Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૦

પ્રકરણ-૪


 ॥ जनक उवाच ॥ 

हन्तात्मज्ञानस्य धीरस्य खेलतो भोगलीलया । न हि संसारवाहीकैर्मूढैः सह समानता ॥ १॥

જનક કહે છે-અહો, ભોગ-રૂપ “લીલા” કરતા,(ભોગ પ્રત્યે અનાસકત રહી ભોગ ભોગવતા)

એવા--ધીર,આત્મજ્ઞાની પુરુષની સાથે

--સંસારી (સંસારમાં ઓતપ્રોત-આસક્ત થયેલા) મૂઢ મનુષ્યની કોઈ સમાનતા છે જ નહિ.(૧)

 

यत् पदं प्रेप्सवो दीनाः शक्राद्याः सर्वदेवताः । अहो तत्र स्थितो योगी न हर्षमुपगच्छति ॥ २॥

જે પદ (આત્મ-પદ)ની ઈચ્છા કરતા ઇન્દ્ર વગેરે દેવો,તે પદની પ્રાપ્તિ ના થતાં,

--દીનતાને પ્રાપ્ત કરે છે,શોકાતુર બને છે,ત્યારે

--તે આત્મ-પદમાં સ્થિર થયેલો યોગી હર્ષ પણ પામતો નથી,તે આશ્ચર્ય છે.(૨)

 

तज्ज्ञस्य पुण्यपापाभ्यां स्पर्शो ह्यन्तर्न जायते । न ह्याकाशस्य धूमेन दृश्यमानापि सङ्गतिः ॥ ३॥

એ આત્મ-પદને જાણનારને તેના અંતઃકરણમાં પુણ્ય કે પાપનો સ્પર્શ થતો નથી,

--જેમ આકાશમાં ધુમાડો દેખાય પણ આકાશને વાસ્તવિક રીતે ધુમાડાનો સ્પર્શ થતો નથી તેમ (૩)

 

आत्मैवेदं जगत्सर्वं ज्ञातं येन महात्मना । यदृच्छया वर्तमानं तं निषेद्धुं क्षमेत कः ॥ ४॥

આ સમસ્ત જગત “આત્મ-રૂપ” છે,એમ જેણે જાણ્યું છે,તેવા મહાત્માની સહજ-ક્રિયાઓમાં (સહજ કર્મોમાં)

--વિધિ-નિષેધ રૂપ બંધનો (આ કર્મ થાય કે આ કર્મ ના થાય તેવો) અમલ કોણ કરાવી શકે ? (૪)

 

आब्रह्मस्तम्बपर्यन्ते भूतग्रामे चतुर्विधे । विज्ञस्यैव हि सामर्थ्यमिच्छानिच्छाविवर्जने ॥ ५॥

બ્રહ્માથી માંડી તૃણ (તરણા) સુધીની  અને ચારે પ્રકારની જીવજાતિઓમાં (અંડજ,સ્વેદજ-વગેરેમાં)

--માત્ર જ્ઞાની જ ઈચ્છા અને અનિચ્છાને દૂર હટાવવામાં સમર્થ છે.(૫)

 

आत्मानमद्वयं कश्चिज्जानाति जगदीश्वरम् । यद् वेत्ति तत्स कुरुते न भयं तस्य कुत्रचित् ॥ ६॥

આ જગતમાં કોઈક જ પોતાના “આત્મા” ને અને “પરમાત્મા” ને એકરૂપ (અદ્વૈત) જાણે છે,(અનુભવે છે),

--અને એ જે જાણે છે,તેને જ જે આચરણમાં મૂકે છે તેને કશેથી પણ ભય આવતો નથી.(૬)

 

પ્રકરણ-૪-સમાપ્ત 



      PREVIOUS PAGE
     NEXT PAGE


Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૯

इहामुत्र विरक्तस्य नित्यानित्यविवेकिनः । आश्चर्यं मोक्षकामस्य मोक्षाद् एव विभीषिका ॥ ८॥

આ લોક અને પરલોક પ્રત્યે વિરક્ત,--નિત્ય અને અનિત્ય વસ્તુના ભેદને સમજનાર,અને 

મોક્ષની ઈચ્છા રાખનાર,-- મનુષ્યને જો,મોક્ષથી જ ભય લાગે,તો,તે આશ્ચર્ય છે.(૮)

 

धीरस्तु भोज्यमानोऽपि पीड्यमानोऽपि सर्वदा । आत्मानं केवलं पश्यन् न तुष्यति न कुप्यति ॥ ९॥

ધીર મનુષ્ય,ભોગો ભોગવવા છતાં અને ભોગો ભોગવવાથી પીડાયુક્ત બનતો હોવા છતાં,પણ

--તે હંમેશના માટે  કેવળ “આત્મા” ને જોતો હોય છે,એટલે,તે,

--નથી “પ્રસન્ન”(હર્ષમય) થતો કે નથી “કોપિત” (ક્રોધી કે ગુસ્સે) થતો.(૯)

 

चेष्टमानं शरीरं स्वं पश्यत्यन्यशरीरवत् । संस्तवे चापि निन्दायां कथं क्षुभ्येत् महाशयः ॥ १०॥

જે મનુષ્ય,પોતાના પ્રવૃત્તિ યુક્ત (પ્રવૃત્તિ કરતા)  શરીરને,

--કોઈ બીજાના જ શરીરની જેમ જુએ છે,(પોતાનું શરીર પ્રવૃત્તિ કરતુ નથી તેમ જુએ છે)

--એવો મહાત્મા પુરુષ “સ્તુતિ” થી (વખાણથી) કે નિંદાથી કેવી રીતે ક્ષોભ પામે? (૧૦)

 

मायामात्रमिदं विश्वं पश्यन् विगतकौतुकः । अपि सन्निहिते मृत्यौ कथं त्रस्यति धीरधीः ॥ ११॥

આ સમસ્ત જગત,એ ’માયા માત્ર” છે (સર્વ,માત્ર માયા જ છે) એમ સમજીને જગતને જોનારને,

--જગતની કોઈ કુતુહુલતા રહેતી નથી,તેથી તેની બુદ્ધિ શાંત થઇ છે,અને તેવા મનુષ્યને,

--જો મૃત્યુ પાસે આવે,તો પણ તે મૃત્યુ,તેને કેવી રીતે ત્રાસ આપે ?(૧૧)

 

निःस्पृहं मानसं यस्य नैराश्येऽपि महात्मनः । तस्यात्मज्ञानतृप्तस्य तुलना केन जायते ॥ १२॥

જે મહાત્માનું મન નિરાશાના પ્રસંગે પણ,--તદ્દન નિસ્પૃહ (અનાસક્ત) રહે છે,તેવા,

--આત્મજ્ઞાનથી સંતુષ્ટ મહાપુરુષની તુલના કોની સાથે થઇ શકે ?(૧૨)

 

स्वभावाद् एव जानानो दृश्यमेतन्न किञ्चन । इदं ग्राह्यमिदं त्याज्यं स किं पश्यति धीरधीः ॥ १३॥

આ દૃશ્ય-જગત,સ્વ-ભાવથી કંઈ જ નથી,(જગત મિથ્યા છે) –એમ જાણનાર,

--એ શાંત બુદ્ધિવાળો મનુષ્ય શું એમ જુએ છે કે –

--આ ગ્રહણ (લેવા) કરવા યોગ્ય છે કે આ ત્યાગવા યોગ્ય છે? (૧૩)

 

अन्तस्त्यक्तकषायस्य निर्द्वन्द्वस्य निराशिषः । यदृच्छयागतो भोगो न दुःखाय न तुष्टये ॥ १४॥

વિષય-વાસના-રૂપ-મળનો (ગંદકીનો) જેણે અંતઃકરણથી ત્યાગ કરેલો છે,

--જે દ્વંદ (સુખ-દુઃખ વગેરે) અને આશા વગરનો થયો છે,તેના જીવનમાં સહજ-પણે આવતા ભોગોથી,

--તે નથી હર્ષ પામતો કે નથી દુઃખી થતો (૧૪)


પ્રકરણ -૩-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૮

પ્રકરણ-૩


॥ अष्टावक्र उवाच ॥

अविनाशिनमात्मानमेकं विज्ञाय तत्त्वतः । तवात्मज्ञानस्य धीरस्य कथमर्थार्जने रतिः ॥ १॥

અષ્ટાવક્ર બોલ્યા-આત્માને વાસ્તવિક રીતે એક (અદ્વૈત) અને અવિનાશી જાણ્યા પછી,

--આત્મજ્ઞ (આત્માને જાણનાર)અને ધીર એવા તને,ધનની પ્રાપ્તિ કરવા પ્રત્યે પ્રીતિ કેમ થાય છે? (૧)

 

आत्माज्ञानादहो प्रीतिर्विषयभ्रमगोचरे । शुक्तेरज्ञानतो लोभो यथा रजतविभ्रमे ॥ २॥

અહો,જેમ છીપના અજ્ઞાનથી-ભ્રમથી (ભ્રમથી છીપલા પર ચાંદી દેખાય છે-પણ તે ચાંદી નથી)

--તેના પર દેખાતી ચાંદી કાઢી લેવાનો લોભ (પ્રીતિ) ઉપજે છે, તેમ

--“આત્મા”ના અજ્ઞાનથી વિષયો-રૂપ ભ્રમાત્મક (ભ્રમવાળી) વસ્તુમાં (ધન-વગેરેમાં) પ્રીતિ થાય છે (૨)

 

विश्वं स्फुरति यत्रेदं तरङ्गा इव सागरे । सोऽहमस्मीति विज्ञाय किं दीन इव धावसि ॥ ३॥

જે આત્મામાં,જગત,એ સમુદ્રના તરંગની જેમ સ્ફૂરે છે,ને સમુદ્રના તરંગો અનિત્ય-અસ્થાયી જ છે,તેમ,

--તે આત્મા,જો “હું” જ છું,ને આ જગત એ તરંગો છે-અનિત્ય છે-એમ જાણ્યા પછી પણ,

--તું પામર (દીન-મૂર્ખ) મનુષ્યની જેમ શા માટે દોડાદોડ કરે છે ?(૩)

 

श्रुत्वापि शुद्धचैतन्य आत्मानमतिसुन्दरम् । उपस्थेऽत्यन्तसंसक्तो मालिन्यमधिगच्छति ॥ ४॥

આત્માને શુદ્ધ “ચૈતન્ય-રૂપ” અને “અત્યંત સુંદર” જાણવા છતાં,

--જે મનુષ્ય વિષયોમાં (સ્વાદ-વગેરેમાં) આસકત બને છે,તે મલિનતાને જ પામે છે.(૪)

 

सर्वभूतेषु चात्मानं सर्वभूतानि चात्मनि । मुनेर्जानत आश्चर्यं ममत्वमनुवर्तते ॥ ५॥

પોતાના આત્માને સર્વ ભૂતોમાં (જીવોમાં) અને --સર્વ જીવોને પોતાના આત્મામાં જાણનાર,

મુનિઓમાં પણ --જો,મમત્વ (હું-મારું) ચાલુ રહે –તો તે આશ્ચર્ય છે.(૫)

 

आस्थितः परमाद्वैतं मोक्षार्थेऽपि व्यवस्थितः । आश्चर्यं कामवशगो विकलः केलिशिक्षया ॥ ६॥

પરમ અદ્વૈતમાં સ્થિર થયેલો અને મોક્ષને માટે પ્રયાસ કરતો મનુષ્ય પણ,જો,મનમાં રહેલી,

સૂક્ષ્મ વાસનાઓને આધીન થઇ,વ્યાકુળ બની,--જો, કામને વશ થાય તો,તે આશ્ચર્ય છે.(૬)

 

उद्भूतं ज्ञानदुर्मित्रमवधार्यातिदुर्बलः । आश्चर्यं काममाकाङ्क्षेत् कालमन्तमनुश्रितः ॥ ७॥

યોગથી ઉત્પન્ન થયેલા “જ્ઞાન” ના શત્રુને (વાસનાઓ-વિષયભોગને) જાણતો હોવા છતાં,

--અંતકાળને પ્રાપ્ત થયેલો મનુષ્ય અતિ દુર્બળ બની,જો,વિષયભોગની ઈચ્છા કરે,તો તે આશ્ચર્ય છે.(૭)



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૭

नाहं देहो न मे देहो जीवो नाहमहं हि चित् । अयमेव हि मे बन्ध आसीद्या जीविते स्पृहा ॥२२॥

હું દેહ (શરીર) નથી,તે જ રીતે દેહ એ મારો નથી,અને હું જીવ (મનુષ્ય) પણ નથી,

--કારણ કે હું શુદ્ધ “ચૈતન્ય” છું.

--જીવન પ્રત્યે જીવવાની જે ઈચ્છા (સ્પૃહા) હતી તે જ મારા માટે બંધન હતું (૨૨)



अहो भुवनकल्लोलैर्विचित्रैर्द्राक् समुत्थितम् । मय्यनन्तमहाम्भोधौ चित्तवाते समुद्यते ॥२३॥

અહો,અનત મહાસાગર-રૂપ મારામાં ચિત્ત-રૂપી (મન-રૂપી) વાયુ (પવન) વાતાં,

--જગત-રૂપ (જગતના જેવા) વિચિત્ર તરંગો ઓચિંતા ઉઠયા  (૨૩)

 

मय्यनन्तमहाम्भोधौ चित्तवाते प्रशाम्यति । अभाग्याज्जीववणिजो जगत्पोतो विनश्वरः ॥२४॥

અનંત મહાસાગર-રૂપ મારામાં ચિત્તરૂપ (મન-રૂપ) વાયુ શાંત બની જતાં,

--જીવ-રૂપ (મનુષ્ય-રૂપ) વેપારીનું જગત-રૂપ વહાણ કમનસીબે ભાગી ગયું.(૨૪)

 

मय्यनन्तमहाम्भोधावाश्चर्यं जीववीचयः । उद्यन्ति घ्नन्ति खेलन्ति प्रविशन्ति स्वभावतः ॥२५॥

આ આશ્ચર્યની વાત છે-કે-અનંત મહાસાગર-રૂપ મારામાં

--જીવ (જીવાત્મા)રૂપ (અને જગત-રૂપ) મોજાંઓ આપોઆપ જ ઉત્પન્ન થાય છે,

--અથડાય છે,રમે છે અને છેવટે લય (નાશ) પામે છે.(૨૫)

 

પ્રકરણ-૨-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE



Oct 31, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૬

ज्ञानं ज्ञेयं तथा ज्ञाता त्रितयं नास्ति वास्तवम् । अज्ञानाद् भाति यत्रेदं सोऽहमस्मि निरञ्जनः ॥१५॥

જ્ઞેય (જે જાણવાનું છે તે-ઈશ્વર),જ્ઞાતા (જાણનાર) અને જ્ઞાન(સત્યનું જ્ઞાન),એ ત્રિપુટી,

--જ્યાં આગળ વાસ્તવિક રીતે નથી (ત્રણે જુદી નથી),પરંતુ અજ્ઞાનને લીધે તે ભાસે છે,

--(પણ સત્યનું જે જ્ઞાન છે) તે નિરાકાર,નિરંજન (અદ્વૈત) તે “હું” (આત્મા) છું.(૧૫)

 

द्वैतमूलमहो दुःखं नान्यत्तस्याऽस्ति भेषजम् । दृश्यमेतन् मृषा सर्वमेकोऽहं चिद्रसोमलः ॥१६॥

અહો,જે દ્વૈતથી ઉત્પન્ન થતું દુઃખ છે,તેનું સત્યજ્ઞાન સિવાય કોઈ ઓસડ (દવા) નથી,

--આ સમસ્ત દૃશ્ય-પ્રપંચ (જગત=દ્વૈત=ઉપાધિ) મિથ્યા છે,અને માત્ર,

--“હું” એક (અદ્વૈત) અને શુદ્ધ “ચૈતન્ય” રસ (આત્મા) છું. (૧૬)

 

बोधमात्रोऽहमज्ञानाद् उपाधिः कल्पितो मया । एवं विमृशतो नित्यं निर्विकल्पे स्थितिर्मम ॥१७॥

“હું” કેવળ બોધ-રૂપ (જ્ઞાન-રૂપ) જ છું,પરંતુ,

--“મેં કેવળ અજ્ઞાનથી જ આ ઉપાધિ (દૃશ્ય પ્રપંચ=જગત=દ્વૈત)ની કલ્પના કરી છે”

--આવો નિત્ય વિચાર કરતાં કરતાં,નિર્વિકલ્પ(સમાધિ)-અવસ્થામાં જ મારી સ્થિતિ થઇ ગઈ છે (૧૭)

 

मे बन्धोऽस्ति मोक्षो वा भ्रान्तिः शान्तो निराश्रया । अहो मयि स्थितं विश्वं वस्तुतो न मयि स्थितम् ॥१८॥

અહો,મારામાં રહેલું વિશ્વ ખરું જોતાં મારામાં રહેલું જ નથી,

--મને બંધન પણ નથી અને મોક્ષ પણ નથી,અને હવે,

--કોઈ પણ આધાર (આશ્રય) વિના ઉભી થઇ ગયેલી “જગત-રૂપ ભ્રાંતિ” (ભ્રમ) શાંત થઇ ગઈ છે (૧૮)

 

सशरीरमिदं विश्वं न किञ्चिदिति निश्चितम् । शुद्धचिन्मात्र आत्मा च तत्कस्मिन् कल्पनाधुना ॥१९॥

શરીર સાથે આ વિશ્વને (જગતને) કશું લાગતું વળગતું નથી,

--(કારણ શરીરમાં રહેલો) આત્મા તો શુદ્ધ “ચૈતન્ય” માત્ર જ છે,તો પછી,

--જગતની કલ્પના શામાં કરવી ? (જગત મિથ્યા છે)(૧૯)

 

शरीरं स्वर्गनरकौ बन्धमोक्षौ भयं तथा । कल्पनामात्रमेवैतत् किं मे कार्यं चिदात्मनः ॥ २०॥

શરીર-જગત,બંધન-મોક્ષ,સ્વર્ગ-નરક,ભય-

--એ બધું કલ્પના માત્ર જ છે, તો તેની સાથે,

--“હું” કે જે “ચિદાત્મા-રૂપ”(આત્મા-રૂપ)  છું,તેને (તે બધા સાથે) શો સંબંધ? (૨૦)

 

अहो जनसमूहेऽपि न द्वैतं पश्यतो मम । अरण्यमिव संवृत्तं क्व रतिं करवाण्यहम् ॥२१॥

અહો, (આ રીતે) આ સમસ્ત જગતના જન-સમુદાયમાં (મનુષ્યોમાં) પણ,

--હવે મને “દ્વૈત” દેખાતું નથી (હું દ્વૈત જોતો નથી-સર્વ જગ્યાએ એક પરમાત્મા દેખાય છે) એટલે,

--મારા માટે તે બધું (જન-સમુદાય) જંગલ જેવું થઇ ગયું છે,તો પછી હું શામાં આસક્તિ રાખું?(૨૧)



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૫

प्रकाशो मे निजं रूपं नातिरिक्तोऽस्म्यहं ततः । यदा प्रकाशते विश्वं तदाहं भास एव हि ॥८॥

પ્રકાશ (જ્ઞાન) એ જ “મારું પોતાનું સ્વ-રૂપ છે”  જેથી “હું” પ્રકાશથી જુદો છું જ નહિ,

--એટલે જગત જયારે પ્રકાશે (ભાસે) છે,ત્યારે “હું” (આત્મા) જ જગત રૂપે ભાસે છે.(૮)

 

अहो विकल्पितं विश्वमज्ञानान्मयि भासते । रूप्यं शुक्तौ फणी रज्जौ वारि सूर्यकरे यथा ॥९॥

જેમ,અજ્ઞાનને લીધે છીપલામાં ચાંદી ભાસે (દેખાય) છે, દોરડામાં સર્પ ભાસે છે,અને

--સૂર્યના કિરણોમાં જેમ  મૃગ-જળ ભાસે છે, તેમ,

--અજ્ઞાનથી જ કલ્પાયેલું જગત મારામાં (“હું” માં) ભાસે છે.(૯)

 

मत्तो विनिर्गतं विश्वं मय्येव लयमेष्यति । मृदि कुम्भो जले वीचिः  कनके कटकं यथा ॥१०॥

જેમ,માટીમાંથી બનેલો ઘડો માટીમાં, પાણીમાંથી ઉપજેલો તરંગ પાણીમાં અને,

--સોનામાંથી બનેલું કડું સોનામાં જ લય પામે છે (મળી જાય છે) તેમ,

--મારામાંથી (આત્મામાંથી) ઉદ્ભવ પામેલું જગત મારામાં જ (આત્મામાં જ) લય પામે છે.(૧૦)

 

अहो अहं नमो मह्यं विनाशो यस्य नास्ति मे । ब्रह्मादिस्तम्बपर्यन्तं जगन्नाशोऽपि तिष्ठतः ॥११॥

બ્રહ્માથી માંડીને તરણા (તૃણ) સુધીના જગતનો નાશ થાય છે પણ,

--“હું” (આત્મા) નો વિનાશ થતો નથી,તેવા

--આત્માને નમસ્કાર કરું છું, અહો,તે આત્મા કેટલો આશ્ચર્ય સભર છે ?!!  (૧૧)


अहो अहं नमो मह्यमेकोऽहं देहवानपि । क्वचिन्न गन्ता नागन्ता व्याप्य विश्वमवस्थितः ॥१२॥

અહો,હું મને એટલે કે મારામાં જ રહેલા “હું” (આત્મા) ને નમન કરું છું,

--હું દેહધારી હોવા છતાં “એક” જ છું (હું અને આત્મા એક જ છું),

--જે આત્મા,નથી કશે જતો કે નથી કશે આવતો,પરંતુ હું જગતને વ્યાપીને રહ્યો છે.(૧૨)

 

अहो अहं नमो मह्यं दक्षो नास्तीह मत्समः । असंस्पृश्य शरीरेण येन विश्वं चिरं धृतम् ॥१३॥

અહો, હું, મને એટલે કે મારામાં રહેલા “હું” (આત્મા) ને વંદન કરું છું,

--મારા (મારા આત્મા) જેવો કોઈ ચતુર નથી કે જેના વડે (જે આત્મા વડે)

--આ શરીર સાથે સંસર્ગ સાધ્યા વિના પણ આ વિશ્વ ચિરકાલથી ધારણ કરાયું છે (૧૩)


अहो अहं नमो मह्यं यस्य मे नास्ति किञ्चन । अथवा यस्य मे सर्वं यद् वाङ्मनसगोचरम् ॥१४॥ 

અહો, હું મને એટલે કે મારામાં રહેલા “હું” (અહં-આત્મા) ને નમસ્કાર કરું છું,

--જે “મારા” માં (આત્મામાં)  કાંઇ જ (કશુંય) નથી,અને (છતાં ય પણ)

--તે “મારા”માં (આત્મામાં) મન અને વાણી જેવા વિષયોરૂપ બધું યે છે (પણ ખરું) !! (૧૪)



      PREVIOUS PAGE
     NEXT PAGE