Oct 31, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૪

પ્રકરણ-૨


॥ जनक उवाच ॥

अहो निरञ्जनः शान्तो बोधोऽहं प्रकृतेः परः । एतावन्तमहं कालं मोहेनैव विडम्बितः ॥१॥

જનક કહે છે કે-શું હું નિર્દોષ,શાંત,જ્ઞાનરૂપ,અને પ્રકૃતિથી પર છું ? પણ (અહો)

--આ તો ખરે,આશ્ચર્યની વાત છે કે-આટલા સમય સુધી હું મોહ વડે ઠગાયો છું !!(૧)

 

यथा प्रकाशयाम्येको देहमेनं तथा जगत् । अतो मम जगत्सर्वमथवा न च किञ्चन ॥२॥

જેવી રીતે આ દેહને એક માત્ર “હું” જ (આત્મા તરીકે) પ્રકાશમાન કરું છું,

--તેવી રીતે જગતને પણ “હું” જ (આત્મા=પરમાત્મા –તરીકે) પ્રકાશમાન કરું છું. આથી,

--(આત્મા તરીકે) સમસ્ત જગત મારું છે,અથવા મારું કંઈ નથી (સર્વ પરમાત્માનું છે) (૨)

 

स शरीरमहो विश्वं परित्यज्य मयाधुना । कुतश्चित् कौशलाद् एव परमात्मा विलोक्यते ॥३॥

અહો, જગત એ પરમાત્માથી જુદું ના હોવા છતાં,(જે વાત આજે જ જાણી) પણ,

--આ વાત જ્યાં સુધી જાણી નહોતી ત્યારે તે વખતે જગતને સાચું જ માન્યું હતું.પરંતુ,

--હવે ઉપદેશના જ્ઞાનથી તેનું મિથ્યાત્વ સમજાઈને,આ જગતમાં જ પરમાત્માનું દર્શન થાય (૩)

 

यथा न तोयतो भिन्नास्तरङ्गाः फेनबुद्बुदाः । आत्मनो न तथा भिन्नं विश्वमात्मविनिर्गतम् ॥४॥

જેમ,પાણીમાંથી જ ઉત્પન્ન થયેલા તરંગો,ફીણ અને પરપોટા,એ પાણી થી જુદા નથી,

--તેમ,આત્મામાંથી બહાર નીકળેલું (બનેલું) આ જગત આત્માથી ભિન્ન નથી. (૪)


तन्तुमात्रो भवेद् एव पटो यद्वद् विचारितः । आत्मतन्मात्रमेवेदं तद्वद् विश्वं विचारितम् ॥५॥ 

જેમ,વિચાર કરતાં જણાય છે કે-કપડું એ તાંતણારૂપ (દોરારૂપ) છે એટલે કે,

--તાંતણાથી જ કપડાનું અસ્તિત્વ છે,તાંતણા એ કપડાથી જુદા નથી,તેમ,

--આ જગત પણ આત્માનો જ અંશ છે.જગત આત્માથી જુદું નથી.(૫)


 यथैवेक्षुरसे क्लृप्ता तेन व्याप्तैव शर्करा । तथा विश्वं मयि क्लृप्तं मया व्याप्तं निरन्तरम् ॥६॥

જેમ,શેરડીના રસમાં કલ્પિત રીતે પણ  સાકર તો રહેલી જ છે, અને,

--સાકરમાં શેરડીનો રસ કલ્પિત રીતે વ્યાપ્ત રહેલો જ છે,તેમ,

--આત્મામાં કલ્પાયેલું જગત,આત્મા વડે જ વ્યાપ્ત રહે છે.(૬)


आत्मज्ञानाज्जगद् भाति आत्मज्ञानान्न भासते । रज्ज्वज्ञानादहिर्भाति तज्ज्ञानाद् भासते न हि ॥७॥ 

જેમ,દોરડાના અજ્ઞાનથી જ તે દોરડામાં (અંધારાને લીધે) સર્પનો ભાસ થાય છે,પરંતુ

--દોરડાનું  જ્ઞાન થતા જ (અજવાળું થતાં)  તેમાં સર્પ ભાસતો નથી,તેમ,

--આત્માના (સ્વ-રૂપના) અજ્ઞાનને લીધે જગત ભાસે છે,પણ આત્મજ્ઞાન થતાં જગત ભાસતું નથી (૭)



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૩


निःसङ्गो निष्क्रियोऽसि त्वं स्वप्रकाशो निरञ्जनः । अयमेव हि ते बन्धः समाधिमनुतिष्ठति ॥१५॥

તું અસંગ,અક્રિય (કોઈ પણ ક્રિયા વગરનો),સ્વયંપ્રકાશ અને નિર્દોષ છે.

--તું જે સમાધિ (સમાધિ–વગેરેની ક્રિયા)  કરી રહ્યો છે

--તે જ તારું બંધન છે (કેમ કે આત્મા તો અક્રિય છે) (૧૫)

 

त्वया व्याप्तमिदं विश्वं त्वयि प्रोतं यथार्थतः । शुद्धबुद्धस्वरूपस्त्वं मा गमः क्षुद्रचित्तताम् ॥१६॥

તારા વડે જ આ વિશ્વ વ્યાપ્ત થયેલું છે,અને તારામાં જ આ વિશ્વ વણાયેલું છે,

--ખરી રીતે જોતાં તો તું શુદ્ધ જ્ઞાન-સ્વરૂપ જ છે, માટે

--તારી ક્ષુદ્ર ચિત્તવૃત્તિને (મનથી હું બંધાયેલો છું તેવી ચિત્તવૃત્તિને) વશ ના થા (૧૬)

 

निरपेक्षो निर्विकारो निर्भरः शीतलाशयः । अगाधबुद्धिरक्षुब्धो भव चिन्मात्रवासनः ॥ १७॥

તું કશાની પણ ઈચ્છા વિનાનો,કોઈ પણ જાતના વિકારો વિનાનો,

--શાંત અંતઃકરણ વાળો,અગાધ (ઊંડી) બુદ્ધિવાળો,ક્ષોભ વગરનો. અને

--માત્ર ચૈતન્ય (આત્મા) માં જ નિષ્ઠા (વિશ્વાસ) રાખનારો થા.(૧૭)

 

साकारमनृतं विद्धि निराकारं तु निश्चलम् । एतत्तत्त्वोपदेशेन न पुनर्भवसम्भवः ॥१८॥

તું સાકાર (શરીર-વગેરે) ને ખોટું  માન,અને

--નિરાકાર “તત્વ” (આત્મા-પરમાત્મા) ને નિશ્ચલ માન,

--આ તત્વના જ્ઞાનથી સંસારમાં ફરી જન્મવાનો સંભવ રહેતો નથી.(૧૮)

 

यथैवादर्शमध्यस्थे रूपेऽन्तः परितस्तु सः । तथैवाऽस्मिन् शरीरेऽन्तः परितः परमेश्वरः ॥ १९॥

જેવી રીતે અરીસાની મધ્યમાં પ્રતિબિંબિત થયેલા,

--પ્રતિબિંબના રૂપની અંદર,બહાર,અને ચારે બાજુ માત્ર અરીસો જ રહેલો છે (બીજું કાંઇ નહિ) તેવી રીતે

--આ શરીરમાં પણ અંદર,બહાર અને ચારે બાજુ એ એક માત્ર ચૈતન્ય (ઈશ્વર) જ રહેલું છે.(૧૯)

 

एकं सर्वगतं व्योम बहिरन्तर्यथा घटे । नित्यं निरन्तरं ब्रह्म सर्वभूतगणे तथा ॥ २०॥

જેવી રીતે ઘડામાં રહેલું આકાશ (ઘડાકાશ) અને બહાર રહેલું સર્વવ્યાપક આકાશ (મહાકાશ) એ એક જ છે,

--તેવી રીતે સમસ્ત પ્રાણી માત્રમાં (જીવ માત્રમાં) અંદર (આત્મા રૂપે) અને બહાર,

--નિત્ય,અવિનાશી,બ્રહ્મ (પરમાત્મા) રહેલું છે.(૨૦)

 

પ્રકરણ -૧-સમાપ્ત


      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૨


अहं कर्तेत्यहंमानमहाकृष्णाहिदंशितः । नाहं कर्तेति विश्वासामृतं पीत्वा सुखी भव ॥ ८॥

હું કર્મોનો કર્તા છું (હું –મારું શરીર-કર્મોનો કરનાર છે) એવા

--“અહં-ભાવ” રૂપી મોટા કાળા સર્પના ઝેર વડે વડે દંશિત થયેલો (ડંસાયેલો) તું,

--“હું કર્તા નથી” તે કથન પર વિશ્વાસ રાખી, તેવા વિશ્વાસરૂપી અમૃતને પી ને સુખી થા (૮)

 

एको विशुद्धबोधोऽहमिति निश्चयवह्निना । प्रज्वाल्याज्ञानगहनं वीतशोकः सुखी भव ॥ ९॥

“હું એક “આત્મા” છું (હું શરીર નથી) અને વિશુદ્ધ જ્ઞાનરૂપ છું” એવો નિશ્ચય કરી ને-તે

--“નિશ્ચયરૂપી –અગ્નિ” વડે “અજ્ઞાન-રૂપ- ગહન વન”ને સળગાવી દઈ,તું

--શોક વગરનો (ચિંતા વગરનો) બનીને સુખી થા (૯)

 

यत्र विश्वमिदं भाति कल्पितं रज्जुसर्पवत् । आनन्दपरमानन्दः स बोधस्त्वं सुखं भव ॥ १०॥

જેમ,દોરડામાં,કલ્પનાથી સર્પનો ભાસ થાય છે,તેમ,(સત્ય લાગતું)જગત એક ભાસ છે,તેને તું,

--“હું તો આનંદ-પરમાનંદ જ્ઞાન સ્વ-રૂપ છું” તેવા જ્ઞાનનો અનુભવ કરી,(તે જગતના ભાસને મિટાવી)

--જ્ઞાનના પ્રકાશમય રસ્તા પર સુખપૂર્વક વિહાર કર (૧૦)

 

मुक्ताभिमानी मुक्तो हि बद्धो बद्धाभिमान्यपि । किंवदन्तीह सत्येयं या मतिः सा गतिर्भवेत् ॥११॥

જે પોતાને મુક્ત માને છે-તે મુક્ત છે અને જે પોતાને બંધાયેલો માને છે તે બંધાયેલો છે-

--એવી જગતની કિવદંતી (લોકવાદ) છે તે સાચી છે,

--જેની જેવી મતિ (બુદ્ધિ) તેવી જ તેની ગતિ થાય છે.(૧૧)

 

आत्मा साक्षी विभुः पूर्ण एको मुक्तश्चिदक्रियः । असङ्गो निःस्पृहः शान्तो भ्रमात्संसारवानिव ॥१२॥

આ આત્મા એ સાક્ષી,સર્વવ્યાપક,પૂર્ણ,એક,ચૈતન્યસ્વ-રૂપ,અક્રિય,અસંગ,નિસ્પૃહ અને શાંત (આનંદમય) છે.

--પરંતુ ભ્રમ (અજ્ઞાન-માયા) ને લીધે તે સંસાર-વાળો (શરીર-વાળો) હોય તેમ ભાસે છે.(૧૨)

 

कूटस्थं बोधमद्वैतमात्मानं परिभावय । आभासोऽहं भ्रमं मुक्त्वा भावं बाह्यमथान्तरम् ॥१३॥

“હું આભાસાત્મક (હું શરીર છું તેવો આભાસ) છું” એવા ભ્રમને અને,

--બાહ્ય તેમજ અંદરના ભાવો ને (સુખ-દુઃખ-વગેરે) છોડીને,

--પર્વતના જેવા અચળ થઈને (કૂટસ્થ)-તું,અચળ,જ્ઞાનરૂપ,અદ્વૈતરૂપ –આત્માનો જ વિચાર કર.(૧૩)

 

देहाभिमानपाशेन चिरं बद्धोऽसि पुत्रक । बोधोऽहं ज्ञानखड्गेन तन्निकृत्य सुखी भव ॥१४॥

હે પુત્ર, દેહાધ્યાસ રૂપી (હું શરીર છું-તેવા) બંધન વડે લાંબા સમયથી તું બંધાયો છે,

--તે પાશને (બંધનને) “હું જ્ઞાન-રૂપ છું” એવા

--“જ્ઞાન-રૂપી” ખડગ (તલવાર) વડે છેદી (કાપી) નાખી તું સુખી થા.(૧૪)


      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે--૦૧


પ્રકરણ-૧


॥ जनक उवाच ॥

कथं ज्ञानमवाप्नोति कथं मुक्तिर्भविष्यति । वैराग्यं च कथं प्राप्तमेतद् ब्रूहि मम प्रभो ॥१॥ 

જનકરાજા,અષ્ટાવક્ર મુનિને પ્રશ્ન કરે છે –--મુક્તિ કેવી રીતે મળે?

--જ્ઞાન અને વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય?  (૧)


॥ अष्टावक्र उवाच ॥

मुक्तिमिच्छसि चेत्तात विषयान् विषवत्त्यज । क्षमार्जवदयातोषसत्यं पीयूषवद् भज ॥२॥ 

અષ્ટાવક્ર મુનિ જવાબ આપતાં કહે છે કે-રાજન,જો તું મુક્તિને ઈચ્છતો હોય તો-

--વિષયોને (ઇન્દ્રિયોના વિષયોને) વિષ (ઝેર) જેવા સમજી ને છોડી દે.અને

--ક્ષમા,સરળતા,દયા,સંતોષ અને સત્યનું અમૃતની જેમ સેવન કર (૨)

 

न पृथ्वी न जलं नाग्निर्न वायुर्द्यौर्न वा भवान् । एषां साक्षिणमात्मानं चिद्रूपं विद्धि मुक्तये ॥ ३॥

તું પંચમહાભૂત (પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ,આકાશ) નથી કે

--તું પંચમહાભૂતથી બનેલું શરીર પણ નથી,(તું વિશુદ્ધ આત્મા છે) તેથી  

--મુક્તિના માટે આ બધાના સાક્ષી-રૂપ (તારામાં) રહેલા આત્માને જાણ (૩)

 

यदि देहं पृथक् कृत्य चिति विश्राम्य तिष्ठसि । अधुनैव सुखी शान्तो बन्धमुक्तो भविष्यसि ॥ ४॥

જો તું આત્માને શરીરથી (દેહથી) છુટો પાડીને--આત્મામાં જ સ્થિર થઇને રહેશે તો-

--હમણાં જ તું સુખી,શાંત અને બંધનથી મુક્ત બનીશ.(તને મુક્તિ મળશે) (૪)


न त्वं विप्रादिको वर्णो नाश्रमी नाक्षगोचरः । असङ्गोऽसि निराकारो विश्वसाक्षी सुखी भव ॥ ५॥ 

તું કોઈ વર્ણ (બ્રાહ્મણ,વૈશ્ય,ક્ષત્રિય,શૂદ્ર) નથી,તું કોઈ આશ્રમી (બ્રહ્મચર્યાશ્રમ-વગેરે) પણ નથી,અને

--તું ઇન્દ્રિયો (આંખ-કાન-વગેરે)થી પામી શકાય તેવો નથી.પણ,

--તું તો “અસંગ”-“નિરાકાર” અને આખા વિશ્વનો “સાક્ષી” છે–એમ વિચારીને સુખી થા (૫)

 

धर्माधर्मौ सुखं दुःखं मानसानि न ते विभो । न कर्तासि न भोक्तासि मुक्त एवासि सर्वदा ॥ ६॥

ધર્મ અને અધર્મ,સુખ અને દુઃખ –તો મનને લાગે છે-તને નહિ,

--તું તો કર્તા (કર્મોનો કરનાર) નથી કે ભોક્તા (ફળનો ભોગવનાર) પણ નથી.

--એટલે તને કોઈ બંધન નથી,--પણ તું તો સદા-સર્વદા (હંમેશ) માટે મુક્ત જ છે.(૬)

 

एको द्रष्टासि सर्वस्य मुक्तप्रायोऽसि सर्वदा । अयमेव हि ते बन्धो द्रष्टारं पश्यसीतरम् ॥७॥

તું સર્વનો એક માત્ર દ્રષ્ટા (સાક્ષી-રૂપે જોનાર) છે,અને તેથી તું સર્વદા મુક્ત જ છે.પણ,

--તું,પોતાને (આત્માને) દ્રષ્ટા તરીકે જોવાને બદલે,બીજાને દ્રષ્ટા તરીકે જુએ છે,

--તે જ તારા બંધનનું કારણ છે (૭)



     NEXT PAGE

Oct 28, 2011

ધર્મ ના નામે અધર્મ




ભારત માં વેદો ,ઉપનિષદો,પુરાણો,ગીતા વગેરે પુસ્તકો  અને ધર્મ અને આત્મબોધ ના જ્ઞાનને
લગતી ઘણી બધી અમૂલ્ય માહિતી હયાત છે.
તેમ છતાં તેના પ્રત્યે લક્ષ્ય અપાતું નથી.!!!

ભૂતકાળ માં લગભગ આવું જ બનેલું હશે.

જયારે જયારે આવી પરિસ્થિતિ સર્જાણી
ત્યારે ત્યારે ધર્મ ના ઓઠા હેઠળ અધર્મ ફાલી ઉઠે છે.

ધર્મ ના નામે --વેદો,પુરાણો અને ગીતાના નામે ---
ધર્મ ઠગો પોતાના લોભ અને લાલચ ઘુસાડી દે છે.

નવા નવા દેવો,દેવીઓ ,વૈભવી મંદિરો અને વૈભવી આશ્રમો ની રચના કરી
વૈભવી જીવન જીવતા લોકો નો એક વર્ગ ઉભો થઇ જાય છે.

સનાતન અને નિત્ય સત્યો નું  "અગ્નિ તેજ" આવ ધર્મ ઠગો નું માધ્યમથી ઢંકાઈ જાય છે.

પ્રજ્વલિત અગ્નિ ના અંગારા પર રાખ જામી જાય છે.

અને લોકો આવા ધર્મ ઠગોના અધર્મૃરૂપી  ધર્મને સાચો માનવા લાગે છે.

આવે વખતે ખૂબ જ વિરલ વ્યક્તિત્વ જેવાકે બુદ્ધ.મહાવીર કે શંકરાચાર્ય જેવા
આવીને અંગારા ની રાખ પર ફુંકો મારી સનાતન સત્યો ના અગ્નિને ફરીથી સ્થાપિત કરે છે.

પણ ફરી પાછું ઉપર બતાવ્યું તેમ જ થોડા ક જ  સમય માં અંગારા પર ફરીથી રાખ વળવી
ચાલુ થાય છે.અને ફરીથી ધર્મઠગો નો લોભ અને લાલચ છવાઈ જાય છે.........

અત્યારે હાલ ની પરિસ્થિતિ પણ આવી જ છે!!

આવે સમયે માનવી માં અસંખ્ય પ્રશ્નો ઉભા થાય છે........

આવા અસંખ્ય પ્રશ્નો ની હારમાળાઓ કંઇક આવી હશે?

--ઈશ્વર ક્યાં છે? ઈશ્વર છે?
   અને જો તે હોય તો દેખાતા કેમ નથી?

--આટઆટલા  જુદા જુદાજુદા ઈશ્વરો કેમ?
  ઈશ્વરના આટઆટલા મંદિરો કેમ?
   શું મંદિરો માં ઈશ્વર વસી શકે? અને જો વસી શકતા હોય તો કયા ઈશ્વર સાચા?
 
--ઈશ્વર પાસે જો આખી દુનિયા નો વૈભવ હોય તો તેને માટે-તેના મંદિર માટે  આટલા ફંડ ફાળા કેમ
  ઉઘરાવવા પડે છે?

--મંદિર માં ઈશ્વરનું અને મંદિરના પુજારીઓ નું આવું વૈભવી જીવન કેમ?

--મંદિરમાં બેઠેલા ઈશ્વરને જોવા જવા ટીકીટ ના પૈસા કેમ?

--ભગવાને આટલી અસમાનતા ઓ પેદા કેમ કરી ?
  કોઈની પાસે અઢળક પૈસા તો કોઈની પાસે ખાવાના સાંસા?

--આવી રીતે જગત ક્યાં સુધી ચાલશે?જગત પેદા કેમ થયું ? અને અન્ત ક્યારે?

--આ પાપ અને પુણ્ય શું છે?તેની કોને રચના કરી?
   પાપી ઓ નું સુખી જીવન અને પુણ્યશાળીઓ નું દુઃખી  જીવન કેમ?

--જો આત્મા અને પરમાત્મા એક જ (અદ્વૈત) હોય તો પછી --
   પાપ અને પુણ્ય ,નીતિ અને અનીતિ,ધર્મ અને અધર્મ એવ ભેદ ને સાચા કેમ માની શકાય?

--આપણી પાસે જે છે તે બીજાને આપી પરોપકાર શું કામ કરવો?

--આપણી પાસે જે વસ્તુ નથી તે જો બીજાની પાસે હોય તો તેને રહેંશીનાખી -મારી નાખી તે વસ્તુ
  શા માટે ના લઇ લેવી?
  જો પૈસાદારો નો પ્રાણ લેવો તે પાપ હોય તો જયારે તેમની સંપતિ આપણા હાથ માં આવે તો
   તે પુણ્ય ના કહેવાય?

--એક પશુ બીજા પશુને મારીને ખાય છે ...અરે માનવી તે પશુ ને મારી ને ખાય છે....
   છતાં આવા જીવો સુખી કેમ હશે?પાપી સુખી કેમ?

--મરણ પછી જો યમદંડ ભોગવવાનો હોય તો અત્યારે તેની શી ચિંતા?
   આપણે મરી જઈએ પછી ફળ ભોગવવા આપણે ક્યોં રહેવાના છીએ?

--આ જન્મ માં આપણને ગયા જન્મ નું કોઈ જ સ્મરણ થતું નથી તો પછી આ
  પુનર્જન્મ નું ચક્કર શું સાચું હશે?

--પુનર્જન્મ ની અત્યારે શું કામ ચિંતા કરવી?મ્રત્યુ ની ચિંતા શું કામ?
  આત્મા ના ઉદ્ધાર ની શું કામ ચિંતા?

--શુભ મુહુર્તો અને શુભ સમય જોઈને થએલા લગ્નો છતાં જગતમાં વિધવા ઓ કે વિધુરો કેમ?
  સંતતિ વગરના આટઆટલા યુગલો કેમ?

આવા આવા અનંત પ્રશ્નો જોઈ ને વધારાના  પ્રશ્ન થયા વગર રહેતા નથી............

કે આવા પ્રશ્નો કેમ ઉભા થાય છે?અને આ પ્રશ્નો નું નું સમાધાન શું?

સત્ય નું અજ્ઞાન (સત્ય જ્ઞાન નો અભાવ) પ્રશ્નો ઉભા કરે છે.

સત્ય નું જ્ઞાન પ્રશ્નો નું સમાધાન કરે છે.અને

આત્મા નું જ્ઞાન --આત્મ "સ્વ-રૂપ" ની ઓળખાણ - એ જ સત્ય જ્ઞાન છે.

સર્વ સુખો નો ભંડાર આ જ્ઞાન છે જેને
આત્મજ્ઞાન કે બ્રહ્મ જ્ઞાન કહી શકાય કેમકે તે બંને એક જ છે.

અને આ જ્ઞાન મેળવવા બહુ આઘાપાછા કે દોડવાની જરૂર નથી......

માત્ર "હું કોણ છું?" તેનો વિચાર કરવાની જરૂર છે.
વિચાર કરીને નિર્ણય લેવાની જરૂર છે.

અને આ નિર્ણય માં સર્વ પ્રશ્નો  અને જવાબો સમાઈ જાય છે--
અને સર્વ પ્રશ્નો અને જવાબ નો નિકાલ થઇ જાય છે.

આપણા આધ્યાત્મ શાસ્ત્રો માં આ સત્ય જ્ઞાન વિષે વર્ણન છે.
એટલે આ શાસ્ત્રો એક સાધન કહી શકાય.

ધર્મ ઠગો એ ઉભું કરેલું કે તેમણે બનાવેલું જ્ઞાન તે સાચું નથી.
માત્ર તેમના ખિસ્સા ભરવા માટે તેમણે જે જ્ઞાન બનાવ્યું છે તે
સત્ય જ્ઞાન કેમ હોઈ શકે?

"સ્વ-ધર્મ" કે જે સાચો ધર્મ છે -સત્ય છે-

તેને બદલે
આ ધર્મ ની ઓઠે --ધર્મ ના નામે-

ધર્મ ઠગો ના -લોભ અને લાલચ ના બનેલ

આવા અત્યારના પ્રચલિત વૈભવી ધર્મો-મંદિરો-ઈશ્વરો -આશ્રમો નો
બનાવેલ ધર્મ -ને

ધર્મ કહેવો કે અધર્મ કહેવો ?????????

અનિલ શુક્લ -૨૦૧૧

Oct 23, 2011

ધર્મ અને અધર્મ


ધર્મ અને અધર્મ
દૈવી સંપત્તિ -આસુરી સંપત્તિ

છાંદોગ્યપનીષદ ના પ્રથમ અધ્યાય ના બીજા ખંડ ના  પહેલાં ષ્લોક માં
કહે છે કે.......

સત્ય નું (શાસ્ત્રોનું )જ્ઞાન અને સત્ય (શાસ્ત્રીય) ક્રિયા ઓ (કર્મો) ના
અનુષ્ઠાન વડે
ઉચ્ચ પણે પ્રકાશિત થયેલી
ઇન્દ્રિયોની વૃત્તિઓ --(દૈવી સંપતિ--ધર્મ )
તે દેવો છે.

તેનાથી વિપરીત(ઉલટી)

વિષયો માં આશક્ત અને જીવન કે શરીર ને પોષવા ની માત્ર
વૃતિઓ --(આસુરી સંપતિ--અધર્મ)
તે અસુરો છે.

આ દેવો અને અસુરો એકબીજા ના વિષયોનું અપહરણ કરવામાં જાગ્રત રહી
નિરંતર સંગ્રામ કરતા રહે છે.

એટલે કે-

વિષય ભોગની -વાસના વાળી ઇન્દ્રીયવૃત્તીઓ (અધર્મ -આસુરી સંપત્તિ )
હમેશા
પરમાત્મા વિષયક વૃત્તિઓનો (ધર્મ--દૈવી સંપત્તિ)
પરાભવ કરવા ઈચ્છે છે.

એવી જ રીતે

પરમાત્મા વિષયક વૃત્તિઓ ,વિષયભોગ -વાસના વાળી વૃત્તિઓ નો
પરાભવ કરવા પ્રયત્ન કરે છે.

------------------------------------------------------------------------------------------

માનવી માં આ ધર્મ-અધર્મ ,દૈવી સંપતિ-આસુરી સંપતિ નું યુદ્ધ સદા એ ચાલતું
હોય છે.અને આશ્ચર્યને વાત એ છે કે સામાન્ય માનવી આને ઓળખી
શકતો નથી.સમજી શકતો નથી.

આ વસ્તુ ને સમજાવવા મહર્ષિ વેદ વ્યાસે વેદો ની રચના કરી.
રચના કર્યા પછી પણ તે વ્યાકુળ હતા -
સામાન્ય માનવી વેદો ને સમજવા તૈયાર નહોતો.

દેખાતી સહેલી આ વાત સામાન્ય માનવી ને જો ઉદાહરણ થી સમજાવવા માં
આવે તો તે રસપ્રદ બને .
અને આવા જ કૈક કારણસર દેવો અને અસુરો -વગેરેના ઉદાહરણો આપીને
વ્યાસ જી એ એમની કુશાગ્ર બુદ્ધિ નો ઉપયોગ કરી પુરાણો ની
રચના કરી.

સુક્ષ્મ પરમાત્મા નું સ્થૂળ દ્રષ્ટાંત -દેવો બનાવ્યા .

અને તે દેવો ને માનવી (રામ અને કૃષ્ણ )રૂપે રજુ કર્યા.
અને તેમના જીવન ના કાર્યો મારફત ઉપદેશ આપ્યો.

આ ઉપદેશ થી સામાન્ય માનવી માં -ભક્તિ -પેદા થાય છે.
અને ખરા જિજ્ઞાસુ માનવીઓને -જ્ઞાન માર્ગ -ની છુપી
ગલી-કુંચીઓ સહેલાઇ થી હાથ માં આવે છે.

ખૂબ પ્રચલિત એવા મહાભારત -પુરાણ-માં વ્યાસજી એ
દૈવી અને આસુરી સંપત ના યુદ્ધ નો પ્રસંગ જોઈએ તો
તેમની અગાધ  બુદ્ધિ  તરફ માન થયા વગર રહેશે નહી.

અંધ ધ્રુતરાષ્ટ્ર (મોહ-અવિવેક) અને
દુર્યોધન (વિષયી-કામી )
સઘળું રાજ્ય (શરીર-પ્રદેશ)
દબાવી પોતાના કાકા
પાંડુના (વિવેક ના) પુત્રો
યુધિષ્ઠિર(ધર્મ)વગેરે ને
કોઈ ભાગ આપતા નથી .

આ વિષયે બહુ સમજાવ્યા છતાં તે માનતા નથી .સમજતા નથી .
એટલે યુદ્ધ કરવાનું નક્કી કર્યું છે.

અર્જુન (મંદ વિરાગ) યુધ્ધના ખરા સમયે શિથિલ (શોક-મોહ થી)થાય છે.
ત્યારે
શ્રી કૃષ્ણ (આત્મા-પરમાત્મા) -દેવ રૂપે--તેને
સ્વ-ધર્મ સમજાવી અને
તેના મંદ વિરાગ ને સુદઢ વિરાગ માં રૂપાંતરિત કરી
દૈવી સંપતિ નું પ્રદાન કરે છે.

અને આમ જયારે મંદ વિરાગ (અર્જુન) સુદ્રઢ વિરાગ માં રૂપાંતરિત થાય છે.
ત્યારે
દૈવી સંપતિ (ધર્મ-સ્વ-ધર્મ)
આસુરી સંપત્તિ (અધર્મ -મોહ-લોભ)
ઉપર તેનો વધ કરી વિજયી બને છે.

----------------------------------------------------------------------------------
ઉપસંહાર-

કલ્યાણ નો માર્ગ બહિર-દ્રષ્ટિ થી બહાર (બ્રહ્માંડમાં) શોધવાથી હાથ લાગે તેમ નથી.
માત્ર
આંતર દ્રષ્ટિથી શરીર માં શોધવાથી જ હાથ લાગે તેમ છે.