May 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-530

 

અધ્યાય-૨૬૪-દ્રૌપદી પર મોહિત થયેલો જયદ્રથ 


II वैशंपायन उवाच II तस्मिन्वहुमृगेरण्ये अटमाना महारथाः I काम्यके भरतश्रेष्ठ विजह्युस्ते यथामरा II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભરતશ્રેષ્ઠ,મહારથી પાંડવો,તે પુષ્કળ મૃગવાળા કામ્યક વનમાં ફરતા રહી,દેવોની જેમ વિહાર

કરતા હતા.એકવાર તે પાંડવો દ્રૌપદીને આશ્રમમાં મૂકી, એકી સાથે ચારે દિશામાં મૃગયા માટે ગયા હતા.

તે વખતે સિંધુદેશનો રાજા,વૃધક્ષત્રનો પુત્ર,જયદ્રથ કે જે વિવાહની ઇચ્છાએ શાલ્વદેશ તરફ જઈ રહ્યો હતો,તે 

મોટા રસાલા ને રાજાઓ સાથે કામ્યક વનમાં આવી પહોંચ્યો.ત્યાં તેણે દ્રૌપદીને તે વનના આશ્રમના આંગણામાં

ઉભેલી જોઈ.અનુપમ રૂપને ધારણ કરેલી ને દેહકાંતિથી ઝગમગતી દ્રૌપદીને જોઈને તે વિચારમાં ને

વિસ્મયમાં પડ્યો કે-'આ કોઈ અપ્સરા,દેવકન્યા કે દેવે નિર્મેલી માયા હશે?'

May 28, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-529

 

અધ્યાય-૨૬૩-દુર્વાસા પલાયન થઇ ગયા 


II वैशंपायन उवाच II 

ततः कदाचिद्दुर्वासाः सुखासीनांस्तु पांडवान् I भुत्तवा चावस्थितां कृष्णां ज्ञात्वा तस्मिन्वने मुनि II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,એકવાર,પાંડવો ને કૃષ્ણાને ભોજનથી પરવારીને સુખપૂર્વક બેઠેલા જાણીને દુર્વાસા મુનિ

પોતાના દશ હજાર શિષ્યો સાથે તેમની પાસે આવ્યા.યુધિષ્ઠિરે તેમનું સ્વાગત કર્યું ને આસન પર બેસાડીને આતિથ્ય (ભોજન-આદિ) સ્વીકારવાનું નિમંત્રણ આપીને કહ્યું કે-આપ સ્નાન,નિત્યકર્મ પતાવીને પાછા પધારો'

એટલે દુર્વાસા પોતાના શિષ્યો સાથે સ્નાન કરવા નદીએ ચાલ્યા ગયા.

May 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-528

 

દ્રૌપદી હરણ પર્વ 

અધ્યાય-૨૬૨-દુર્વાસાએ દુર્યોધનને આપેલું વરદાન 


II जनमेजय उवाच II वसत्स्वेवं वने तेषु पांडवेषु महात्मसु I रममाणेषु चित्राभिः कथाभिर्मुनिभिः सह II १ II

જન્મેજય બોલ્યા-તે મહાત્મા પાંડવો,આ પ્રમાણે મુનિઓ સાથે વિચિત્ર કથાવાર્તાઓ કરીને આનંદ મેળવી,વનમાં

વસતા હતા.તેઓ કૃષ્ણા ભોજન કરે એ વખત સુધીમાં,બ્રાહ્મણોને તેમ જ અન્નાર્થે આવી ચડેલા સૌ કોઈને,

સૂર્યે આપેલા (અક્ષય પાત્રના) અન્ન વડે તૃપ્ત કરતા હતા.તે વખતે,કર્ણ,શકુનિને દુઃશાસનના માટે પ્રમાણે

ચાલનારા દુર્યોધનનું,પાંડવોના સંબંધમાં કેવું વર્તન હતું? તે વિશે કહો 

May 26, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-527

અધ્યાય-૨૬૧-સ્વર્ગના ગુણદોષ 


II देवदूत उवाच II महर्षे आर्ययुध्द्विस्तवं यः स्वर्गसुखमूत्ततं I संप्राप्तं बहु मन्तव्यं विमृशस्ययुधो यथा II १ II

દેવદૂત બોલ્યો-હે મહર્ષિ,તમારી બુદ્ધિ ઘણી શ્રેષ્ઠ છે કેમ કે તમને ઉત્તમ અને માનનીય સ્વર્ગસુખ મળ્યું છે તો પણ તમે એને વિશે અજાણ્યાની જેમ વિચારી રહ્યા છો.હે મુનિ,સ્વર્ગલોક આ લોકથી ઉપર છે અને એ 'સ્વર' નામે પણ ઓળખાય છે.એ ઉર્ધ્વગામી છે,સત્પથ (ક્રમમુક્તિનું સ્થાન) છે અને અર્ચિ વગેરે દેવયાનથી જણાતા લોકો એ સ્થાનમાં સંચાર કરે છે.જે પુરુષો તપ તપતા નથી,જે મહાયજ્ઞ કરતા નથી,જે અસત્ય બોલનારા ને નાસ્તિક છે તેઓ ત્યાં જઈ શકતા નથી.પરંતુ જેઓ ધર્માત્મા છે,વશ મનવાળા છે,શાંત છે,જિતેન્દ્રિય છે,મત્સરરહિત છે,દાનધર્મમાં પરાયણ છે ને યુદ્ધમાં શૂરાઓ છે,તેઓ શમદમરૂપી શ્રેષ્ઠ ધર્મનું આચરણ કરીને ત્યાં જાય છે.(5)

May 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-526

 

અધ્યાય-૨૬૦-મુદ્દગલનો દાનધર્મ 


II युधिष्ठिर उवाच II व व्रीहिद्रोण: परित्यक्तः कथं तेन महात्मना I कस्मै दत्तश्च भगवन विधिना केन चात्थ मे II १ II

યુધિષ્ઠિર બોલ્યા-'હે ભગવન,મહાત્મા મુદ્દગલે,કેવી રીતે,કોને ને કયી વિધિથી દ્રોણભેર ડાંગરનું દાન કર્યું હતું?'

વ્યાસ બોલ્યા-હે રાજન,કુરુક્ષેત્રમાં મુદ્દગલ નામના એક ધર્માત્મા હતા.તે જિતેન્દ્રિય,શીલૉંછ વૃત્તિથી રહેતા હતા.

(ખેતરમાં વેરાયેલા કણસલાં ને દાણાઓ વીણી લાવી તે વડે નિર્વાહ કરવો તેને શીલૉંછ (શીલ+ઉંછ) વૃત્તિ કહે છે)

તે નિત્ય (પશુબલિની અપેક્ષા વિનાનો-પૂનમ ને અમાસે) ઇષ્ટિકૃત નામનો યજ્ઞ કરતા હતા.ને પુત્ર તથા પત્ની સાથે તે મુનિ એક એક પખવાડિયે આહાર કરતા.કણકણ ભેગા કરીને,પખવાડિયે તે એક દ્રોણ (બત્રીસ શેર) ડાંગર એકઠી કરતા,ને ઇષ્ટિયજ્ઞમાં તે દેવો ને અતિથિઓને આપ્યા પછી શેષ રહેલું અન્ન અતિથિઓના દર્શન થતાં વૃદ્ધિ પામ્યા કરતું.ને તેથી સેંકડો બ્રાહ્નણો ને પોતે પણ તે અન્નથી પોતાનો દેહનિર્વાહ કરતા.(10)