિષય પર પાછા ફરીએ.

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


Dec 18, 2011

ભાગવત-૨

ભાગવત મહાત્મ્ય અને ભાગવત સાર.
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

ભાગવત ની શરૂઆત માં ભાગવત નું મહાત્મ્ય નું વર્ણન છે.

"મનુષ્ય જન્મ પરમાત્મા નાં દર્શન કરવાથી જ સફળ થાય છે.માત્ર મનુષ્ય ને જ બુદ્ધિ શક્તિ આપી છે ,
કે જેનો સદુપયોગ કરી 'આત્મ ' 'સ્વ' રૂપ ને જાણી પરમાત્માને ને જાણી શકાય છે."

વેદની ભાષા ગૂઢ છે,જેનો અર્થ સામાન્ય માનવીની સમજ માં આવતો નથી,આથી 'વેદ'ના જ  
સિદ્ધાંતો,દ્રષ્ટાંતો દ્વારા રોચક બનાવી વ્યાસજી એ ભાગવત કથા બનાવી છે.

જ્ઞાન અને વૈરાગ્ય ની મૂર્છા ભક્તિ નાં સંગ્ થી દૂર થાય છે.તેનું નારદ અને ભક્તિ નું 
દ્રષ્ટાંત આપેલું છે.

પછી બીજું આત્મદેવ નું દ્રષ્ટાંત છે.પુત્ર ની ઝંખના,સ્ત્રી ચરિત્ર,અને પુત્ર પ્રાપ્તિ માટે મળેલું 
ફળ ગાયને ખવડાવી દેવાથી ગોકર્ણ નો જન્મ,સાથે સાથે બહેન નો પુત્ર ધન્ધુકારી 
ને ઘરમાં પુત્ર તરીકે સ્થાપિત કરે છે.જે સમય ની સાથે કુમાર્ગે ચડી જઈ કુપુત્ર બની 
આત્મદેવ ને નિરાશા આપે છે,ત્યારે ગોકર્ણ પિતાને ઉપદેશ આપે છે,

જે ભાગવત નાં સાર રૂપ છે.

"આ દેહ હાડકા,માંસ અને રુધિર નો પિંડ છે,જેને -મારો- માનવાનો છોડી દો,
સ્ત્રી-પુત્રાદિ માં થી મમતા ઉઠાવી લો.આ સંસાર ક્ષણ ભંગુર છે.એમાંની કોઈ વસ્તુને 
સ્થાયી સમજી તેમાં રાગ ના કરો.અને એક માત્ર વૈરાગ્ય ના રસિક બની,ભગવાન ની 
ભક્તિ માં લાગી જાઓ," (ભા.મ.૭૯)

"ભગવદ ભજન એ મોટામાં મોટો ધર્મ છે,બીજા સર્વ લૌકિક ધર્મ નો ત્યાગ કરો.
કામ તૃષ્ણા ને ત્યજી દો,બીજા નાં ગુણ દોષ વિચારવાનું છોડી દો,અને 
ભગવાન ની સેવા અને કથા રસ નું પાન કરો" (ભા.મ.૮૦)

ધન્ધુકારીના અપમૃત્યુ થી પ્રેતયોની ની પ્રાપ્તિ અને તેમાંથી મુક્ત થવા 
ગોકર્ણ નું ભાગવત કથા નું કહેવું ,તેવી કથા છે,
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE