Nov 2, 2011

PAGE-4-તત્વોપદેશ


તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
            NEXT PAGE
માટે “તત્વમસિ” વગેરે વેદવાક્ય ના પ્રમાણ થી,”બ્રહ્મ” નું આત્મ-રૂપી જ્ઞાન,
જે યુક્તિ થી થાય છે-તે યુક્તિ અહીં કહેવામાં આવે છે. (૨૧)
“તત્વમસિ” એ વાક્યમાં પ્રથમ “ત્વમ” પદ ના અર્થ નું જો યથાર્થ જ્ઞાન (શોધન) કર્યું હોય તો,જ
તે આખા વાક્ય નો વિચાર સંભવી શકે છે,બીજ કોઈ પ્રકારે નહિ.
માટે પ્રથમ “ત્વમ” પદ નું શોધન (યથાર્થ જ્ઞાન) કર્યું  છે.   (૨૨)
“ત્વમ” પદ નો વાચ્યાર્થ (મુખ્ય અર્થ) એ છે કે-
જે દેહ-ઇન્દ્રિય વગેરે ના ધર્મો ને પોતાનામાં ખોટા (ખોટી રીતે) માની લે છે, અને
“કર્તા-પણું” (હું કરું છું તેવું) વગેરે નું મિથ્યાભિમાન કરે છે તે જીવાત્મા.  (૨૩)
“ત્વમ” પદ નો લક્ષ્યાર્થ-એ છે કે-
જે (આત્મા) પોતે જ્ઞાન-સ્વ-રૂપ હોવાથી,દેહ-ઇન્દ્રિય વગેરે નો કેવળ સાક્ષી જ છે.અને તેથી તે, દેહ-ઇન્દ્રિય વગેરે થી જુદો અને જુદા લક્ષણ વાળો (વિલક્ષણ) છે.અને તે “શુદ્ધાત્મા”  “ત્વમ” છે. (૨૪)
માત્ર વેદાંત-વાક્યોથી જાણી શકાતું,જગતથી પર,અવિનાશી,અવિકારી,અદ્વૈત,અતિ શુદ્ધ અને
જે કેવળ સ્વાનુભવ થી જ જાણી શકાય છે,તે પરબ્રહ્મ “તત્” પદ નો “લક્ષ્યાર્થ” છે.   (૨૫)
“તત્” અને “ત્વમ” એ બંને પદો નો “સમાનાધિકરણ્ય” નામનો સંબંધ છે. અને તેથી જ (આવી રીતે)
વેદાંતો (ઉપનિષદો)  “બ્રહ્મ” ની “એકતા”  સિદ્ધ કરે છે.   (૨૬)
પછી ના શ્લોક ૨૭ થી ૪૨ માં “તત્” અને “ત્વમ”  શબ્દ એક જ છે એવી-
“એકતા” નું વ્યાકરણ ની દ્રષ્ટિએ વિશ્લેષણ કરી ને બતાવ્યું છે.(૨૭-૪૨)
“અહં બ્રહ્મ” (હું બ્રહ્મ છું) એવું જ્ઞાન જેને થાય છે,તે શોક-રૂપ સંસારથી છૂટે છે.
ઉપનિષદો ના મહાવાક્યો થી જ “આત્મા” પ્રકાશમાન થાય છે. અને

આગળ-પાછળ  ના અનુસંધાન થી “તત્” અને “ત્વમ” પદ ની એકતા પણ સમજાય છે.(૪૩)

TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

            NEXT PAGE

PAGE-3-તત્વોપદેશ


તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
                NEXT PAGE

તું (ત્વમ) પ્રમાણો (ઉદાહરણો) થી જણાતો (જાણી શકાતો) નથી.
તું (ત્વમ) એ “જ્ઞાન-સ્વ-રૂપ” હોઈ “પોતે” જ “પોતાનું” “પ્રમાણ’ છે.
આત્મા ને કોઈ મનુષ્ય - પ્રત્યક્ષ પ્રમાણ થી જાણવા ઈચ્છે,તો તે અગ્નિ ને લાકડાં વડે બાળવા ઈચ્છે છે.
એટલે કે તે અશક્ય ને શક્ય બનાવવા તૈયાર થાય છે.આમ આત્મા પ્રમાણ થી જાણી શકાતો નથી. (૧૪)

આત્મા, એ વિશ્વ ને અનુભવે છે,તેથી એ પોતે બીજા વડે અનુભવાતો નથી, જેમ,
આત્મા વિશ્વ ને પ્રકાશિત કરે છે,તેથી એ પોતે,બીજા વડે પ્રકાશિત કરી શકાતો નથી. (૧૫)

એમ જે “આવું” (બ્રહ્મ),”તેવું” (બ્રહ્મ) કે “આ” (બ્રહ્મ) નથી, તેમ છતાં “પરોક્ષ” પણ નથી.
પરંતુ,સદા “સત્” (સત્ય) સ્વ-રૂપે રહેનાર છે તે જ “બ્રહ્મ”(આત્મા-પરમાત્મા) છે.અને
તું (ત્વમ) સર્વ નો “દ્રષ્ટા” માત્ર જ છે તેથી,”દૃશ્ય” (દેહ-વગેરે) નથી. (૧૬)

જે વસ્તુઓ “આ”-રૂપે દેખાય (જણાય) છે,વેદાંત તે સર્વ નો “તે બ્રહ્મ નથી” એમ કહી નિષેધ કરે છે.
એ “બ્રહ્મ-તત્વ” તો કોઈ સ્વરૂપે (મુખથી) કહી શકાય તેવું નથી,માટે તે (અનિદમ) “આ”-રૂપ નથી,
અને સ્વ-પ્રકાશ હોવાથી વેદ્ય (પ્રકાશ ફેંકીને આંખથી જોઈ શકાય-જાણી શકાય તેવુ) નથી.  (૧૭)

સત્ય-રૂપ,જ્ઞાન-રૂપ,અને અનંત—એ પ્રમાણે બ્રહ્મ નું લક્ષણ કહેવાય છે,અને,
સત્ય-રૂપ-પણાથી,જ્ઞાન-રૂપ-પણાથી,અને અનંતપણાથી તું (ત્વમ) જ- “બ્રહ્મ” છે.  (૧૮)

“એક” જ પરમાત્મા (બ્રહ્મ) ને જયારે (આત્મા-રૂપે) દેહ –વગેરે ની ઉપાધિ હોય છે ત્યારે “જીવ” કહેવાય છે.અને જયારે માયા-રૂપ (પ્રકૃતિ) ની ઉપાધિ હોય ત્યારે,પરમાત્મા (ઈશ્વર) કહેવાય છે, પણ
જ્ઞાનથી એ બંને ઉપાધિઓ દૂર થતાં સ્વયં “પરમાત્મા” જ પ્રકાશે છે.   (૧૯)

“જે બીજાં બધાં પોતાની સાબિતી-રૂપ પ્રત્યક્ષ (જોઈ શકાય તેવાં) પ્રમાણો જરૂરી માને છે,પણ
જે,પોતે એ પોતાની સાબિતી માટે પ્રત્યક્ષ પ્રમાણો ને જરૂરી ગણતું નથી,”
એવા એ વેદવાક્ય ને “બ્રહ્મ એ જ આત્મા છે” એમ જાણવામાં પ્રમાણ માન્યું છે.  (૨૦)

TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

                NEXT PAGE

PAGE-2-તત્વોપદેશ

PAGE-2
તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
                NEXT PAGE

વળી આનાથી વિરુદ્ધ –જો અનેક વિષયો અને અનેક ઇન્દ્રિયો રૂપ આત્મા જો (જુદા જુદા) હોય ,
તો અનેક સ્વામી વાળા, આ દેહ ની વ્યવસ્થા પણ જળવાઈ રહે નહિ,
જેમ,એક દેશમાં જો એક જ રાજા  હોય તો જ ત્યાં રાજ્ય-વ્યવસ્થા બરોબર જળવાઈ રહે છે,
તેમ,દેહમાં એક જ, “આત્મા-રૂપ સ્વામી” હોય તો જ બરાબર વ્યવસ્થા જળવાઈ રહે.   (૮)

એ જ પ્રમાણે “મન” અથવા “પ્રાણ” પણ તું (ત્વમ=આત્મા) નથી. કેમ કે એ બંને જડ છે.
“મારું મન બીજે ઠેકાણે ગયું છે” એમ જે આપણે કહીએ છીએ, તેથી,
મન અને આત્મા જુદાં છે એવો અનુભવ થાય છે.  (૯)

તેમ જ “મારો પ્રાણ ભૂખ અને તરસ થી પીડાય છે” એમ જે આપણે કહીએ છીએ,તેથી,
પ્રાણ અને આત્મા પણ જુદાજુદા છે તેવો અનુભવ થાય છે.
વળી આત્મા તો મન અને પ્રાણ નો દ્રષ્ટા છે,તેથી,
જેમ ઘડાને જોનાર ઘડાથી જુદો હોય છે તેમ,આત્મા,મન અને પ્રાણ થી જુદો જ છે.  (૧૦)

એ જ રીતે “બુદ્ધિ” પણ તું (ત્વમ=આત્મા) નથી.કેમકે-
બુદ્ધિ સુષુપ્તિ અવસ્થામાં લય પામે છે (કારણકે તે વેળા તે આત્મા ના સંબંધ વિનાની હોય છે) અને
જાગ્રત અવસ્થામાં ચૈતન્ય-આત્મા ની છાયા (પ્રતિબિંબ) સાથે સંબંધ પામી ને જ,
આખા શરીર માં વ્યાપી ને રહે છે, માટે જ આત્મા એ બુદ્ધિ નથી.  (૧૧)

જાગ્રત અવસ્થામાં એ “બુદ્ધિ” ચૈતન્ય-આત્મા ના સંબંધવાળી હોઈ ને જ,
અનેક રૂપ-વાળી તથા અતિ-ચંચળ બને છે,અને સુષુપ્તિમાં આત્માનો સંબંધ છૂટવાથી લય પામે છે,
પણ તું (ત્વમ) તો એ બુદ્ધિ નો દ્રષ્ટા,પ્રકાશક અને સદા એક જ રૂપવાળો હોઈ તેનાથી જુદો છે. (૧૨)

સુષુપ્તિમાં દેહ-વગેરે નો અભાવ હોય છે,તો પણ એ દેહના સાક્ષી તરીકે તું (આત્મા) તો હોય છે,જ.
કારણ કે ઉંઘી ને ઉઠ્યા પછી, જાગ્રત સમયે “આજે  હું ગાઢ નિંદ્રામાં સૂતો હતો” એમ એવો,
પોતાના આત્મા નો અનુભવ થાય છે, તેથી પણ સાબિત થાય છે કે-
પોતાના સિવાય આત્મા નો બીજો કોઈ પ્રકાશક નથી.  (૧૩)

TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

                NEXT PAGE

PAGE-1-તત્વોપદેશ

તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

    NEXT PAGE


ગુરુએ શિષ્ય ને કહ્યું કે-“તત્વમસિ” એ વાક્ય માં રહેલા “ત્વમ” પદ ના અર્થ નું તું વિવેચન કર. (૧)

આ દેહ દૃશ્ય છે,જાતિ વગેરે ધર્મો થી યુક્ત છે, તે ભૂતો નો (પંચમહાભૂતોનો વિકારથી) બનેલો છે,
અશુદ્ધ છે,અનિત્ય જ છે, તેથી તું (ત્વમ=આત્મા) એ દેહ નથી     (૨)

તું (ત્વમ) તો અદૃશ્ય,રૂપ-રહિત,જાતિ-રહિત,ભૂતો થી (પંચમહાભૂતો ના વિકારથી) નહિ બનેલો,
તું (ત્વમ) શુદ્ધ,નિત્ય,અને “દ્રષ્ટા-રૂપ” છે. વળી,
જેમ,ઘડો એ દૃશ્ય પદાર્થ છે –એટલે તે (ઘડો પોતે) દ્રષ્ટા હોઈ શકે નહિ,
તેમ, દેહ પણ દૃશ્ય (આંખો થી જોઈ શકાય તેવો) હોવાથી,દ્રષ્ટા(દૃશ્ય ને જોનાર) હોઈ શકે નહિ. (૩)

તેમ જ તું (ત્વમ) ઇન્દ્રિયો પણ નથી, કેમકે, ઇન્દ્રિયો કરણ (વિષયો ને ગ્રહણ કરનાર સાધન) કહેવાય છે,
તું (ત્વમ) તો ઇન્દ્રિયો નો પ્રેરક છે,માટે તેઓથી જુદો છે, વળી જે કર્તા હોય તે ‘કરણ” હોઈ શકે નહિ.(૪)

તેમ જ એ ઇન્દ્રિયો તો જુદી જુદી અનેક છે, અને તું (ત્વમ) તો “એક” જ છે,
તેથી પણ તું (ત્વમ) ઇન્દ્રિયો થી જુદો છે.
જુદી જુદી ઇન્દ્રિયોથી થતી જુદી જુદી દરેક ક્રિયાઓ (કર્મો) માં “હું કર્મ કરું છું” એમ ભાન થાય છે,
તું (ત્વમ) એ કર્મો નો કરનાર નથી,માટે પણ તું એક-એક જુદુ-જુદી ઇન્દ્રિયો-રૂપ નથી.   (૫)

એ જ રીતે તું (ત્વમ) ઇન્દ્રિયો નો સમુદાય પણ નથી. કેમ કે એ ઇન્દ્રિયોમાંની એકાદનો પણ નાશ થાય,
તો પણ, “હું” (અહમ) એવી બુદ્ધિ તો એમ ની એમ જ રહે છે,
જો ઇન્દ્રિયો નો સમુદાય “આત્મા” (ત્વમ) હોય તો એકાદ ઇન્દ્રિય નો નાશ થતાં,પણ,
“આત્મા ના અસ્તિત્વ નું જે જ્ઞાન” રહે છે તે રહે જ નહિ.   (૬)

પ્રત્યેક (જુદી-જુદી) ઇન્દ્રિય પણ “આત્મા” નથી. જો આ દેહની જુદી-જુદી ઇન્દ્રિયો પોતે પોતાની સ્વામી બને,
તો પ્રત્યેક જુદીજુદી ઇન્દ્રિય,જુદા-જુદા અનેક મતના આશ્રય વાળી બને,અને અનેક વિષયોમાં ખેંચાઈ ને નાશ પામે. પણ આત્મા નો તો નાશ નથી-એટલે  પ્રત્યેક જુદી જુદી ઇન્દ્રિય –એ-આત્મા નથી. (૭)


TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA


    NEXT PAGE

તત્વોપદેશ-INDEX PAGE

તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત

TATVOPADESH--GUJARATI--BY-- (AADI) SHANKARACHARYA

અનુક્રમણિકા (INDEX PAGE)

PAGE-10


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
      PREVIOUS PAGE
       END

અંદર અને બહાર,”પોતે” વ્યાપી ને સૂર્ય વગેરેને –અને- આખા જગત ને જે પ્રકાશમાન કરે છે,
તે “બ્રહ્મ” અગ્નિ થી અત્યંત તપેલા લોઢાના ગોળાની જેમ પ્રકાશી રહ્યું છે.  (૬૨)

“બ્રહ્મ” એ જગત થી જુદા “લક્ષણો”વાળું હોઈ જુદું જ છે,છતાં બ્રહ્મ થી જુદું કાંઇ છે જ નહિ,”આમ” જ છે,
છતાં,પણ બ્રહ્મ થી જુદું જો કાંઇ દેખાય તો તે ઝાંઝવાના જળ જેવું તે-મિથ્યા જ છે.  (૬૩)

જે કાંઇ દેખાય છે (આંખથી) અને જે કાંઇ સંભળાય છે (કાનથી) તે બ્રહ્મ થી જુદું નથી,અને,
તત્વ નું જ્ઞાન થયા પછી, તે દ્વારા (આંખથી અને કાનથી)
સચ્ચિદાનંદ-રૂપ અને સર્વવ્યાપી (અદ્વૈત) “બ્રહ્મ” બધે અનુભવાય છે,  (૬૪)

સચ્ચિદાનંદ-રૂપ અને સર્વવ્યાપી એ “બ્રહ્મ” ને માત્ર “જ્ઞાન-દૃષ્ટિ” જ જોઈ શકે છે,(આંખ ની દૃષ્ટિ નહિ) પરંતુ,
જેમ,તેજસ્વી સૂર્ય ને આંધળો મનુષ્ય જોઈ શકતો નથી,
તેમ “અજ્ઞાન-દૃષ્ટિ” વાળો  તે “બ્રહ્મ” નાં દર્શન કરી શકતો નથી.    (૬૫)

શ્રવણ,મનન તથા નિદિધ્યાસન વડે પ્રગટ થયેલા,
“જ્ઞાન-રૂપ” અગ્નિ થી,ચારે બાજુ અત્યંત તપી જઈ,સર્વ પ્રકારના મેલ થી રહિત થયેલો જીવ,
અગ્નિથી તપાવેલા સોના ની પેઠે,પોતાની મેળે જ (બ્રહ્મ-રૂપે) પ્રકાશે છે.  (૬૬)

જ્ઞાન-રૂપ પ્રકાશ થી પ્રકાશતો અને અજ્ઞાન-રૂપ અંધકાર ને દૂર કરતો,
આત્મા-રૂપ સૂર્ય, હ્ર્દયાકાશ માં જ ઊગેલો છે,
તે સર્વ સ્થળે વ્યાપી રહેલો, અને સર્વ નું ધારણ-પોષણ કરનારો હોઈ “પોતે” જ પ્રકાશે છે,
અને બધાં ને પ્રકાશમાન  કરે છે.  (૬૭)

જે મનુષ્ય,દિશા-દેશ-કાળ,વગેરે ની જરૂર વિના જ,
બધે ગતિવાળા-સર્વવ્યાપી-ટાઢ-તાપ વગેરે ને દૂર કરનાર,નિત્ય સુખમય,અને નિર્લેપ એવા
“પોતાના” આત્મા-રૂપ તીર્થ ને સેવે છે, તે- બહાર ની બધી ક્રિયાઓથી રહિત થઇને,
“બધું જાણનાર-બધે ગતિવાળો-વ્યાપક-અને અમર”  થાય છે.  (૬૮)

AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA

      PREVIOUS PAGE
       END