અધ્યાય-૨૮૭-કુંભકર્ણ આદિનો વધ
II मार्कण्डेय उवाच II ततो निर्याय स्वपुरात्कुम्भकर्ण: सहानुगः I अपश्यत्कपिसैन्यं तज्जितकाश्यग्रतः स्थितम् II १ II
માર્કંડેય બોલ્યા-પછી,કુંભકર્ણ,પોતાના અનુનાયીઓ સાથે નગરની બહાર નીકળ્યો,ત્યારે તેણે સામે જ વાનરસૈન્યને દૃઢ મુઠ્ઠીઓ વાળીને ઉભેલું જોયું.રામને જોવાની ઇચ્છાએ તેણે તે સૈન્યને જોવા માંડ્યું,ત્યાં તેણે લક્ષ્મણને હાથમાં ધનુષ્ય ધારણ કરીને ઉભેલા જોયા.વાનરોએ ધસી આવીને કુંભકર્ણને ચારે બાજુથી ઘેરી લીધો ન પ્રચંડ વૃક્ષોથી તેને મારવા લાગ્યા.જેમ જેમ પ્રહારો પડતા ગયા તેમ તેમ તે હસતો હસતો વાનરોને મોમાં મુકવા લાગ્યો.
કુંભકર્ણના આવા પરાક્રમથી વાનરો ત્રાસી ગયા ને મોટેથી ચીસો મારીને ભાગવા લાગ્યા .