અધ્યાય-૨૬૪-દ્રૌપદી પર મોહિત થયેલો જયદ્રથ
II वैशंपायन उवाच II तस्मिन्वहुमृगेरण्ये अटमाना महारथाः I काम्यके भरतश्रेष्ठ विजह्युस्ते यथामरा II १ II
વૈશંપાયન બોલ્યા-હે ભરતશ્રેષ્ઠ,મહારથી પાંડવો,તે પુષ્કળ મૃગવાળા કામ્યક વનમાં ફરતા રહી,દેવોની જેમ વિહાર
કરતા હતા.એકવાર તે પાંડવો દ્રૌપદીને આશ્રમમાં મૂકી, એકી સાથે ચારે દિશામાં મૃગયા માટે ગયા હતા.
તે વખતે સિંધુદેશનો રાજા,વૃધક્ષત્રનો પુત્ર,જયદ્રથ કે જે વિવાહની ઇચ્છાએ શાલ્વદેશ તરફ જઈ રહ્યો હતો,તે
મોટા રસાલા ને રાજાઓ સાથે કામ્યક વનમાં આવી પહોંચ્યો.ત્યાં તેણે દ્રૌપદીને તે વનના આશ્રમના આંગણામાં
ઉભેલી જોઈ.અનુપમ રૂપને ધારણ કરેલી ને દેહકાંતિથી ઝગમગતી દ્રૌપદીને જોઈને તે વિચારમાં ને
વિસ્મયમાં પડ્યો કે-'આ કોઈ અપ્સરા,દેવકન્યા કે દેવે નિર્મેલી માયા હશે?'