અધ્યાય-૨૮૨-હનુમાન સીતાની શોધ કરી આવ્યા
II मार्कण्डेय उवाच II राघवः सहसौमित्रिः सुगृवेणाभिपालितः I वसन्माल्यवतः पृष्ठे ददशे विमलं नभः II १ II
માર્કંડેય બોલ્યા-આ તરફ રઘુનંદન રામ અને લક્ષ્મણ,સુગ્રીવથી રક્ષાઇને માલ્યવાન પર્વત પર રહેતા હતા.
ત્યાં તેમણે આકાશને નિર્મળ થયેલું જોયું.એટલે રામે લક્ષ્મણને કહ્યું કે-હે લક્ષ્મણ,તું કિષ્કિન્ધામાં જા અને સ્ત્રીસંગમાં
પાગલ થયેલા તેને તેની પ્રતિજ્ઞા યાદ કરાવ અને પૂછ કે તે સીતાની શોધમાં કયો પ્રયત્ન કરે છે?'
રામની આજ્ઞાથી લક્ષ્મણ ક્રોધમાં આવીને સુગ્રીવ પાસે ગયો.સુગ્રીવ લક્ષ્મણનો ક્રોધ પામી ગયો અને બે હાથ જોડીને બોલ્યો કે-હે લક્ષ્મણ,હું કૃતઘ્ની નથી.મેં વાનરોને સર્વ દિશામાં મોકલ્યા છે ને એક મહિનામાં પાછા ફરવાની મર્યાદા
આપી છે.પાંચ દિવસ પછી આ અવધ પુરી થાય છે,એટલે કોઈ ને કોઈ ખબર તો મળશે જ'