Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૪

પ્રકરણ-૧૮

 

॥ अष्टावक्र उवाच ॥

यस्य बोधोदये तावत्स्वप्नवद् भवति भ्रमः । तस्मै सुखैकरूपाय नमः शान्ताय तेजसे ॥ १॥

અષ્ટાવક્ર કહે છે કે-

જે બોધ (તેજ રૂપી-જ્ઞાન) ના ઉદયથી,જગત એક ભ્રમ કે સ્વપ્ન જેવું થઇ જાય છે,

--તે એક માત્ર શાંત અને આનંદરૂપ-તેજ (પરમાત્મા)ને નમસ્કાર હો (૧)

 

अर्जयित्वाखिलान् अर्थान् भोगानाप्नोति पुष्कलान् । न हि सर्वपरित्यागमन्तरेण सुखी भवेत् ॥ २॥

સર્વ ધન કમાઈને મનુષ્ય પુષ્કળ ભોગો પ્રાપ્ત કરે છે,

--પરંતુ તે બધાના પરિત્યાગ વગર તે સુખી થતો જ નથી.(૨)

 

कर्तव्यदुःखमार्तण्डज्वालादग्धान्तरात्मनः । कुतः प्रशमपीयूषधारासारमृते सुखम् ॥ ३॥

“કર્મ-જન્ય દુઃખ (કર્મોથી પેદા થતાં દુઃખો) –રૂપી”   “સૂર્યની જવાળાઓથી”  જેનું મન ભસ્મ થયું છે,

--તેણે “શાંતિ-રૂપી”  “અમૃતધારા” ની વૃષ્ટિ (વરસાદ) વગર “સુખ” ક્યાંથી મળે ? (૩)

 

भवोऽयं भावनामात्रो न किञ्चित् परमर्थतः । नास्त्यभावः स्वभावानां भावाभावविभाविनाम् ॥ ४॥

આ સંસાર “ભાવના-માત્ર” (સંકલ્પ-માત્ર) છે, અને “પરમાર્થ-દૃષ્ટિ” થી તે કંઈ જ નથી,(મિથ્યા છે)

--કારણકે ભાવ-રૂપ (સંકલ્પ-રૂપ=જગત) અને અભાવ-રૂપ (વિકલ્પ-રૂપ=પ્રલય) પદાર્થોમાં

--સ્થિર થયેલા એવા “સ્વ-ભાવ” નો કોઈ અભાવ (વિકલ્પ) હોતો નથી.(૪)

 

न दूरं न च सङ्कोचाल्लब्धमेवात्मनः पदम् । निर्विकल्पं निरायासं निर्विकारं निरञ्जनम् ॥ ५॥

આત્મા નું “સ્વ-રૂપ” દૂર નથી કે સમીપ (નજીક)માં નથી,(આત્મા તો સર્વ-વ્યાપક છે)-

--તે (આત્મા) સંકલ્પ-રહિત,પ્રયત્ન-રહિત,વિકાર-રહિત,દુઃખ-રહિત અને શુદ્ધ છે,

--તે (આત્મા) તો હંમેશને માટે પ્રાપ્ત છે.(૫)

 

व्यामोहमात्रविरतौ स्वरूपादानमात्रतः । वीतशोका विराजन्ते निरावरणदृष्टयः ॥ ६॥

“મોહ”ના નિવૃત્ત (નાશ) થવાથી, થતા પોતાના “સ્વ-રૂપ” (આત્મા)ના ગ્રહણ-માત્રથી,

--પુરુષ “શોક-રહિત” થાય છે, અને

--આવો આવરણહીન (માયા વિહીન-અનાસકત) પુરુષ, શોભાયમાન (ધન્ય) થાય છે.(૬)

 

समस्तं कल्पनामात्रमात्मा मुक्तः सनातनः । इति विज्ञाय धीरो हि किमभ्यस्यति बालवत् ॥ ७॥

“આ બધું જગત કલ્પના માત્ર છે,અને આત્મા મુક્ત અને નિત્ય છે”

--એમ જાણ્યા પછી ધીર (જ્ઞાની-પંડિત) પુરુષ,શું બાળકના જેવી ચેષ્ટા કરે ?(૭)

 

आत्मा ब्रह्मेति निश्चित्य भावाभावौ च कल्पितौ । निष्कामः किं विजानाति किं ब्रूते च करोति किम् ॥ ८॥

“આત્મા” એ “બ્રહ્મ” (પરમાત્મા) છે,અને ભાવ-અભાવ (જગત અને પ્રલય) કલ્પના-માત્ર છે,

--એવો નિશ્ચય કર્યા પછી તેવા નિષ્કામ પુરુષ,માટે,પછી,

--જાણવાનું શું? બોલવાનું શું? કે કરવાનું શું ? (બાકી રહે છે?) (૮)


अयं सोऽहमयं नाहमिति क्षीणा विकल्पना । सर्वमात्मेति निश्चित्य तूष्णीम्भूतस्य  योगिनः ॥ ९॥

આ બધું “આત્મા” જ છે, એવો નિશ્ચય કર્યા પછી,શાંત બનેલા (જીવન્મુક્ત) યોગીની,

--“આ હું છું,અને આ હું નથી” એવી કલ્પનાઓ નષ્ટ થઇ જાય છે (૯)

 

न विक्षेपो न चैकाग्र्यं नातिबोधो न मूढता । न सुखं न च वा दुःखमुपशान्तस्य योगिनः ॥ १०॥

શાંત બનેલા યોગી (જીવન્મુક્ત) ને,નથી વિક્ષેપ કે નથી એકાગ્રતા,

--નથી જ્ઞાન કે નથી મૂઢતા (અજ્ઞાન),નથી સુખ કે નથી દુઃખ.(૧૦)

 

स्वाराज्ये भैक्षवृत्तौ च लाभालाभे जने वने । निर्विकल्पस्वभावस्य न विशेषोऽस्ति योगिनः ॥ ११॥

નિર્વિકલ્પ (વિકલ્પ વગરના=જીવન્મુક્ત) બનેલા,સ્વ-ભાવવાળા યોગીને,

--સ્વ-રાજ્યમાં (કે પોતાને સ્વર્ગનું રાજ્ય મળે તો તેમાં) કે ભિક્ષાવૃત્તિમાં,

--લાભમાં કે હાનિમાં,લોકોમાં રહે કે જંગલમાં રહે,કંઈ જ ફેર હોતો નથી.(૧૧)

 

क्व धर्मः क्व च वा कामः क्व चार्थः क्व विवेकिता । इदं कृतमिदं नेति द्वन्द्वैर्मुक्तस्य योगिनः ॥ १२॥

દ્વંદો (સુખ-દુઃખ વગેરે)થી મુક્ત બનેલા,યોગીને,કામ શો? અને અર્થ શો?

--અને “આ કર્યું અને આ કર્યું નહિ” એવો વિવેક શો?(૧૨)

 

कृत्यं किमपि नैवास्ति न कापि हृदि रञ्जना । यथा जीवनमेवेह जीवन्मुक्तस्य योगिनः ॥ १३॥

જીવન્મુક્ત બનેલા આવા યોગી ને માટે કશું કર્તવ્ય છે જ નહિ, વળી,

--તેના અંતરમાં કોઈ આસક્તિ નહિ હોવાને કારણે તે

--જગતમાં યથાપ્રાપ્ત (જે મળી જાય તેમાં આનંદ માની) જીવન જીવે છે.(૧૩)

 

क्व मोहः क्व च वा विश्वं क्व तद् ध्यानं क्व मुक्तता । सर्वसङ्कल्पसीमायां विश्रान्तस्य महात्मनः ॥ १४॥

સર્વ સંકલ્પોના અંતને પામેલા,યોગીને,માટે,મોહ શું? કે જગત શું ?

--ધ્યાન શું ? કે મુક્તિ શું ? (૧૪)

 

येन विश्वमिदं दृष्टं स नास्तीति करोतु वै । निर्वासनः किं कुरुते पश्यन्नपि न पश्यति ॥ १५॥

જે આ જગતને જુએ છે,તે એમ કહી શકતો નથી,કે “જગત નથી” (કારણ તેનામાં વાસનાઓ છે),

--પરંતુ જેનામાં વાસનાઓ રહી નથી તેવો પુરુષ જગતને જોતો હોવા છતાં જોતો નથી(૧૫)

 

येन दृष्टं परं ब्रह्म सोऽहं ब्रह्मेति चिन्तयेत् । किं चिन्तयति निश्चिन्तो द्वितीयं यो न पश्यति ॥ १६॥

જે પુરુષે શ્રેષ્ઠ “બ્રહ્મ” જોયું છે,તેવો પુરુષ “હું બ્રહ્મ છું” એવું ચિંતન પણ કરે છે,પણ,

--જે બીજું કશું જોતો જ નથી એવો (માત્ર આત્માને જ જોતો હોય) પુરુષ શાનું ચિંતન કરે ? (૧૬)

 

दृष्टो येनात्मविक्षेपो निरोधं कुरुते त्वसौ । उदारस्तु न विक्षिप्तः साध्याभावात्करोति किम् ॥ १७॥

જે પુરુષ પોતાનામાં વિક્ષેપો જુએ તે ભલે તેનો નિરોધ (ધ્યાન,સમાધિ વગેરે) કરે,

--પણ જેને કોઈ વિક્ષેપો નથી તે સાધ્યના અભાવથી (કાંઇ સાધવાનું રહેલું ના હોવાથી) શું કરે ?  (૧૭)

 

धीरो लोकविपर्यस्तो वर्तमानोऽपि लोकवत् । न समाधिं न विक्षेपं न लोपं स्वस्य पश्यति ॥ १८॥

લોકો સાથે રહેતો અને લોકો ની જેમ વર્તતો હોવાં છતાં લોકો થી જુદો એવો ધીર (જ્ઞાની) પુરુષ,

--નથી પોતાની સમાધિને જોતો,નથી વિક્ષેપને જોતો કે નથી કોઈ બંધનને જોતો.(૧૮)

 

भावाभावविहीनो यस्तृप्तो निर्वासनो बुधः । नैव किञ्चित्कृतं तेन लोकदृष्ट्या विकुर्वता ॥ १९॥

જે પુરુષ તૃપ્ત છે,ભાવ-અભાવ (સંકલ્પ-વિકલ્પ) અને વાસના વગરનો છે,તે,

--લોકોની નજરે કર્મો (ક્રિયાઓ) કરતો હોવા છતાં કાંઇ કરતો નથી. (૧૯)

 

प्रवृत्तौ वा निवृत्तौ वा नैव धीरस्य दुर्ग्रहः । यदा यत्कर्तुमायाति तत्कृत्वा तिष्ठतः सुखम् ॥ २०॥

જે વખતે જે કરવાનું આવી પડે તે કરીને આનંદથી રહેતા,

--જ્ઞાનીને પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં કોઈ જ દુરાગ્રહ હોતો નથી.(૨૦)



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૩

પ્રકરણ-૧૭

 

 ॥ अष्टावक्र उवाच ॥

तेन ज्ञानफलं प्राप्तं योगाभ्यासफलं तथा । तृप्तः स्वच्छेन्द्रियो नित्यमेकाकी रमते तु यः ॥ १॥

અષ્ટાવક્ર કહે છે-કે-

જે પુરુષ સંતોષી અને શુદ્ધ ઇન્દ્રીયોવાળો છે અને સદાય એકલો (અસંગ) તથા આનંદમાં રહે છે,

--માત્ર તેણે જ જ્ઞાનનું અને યોગાભ્યાસનું ફળ પ્રાપ્ત કર્યું છે. (૧)

 

न कदाचिज्जगत्यस्मिन् तत्त्वज्ञो हन्त खिद्यति । यत एकेन तेनेदं पूर्णं ब्रह्माण्डमण्डलम् ॥ २॥

તત્વ (સત્ય) ને જાણનારો આ જગતમાં કદી ખેદ ને પામતો નથી, તે વાત સાચી છે,કેમ કે,

--તેના એકલાથી જ સમસ્ત બ્રહ્માંડ-મંડળ વ્યાપ્ત છે.(તેના સિવાય બીજું કશું છે જ નહિ) (૨)

 

न जातु विषयाः केऽपि स्वारामं हर्षयन्त्यमी । सल्लकीपल्लवप्रीतमिवेभं निम्बपल्लवाः ॥ ३॥

શલ્લકીનાં (એક જાતની મધુર રસવાળી વનસ્પતિનાં) પાન ખાઈને આનંદિત થયેલા હાથીને,

--જેવી રીતે લીંબડાનાં કડવા પાન આનંદ (હર્ષ) પમાડતાં નથી,તેમ,

--“આત્મા” રામ પુરુષને  કોઈ વિષયો હર્ષ પમાડતા નથી.(૩)

 

यस्तु भोगेषु भुक्तेषु न भवत्यधिवासितः । अभुक्तेषु निराकाङ्क्षी तदृशो भवदुर्लभः ॥ ४॥

જે મનુષ્ય ભોગવાયેલા ભોગોમાં આસક્ત થતો નથી અને,

--ના ભોગવાયેલા ભોગો પ્રત્યે આકાંક્ષા રાખતો નથી,તેવા મનુષ્ય સંસારમાં દુર્લભ છે.(૪)

 

बुभुक्षुरिह संसारे मुमुक्षुरपि दृश्यते । भोगमोक्षनिराकाङ्क्षी विरलो हि महाशयः ॥ ५॥

અહીં સંસારમાં ભોગેચ્છુ (ભોગોની ઈચ્છા વાળા) અને મોક્ષેચ્છુ (મોક્ષની ઈચ્છાવાળા) દેખાય છે,

--પરંતુ ભોગ અને મોક્ષ –એ બંને પ્રત્યે આકાંક્ષા વગરના વિરલા મહાત્મા કોઈક જ છે.(૫)

 

धर्मार्थकाममोक्षेषु जीविते मरणे तथा । कस्याप्युदारचित्तस्य हेयोपादेयता न हि ॥ ६॥

કોઈ ઉદાર મન (બુદ્ધિ) વાળાને જ પુરુષાર્થો (ધર્મ,અર્થ,કામ,મોક્ષ) પ્રત્યે અને,

--જીવન તથા મરણ ને માટે ત્યાજ્ય (ત્યાગનો) કે ગ્રાહ્યભાવ (ગ્રહણ કરવાનો) હોતો નથી. (૬)

 

वाञ्छा न विश्वविलये न द्वेषस्तस्य च स्थितौ । यथा जीविकया तस्माद् धन्य आस्ते यथा सुखम् ॥ ७॥

જગતના વિલયની (નાશની) જેને ઈચ્છા નથી કે તે જગત રહે તો પણ જેને દુઃખ નથી,એવો,

--ધન્ય (કૃતાર્થ) પુરુષ,સહજ મળતી આજીવિકા વડે સુખપૂર્વક (સંતોષમાં) રહે છે (૭)

 

कृतार्थोऽनेन ज्ञानेनेत्येवं गलितधीः कृती । पश्यन् श‍ृण्वन् स्पृशन् जिघ्रन्न् अश्नन्नास्ते यथा सुखम् ॥ ८॥

સત્ય જ્ઞાનને પામેલો અને જે જ્ઞાનને પામવાથી,જેની બુદ્ધિ (જ્ઞાનમાં) લય પામી ગઈ છે,

--તેવો કૃતાર્થ (ધન્ય) પુરુષ,ઇન્દ્રિયો ના વિષયો (જોતો,સંભાળતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો)

--ભોગવતો હોવાં છતાં (તે વિષયો પ્રત્યે અનાસક્ત હોવાથી) સુખપૂર્વક રહે છે.(૮)

 

शून्या दृष्टिर्वृथा चेष्टा विकलानीन्द्रियाणि च । न स्पृहा न विरक्तिर्वा क्षीणसंसारसागरे ॥ ९॥

જયારે સંસારરૂપ સાગર ક્ષીણ થાય (સંસાર જતો રહે) ત્યારે દૃષ્ટિ શૂન્ય બને છે,

--સર્વ ક્રિયાઓ (કર્મો) નિરર્થક બને છે,ઇન્દ્રિયો ક્ષુબ્ધ બને છે, અને

--નથી આસક્તિ રહેતી કે નથી વિરક્તિ રહેતી (૯)

 

न जागर्ति न निद्राति नोन्मीलति न मीलति । अहो परदशा क्वापि वर्तते मुक्तचेतसः ॥ १०॥

અહો,મનથી મુક્ત થયેલાની કેવી ઉત્કૃષ્ટ દશા છે !! કે,જે,

--નથી જાગતો,નથી સૂતો,નથી આંખ બંધ કરતો કે નથી આંખો ખોલતો.(૧૦)

 

सर्वत्र दृश्यते स्वस्थः सर्वत्र विमलाशयः । समस्तवासना मुक्तो मुक्तः सर्वत्र राजते ॥ ११॥

બધી વાસનાઓથી મુક્ત બનેલો,જ્ઞાની મુક્ત પુરુષ,સર્વ ઠેકાણે સ્વસ્થ (શાંત) દેખાય છે,

--સર્વત્ર નિર્મળ અંતઃકરણ વાળો રહે છે અને સર્વત્ર શોભે છે. (૧૧)

 

पश्यन् श‍ृण्वन् स्पृशन् जिघ्रन्न् अश्नन् गृण्हन् वदन् व्रजन्।ईहितानीहितैर्मुक्तो मुक्त एव महाशयः ॥१२॥

ઇચ્છાઓ અને અનિચ્છાઓ (ને રાગ-દ્વેષ) થી મુક્ત એ મહાત્મા,ભલે,

--જોતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો,ગ્રહણ કરતો,બોલતો કે ચાલતો હોય છતાં મુક્ત જ છે. (૧૨)

 

न निन्दति न च स्तौति न हृष्यति न कुप्यति । न ददाति न गृण्हाति मुक्तः सर्वत्र नीरसः ॥ १३॥

તે નથી કોઈની નિંદા કરતો, કે નથી કોઈની સ્તુતિ (વખાણ) કરતો ,

--નથી ખુશ થતો કે નથી નાખુશ (ક્રોધિત) થતો,

--નથી કોઈને આપતો કે નથી કોઈની પાસેથી લેતો,અને સર્વત્ર રસ વગરનો થઈને રહે છે. (૧૩)

 

सानुरागां स्त्रियं दृष्ट्वा मृत्युं वा समुपस्थितम् । अविह्वलमनाः स्वस्थो मुक्त एव महाशयः ॥ १४॥

પ્રીતિયુક્ત (સુંદર) સ્ત્રી  જેની પાસે આવે કે,મૃત્યુ પાસે આવે,પણ તેને જોઈને જે મહાત્માનું મન,

--વિહવળ થતું નથી,પણ સ્વસ્થ રહે છે,તે મુક્ત જ છે. (૧૪)

 

सुखे दुःखे नरे नार्यां सम्पत्सु च विपत्सु च । विशेषो नैव धीरस्य सर्वत्र समदर्शिनः ॥ १५॥

આવા,બધેય સમદર્શી,ધીરજવાન પુરુષને,સુખમાં કે દુઃખમાં,સ્ત્રીમાં કે પુરુષમાં,

--સંપત્તિમાં કે વિપત્તિમાં કશો જ ફરક હોતો નથી. (૧૫)

 

न हिंसा नैव कारुण्यं नौद्धत्यं न च दीनता । नाश्चर्यं नैव च क्षोभः क्षीणसंसरणे नरे ॥ १६॥

જેનો (જેના મનમાં) સંસાર નાશ પામ્યો છે-તેવા મનુષ્યમાં,

--નથી હિંસા કે નથી કરુણા,નથી ઉદ્ધતાઈ કે નથી નમ્રતા,નથી આશ્ચર્ય કે નથી ક્ષોભ (૧૬)

 

न मुक्तो विषयद्वेष्टा न वा विषयलोलुपः । असंसक्तमना नित्यं प्राप्ताप्राप्तमुपाश्नुते ॥ १७॥

મુક્ત પુરુષ,નથી વિષયોમાં આસક્ત થતો કે નથી વિષયોને ધિક્કારતો, પણ

--સદા અનાસક્ત થઇ પ્રાપ્ત અને અપ્રાપ્ત વસ્તુઓનો ઉપભોગ કરે છે.(૧૭)

 

समाधानसमाधानहिताहितविकल्पनाः । शून्यचित्तो न जानाति कैवल्यमिव संस्थितः ॥ १८॥

જેનું મન નાશ પામ્યું છે,તે સમાધાન કે અસમાધાન,હિત કે અહિત,વગેરેની

--કલ્પનાને પણ જાણતો નથી,પરંતુ,તે કેવળ કૈવલ્ય (મોક્ષ)માં જ સ્થિર રહે છે.(૧૮)

 

निर्ममो निरहङ्कारो न किञ्चिदिति निश्चितः । अन्तर्गलितसर्वाशः कुर्वन्नपि करोति न ॥ १९॥

મમતા વગરનો,અહંતા (અભિમાન) વગરનો,અને જગતમાં કાંઈજ નથી (જગત મિથ્યા) એવા,

--નિશ્ચયવાળો,અને અંદરથી જેની બધી આશાઓ લય (નાશ) પામી ગઈ છે,

--તેવો મનુષ્ય કર્મ કરે છતાં તે કર્મથી (કર્મના બંધનથી) લેપાતો નથી.(૧૯)

 

मनःप्रकाशसंमोहस्वप्नजाड्यविवर्जितः । दशां कामपि सम्प्राप्तो भवेद् गलितमानसः ॥ २०॥

જેનું મન ક્ષીણ બન્યું છે, અને જે મનના પ્રકાશ-અંધકાર,સ્વપ્ન અને જડતા (સુષુપ્તિ)થી

--રહિત છે (વગરનો છે), તે કોઈ અવર્ણનીય  દશાને પ્રાપ્ત થાય છે.(૨૦)

 

પ્રકરણ-૧૭-સમાપ્ત 



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૨

પ્રકરણ-૧૬

 

 ॥ अष्टावक्र उवाच ॥

आचक्ष्व श‍ृणु वा तात नानाशास्त्राण्यनेकशः । तथापि न तव स्वास्थ्यं सर्वविस्मरणाद् ऋते ॥ १॥

અષ્ટાવક્ર કહે છે કે-હે પ્રિય,વિવિધ શાસ્ત્રો ને તું અનેકવાર કહે અથવા સાંભળે,પરંતુ,

--તે બધું ભૂલી જવા વિના તને શાંતિ થશે નહિ.(૧)

 

भोगं कर्म समाधिं वा कुरु विज्ञ तथापि ते । चित्तं निरस्तसर्वाशमत्यर्थं रोचयिष्यति ॥ २॥

હે,જ્ઞાન-સ્વરૂપ,તું ભલે,ભોગ,કર્મ કે સમાધિ,ગમે તે કરે, કે,

--ભલેને  તારું મન આશાઓ વગરનું બન્યું હોય, તેમ છતાં તારું મન તને અત્યંત લોભાવશે. (૨)

 

आयासात्सकलो दुःखी नैनं जानाति कश्चन । अनेनैवोपदेशेन धन्यः प्राप्नोति निर्वृतिम् ॥ ३॥

(ભોગ,કર્મ,સમાધિ-વગેરેના) પરિશ્રમથી બધાય મનુષ્ય દુઃખી થાય છે,પરંતુ

--એને (મનને) કોઈ જાણી શકતું નથી, (જે મન લોભાવે છે-તે-મન ને જાણો-આ ઉપદેશ છે) અને

--આ ઉપદેશથી ધન્ય (કૃતાર્થ) થયેલો મનુષ્ય નિર્વાણરૂપ પરમ સુખને પામે છે. (૩)

 

व्यापारे खिद्यते यस्तु निमेषोन्मेषयोरपि । तस्यालस्य धुरीणस्य सुखं नन्यस्य कस्यचित् ॥ ४॥

જે પુરુષ આંખની મીંચવા-ઉઘાડવાની ક્રિયા (પ્રવૃત્તિ)થી પણ ખેદ પામે છે,તેવા,

--(નિવૃત્તિશીલ-ઈશ્વરમાં તન્મય એવા) આળસુના સરદારોને સુખ પ્રાપ્ત થાય છે,બીજાને નહિ.(૪)

 

इदं कृतमिदं नेति द्वन्द्वैर्मुक्तं यदा मनः । धर्मार्थकाममोक्षेषु निरपेक्षं तदा भवेत् ॥ ५॥

આ કર્યું અને આ કર્યું નહિ-એવા દ્વંદોથી મન જયારે મુક્ત બને છે,ત્યારે તે,

--(પુરુષાર્થો) ધર્મ,અર્થ,કામ અને મોક્ષ પ્રત્યે ઉદાસીન (ઈચ્છા વગરનું) બને છે.(૫)

 

विरक्तो विषयद्वेष्टा रागी विषयलोलुपः । ग्रहमोक्षविहीनस्तु न विरक्तो न रागवान् ॥ ६॥

વિષયોનો દ્વેષી (દ્વેષ કરનાર) મનુષ્ય વિરક્ત (અનાસકત) છે,

--અને વિષયોમાં લોલુપ મનુષ્ય “રાગી” (આસક્ત) છે, પરંતુ

--આ બંનેથી પર થયેલો જીવનમુક્ત (મુક્ત થયેલો) મનુષ્ય નથી વિરક્ત કે નથી રાગી.(૬)

 

हेयोपादेयता तावत्संसारविटपाङ्कुरः । स्पृहा जीवति यावद् वै निर्विचारदशास्पदम् ॥ ७॥

જ્યાં સુધી સ્પૃહા (તૃષ્ણા-મમતા) જીવતી હોય,અને અવિવેકની સ્થિતિ હોય,તો તેવી સ્થિતિ,

--એટલે કે- ત્યાગ અને ગ્રહણની ભાવના એ સંસાર-રૂપી-વૃક્ષનો અંકુર છે.(૭)

 

प्रवृत्तौ जायते रागो निर्वृत्तौ द्वेष एव हि । निर्द्वन्द्वो बालवद् धीमान् एवमेव व्यवस्थितः ॥ ८॥

પ્રવૃત્તિમાંથી આસક્તિ જન્મે છે,અને નિવૃત્તિ માંથી દ્વેષ (વિષયોનો દ્વેષ) જન્મે છે.

--આથી બુદ્ધિમાન અને દ્વંદ વગરનો પુરુષ “જે છે તે” પરિસ્થિતિમાં (બાળકની જેમ) સ્થિર રહે છે.(8)

 

हातुमिच्छति संसारं रागी दुःखजिहासया । वीतरागो हि निर्दुःखस्तस्मिन्नपि न खिद्यति ॥ ९॥

રાગી (આસક્ત) પુરુષ (આસક્તિથી મળેલા) દુઃખથી દૂર થવાની ઈચ્છાથી સંસારને છોડવા ઈચ્છે છે,

--પરંતુ અનાસકત પુરુષ દુઃખથી મુક્ત થઇને સંસારમાં (રહેવા છતાં) પણ ખેદ પામતો નથી. (9)

 

यस्याभिमानो मोक्षेऽपि देहेऽपि ममता तथा । न च ज्ञानी न वा योगी केवलं दुःखभागसौ ॥ १०॥

જેને મોક્ષ વિષે પણ આસક્તિ છે,તેમજ દેહમાં પણ મમતા છે,અને જેને દેહનું અભિમાન છે,

--તે યોગી નથી અને જ્ઞાની પણ નથી,પરંતુ તે તો કેવળ દુઃખને જ પામે છે. (10)

 

हरो यद्युपदेष्टा ते हरिः कमलजोऽपि वा । तथापि न तव स्वाथ्यं सर्वविस्मरणादृते ॥ ११॥

જો તારા ઉપદેશક શિવ હોય,વિષ્ણુ હોય  કે બ્રહ્મા હોય, તો પણ,

--બધું ભૂલી ગયા વિના (બધાના-એટલેકે-બધા જ્ઞાન નો ત્યાગ વિના) તને શાંતિ મળવાની નથી.(11) 

 

પ્રકરણ-૧૬-સમાપ્ત 



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૧

પ્રકરણ-૧૫

 

॥ अष्टावक्र उवाच ॥

यथातथोपदेशेन कृतार्थः सत्त्वबुद्धिमान् । आजीवमपि जिज्ञासुः परस्तत्र विमुह्यति ॥ १॥

અષ્ટાવક્ર કહે છે-કે-

એક સત્વ-બુદ્ધિ-વાળો પુરુષ માત્ર થોડા ઉપદેશથી જ કૃતાર્થ (ધન્ય) થઇ જાય છે,જયારે,

--અસત્ બુદ્ધિવાળો બીજો,જીવનપર્યંત જિજ્ઞાસુ હોવા છતાં,મોહને પામે છે. (૧)

 

मोक्षो विषयवैरस्यं बन्धो वैषयिको रसः । एतावदेव विज्ञानं यथेच्छसि तथा कुरु ॥ २॥

વિષયોમાંથી રસ જતો રહેવો (વૈરાગ્ય)–એ જ-મોક્ષ છે,

--વિષયોમાં રસ હોવો (રાગ કે મોહ)-એ જ –બંધન છે,

--ટૂંકમાં આ આટલું જ માત્ર “જ્ઞાન-વિજ્ઞાન” છે,તે સમજી તારી ઈચ્છામાં આવે તેમ કર.(૨)

 

वाग्मिप्राज्ञामहोद्योगं जनं मूकजडालसम् । करोति तत्त्वबोधोऽयमतस्त्यक्तो बुभुक्षभिः ॥ ३॥

આ તત્વજ્ઞાન અત્યંત બોલવાવાળા,પ્રવૃત્તિ મય,મહાજ્ઞાની પંડિત પુરુષને

--મૂંગો,પ્રવૃત્તિ  વગરનો(જડ),અને જગતને તે બહારથી આળસુ દેખાય તેવો કરી નાખે છે,

--આથી જગતના ભોગાભિલાષી (ભોગોની ઈચ્છાવાળા) મનુષ્યો વડે તે તત્વજ્ઞાન ત્યજાયેલું છે.(૩)

 

न त्वं देहो न ते देहो भोक्ता कर्ता न वा भवान् । चिद्रूपोऽसि सदा साक्षी निरपेक्षः सुखं चर ॥ ४॥

તું દેહ નથી કે દેહ તારો નથી,તું ભોક્તા (ભોગવનાર) નથી કર્તા (કર્મો નો કરનાર) નથી,

--તું શુદ્ધ ચૈતન્ય-રૂપ (આત્મા-રૂપ) અને સાક્ષી-રૂપ છે,એટલે (અને તને કોઈ ઈચ્છા પણ નથી)

--કોઈ પણ જાતની ઈચ્છા રાખ્યા વગર સુખપૂર્વક વિચર.(સુખી થા) (૪)

 

रागद्वेषौ मनोधर्मौ न मनस्ते कदाचन । निर्विकल्पोऽसि बोधात्मा निर्विकारः सुखं चर ॥ ५॥

રાગ અને દ્વેષ (દ્વૈત) એ તો મનના ધર્મો છે,તારા (આત્માના) નહિ,

--અને (એટલે) મન તો તારું કદી છે જ નહિ,પણ તું તો,

--નિર્વિકલ્પ (વિકલ્પ વગરનો) નિર્વિકાર,અને બોધ (જ્ઞાન) સ્વ-રૂપ છે,માટે સુખપૂર્વક વિચર (૫)

 

सर्वभूतेषु चात्मानं सर्वभूतानि चात्मनि । विज्ञाय निरहङ्कारो निर्ममस्त्वं सुखी भव ॥ ६॥

સર્વ ભૂતોમાં (જીવોમાં) પોતાના આત્માને અને પોતાના આત્મામાં સર્વ ભૂતોને (જીવોને) જાણીને,

--અહંકાર અને મમત્વ (મમતા-આસક્તિ) વગરનો થઇને તું સુખી થા. (૬)

 

विश्वं स्फुरति यत्रेदं तरङ्गा इव सागरे । तत्त्वमेव न सन्देहश्चिन्मूर्ते विज्वरो भव ॥ ७॥

સમુદ્રમાં જેમ તરંગો થાય છે, તેમ આ જગત સ્ફૂરે(બને) છે,(જગત એ સમુદ્રના તરંગ જેવું છે)

--અને એ જ તું છે,(તું જ એ સમુદ્ર અને એ સમુદ્રનું તરંગ પણ છે-બંને જુદા નથી)

--માટે,હે,ચૈતન્ય-સ્વ-રૂપ તું સંતાપ વગરનો થા.(૭)

 

श्रद्धस्व तात श्रद्धस्व नात्र मोऽहं कुरुष्व भोः । ज्ञानस्वरूपो भगवानात्मा त्वं प्रकृतेः परः ॥ ८॥

હે પ્રિય (તાત-સૌમ્ય) તું શ્રદ્ધા રાખ, તું શ્રદ્ધા રાખ,અને અહીં (જગતમાં) મોહ ના પામ,(કારણ કે),

--તું જ્ઞાન-સ્વ-રૂપ, આત્મા (પરમાત્મા) સ્વ-રૂપ છે અને પ્રકૃતિથી પર છે (૮)

 

गुणैः संवेष्टितो देहस्तिष्ठत्यायाति याति च । आत्मा न गन्ता नागन्ता किमेनमनुशोचसि ॥ ९॥

ગુણો (સત્વ-રજસ-તમસ) થી લપટાયેલો (ઢંકાયેલો) આ દેહ,

--ક્યારેક સ્થિત,તો ક્યારેક આવે અને જાય છે,પણ

--આત્મા તો નથી આવતો કે નથી જતો,તો શા માટે તું તેનો શોક કરે છે ?(૯)

 

देहस्तिष्ठतु कल्पान्तं गच्छत्वद्यैव वा पुनः । क्व वृद्धिः क्व च वा हानिस्तव चिन्मात्ररूपिणः ॥ १०॥

ચાહે આ શરીર કલ્પ (સમયનું એક માપ) ના અંત સુધી રહે કે આજે જ પડે, પણ

--તું કે જે ચૈતન્ય-માત્ર-સ્વ-રૂપ છે,તેની શી વૃદ્ધિ છે કે શી હાનિ છે ? (૧૦)

 

त्वय्यनन्तमहाम्भोधौ विश्ववीचिः स्वभावतः । उदेतु वास्तमायातु न ते वृद्धिर्न वा क्षतिः ॥ ११॥

તારા-રૂપી અનંત મહાસાગરમાં જગત-રૂપી તરંગ આપોઆપ (સ્વ-ભાવથી),

--ઉદય થાય (બને) કે અસ્ત થાય (નાશ પામે) પણ તેથી,

--તારી વૃદ્ધિ પણ થતી નથી કે નાશ પણ થતો નથી.    (૧૧)

 

तात चिन्मात्ररूपोऽसि न ते भिन्नमिदं जगत् । अतः कस्य कथं कुत्र हेयोपादेयकल्पना ॥ १२॥

હે પ્રિય, તું ચૈતન્યમાત્ર-સ્વ-રૂપ (આત્મા) છે,અને આ જગત તારાથી ભિન્ન (જુદું) નથી,તો પછી,

--ત્યાજ્ય (ત્યાગવું) અને ગ્રાહ્ય (ગ્રહણ કરવું) ની કલ્પના,

--કોને,કેવી રીતે અને ક્યાંથી હોઈ શકે ?   (૧૨)

 

एकस्मिन्नव्यये शान्ते चिदाकाशेऽमले त्वयि । कुतो जन्म कुतो कर्म कुतोऽहङ्कार एव च ॥ १३॥

તું “એક”,”નિર્મળ”, “શાંત”,“અવ્યય” (અવિનાશી),“ચિદાકાશ”(ચૈતન્ય-રૂપ-આકાશ) છે,

--અને આવા તારામાં જન્મ ક્યાંથી? કર્મ કયાંથી? અને અહંકાર પણ ક્યાંથી?(હોઈ શકે ?)  (૧૩)

 

यत्त्वं पश्यसि तत्रैकस्त्वमेव प्रतिभाससे । किं पृथक् भासते स्वर्णात् कटकाङ्गदनूपुरम् ॥ १४॥

જે જે તું જુએ છે ત્યાં ત્યાં તું એકલો જ ભાસમાન (દેખાય) થાય છે, વધુ શું કહું ?

--સોનાના બાજુબંધ અને સોનાના ઝાંઝર,શું સોનાથી ભિન્ન (જુદાં) ભાસે (દેખાય) છે ખરા ? (૧૪)

 


अयं सोऽहमयं नाहं विभागमिति सन्त्यज । सर्वमात्मेति निश्चित्य निःसङ्कल्पः सुखी भव ॥ १५॥

જે “આ” છે તે “હું” છું, કે “હું” નથી-એવા ભેદભાવ (દ્વૈત) ને છોડી દે,અને,

--બધું ય “આત્મા” (અદ્વૈત) છે-એમ નિશ્ચય કરી,સંકલ્પ વગરનો થઇ સુખી થા. (૧૫)

 

तवैवाज्ञानतो विश्वं त्वमेकः परमार्थतः । त्वत्तोऽन्यो नास्ति संसारी नासंसारी च कश्चन ॥ १६॥

તારા અજ્ઞાનથી જ આ જગત ભાસે (દેખાય) છે, પરંતુ,

--વસ્તુતઃ તો (સાચમાં તો) તું એકલો જ (એક-અદ્વૈત) છે અને તારાથી જુદો કોઈ

--સંસારી (બંધન વાળો) અને અસંસારી (મુક્ત) છે જ નહિ. (૧૬)

 

भ्रान्तिमात्रमिदं विश्वं न किञ्चिदिति निश्चयी । निर्वासनः स्फूर्तिमात्रो न किञ्चिदिव शाम्यति ॥ १७॥

આ સંસાર એ ભ્રાંતિમાત્ર છે,બીજું કંઇ નહિ,એવો નિશ્ચય કરનાર,

--વાસનાઓ વગરનો અને કેવળ ચૈતન્ય-રૂપ મનુષ્ય,'જગતમાં જાણે કાંઇ છે જ નહિ',

--એમ સમજીને શાંત બને છે (૧૭)

 

एक एव भवाम्भोधावासीदस्ति भविष्यति । न ते बन्धोऽस्ति मोक्षो वा कृत्यकृत्यः सुखं चर ॥ १८॥

સંસાર-સાગરમાં એક તું જ છે,હતો,અને હોઈશ.તને બંધન પણ નથી અને મોક્ષ પણ નથી,

--માટે તું કૃતાર્થ (ધન્ય) હોઈ,સુખી થા.(૧૮)

 

मा सङ्कल्पविकल्पाभ्यां चित्तं क्षोभय चिन्मय । उपशाम्य सुखं तिष्ठ स्वात्मन्यानन्दविग्रहे ॥ १९॥

હે,ચૈતન્ય-રૂપ જનક,સંકલ્પ-વિકલ્પથી તારા ચિત્તને (મનને) ક્ષોભિત (દુઃખી) ના કર,પણ,

--મનને શાંત કરી,આનંદ રૂપ પોતાના આત્મામાં સ્થિર થા (૧૯)

 

त्यजैव ध्यानं सर्वत्र मा किञ्चिद् हृदि धारय । आत्मा त्वं मुक्त एवासि किं विमृश्य करिष्यसि ॥ २०॥

ધ્યાન (મનન)નો સર્વત્ર ત્યાગ કર અને હૃદયમાં કાંઇ પણ ધાર (ધારણા) કર નહિ,

--તું આત્મા હોઈ મુક્ત જ છે,પછી વિચારો કરીને શું કરવાનો છે ?   (૨૦)

 

પ્રકરણ-૧૫-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE