Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૦

પ્રકરણ-૧૪

 

॥ जनक उवाच ॥

प्रकृत्या शून्यचित्तो यः प्रमादाद् भावभावनः । निद्रितो बोधित इव क्षीणसंस्मरणो हि सः ॥ १॥

જે પ્રકૃતિ-સ્વભાવવત, શૂન્ય-ચિત્ત (ચિત્તવૃત્તિ વિહીન) છે,તેવો મનુષ્ય,

--પ્રમાદ (મજા) ને ખાતર જ જગતની વસ્તુઓની ભાવના કરતો હોય તેવું લાગે,અને,

--ભલે તે જાગતા જેવો લાગતો હોય છતાં તે, (જ્ઞાન નિંદ્રામાં) ઊંઘતો જ હોવાથી,(શૂન્ય-ચિત્ત હોવાથી)

--તેનું સંસારરૂપી બંધન ક્ષીણ થયેલું છે. (૧)

 


क्व धनानि क्व मित्राणि क्व मे विषयदस्यवः । क्व शास्त्रं क्व च विज्ञानं यदा मे गलिता स्पृहा ॥ २॥

જયારે મારી કામના (સ્પૃહા) નષ્ટ થઇ ગઈ છે,ત્યારે,

--મારા માટે ધન શું? મિત્રો શું ? વિષયો રૂપી ચોર શું ? શાસ્ત્ર શું ? કે વિજ્ઞાન શું ? (૨)

 

विज्ञाते साक्षिपुरुषे परमात्मनि चेश्वरे । नैराश्ये बन्धमोक्षे च न चिन्ता मुक्तये मम ॥ ३॥

સાક્ષી-પુરુષ “આત્મા” અને ઈશ્વર (પરમાત્મા) તેમજ નૈરાશ્ય (આશા વગરના) અને બંધન-મોક્ષ,

--આ બધા શબ્દોનું મને જ્ઞાન થયું છે, (આ સર્વનો હું જ્ઞાતા છું)

--એટલે મુક્તિને માટે મને હવે ચિંતા નથી. (૩)

 

अन्तर्विकल्पशून्यस्य बहिः स्वच्छन्दचारिणः । भ्रान्तस्येव दशास्तास्तास्तादृशा एव जानते ॥ ४॥

જે પુરુષનું અંતઃકરણ સંકલ્પ-વિકલ્પ વગરનું છે, (જેના અંતઃકરણ માં વિષય-વાસનાઓ નથી), અને ,

--ભલે તે બહારથી સ્વછંદ-પણે (સ્વેચ્છા-પૂર્વક) વિચરતો (ફરતો) હોય,તેમ છતાં તે જ્ઞાની છે.

--આવા જ્ઞાની પુરુષ ને જ્ઞાની પુરુષ જ જાણી શકે છે,અજ્ઞાની પુરુષ નહિ.(૪) 

 

પ્રકરણ-૧૪-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૯

પ્રકરણ-૧૩

 

॥ जनक उवाच ॥

अकिञ्चनभवं स्वास्थं कौपीनत्वेऽपि दुर्लभम् । त्यागादाने विहायास्मादहमासे यथासुखम् ॥ १॥

“કાંઇ પણ ના હોવાની “ (શૂન્યતા)  સ્થિતિથી ઉત્પન્ન થતી માનસિક સ્વસ્થતા,

--કૌપીન ધારણ કરવાથી (કે માત્ર,ભગવાં પહેરવાથી) પણ અપ્રાપ્ય છે,

--ત્યાગ અને ગ્રહણ એ બંનેના વિચાર છોડી દઈ ને હું સુખપૂર્વક સ્થિત છું.(૧)

 

कुत्रापि खेदः कायस्य जिह्वा कुत्रापि खेद्यते । मनः कुत्रापि तत्त्यक्त्वा पुरुषार्थे स्थितः सुखम् ॥ २॥

કશામાં ક્યાંક શરીરનું દુઃખ,કશામાં જીભનું દુઃખ,તો કશામાં ક્યાંક વળી મનનું દુઃખ,એટલે,

--આ બધું છોડીને હું માત્ર આત્મ-પ્રાપ્તિના પુરુષાર્થમાં સુખપૂર્વક સ્થિત છું. (૨)

 

कृतं किमपि नैव स्याद् इति सञ्चिन्त्य तत्त्वतः । यदा यत्कर्तुमायाति तत् कृत्वासे यथासुखम् ॥ ३॥

“કોઈ પણ કર્મ કરી શકાતું જ નથી (કરાતું જ નથી)” એમ “તત્વ-દૃષ્ટિ” થી વિચારીને,

--જે વખતે જે કર્મ સહજ આવી પડે તે કરી ને હું સુખપૂર્વક સ્થિત છું. (૩)

 

कर्मनैष्कर्म्यनिर्बन्धभावा देहस्थयोगिनः । संयोगायोगविरहादहमासे यथासुखम् ॥ ४॥

કર્મ-રૂપ અને નૈષ્કર્મ્ય-રૂપ (અકર્મ) બંધનના ખ્યાલો દેહાભિમાનવાળા યોગીને જ લાગે છે,પરંતુ,

--મને તો દેહ –વગેરે ના સંયોગ અને વિયોગનો અભાવ હોઈ,હું સુખપૂર્વક સ્થિત છું. (૪)

 

अर्थानर्थौ न मे स्थित्या गत्या न शयनेन वा । तिष्ठन् गच्छन् स्वपन् तस्मादहमासे यथासुखम् ॥ ५॥

બેસવાથી,ચાલવાથી કે સૂઈ જવાથી, મને કોઈ લાભ કે હાનિ થતી નથી,આથી,

બેસવા,ચાલવા અને સુવા છતાં –હું સુખપૂર્વક સ્થિત છું. (૫)

 

स्वपतो नास्ति मे हानिः सिद्धिर्यत्नवतो न वा । नाशोल्लासौ विहायास्मदहमासे यथासुखम् ॥ ६॥

કશું પણ કર્યા વગર સૂઈ રહું તો મને કોઈ હાનિ નથી,અને યત્ન કરું તો મને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી,

--આથી “લાભ” અને “હાનિ” એ બંને ને ત્યજી દઈ,હું સુખપૂર્વક સ્થિત છું. (૬)

 

सुखादिरूपा नियमं भावेष्वालोक्य भूरिशः । शुभाशुभे विहायास्मादहमासे यथासुखम् ॥ ७॥

જગતની વસ્તુઓમાં રહેલા સુખ-દુઃખ અને અનિશ્ચિતપણાને વારંવાર જોઈ ને,

--તે શુભ અને અશુભનો પરિત્યાગ કરી હું સુખપૂર્વક સ્થિત છું.(૭) 

 

પ્રકરણ-૧૩-સમાપ્ત 



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૮

પ્રકરણ-૧૨

 

॥  जनक उवाच ॥

कायकृत्यासहः पूर्वं ततो वाग्विस्तरासहः । अथ चिन्तासहस्तस्माद् एवमेवाहमास्थितः ॥ १॥

જનક કહે છે કે-પહેલાં શારીરિક (કાયિક) કર્મોનો,પછી વાણીના કર્મોનો (વાચિક) અને તેના પછી,

--માનસિક કર્મોનો ત્યાગ કરી,હવે હું સ્થિત (સ્થિર) છું. (૧)

 

प्रीत्यभावेन शब्दादेरदृश्यत्वेन चात्मनः । विक्षेपैकाग्रहृदय एवमेवाहमास्थितः ॥ २॥

શબ્દ વગેરે વિષયોમાં આસક્તિના અભાવથી (વિષયો પ્રત્યે અનાસક્ત) અને,

--આત્મા તો અદૃશ્ય (જોઈ ના શકાય તેવો) હોવાથી,

--કદીક “વિક્ષેપ” તો “એકાગ્ર” હૃદયવાળી સ્થિતિમાં સ્થિત (સ્થિર) છું.(૨)

 

समाध्यासादिविक्षिप्तौ व्यवहारः समाधये । एवं विलोक्य नियममेवमेवाहमास्थितः ॥ ३॥

“વિક્ષેપ” દશામાં રહેલાને માટે સમ્યક અભ્યાસ કરી “સમાધિ” સુધી પહોંચવાનો નિયમ છે,

--અને “સમાધિ” દશામાં રહેનારા માટે પણ ઉલ્ટા નિયમ- વ્યવહારો છે,તે નિયમો જોઈને,

--(હું  તો) આત્માનંદમાં (નિજાનંદમાં)  સ્થિત (સ્થિર) છું. (૩)

 

हेयोपादेयविरहाद् एवं हर्षविषादयोः । अभावादद्य हे ब्रह्मन्न् एवमेवाहमास्थितः ॥ ४॥

ત્યાજ્ય (ત્યાગવાનું) અને ગ્રાહ્ય (ગ્રહણ કરવાનું) –હવે રહ્યું નથી,

--તેથી  “હર્ષ” અને “શોક” ના અભાવવાળી સ્થિતિમાં સ્થિત (સ્થિર) છું.(૪)

 

आश्रमानाश्रमं ध्यानं चित्तस्वीकृतवर्जनम् । विकल्पं मम वीक्ष्यैतैरेवमेवाहमास्थितः ॥ ५॥

આશ્રમમાં રહેવું કે આશ્રમથી પર થવું,ધ્યાન કરવું કે ધ્યાન ના કરવું,

મન ને માનવું કે ના માનવું,--વગેરે વાતોમાં 

--માત્ર “હું” જ (મારી મરજી અનુસાર) વિકલ્પ આપું,એમ સ્થિત (સ્થિર) છું. (૫)

 

कर्मानुष्ठानमज्ञानाद् यथैवोपरमस्तथा । बुध्वा सम्यगिदं तत्त्वमेवमेवाहमास्थितः ॥ ६॥

જેમ કર્મ કરવાં એ અજ્ઞાનનું કાર્ય છે,તેમ કર્મ ના કરવાં તે પણ અજ્ઞાનનું કાર્ય છે,

--આ “તત્વ” ને જાણી લઇ “હું” સ્થિત (સ્થિર) છું      (૬)

 

अचिन्त्यं चिन्त्यमानोऽपि चिन्तारूपं भजत्यसौ । त्यक्त्वा तद्भावनं तस्माद् एवमेवाहमास्थितः ॥ ७॥

અચિંત્ય (બ્રહ્મ) નું ચિંતન કરનારો પણ “ચિંતન-રૂપ” થાય છે,એ સમજીને,

--તે “અચિંત્ય” (બ્રહ્મ)નું ચિંતન છોડીને સ્થિત (સ્થિર) છું. (૭)

 

एवमेव कृतं येन स कृतार्थो भवेदसौ । एवमेव स्वभावो यः स कृतार्थो भवेदसौ ॥ ८॥

જેણે આ પ્રમાણે સ્થિરતાની સ્થિતિ કરી છે,તે કૃતકૃત્ય થયા છે, અને

--જેનો આવી સ્થિરતાનો “સ્વ-ભાવ” બન્યો છે તે પણ કૃતકૃત્ય જ છે. (૮)

 

પ્રકરણ-૧૨-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૭

પ્રકરણ-૧૧

 

 ॥ अष्टावक्र उवाच ॥

भावाभावविकारश्च स्वभावादिति निश्चयी । निर्विकारो गतक्लेशः सुखेनैवोपशाम्यति ॥ १॥

અષ્ટાવક્ર કહે છે કે-“ભાવ અને અભાવ રૂપ (ઉત્પત્તિ અને નાશ રૂપ-સૃષ્ટિનો) વિકાર,

સ્વભાવથી જ (માયાથી જ) થાય છે” --એમ જેણે નિશ્ચય કર્યો છે,તેવો,

--“નિર્વિકાર” અને “કલેશ (અશાંતિ) વગરનો “ મનુષ્ય સહેલાઈથી જ શાંત બને છે.(૧)

 

ईश्वरः सर्वनिर्माता नेहान्य इति निश्चयी । अन्तर्गलितसर्वाशः शान्तः क्वापि न सज्जते ॥ २॥

“સર્વ જગતનું નિર્માણ કરનાર ઈશ્વર જ છે,બીજો કોઈ નથી” એમ જેણે નિશ્ચય કર્યો છે,જેની બધી

 “આશા” ઓ પોતાના અંતઃકરણમાંથી નાશ પામી છે,તેવો મનુષ્ય કશે “આસક્ત” થતો નથી. (૨)

 

आपदः सम्पदः काले दैवादेवेति निश्चयी । तृप्तः स्वस्थेन्द्रियो नित्यं न वान्छति न शोचति ॥ ३॥

“સમયે (સમય પર) આવતી,આપત્તિ(દુઃખ) અને સંપત્તિ (ધન) દૈવ (પ્રારબ્ધ)થી જ આવે છે”

--એમ જેણે નિશ્ચય કર્યો છે,તેવો “સંતોષી” અને “શાંત ઇન્દ્રીયોવાળો” મનુષ્ય,

--કશાની “ઈચ્છા” કરતો નથી,તેમ જ કશાનો “શોક” કરતો નથી.(૩)

 

सुखदुःखे जन्ममृत्यू दैवादेवेति निश्चयी । साध्यादर्शी निरायासः कुर्वन्नपि न लिप्यते ॥ ४॥

“સુખ-દુઃખ અને જન્મ-મૃત્યુ, દૈવ (પ્રારબ્ધ) થી જ આવે છે” એમ જેણે નિશ્ચય કર્યો છે,

--અને માત્ર “સાધ્યને” (ઈશ્વરને) જ જોનારો, (માત્ર ઈશ્વર માટેના જ કર્મ કરનારો) મનુષ્ય,

--અનાયાસે આવી પડતાં કર્મ કરતો હોવાં છતાં કર્મથી લેપાતો નથી.(૪)

 

चिन्तया जायते दुःखं नान्यथेहेति निश्चयी । तया हीनः सुखी शान्तः सर्वत्र गलितस्पृहः ॥ ५॥

“આ સંસારમાં બીજી કોઈ રીતે નહિ પણ માત્ર “ચિંતા” થી જ દુઃખ ઉભું થાય છે”

--એમ જેણે નિશ્ચય કર્યો છે,તેવો “ચિંતા વગરનો” અને

--સર્વત્ર “સ્પૃહા વગરનો” (અનાસક્ત) મનુષ્ય સુખી ને શાંત બને છે.(૫)

 

नाहं देहो न मे देहो बोधोऽहमिति निश्चयी । कैवल्यमिव सम्प्राप्तो न स्मरत्यकृतं कृतम् ॥ ६॥

“હું દેહ નથી,દેહ મારો નથી,પણ હું તો કેવળ બોધ-રૂપ (જ્ઞાન-રૂપ-આત્મા-રૂપ) છું”

--એવો જેણે નિશ્ચય કર્યો છે, તેવો “મોક્ષ” ને પ્રાપ્ત થયેલો મનુષ્ય,

--કરેલાં કે ના કરેલાં “કર્મો” ને સંભાળતો નથી (યાદ કરતો નથી) (૬)

 

आब्रह्मस्तम्बपर्यन्तमहमेवेति निश्चयी । निर्विकल्पः शुचिः शान्तः प्राप्ताप्राप्तविनिर्वृतः ॥ ७॥

“બ્રહ્માથી માંડી તૃણ (તરણા) સુધી સર્વમાં “હું” (આત્મા) જ રહ્યો છું”

--એવો જેણે નિશ્ચય કર્યો છે,તેવો મનુષ્ય,”સંકલ્પ વગરનો” “પવિત્ર” અને “શાંત” બને છે,અને,

--તેના માટે જગતમાં કશું પ્રાપ્ત (મેળવવાનું) કે અપ્રાપ્ત (ખોવાનું) રહેતું નથી.   (૭)


नाश्चर्यमिदं विश्वं न किञ्चिदिति निश्चयी । निर्वासनः स्फूर्तिमात्रो न किञ्चिदिव शाम्यति ॥८॥

“આ અનેક આશ્ચર્ય વાળું (ચમત્કાર જેવું) જગત કાંઈ જ નથી (છે જ નહિ)”

--એવો જેણે નિશ્ચય કર્યો છે,તેવો “વાસના વગરનો” અને “ચૈતન્ય રૂપ” મનુષ્ય,

--સંસાર જાણે છે જ નહિ (સંસાર મિથ્યા છે) એમ સમજી ને “શાંત” બને છે.  (૮)  


પ્રકરણ-૧૧-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૬

પ્રકરણ-૧૦

 

                ॥ अष्टावक्र उवाच ॥

विहाय वैरिणं काममर्थं चानर्थसङ्कुलम् । धर्ममप्येतयोर्हेतुं सर्वत्रानादरं कुरु ॥ १॥

અષ્ટાવક્ર કહે છે કે-શત્રુ-રૂપ કામને અને અનર્થથી ભરેલા અર્થ (ધન)ને,

--તેમ જ આ બંનેના કારણ-રૂપ ધર્મને પણ ત્યજી દઈ,

--સર્વત્ર (તેમનો એટલે કે સર્વ કર્મોનો) અનાદર કર. (૧)

 

स्वप्नेन्द्रजालवत् पश्य दिनानि त्रीणि पञ्च वा । मित्रक्षेत्रधनागारदारदायादिसम्पदः ॥ २॥

મિત્ર,જમીન,ધન,ઘર,સ્ત્રી,પુત્ર,સગાંસંબધી  વગેરેને ,તું,

--તે બધાં સ્વપ્ન કે ઇન્દ્રજાલ (જાદુગીરી)ની જેમ માત્ર ત્રણ કે પાંચ દિવસ માટેનાં જ છે,તેમ જો. (૨)

 

यत्र यत्र भवेत्तृष्णा संसारं विद्धि तत्र वै । प्रौढवैराग्यमाश्रित्य वीततृष्णः सुखी भव ॥ ३॥

જ્યાં જ્યાં તૃષ્ણા છે,ત્યાં સંસાર (બંધન) છે,એમ સમજ.માટે,

--બળવાન વૈરાગ્યનો આશરો લઇને તૃષ્ણા વગરનો થઇ સુખી થા. (૩)

 

तृष्णामात्रात्मको बन्धस्तन्नाशो मोक्ष उच्यते । भवासंसक्तिमात्रेण प्राप्तितुष्टिर्मुहुर्मुहुः ॥ ४॥

તૃષ્ણા એ બંધનનું સ્વ-રૂપ છે,અને તૃષ્ણાનો નાશ એ જ મોક્ષ છે.

--સંસાર પ્રત્યેની અનાસક્તિ માત્રથી જ વારંવાર આત્માની પ્રાપ્તિ અને તૃપ્તિ થાય છે. (૪)

 

त्वमेकश्चेतनः शुद्धो जडं विश्वमसत्तथा । अविद्यापि न किञ्चित्सा का बुभुत्सा तथापि ते ॥ ५॥

તું એક શુદ્ધ અને ચેતન (આત્મા) છે અને જગત જડ અને અસત્ છે,

--જે અવિદ્યા (અજ્ઞાન) કરીને કહેવાય છે તે પણ કાંઇ નથી (એટલે કે અસત્ છે) તો પછી,

--કાંઇ જાણવાની (કે બનવાની) ઈચ્છા તને કેમ હોઈ શકે ? (૫)

 

राज्यं सुताः कलत्राणि शरीराणि सुखानि च । संसक्तस्यापि नष्टानि तव जन्मनि जन्मनि ॥ ६॥

રાજ્ય,પુત્રો,પત્નીઓ,શરીરો અને સુખોમાં તું આસક્ત હતો,

--છતાં પણ જન્મો-જન્મમાં તે બધાં નાશ પામી ગયાં હતા જ (૬)

 

अलमर्थेन कामेन सुकृतेनापि कर्मणा । एभ्यः संसारकान्तारे न विश्रान्तमभून् मनः ॥ ७॥

અર્થ,કામ અને સુકૃત કર્મો પણ હવે બસ થયાં,આ બધાંથી પણ,

--સંસાર-રૂપ વનમાં (તારું) મન શાંત થયું નહિ.(૭)

 

कृतं न कति जन्मानि कायेन मनसा गिरा । दुःखमायासदं कर्म तदद्याप्युपरम्यताम् ॥ ८॥

કેટલાયે જન્મોમાં તેં શરીર,મન અને વાચા વડે,પરિશ્રમ આપવાવાળાં

--દુઃખ દાયક કર્મો કર્યા છે,તો હવે તો શાંત થા !!!   (૮) 


પ્રકરણ-૧૦-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૫

પ્રકરણ-૯

 

॥ अष्टावक्र उवाच ॥

कृताकृते च द्वन्द्वानि कदा शान्तानि कस्य वा । एवं ज्ञात्वेह निर्वेदाद् भव त्यागपरोऽव्रती ॥ १॥

અષ્ટાવક્ર કહે છે-કે-કૃત (કરવા જેવાં) અને અકૃત (નહિ કરવા જેવા) કર્મો,તેમજ,

--સુખ-દુઃખ જેવા દ્વંદો,કોનાં અને ક્યારે શાંત થયાં છે? આવું જાણીને

--આ સંસારમાં વૈરાગ્યશીલ થઈને,વ્રત-કર્મ વગરનો અને ત્યાગ-પરાયણ થા (૧)

 

कस्यापि तात धन्यस्य लोकचेष्टावलोकनात् । जीवितेच्छा बुभुक्षा च बुभुत्सोपशमः गताः ॥ २॥

જગતના લોકોનાં વર્તન (લોકચેષ્ટા)ના અવલોકન વડે,કોઈક “ધન્ય-પુરુષ” (મહાત્મા) જ,

--જીવન જીવવાની,જીવન ભોગવવાની,કે જીવનમાં કંઇક બનવાની “ઈચ્છા”—પ્રત્યે,

--“વૈરાગ્ય” ને પેદા કરીને શાંત બને છે.(૨)

 

अनित्यं सर्वमेवेदं तापत्रितयदूषितम् । असारं निन्दितं हेयमिति निश्चित्य शाम्यति ॥ ३॥

આ બધું દૃશ્ય જગત- અનિત્ય,ત્રિવિધ તાપ (આધ્યાત્મિક,આધિદૈવિક,આધિભૌતિક)થી દોષયુક્ત,

--સાર વગરનું,નિંદવા-યોગ્ય અને ત્યાજ્ય (ત્યાગ કરવા જેવું) છે,

--એમ નિશ્ચય કરી ને તે “ધન્ય-પુરુષ” (મહાત્મા) શાંત બને છે.(૩)

 

कोऽसौ कालो वयः किं वा यत्र द्वन्द्वानि नो नृणाम् । तान्युपेक्ष्य यथाप्राप्तवर्ती सिद्धिमवाप्नुयात् ॥ ४॥

જીવનમાં (સંસારમાં) એવો કોઈ કાળ (સમય) કે જીવનની એવી કોઈ અવસ્થા નથી કે જ્યાં મનુષ્યને.

--સુખ-દુઃખ વગેરે જેવા દ્વંદોનો સામનો કરવો પડતો ના હોય, એટલે જ,

--યથાપ્રાપ્ત (જે મળી જાય તે) વસ્તુઓમાં વર્તવાવાળો મનુષ્ય સિદ્ધિ (મોક્ષ)ને પામે છે.(૪)

 

नाना मतं महर्षीणां साधूनां योगिनां तथा । दृष्ट्वा निर्वेदमापन्नः को न शाम्यति मानवः ॥ ५॥

મહર્ષિઓના,સાધુઓના અને યોગીઓના જુદા જુદા પ્રકારના મતોને સાંભળી,

--વૈરાગ્યને પામેલ કયો મનુષ્ય શાંત થતો નથી? (એટલે કે મનુષ્ય શાંત થાય છે) (૫)

 

कृत्वा मूर्तिपरिज्ञानं चैतन्यस्य न किं गुरुः । निर्वेदसमतायुक्त्या यस्तारयति संसृतेः ॥ ६॥

વૈરાગ્ય,સમત્વ અને યુક્તિ (યોગ વગેરે) દ્વારા,“ચૈતન્ય” ના “સ્વ-રૂપ” નું જ્ઞાન પ્રાપ્ત કરી,

જે પોતાને સંસારમાંથી તારે છે, (મુક્ત બને છે),

--તે શું પોતે જ પોતાનો ગુરૂ નથી ? (અથવા –શું તેને બીજા ગુરુની જરૂર પડે ?) (૬)

 

पश्य भूतविकारांस्त्वं भूतमात्रान् यथार्थतः । तत्क्षणाद् बन्धनिर्मुक्तः स्वरूपस्थो भविष्यसि ॥ ७॥

તું ભૂતો (જીવો) ના વિકારો (દેહ,ઇન્દ્રિયો વગેરેના કાર્યો) ને યથાર્થ (વાસ્તવિક) રીતે,

--તે જ જીવોમાં દેખ.(તેમ કરવાથી તે વિકારો થી ઉદ્ભવતી બંધનાત્મ્ક અશાંતિ,અસારતા તને દેખાશે)

--(ને આમ તું કરીશ ત્યારે) તે ક્ષણે જ તું બંધનમાંથી મુક્ત બની સ્વ-રૂપમાં સ્થિર બનીશ. (૭)

 

वासना एव संसार इति सर्वा विमुञ्च ताः । तत्त्यागो वासनात्यागात्स्थितिरद्य यथा तथा ॥ ८॥

વાસનાઓ જ સંસાર (બંધન) છે,તેથી તે બધી વાસનાઓનો ત્યાગ કર,

--વાસનાઓના ત્યાગથી,સંસારનો (બંધન નો) પણ ત્યાગ થઇ જશે,અને,

--જે સ્થિતિ (પરમપદની-મુક્તિની) થવી જોઈએ તે આજે જ (હાલ જ) થઇ જશે. (૮) 


પ્રકરણ-૯-સમાપ્ત 



      PREVIOUS PAGE
     NEXT PAGE