અધ્યાય-૨૭૧-સેનાનો સંહાર ને જયદ્રથ પલાયન
II वैशंपायन उवाच II संतिष्ठत प्रहरत तूर्ण विपरिधावत I इति स्म सैन्धवो राजा चोदयामास तान्न्रुपान् II १ II
વૈશંપાયન બોલ્યા-ત્યારે સિંધુરાજ જયદ્રથે પોતાની સાથેના રાજાઓને સામે ધસવાની હાકલ કરી.
પણ,પાંડવોને જોઈને સૈન્યમાં ભયંકર શોર થવા લાગ્યો.ને શિબિ,સૌવીર ને સિંધુ દેશના યોદ્ધાઓ ખિન્ન થયા.
અતિ ભયંકર યુદ્ધ થયું કે જેમાં પાંડવોએ જયદ્રથના સૈન્યનો ઘાણ કાઢી નાખ્યો.સેનાના વીરપુરુષો માર્યા ગયા ત્યારે જયદ્રથ ગભરાઈ ગયો ને દ્રૌપદીને સૈન્યની ભીડમાં જ ઉતારીને,જીવ બચાવવાની ઇચ્છાએ ત્યાંથી ભાગ્યો.