Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૮

नैव प्रार्थयते लाभं नालाभेनानुशोचति । धीरस्य शीतलं चित्तममृतेनैव पूरितम् ॥ ८१॥

(તત્વના) અમૃત વડે પૂર્ણ અને શીતલ (શાંત) થયેલું ધીર (જ્ઞાની) પુરુષ ની ચિત્ત (મન)

--લાભની ઈચ્છા રાખતું જ નથી,તેમ જ હાનિ (ગેરલાભ)થી શોકાતુર પણ થતું નથી.(૮૧)

 

न शान्तं स्तौति निष्कामो न दुष्टमपि निन्दति । समदुःखसुखस्तृप्तः किञ्चित् कृत्यं न पश्यति ॥ ८२॥

સુખ અને દુઃખમાં સમાન,સંતોષી અને નિષ્કામ પુરુષ,

--(બીજા) કોઈ શાંત (જ્ઞાની) ને વખાણતો નથી,કે કોઈ દુષ્ટની નિંદા પણ કરતો નથી,

--અને પોતાને કોઈ કર્તવ્ય કરવાનું બાકી છે,એવું પણ જોતો (વિચારતો) નથી.(૮૨)

 

धीरो न द्वेष्टि संसारमात्मानं न दिदृक्षति । हर्षामर्षविनिर्मुक्तो न मृतो न च जीवति ॥ ८३॥

ધીર (જ્ઞાની) પુરુષ,સંસારનો દ્વેષ કરતો નથી,કે આત્માને જોવાની ઈચ્છા પણ રાખતો નથી,

--પરંતુ તે હર્ષ અને દ્વેષ વગરનો હોઈને,તે નથી મરેલો કે નથી જીવતો. (૮૩)

 

निःस्नेहः पुत्रदारादौ निष्कामो विषयेषु च । निश्चिन्तः स्वशरीरेऽपि निराशः शोभते बुधः ॥ ८४॥

પુત્ર,સ્ત્રી વગેરે માં સ્નેહ વગરનો (અનાસક્ત),વિષયો પ્રત્યે નિષ્કામ અને

--પોતાના શરીર પ્રત્યે પણ નિરાશ,એવો નિશ્ચિત થયેલો જ્ઞાની શોભે છે.(૮૪)

 

तुष्टिः सर्वत्र धीरस्य यथापतितवर्तिनः । स्वच्छन्दं चरतो देशान् यत्रस्तमितशायिनः ॥ ८५॥

યથાપ્રાપ્ત વર્તન કરતા,સ્વેચ્છા-અનુસાર ફરતા,અને જ્યાં સૂરજ આથમે ત્યાં સૂતા,

--ધીર (જ્ઞાની) પુરુષને બધે ય સંતોષ છે.(૮૫)

 

पततूदेतु वा देहो नास्य चिन्ता महात्मनः । स्वभावभूमिविश्रान्तिविस्मृताशेषसंसृतेः ॥ ८६॥

પોતાના “સ્વ-ભાવ-રૂપી સ્થાન” માં વિશ્રાંતિ લેવાને લીધે, જેને સમસ્ત જગત ભુલાઈ ગયું છે,

--એવા મહાત્માને દેહ પડો કે પ્રાપ્ત થાઓ,તેની ચિંતા હોતી નથી.(૮૬)

 

अकिञ्चनः कामचारो निर्द्वन्द्वश्छिन्नसंशयः । असक्तः सर्वभावेषु केवलो रमते बुधः ॥ ८७॥

જેની પાસે કશું પણ નથી,જે ઇચ્છાનુસાર ફરે છે,જે નિર્દ્વંદ (દ્વંદ વગરનો) છે, અને,

--જેના શંશય નાશ પામ્યા છે,અને જે સર્વભાવોમાં અશક્ત છે,એવો જ્ઞાની રમણ કરે છે.  (૮૭)

 

निर्ममः शोभते धीरः समलोष्टाश्मकाञ्चनः । सुभिन्नहृदयग्रन्थिर्विनिर्धूतरजस्तमः ॥ ८८॥

મમત્વ-રહિત,માટી,સોના અને પથ્થર ને સમ ગણનાર,અને -જેની, હૃદયની ગાંઠો છૂટી ગઈ છે,તેવો,

--તથા જેણે રજોગુણ તથા તમોગુણ ને દૂર કર્યા છે તેવો ધીર પુરુષ શોભે છે.(૮૮)

 

सर्वत्रानवधानस्य न किञ्चिद् वासना हृदि । मुक्तात्मनो वितृप्तस्य तुलना केन जायते ॥ ८९॥

સર્વત્ર અનાસક્ત રહેનારના હૃદયમાં,કશી જ વાસના હોતી નથી,

         --મુક્તાત્મા અને સંતુષ્ટ મનુષ્યની કલ્પના કે સરખામણી કોની જોડે થાય ? (૮૯)

 

जानन्नपि न जानाति पश्यन्नपि न पश्यति । ब्रुवन्न् अपि न च ब्रूते कोऽन्यो निर्वासनादृते ॥ ९०॥

એવા વાસના-રહિત સિવાય બીજો કોણ એવો મનુષ્ય હોઈ શકે કે,જે,

--જાણતો હોવા છતાં જાણતો નથી,જોવા છતાં જોતો નથી,બોલતો હોવા છતાં બોલતો નથી.(૯૦)

 

भिक्षुर्वा भूपतिर्वापि यो निष्कामः स शोभते । भावेषु गलिता यस्य शोभनाशोभना मतिः ॥ ९१॥

વસ્તુઓમાંથી જેની “સારી-નરસી” ભાવના દૂર થઇ છે,અને જે નિષ્કામ છે,

--તે ભિખારી હોય કે રાજા હોય તો પણ શોભે છે. (૯૧)

 

क्व स्वाच्छन्द्यं क्व सङ्कोचः क्व वा तत्त्वविनिश्चयः । निर्व्याजार्जवभूतस्य चरितार्थस्य योगिनः ॥ ९२॥

નિષ્કપટ, સરળ અને કૃતાર્થ યોગીને, સ્વચ્છંદતા ક્યાં? કે સંકોચ ક્યાં ?

--અથવા તો “તત્વ”નો નિશ્ચય પણ ક્યાં ? (૯૨)

 

आत्मविश्रान्तितृप्तेन निराशेन गतार्तिना । अन्तर्यदनुभूयेत तत् कथं कस्य कथ्यते ॥ ९३॥

આત્મામાં વિશ્રાંતિ થવાથી,સંતુષ્ટ બનેલા,નિસ્પૃહ અને દુઃખ-રહિત પુરુષ વડે,

--“જે અંદર અનુભવાતું હોય” તે કેવી રીતે કોને કહી શકાય ? (કોણ સમજે?)(૯૩)

 

सुप्तोऽपि न सुषुप्तौ च स्वप्नेऽपि शयितो न च । जागरेऽपि न जागर्ति धीरस्तृप्तः पदे पदे ॥ ९४॥

ધીર પુરુષ સૂતો હોવા છતાં,સુષુપ્તિમાં નથી,સ્વપ્નમાં નથી,

--જાગતો છતાં,જાગૃતિમાં નથી,પણ દરેક ક્ષણે સંતુષ્ટ રહે છે. (૯૪)

 

ज्ञः सचिन्तोऽपि निश्चिन्तः सेन्द्रियोऽपि निरिन्द्रियः । सुबुद्धिरपि निर्बुद्धिः साहङ्कारोऽनहङ्कृतिः ॥ ९५॥

જ્ઞાની ચિંતા-સહિત હોવા છતાં ચિંતા-રહિત છે,ઇન્દ્રિયોથી યુક્ત છતાં ઇન્દ્રિય- રહિત છે,

--બુદ્ધિથી યુક્ત છતાં બુદ્ધિ- રહિત છે,અહંકાર -સહિત છતાં અહંકાર-રહિત છે. (૯૫)

 

न सुखी न च वा दुःखी न विरक्तो न सङ्गवान् । न मुमुक्षुर्न वा मुक्ता न किञ्चिन्न्न च किञ्चन ॥ ९६॥

જ્ઞાની દુઃખી નથી-તેમ સુખી પણ નથી,વિરક્ત નથી –તેમ આસકત પણ નથી,

--મુમુક્ષુ નથી-તેમ મુક્ત પણ નથી,તે નથી કંઈ છે-કે કાંઇ પણ નથી. (૯૬)

 

विक्षेपेऽपि न विक्षिप्तः समाधौ न समाधिमान् । जाड्येऽपि न जडो धन्यः पाण्डित्येऽपि न पण्डितः ॥ ९७॥

એવો ધન્ય-પુરુષ,વિક્ષેપમાં વિક્ષિપ્ત નથી,સમાધિમાં સમાધિવાળો નથી,

--મૂઢતામાં મૂઢ નથી કે પંડિતાઈમાં પંડિત પણ નથી. (૯૭)

 

मुक्तो यथास्थितिस्वस्थः कृतकर्तव्यनिर्वृतः । समः सर्वत्र वैतृष्ण्यान्न स्मरत्यकृतं कृतम् ॥ ९८॥

મુક્ત પુરુષ જેવી હોય તેવી સ્થિતિમાં શાંત છે,અને કૃતકૃત્ય હોઈ સુખી છે,તેમજ,

--સર્વત્ર “સમ” હોઈ, તૃષ્ણા રહિત-પણાને લીધે કરેલું કે ન કરેલું-કશું- સંભારતો નથી.  (૯૮)

 

न प्रीयते वन्द्यमानो निन्द्यमानो न कुप्यति । नैवोद्विजति मरणे जीवने नाभिनन्दति ॥ ९९॥

જ્ઞાનીને કોઈ વંદન કરે તો ખુશ થતો નથી, કે કોઈ નિંદા કરે તો ચિડાતો નથી,

--તે (જ્ઞાની) મરણથી ઉદ્વેગ (દુઃખ) પામતો નથી કે,જીવનથી હર્ષ પામતો નથી.(૯૯)

 

न धावति जनाकीर्णं नारण्यमुपशान्तधीः । यथातथा यत्रतत्र सम एवावतिष्ठते ॥ १००॥

તેવો શાંત બુદ્ધિ વાળો,લોકોથી વ્યાપ્ત દેશમાં પણ જતો નથી,કે ભાગી ને જંગલમાં પણ જતો નથી,

--પણ, જ્યાં જે સ્થિતિમાં હોય ત્યાં તે સમ-ભાવથી (અનાસક્ત થઇ) રહે છે.(૧૦૦)


પ્રકરણ-૧૮-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૭

निवृत्तिरपि मूढस्य प्रवृत्ति रुपजायते । प्रवृत्तिरपि धीरस्य निवृत्तिफलभागिनी ॥६१॥

મૂઢ (અજ્ઞાની) ની નિવૃત્તિ પણ પ્રવૃત્તિ જ બને છે,જયારે,

--ધીર પુરુષની પ્રવૃત્તિ પણ નિવૃત્તિનું ફળ આપે છે. (૬૧)

 

परिग्रहेषु वैराग्यं प्रायो मूढस्य दृश्यते । देहे विगलिताशस्य क्व रागः क्व विरागता ॥ ६२॥

ઘર,સ્ત્રી વગેરેમાં (પરિગ્રહોમાં)  (દેખીતો) વૈરાગ્ય વિશેષ કરીને મૂઢ (અજ્ઞાની) નો જ દેખાય છે,પણ,

--દેહમાંથી યે જેની આશા ક્ષીણ (નાશ) થઇ ગઈ છે તેવા જ્ઞાની ને રાગ શું કે વૈરાગ્ય શું ?  (૬૨)

 

भावनाभावनासक्ता दृष्टिर्मूढस्य सर्वदा । भाव्यभावनया सा तु स्वस्थस्यादृष्टिरूपिणी ॥ ६३॥

મૂઢ (અજ્ઞાની) ની દૃષ્ટિ,સર્વદા દૃશ્ય (સંસાર) ની ભાવના અને અભાવનામાં લાગેલી રહે છે,

--પરંતુ શાંત (જ્ઞાની) મનુષ્યની દૃષ્ટિ,દૃશ્યની ભાવના કરવા છતાં,અ-દૃષ્ટિ-રૂપ જ રહે છે. (૬૩)

 

सर्वारम्भेषु निष्कामो यश्चरेद् बालवन् मुनिः । न लेपस्तस्य शुद्धस्य क्रियमाणेऽपि कर्मणि ॥ ६४॥

જે મુનિ (જ્ઞાની) સર્વ આરંભોમાં (ક્રિયાઓમાં) બાળકની જેમ નિષ્કામપણે વર્તે છે,

--તે શુદ્ધ મુનિને કરાતાં કર્મોમાં પણ લેપ થતો નથી. (૬૪)

 

स एव धन्य आत्मज्ञः सर्वभावेषु यः समः । पश्यन् श‍ृण्वन् स्पृशन् जिघ्रन्न् अश्नन्निस्तर्षमानसः ॥ ६५॥

તે આત્મજ્ઞાની ધન્ય છે કે જે સર્વભૂતોમાં સમાન દૃષ્ટિ રાખે છે અને જે,

-સાંભળતા,સ્પર્શતો,સુંઘતો,ખાતો છતાં તૃષ્ણા (આશા-આસક્તિ) વગરનો છે.(૬૫)

 

क्व संसारः क्व चाभासः क्व साध्यं क्व च साधनम् । आकाशस्येव धीरस्य निर्विकल्पस्य सर्वदा ॥ ६६॥

હંમેશાં આકાશની જેમ નિર્વિકલ્પ (વિકલ્પ વગરના) જ્ઞાનીને,

--સંસાર શું કે સંસારનો આભાસ શું ?સાધ્ય શું અને સાધન શું ? (૬૬)

 

स जयत्यर्थसंन्यासी पूर्णस्वरसविग्रहः । अकृत्रिमोऽनवच्छिन्ने समाधिर्यस्य वर्तते ॥ ६७॥

તે કર્મફળના ત્યાગવાળો અને પૂર્ણ આનંદ-સ્વરૂપ મહાત્મા જય પામે છે,

--જેની સ્વભાવિક (અકૃત્રિમ) સમાધિ તેના પૂર્ણ સ્વ-રૂપમાં હોય છે.(૬૭)

 

बहुनात्र किमुक्तेन ज्ञाततत्त्वो महाशयः । भोगमोक्षनिराकाङ्क्षी सदा सर्वत्र नीरसः ॥ ६८॥

અહીં વધુ કહી ને શું ફાયદો? જેણે તત્વને જાણ્યું છે,તેવો મહાત્મા,

--ભોગ અને મોક્ષ બંને પ્રત્યે નિસ્પૃહ (આકાંક્ષા વગરનો) અને હંમેશ બધે રસ-હીન હોય છે.(૬૮)

 

महदादि जगद्द्वैतं नाममात्रविजृम्भितम् । विहाय शुद्धबोधस्य किं कृत्यमवशिष्यते ॥ ६९॥

મહત્-તત્વથી શરુ થયેલું,આ જગત (દ્વૈત), નામ-માત્રથી જ ઉભું થયેલું છે,

--તે જગતની કલ્પના છોડ્યા પછી,શુદ્ધ જ્ઞાન-સ્વ-રૂપ બનેલા ને શું કર્મ બાકી રહે ? (૬૯)

 

भ्रमभूतमिदं सर्वं किञ्चिन्नास्तीति निश्चयी । अलक्ष्यस्फुरणः शुद्धः स्वभावेनैव शाम्यति ॥ ७०॥

આ બધું જગત “ભ્રમ-રૂપ” હોઈ કાંઇ જ નથી,એવા નિશ્ચયવાળો,અને બ્રહ્મનું જેણે સ્ફુરણ થયું છે તેવો,

--શુદ્ધ પુરુષ સ્વ-ભાવ વડે જ (સ્વ-ભાવથી જ) શાંત બની જાય છે. (૭૦)

 

शुद्धस्फुरणरूपस्य दृश्यभावमपश्यतः । क्व विधिः क्व च वैराग्यं क्व त्यागः क्व शमोऽपि वा ॥ ७१॥

શુદ્ધ આત્મ-સ્વ-રૂપના સ્ફુરણ- રૂપ,અને દૃશ્ય-ભાવ (જગત-માયા)ને ન જોનારને,

--વિધિ (કર્મોની વિધિ) શું અને વૈરાગ્ય શું ?ત્યાગ શું અને શમ (નિવૃત્તિ) શું ?(૭૧)

 

स्फुरतोऽनन्तरूपेण प्रकृतिं च न पश्यतः । क्व बन्धः क्व च वा मोक्षः क्व हर्षः क्व विषादिता ॥ ७२॥

અનંત-રૂપે સ્ફૂરતા અને પ્રકૃતિ (માયા) ને ના જોતા યોગીને,

--બંધન શું? અને મોક્ષ શું ? હર્ષ (સુખ) શું કે વિષાદ (દુઃખ) શું ? (૭૨)

 

बुद्धिपर्यन्तसंसारे मायामात्रं विवर्तते । निर्ममो निरहङ्कारो निष्कामः शोभते बुधः ॥ ७३॥

બુદ્ધિ પર્યંત (બુદ્ધિથી) જોતાં,આ જગત માયા-માત્ર જ દેખાય છે,(આવું સમજનાર)

--યોગી મમતા-રહિત,અહંકાર રહિત,અને નિષ્કામ બનીને શોભે છે.(૭૩)

 

अक्षयं गतसन्तापमात्मानं पश्यतो मुनेः । क्व विद्या च क्व वा विश्वं क्व देहोऽहं ममेति वा ॥ ७४॥

આત્માને અવિનાશી અને સંતાપ-રહિત (શોક રહિત) જોનારા મુનિને,

--વિદ્યા શી? કે વિશ્વ શું ? દેહ શો? કે અહંતા-મમતા શી ? (૭૪)

 

निरोधादीनि कर्माणि जहाति जडधीर्यदि । मनोरथान् प्रलापांश्च कर्तुमाप्नोत्यतत्क्षणात् ॥ ७५॥

(પણ) જો જડ-બુદ્ધિવાળો (મૂઢ-અજ્ઞાની) મનુષ્ય,ચિત્ત નિરોધ વગેરે,જેવાં કર્મો ત્યાગી દે,

--તો તે ક્ષણથી જ તેના મનોરથો વધે છે,અને તે વાણીના પ્રલાપો કરવાનો પ્રારંભ કરે છે. (૭૫)

 

मन्दः श्रुत्वापि तद्वस्तु न जहाति विमूढताम् । निर्विकल्पो बहिर्यत्नादन्तर्विषयलालसः ॥ ७६॥

મૂઢ (અજ્ઞાની) એ “પરમ વસ્તુ” ને સાંભળીને પણ મૂઢતા છોડતો નથી,જો કે ભલે એણે ,

--બહારના પ્રયત્નો કરી ને નિર્વિકલ્પ (સંકલ્પ વગરની) સ્થિતિ પ્રાપ્ત કરી હોય,

--તેમ છતાં અંદરથી તે વિષય વાસના વાળો જ રહે છે. (૭૬)

 

ज्ञानाद् गलितकर्मा यो लोकदृष्ट्यापि कर्मकृत् । नाप्नोत्यवसरं कर्त्रुं वक्तुमेव न किञ्चन ॥ ७७॥

જે જ્ઞાન વડે “ક્ષીણ (નાશ) બનેલા કર્મ” વાળો છે, અને માત્ર “લોક-દૃષ્ટિ” થી કર્મ કરવાવાળો છે,

--તેને કાંઇ પણ કરવાનો કે કાંઇ બોલવાનો પ્રસંગ જ પ્રાપ્ત થતો નથી.(૭૭)

 

क्व तमः क्व प्रकाशो वा हानं क्व च न किञ्चन । निर्विकारस्य धीरस्य निरातङ्कस्य सर्वदा ॥ ७८॥

હંમેશ નિર્વિકાર અને નિર્ભય ધીર પુરુષ માટે અંધકાર શું કે પ્રકાશ શું ?કે હાનિ (નુકશાન) શું ? (૭૮)

 

क्व धैर्यं क्व विवेकित्वं क्व निरातङ्कतापि वा । अनिर्वाच्यस्वभावस्य निःस्वभावस्य योगिनः ॥ ७९॥

અનિર્વાચ્ય સ્વભાવ વાળા અને સ્વભાવ-રહિત યોગીને માટે,ધૈર્ય શું?વિવેક શું? કે નિર્ભયતા શું? (૭૯)

 

न स्वर्गो नैव नरको जीवन्मुक्तिर्न चैव हि । बहुनात्र किमुक्तेन योगदृष्ट्या न किञ्चन ॥ ८०॥

સ્વર્ગ કે નર્ક કશું નથી,કે જીવન- કે મુક્તિ પણ નથી,

--અહીં વધુ કહી ને શું કામ? યોગ-દૃષ્ટિથી કશું પણ નથી. (૮૦)



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૬

क्व निरोधो विमूढस्य यो निर्बन्धं करोति वै । स्वारामस्यैव धीरस्य सर्वदासावकृत्रिमः ॥ ४१॥

જે હઠથી પ્રયત્ન કરે છે,તે મૂઢ (અજ્ઞાની) પુરુષને ચિત્ત નો નિરોધ ક્યાંથી થાય ? પણ,

--આત્મામાં જ રમણ કરનાર જ્ઞાનીને એ ચિત્ત નિરોધ સર્વદા અને સહજ હોય છે. (૪૧)

 

भावस्य भावकः कश्चिन् न किञ्चिद् भावकोपरः । उभयाभावकः कश्चिद् एवमेव निराकुलः ॥ ४२॥

કોઈ એક ભાવરૂપ (પ્રપંચ-માયા) ને “સત્ય” માનવાવાળો છે,

--તો બીજો કોઈ અભાવરૂપ “કશુજ નથી (મિથ્યા)” માનનારો હોય છે,જયારે

--કોઈ વિરલ એ બંને (ભાવ-અભાવ) ને નહિ માનવા વાળો “જે ને તે” સ્થિતિમાં શાંત રહે છે. (૪૨)

 

शुद्धमद्वयमात्मानं भावयन्ति कुबुद्धयः । न तु जानन्ति संमोहाद्यावज्जीवमनिर्वृताः ॥ ४३॥

દુર્બુદ્ધિ પુરુષો શુદ્ધ અને અદ્વિતીય “આત્મા” ની “ભાવના” કરે છે, પણ,

--“મોહ” ને લીધે તે આત્માને જાણતા નથી (કે જાણવાનો પ્રયત્ન કરતા નથી) અને એથી,

--સારા યે (આખા) જીવન દરમિયાન તે “સુખ” વગરના રહે છે.   (૪૩)

 

मुमुक्षोर्बुद्धिरालम्बमन्तरेण न विद्यते । निरालम्बैव निष्कामा बुद्धिर्मुक्तस्य सर्वदा ॥ ४४॥

મુમુક્ષુ (મોક્ષ ને ઇચ્છનાર) ની બુદ્ધિ,સંસારિક વિષયોના આલંબન (આધાર) વગર રહી શકતી નથી,

--જયારે મુક્તની બુદ્ધિ સર્વદા નિષ્કામ અને વિષયોના આલંબન (આધાર) વગરની હોય છે. (૪૪)

 

विषयद्वीपिनो वीक्ष्य चकिताः शरणार्थिनः । विशन्ति झटिति क्रोडं निरोधैकाग्रसिद्धये ॥ ४५॥

“વિષયો-રૂપી વાઘ” ને જોઈને,ગભરાયેલા અને પોતાના શરીરની ચિંતાથી પોતાનું રક્ષણ કરવા,

--શરણું ઇચ્છતા તેવા મૂઢો (અજ્ઞાનીઓ) “ચિત્તના નિરોધ અને એકાગ્રતા”ની સિદ્ધિ માટે,

--જલ્દીથી પર્વતની ગુફામાં પ્રવેશ કરે છે.(૪૫)

 

निर्वासनं हरिं दृष्ट्वा तूष्णीं विषयदन्तिनः । पलायन्ते न शक्तास्ते सेवन्ते कृतचाटवः ॥ ४६॥

જયારે “વાસનારહિત (વાસના-વગરના) પુરુષ-રૂપ” સિંહને જોઈને “વિષયો-રૂપી વાઘ” નાસી જાય છે,

--અને અસમર્થ અને ક્રિયામાં આસક્ત રહેનારા તે મૂઢો (અજ્ઞાનીઓ) ખુદ આવી ને,તે,

--વાસના વગરના મુક્ત-જ્ઞાની પુરુષોનું  સેવન (સત્સંગ-વગેરે) કરે છે. (૪૬)

 

न मुक्तिकारिकां धत्ते निःशङ्को युक्तमानसः । पश्यन् श‍ृण्वन् स्पृशन् जिघ्रन्नश्नन्नास्ते यथासुखम् ॥ ४७॥

નિશંક (શંકા-સંશય વગરનો) અને સ્થિર મનવાળો,જ્ઞાની-મુક્ત પુરુષ,

--મોક્ષને માટે ક્રિયાઓ (સાધનાઓ-કર્મો) કરતો નથી (ક્રિયાઓનો આગ્રહ રાખતો નથી) પણ,

--જોતો,સાંભળતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો –(કશામાં આસક્ત થયા વિના) સુખમાં રહે છે. (૪૭)

 

वस्तुश्रवणमात्रेण शुद्धबुद्धिर्निराकुलः । नैवाचारमनाचारमौदास्यं वा प्रपश्यति ॥ ४८॥

યથાર્થ વસ્તુ (સત્ય) ના શ્રવણ માત્રથી જ શુદ્ધ બનેલી બુદ્ધિવાળો,અને સ્વસ્થ ચિત્તવાળો,મનુષ્ય,

--કર્મ કે અકર્મ (વિકર્મ-ઉદાસીનતા) ને જોતો નથી.(૪૮)


यदा यत्कर्तुमायाति तदा तत्कुरुते ऋजुः । शुभं वाप्यशुभं वापि तस्य चेष्टा हि बालवत् ॥ ४९॥

શુભ કે અશુભ ,જયારે જે કંઈ પણ કરવાનું આવે, તે એ સરળ (મુક્ત-જ્ઞાની) મનુષ્ય કરે છે,

--અને  તેનો વ્યવહાર અને ચેષ્ટા (વર્તન) બાળકના જેવું હોય છે.(બાળક જેવું દેખાય છે)   (૪૯) 


स्वातन्त्र्यात्सुखमाप्नोति स्वातन्त्र्याल्लभते परम् । स्वातन्त्र्यान्निर्वृतिं गच्छेत्स्वातन्त्र्यात् परमं पदम् ॥ ५०॥

સ્વતંત્રતા(મુક્તતા)થી (જ્ઞાની) “સુખ”ને પામે છે,સ્વતંત્રતાથી “પર-બ્રહ્મ”ને મેળવે છે,

-- સ્વતંત્રતાથી પરમાનંદને પ્રાપ્ત કરે છે,સ્વતંત્રતાથી પરમ-પદની (સ્વ-રૂપની) પ્રાપ્તિ થાય છે.  (૫૦)

 

अकर्तृत्वमभोक्तृत्वं स्वात्मनो मन्यते यदा । तदा क्षीणा भवन्त्येव समस्ताश्चित्तवृत्तयः ॥ ५१॥

જયારે મનુષ્ય,પોતાના આત્મા ને અકર્તા (કર્મ નહિ કરનાર) અને અભોક્તા (ફળ નહિ ભોગવનાર) માને છે,

--ત્યારે તેની બધી ચિત્ત વૃત્તિઓનો નાશ થાય છે. (૫૧)

 

उच्छृङ्खलाप्यकृतिका स्थितिर्धीरस्य राजते । न तु सस्पृहचित्तस्य शान्तिर्मूढस्य कृत्रिमा ॥ ५२॥

ધીર (જ્ઞાની) પુરુષની શાંતિ વગરની (ઉચ્છ્રુંખલ) સ્વાભાવિક સ્થિતિ શોભે છે,પણ,

--સ્પૃહા (ઈચ્છા) યુક્ત ચિત્ત વાળા મૂઢ (અજ્ઞાની)ની શાંતિ કૃત્રિમ હોઈ શોભતી નથી. (૫૨)

 

विलसन्ति महाभोगैर्विशन्ति गिरिगह्वरान् । निरस्तकल्पना धीरा अबद्धा मुक्तबुद्धयः ॥ ५३॥

જેઓએ “કલ્પના” નો ત્યાગ કર્યો છે,જે બંધન વગરના છે અને જેમની બુદ્ધિ “મુક્ત” છે,

--એવા ધીર (જ્ઞાની) પુરુષો પણ કદીક (પ્રારબ્ધ વશાત)

--મોટા ભોગો ભોગવે છે અને પર્વતની ગુફાઓમાં પણ પ્રવેશ કરે છે. (૫૩)

 

श्रोत्रियं देवतां तीर्थमङ्गनां भूपतिं प्रियम् । दृष्ट्वा सम्पूज्य धीरस्य न कापि हृदि वासना ॥ ५४॥

પંડિત,દેવતા કે તીર્થનું પૂજન કરતાં,અને સ્ત્રી,રાજા કે પુત્રો વગેરેને જોતાં,

--ધીર (જ્ઞાની) પુરુષના મનમાં કોઈ વાસના હોતી નથી.(૫૪)

 

भृत्यैः पुत्रैः कलत्रैश्च दौहित्रैश्चापि गोत्रजैः । विहस्य धिक्कृतो योगी न याति विकृतिं मनाक् ॥ ५५॥

નોકરો,પુત્રો,પુત્રી,પત્ની,ભાઈ કે સગાસંબંધી ઓ મશ્કરી કરે કે ધિક્કારે,તેમ છતાં,

--યોગી (ધીર-જ્ઞાની) જરા પણ વિકાર (ક્રોધ-દુઃખ) પામતો નથી.(૫૫)

 

सन्तुष्टोऽपि न सन्तुष्टः खिन्नोऽपि न च खिद्यते । तस्याश्चर्यदशां तां तां तादृशा एव जानते ॥ ५६॥

ધીર (જ્ઞાની) પુરુષ સંતુષ્ટ (સંતોષી) છે,છતાં સંતુષ્ટ નથી,અને,

--ખિન્ન (ક્રોધિત-દુઃખી) હોવા છતાં પણ ખેદ (દુઃખ) પામતો નથી,

--તેની એવી આશ્ચર્ય-ભરી અવસ્થા તો એના જેવા જ જાણી શકે !! (૫૬)

 

कर्तव्यतैव संसारो न तां पश्यन्ति सूरयः । शून्याकारा निराकारा निर्विकारा निरामयाः ॥ ५७॥

કર્તવ્યતા (મારું આ કર્તવ્ય છે એવું માનવું) એ જ સંસાર છે,પણ એ કર્તવ્યતાને,

--શૂન્યાકાર,આકારરહિત,વિકારરહિત,અને દુઃખ રહિત  જ્ઞાનીઓ (તેમ) “જોતા” નથી.(૫૭)

 

अकुर्वन्नपि सङ्क्षोभाद् व्यग्रः सर्वत्र मूढधीः । कुर्वन्नपि तु कृत्यानि कुशलो हि निराकुलः ॥ ५८॥

મૂઢ (અજ્ઞાની) કર્મો,ના,કરતો હોય,તેમ છતાં ક્ષોભ (સંકલ્પ-વિકલ્પ)ને લીધે બધે વ્યાકુળ બને છે,

--જયારે કુશળ (જ્ઞાની) પુરુષ કર્મો કરતો હોવા છતાં વ્યાકુળ થતો નથી. (૫૮)


 

सुखमास्ते सुखं शेते सुखमायाति याति च । सुखं वक्ति सुखं भुङ्क्ते व्यवहारेऽपि शान्तधीः ॥ ५९॥

જ્ઞાની (શાંત બુદ્ધિ વાળો) વ્યવહારમાં પણ સુખે બેસે છે,સુખે સુએ છે,સુખે આવે છે-જાય છે,

--સુખે બોલે છે અને સુખે ખાય છે.(૫૯)

 

स्वभावाद्यस्य नैवार्तिर्लोकवद् व्यवहारिणः । महाहृद इवाक्षोभ्यो गतक्लेशः सुशोभते ॥ ६०॥

સામાન્ય લોકોની જેમ વ્યવહાર કરવા છતાં પણ જેને સ્વ-ભાવથી જ દુઃખ થતું નથી,

--તે મનુષ્ય મોટા સરોવરની જેમ ક્ષોભ-રહિત,કલેશ-રહિત (વગરનો) હોઈ શોભે છે.  (૬૦)



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૫

निर्वासनो निरालम्बः स्वच्छन्दो मुक्तबन्धनः । क्षिप्तः संस्कारवातेन चेष्टते शुष्कपर्णवत् ॥ २१॥

વાસનારહિત,કોઈના પર આધાર નહિ રાખનારો,સ્વચ્છંદ અને બંધનમાંથી મુક્ત થયેલો મનુષ્ય,

--“સંસાર-રૂપી” પવનથી પ્રેરિત બની,(પવનથી સૂકાં પાંદડાં જેમ અહીં તહીં જાય છે,તેવી)

--સૂકાં પાંદડાંની જેવી ચેષ્ટા(વર્તન) કરે છે.(૨૧)

 

असंसारस्य तु क्वापि न हर्षो न विषादता । स शीतलमना नित्यं विदेह इव राजये ॥ २२॥

અસંસારી (જ્ઞાની)ને કશે પણ નથી હર્ષ કે નથી શોક,

--શીતળ (શાંત) મનવાળો તે હંમેશ દેહ રહિત (દેહ ના હોય તેવા)ની જેમ શોભે છે (૨૨)

 

कुत्रापि न जिहासास्ति नाशो वापि न कुत्रचित् । आत्मारामस्य धीरस्य शीतलाच्छतरात्मनः ॥ २३॥

શાંત અને શુદ્ધ આત્માવાળા અને આત્મામાં જ સ્થિર બનેલા ધીર(જ્ઞાની) પુરુષને,

--નથી કશું ત્યજવાની ઈચ્છા કે નથી કશું મેળવવાની ઈચ્છા (આશા) (૨૩)

 

प्रकृत्या शून्यचित्तस्य कुर्वतोऽस्य यदृच्छया । प्राकृतस्येव धीरस्य न मानो नावमानता ॥ २४॥

“સ્વ-ભાવ” થી જ “શૂન્ય ચિત્તવાળા” અને સહજ કર્મ કરતા ધીર (જ્ઞાની) પુરુષને,

--સામાન્ય મનુષ્યની જેમ માન કે અપમાન લાગતાં નથી.(૨૪)

 

कृतं देहेन कर्मेदं न मया शुद्धरूपिणा । इति चिन्तानुरोधी यः कुर्वन्नपि करोति न ॥ २५॥

“આ કર્મ મારા દેહ વડે થયું છે,નહિ કે મારા આત્મા વડે” એમ જે સતત ચિંતન કરે છે,

--તેવો પુરુષ કર્મ કરતો હોવા છતાં કાંઈજ (કર્મ) કરતો નથી.(૨૫)

 

अतद्वादीव कुरुते न भवेदपि बालिशः । जीवन्मुक्तः सुखी श्रीमान् संसरन्नपि शोभते ॥ २६॥

સામાન્ય મનુષ્યની જેમ તે (જ્ઞાની) કર્મો કરે છે,પણ તેમ છતાં,તે નાદાન (મૂર્ખ) હોતો નથી,

--કર્મોમાં આસક્તિ નહિ હોવાથી તે જીવન્મુક્ત પુરુષ સંસારમાં શોભે છે.(૨૬)

 

नानाविचारसुश्रान्तो धीरो विश्रान्तिमागतः । न कल्पते न जाति न श‍ृणोति न पश्यति ॥ २७॥

અનેક પ્રકારના વિચારો કરીને અંતે થાકી ગયેલો,અને તેથી જ શાંત થયેલો,ધીર(જ્ઞાની) પુરુષ,

--નથી કલ્પનાઓ કરતો,નથી જાણતો,નથી સાંભળતો કે નથી જોતો.(૨૭)

 

असमाधेरविक्षेपान् न मुमुक्षुर्न चेतरः । निश्चित्य कल्पितं पश्यन् ब्रह्मैवास्ते महाशयः ॥ २८॥

આવો જ્ઞાની પુરુષ સમાધિના પણ અભાવને લીધે મુમુક્ષુ (મોક્ષની ઈચ્છા રાખનાર) નથી,

--(તેનાથી વિરુદ્ધ) કોઈ પણ વિક્ષેપના અભાવથી બદ્ધ (બંધન વાળો) પણ નથી,

--પરંતુ નિશ્ચય કરી ને આ બધાને કલ્પનામય જોતો,તે ”બ્રહ્મ”-રૂપે જ રહે છે. (૨૮)

 

यस्यान्तः स्यादहङ्कारो न करोति करोति सः । निरहङ्कारधीरेण न किञ्चिदकृतं कृतम् ॥ २९॥

જેનામાં અહંકાર છે તે કાંઇ ના કરે તો પણ કર્મ કરે જ છે,

--જયારે અહંકાર વગરના ધીર પુરુષને માટે તો “કાંઇ ના કરેલું કે કરેલું “ (કર્મ) છે જ નહિ. (૨૯)



नोद्विग्नं न च सन्तुष्टमकर्तृ स्पन्दवर्जितम् । निराशं गतसन्देहं चित्तं मुक्तस्य राजते ॥ ३०॥

એવા જીવન્મુક્તનું ચિત્ત (પ્રભુમય-મન) કે જે પ્રકાશમય છે,તેમાં દ્વૈત નથી તેથી ઉદ્વેગ નથી,

--નથી કોઈ સંકલ્પ-વિકલ્પ તેથી દુનિયા તરફ નિરાશ દૃષ્ટિ છે.

--નથી કોઈ અજ્ઞાન કે જેથી નથી કોઈ સંદેહ. (૩૦)

 

निर्ध्यातुं चेष्टितुं वापि यच्चित्तं न प्रवर्तते । निर्निमित्तमिदं किन्तु निर्ध्यायेति विचेष्टते ॥ ३१॥

ધીર પુરુષનું ચિત્ત (ઈશ્વરમાં તન્મય-મન)  ધ્યાન કરવાને કે કોઈ ક્રિયા કરવા પ્રવૃત્ત થતું નથી,

--પરંતુ કાંઇ પણ નિમિત્ત ના હોવા છતાં યથાપ્રાપ્ત ધ્યાન અને ક્રિયા કરે પણ છે. (૩૧)

 

तत्त्वं यथार्थमाकर्ण्य मन्दः प्राप्नोति मूढताम् । अथवा याति सङ्कोचममूढः कोऽपि मूढवत् ॥ ३२॥

“સત્ય-તત્વ” ને સાંભળીને જડ મનુષ્ય મૂઢ (અજ્ઞાની) બને છે અને સંકોચ (ગભરાટ) પ્રાપ્ત કરે છે,

--તેવી જ રીતે કોઈ જ્ઞાનીની દશા,એ અજ્ઞાનીની જેમ જ

--બાહ્યદૃષ્ટિથી મૂઢતા જેવી જ દેખાય છે.(બાહ્યદૃષ્ટિથી જ્ઞાનીનું મૂઢના જેવું વર્તન લાગે છે) (૩૨)

 

एकाग्रता निरोधो वा मूढैरभ्यस्यते भृशम् । धीराः कृत्यं न पश्यन्ति सुप्तवत्स्वपदे स्थिताः ॥ ३३॥

મૂઢ (અજ્ઞાની) મનુષ્યો એકાગ્રતા અથવા ચિત્ત-નિરોધનો વારંવાર અભ્યાસ કરે છે,પરંતુ,

--જ્ઞાનીઓ તો આત્મપદમાં “સૂતેલાની જેમ” સ્થિર બનેલા હોઈને,

--કશું પણ (એકાગ્રતા-કે ચિત્તનિરોધ- વગેરે) કરવાપણું જોતા જ નથી. (૩૩)

 

अप्रयत्नात् प्रयत्नाद् वा मूढो नाप्नोति निर्वृतिम् । तत्त्वनिश्चयमात्रेण प्राज्ञो भवति निर्वृतः ॥ ३४॥

પ્રયત્ન ના કરવાથી અથવા પ્રયત્ન વડે,પણ મૂઢ (અજ્ઞાની) મનુષ્ય સુખ પામતો નથી,ત્યારે,

--માત્ર તત્વનો નિશ્ચય થતાં જ ધીર (જ્ઞાની) મનુષ્ય સુખી બને છે. (૩૪)

 

शुद्धं बुद्धं प्रियं पूर्णं निष्प्रपञ्चं निरामयम् । आत्मानं तं न जानन्ति तत्राभ्यासपरा जनाः ॥ ३५॥

તે શુદ્ધ,પ્રિય,પૂર્ણ,પ્રપંચરહિત,દુઃખ રહિત,ચૈતન્ય આત્મા પુરુષને ,

--સંસારમાં રહેલા અભ્યાસી (મૂઢ-અજ્ઞાની) લોકો પણ જાણતા નથી (જાણી શકતા નથી)   (૩૫)

 

नाप्नोति कर्मणा मोक्षं विमूढोऽभ्यासरूपिणा । धन्यो विज्ञानमात्रेण मुक्तस्तिष्ठत्यविक्रियः ॥ ३६॥

મૂઢ (અજ્ઞાની) પુરુષ અભ્યાસ-રૂપ કર્મ (યોગ-વગેરે) વડે મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી,જયારે,

--ધીર (જ્ઞાની) પુરુષ વિજ્ઞાન (જ્ઞાન) માત્રથી જ મુક્ત અને નિર્વિકાર બને છે (૩૬)

 

मूढो नाप्नोति तद् ब्रह्म यतो भवितुमिच्छति । अनिच्छन्नपि धीरो हि परब्रह्मस्वरूपभाक् ॥ ३७॥

મૂઢ (અજ્ઞાની) પુરુષ “બ્રહ્મ” ને મેળવવાની ને “બ્રહ્મ-રૂપ” થવાની ઈચ્છા રાખે છે,તેથી જ,

--તે તે “બ્રહ્મ”ને મેળવી શકતો નથી કે બ્રહ્મ-રૂપ થઇ શકતો નથી,જયારે

--ધીર (જ્ઞાની) ઇચ્છતો ના હોવા છતાં પણ “બ્રહ્મ-રૂપ” જ છે.(૩૭)

 

निराधारा ग्रहव्यग्रा मूढाः संसारपोषकाः । एतस्यानर्थमूलस्य मूलच्छेदः कृतो बुधैः ॥ ३८॥

કોઈ આધાર વગરના અને દુરાગ્રહી મૂઢો (અજ્ઞાનીઓ) જ સંસાર-રૂપી મૂળનું પોષણ કરવાવાળા છે,

--જયારે તે અનર્થના મૂળ-રૂપ સંસારના મૂળનો જ્ઞાનીઓએ ઉચ્છેદ (નાશ) કર્યો છે. (૩૮)

 

न शान्तिं लभते मूढो यतः शमितुमिच्छति । धीरस्तत्त्वं विनिश्चित्य सर्वदा शान्तमानसः ॥ ३९॥

મૂઢ (અજ્ઞાની) મનુષ્ય શાંત બનવા ઈચ્છે છે,તેથી જ તે શાંતિ પામતો નથી,

--ધીર (જ્ઞાની) પુરુષ “તત્વ” નો નિશ્ચય કરી,સર્વદા શાંત ચિત્તવાળો જ હોય છે. (૩૯)

 

क्वात्मनो दर्शनं तस्य यद् दृष्टमवलम्बते ।धीरास्तं तं न पश्यन्ति पश्यन्त्यात्मानमव्ययम् ॥ ४०॥

બાહ્ય-દૃશ્ય પદાર્થો (સંસાર) નું અવલંબન (આધાર) કરતો હોય તેવા,

--મૂઢ (અજ્ઞાની) ને “આત્મા” નું દર્શન ક્યાંથી થાય ?

--જ્ઞાની પુરુષ તે દૃશ્ય પદાર્થ (સંસાર) ને ના જોતાં,અવ્યય (અવિનાશી) આત્માને જુએ છે. (૪૦)



      PREVIOUS PAGE
     NEXT PAGE