May 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-525

 

વ્રીહિદ્રૌણિક પર્વ 

અધ્યાય-૨૫૯-વ્યાસે કહેલી દાનની દુષ્કરતા 


II वैशंपायन उवाच II वने निवसतां तेषा पांडवान महात्मनाम् I वर्षाण्येकादशातियुः क्रुछ्रेण भरतर्षभ II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભરતોત્તમ,એ મહાત્મા પાંડવોને વનમાં નિવાસ કરતાં અગિયાર વર્ષ મહાદુઃખથી વીતી ગયાં.

આવી પડેલ સંજોગોમાં,કદી ફળ,મૂળનો આહાર કરી દુઃખને સહન કરી લેતા હતા.યુધિષ્ઠિરને એ ચિંતા મનમાં શૂળની

જેમ ખૂંપી રહેતી કે 'મારા ભાઈઓને મારા કર્મના અપરાધથી જ આ મહાદુઃખ આવ્યું છે'

દ્યુતમાં કૌરવોએ કરેલો વ્યવહાર તેમની આંખ આગળ વારંવાર તરી આવતો હતો.ભાઈઓ ને દ્રૌપદી પણ તેમના મુખ સામે જોઈને અસહ્ય દુઃખ સહન કરી રહ્યાં હતાં,પણ,'હવે થોડો જ સમય બાકી રહ્યો છે' એમ માની તે સર્વ,ઉત્સાહ,ક્રોધ અને ચેષ્ઠાઓથી જાને જુદા જ સ્વરૂપ ધારણ કર્યા હોય એમ જણાતા હતા.

May 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-524

 

અધ્યાય-૨૫૭-અર્જુનના વધ માટે કર્ણની પ્રતિજ્ઞા 


II वैशंपायन उवाच II प्रविशंतं महाराज सुतास्तुष्टुवुरच्युतम् I जनाश्वापि महेष्वासं सुष्टुवु राजसत्तम II १ II

વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,જયારે મહાધનુર્ધારી અને અચલિત વૈર્યવાળા દુર્યોધને નગરમાં પ્રવેશ કર્યો ત્યારે  સ્નેહીઓએ તેની સ્તુતિ કરી.અને કહ્યું કે-'હે રાજા,સદ્ભાગ્ય છે કે તમારી આ યજ્ઞ નિર્વિઘ્ને પૂરો થયો.

આ યજ્ઞ તો સર્વ યજ્ઞોને આંટી જાય એવો થયો છે.યયાતિ,નહુષ,માંધાતા અને ભરત એ સર્વે પવિત્ર થઈને સ્વર્ગે ગયા છે' સ્નેહીઓની શુભ વાણી સાંભળતા દુર્યોધન આનંદ પૂર્વક મહેલમાં પ્રવેશીને સર્વ વડીલોને વંદન કર્યા.

May 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-523

અધ્યાય-૨૫૬-દુર્યોધનનો વૈષ્ણવ યજ્ઞ 


II वैशंपायन उवाच II ततस्तु शिल्पिनः सर्वे अमात्यप्रवराश्व ये I विदुरश्व महाप्राज्ञो धार्तराष्ट्रे न्यवेदयत II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,સર્વ શિલ્પીઓએ,મુખ્ય પ્રધાનોએ અને વિદુરે ધૃતરાષ્ટ્રપુત્રને નિવેદન કર્યું કે-

'હે રાજન,શ્રેષ્ઠ યજ્ઞની તૈયારી થઇ ગઈ છે ને સુવર્ણમય મહામૂલ્યવાન હળ પણ તૈયાર થઇ ગયું છે'

આ સાંભળીને દુર્યોધને તે મહાયજ્ઞ આરંભ કરવાની આજ્ઞા આપી,ને શાસ્ત્ર પ્રમાણે યજ્ઞની દીક્ષા લીધી.

ધૃતરાષ્ટ,ભીષ્મ,વિદુર,દ્રોણ,કૃપાચાર્ય,કર્ણ,શકુની,ગાંધારી -આદિ સર્વ અત્યંત આનંદ પામ્યા.

May 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-522

 

અધ્યાય-૨૫૫-દુર્યોધનના વૈષ્ણવ યજ્ઞનો આરંભ 


II वैशंपायन उवाच II जित्वा तु पृथिवीं राजन सूतपुत्रो जनाधिप I अग्र्वित्परवीरघ्नो दुर्योधनमिदं वचः II १ II

વૈશંપાયન બોલ્યા-હે જનાધિપતિ,શત્રુવીરને હણનારા સૂતપુત્ર કર્ણે પૃથ્વી પર જય મેળવ્યા પછી દુર્યોધનને 

કહ્યું કે-'હે વીર,આજે આ નિઃશત્રુ પૃથ્વી તમારી છે,તેનું તમે શત્રુરહિત થયેલા ઇન્દ્રની જેમ પાલન કરો'

દુર્યોધન બોલ્યો-'હે કર્ણ,તું જેના પક્ષમાં છે,તેને કશું પણ દુર્લભ નથી.તું મારો સહાયક,મારો ભક્ત અને 

સદૈવ મારા માટે સજ્જ છે.હવે, મારો એક વિચાર છે તે તું સાંભળ.યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ જોયા પછી,

મને પણ તે કરવાની સ્પૃહા જાગી છે તો તે તું સિદ્ધ કર'

May 19, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-521

 

અધ્યાય-૨૫૩-દિગ્વિજય માટે કર્ણનું પ્રયાણ 


II जनमेजय उवाच II वसमानेपु पार्थेपु वने तस्मिन्महात्मसु I धार्तराष्ट्रा महेष्वासाः किमकुर्वत सत्तमाः II १ II

જન્મેજય બોલ્યા-તે મહાત્મા પૃથાપુત્રો વનવાસ સેવતા હતા,ત્યારે ધૃતરાષ્ટ્રપુત્રોએ,

કર્ણ,શકુનિ,ભીષ્મ,દ્રોણ,કૃપ આદિ શ્રેષ્ઠજનોએ શું કર્યું હતું તે મને કહો 

વૈશંપાયન બોલ્યા-પૃથાપુત્રોએ દુર્યોધનને છોડાવ્યો,પછી તે હસ્તિનાપુર પાછો આવ્યો ત્યારે ભીષ્મે તેને કહ્યું કે-

'મેં તને તપોવનમાં જવાની પહેલેથી જ ના પાડી હતી.મને ગમ્યું નહોતું છતાં તું ત્યાં ગયો ને કેદ થઇ પડ્યો ત્યારે

પાંડવોએ તને છોડાવ્યો,છતાં તને લાજ આવતી નથી? ત્યારે સૂતપુત્ર કર્ણ પણ પલાયન થઇ ગયો હતો.

ધનુર્વેદ,શૌર્ય અને ધર્મમાં તે કર્ણ પાંડવોના ચોથા ભાગની તોલે પણ આવે તેમ નથી.આથી કુળની વૃદ્ધિ અર્થે 

હું તે પાંડવો સાથે સંધિ કરવી યોગ્ય માનું છું' ભીષ્મએ આમ કહ્યું ત્યારે દુર્યોધન હસીને ત્યાંથી ચાલ્યો ગયો.

ભીષ્મ શરમથી નીચું જોઈ રહ્યા ને પોતાના ભવને ચાલ્યા ગયા.(13)