વ્રીહિદ્રૌણિક પર્વ
અધ્યાય-૨૫૯-વ્યાસે કહેલી દાનની દુષ્કરતા
II वैशंपायन उवाच II वने निवसतां तेषा पांडवान महात्मनाम् I वर्षाण्येकादशातियुः क्रुछ्रेण भरतर्षभ II १ II
વૈશંપાયન બોલ્યા-હે ભરતોત્તમ,એ મહાત્મા પાંડવોને વનમાં નિવાસ કરતાં અગિયાર વર્ષ મહાદુઃખથી વીતી ગયાં.
આવી પડેલ સંજોગોમાં,કદી ફળ,મૂળનો આહાર કરી દુઃખને સહન કરી લેતા હતા.યુધિષ્ઠિરને એ ચિંતા મનમાં શૂળની
જેમ ખૂંપી રહેતી કે 'મારા ભાઈઓને મારા કર્મના અપરાધથી જ આ મહાદુઃખ આવ્યું છે'
દ્યુતમાં કૌરવોએ કરેલો વ્યવહાર તેમની આંખ આગળ વારંવાર તરી આવતો હતો.ભાઈઓ ને દ્રૌપદી પણ તેમના મુખ સામે જોઈને અસહ્ય દુઃખ સહન કરી રહ્યાં હતાં,પણ,'હવે થોડો જ સમય બાકી રહ્યો છે' એમ માની તે સર્વ,ઉત્સાહ,ક્રોધ અને ચેષ્ઠાઓથી જાને જુદા જ સ્વરૂપ ધારણ કર્યા હોય એમ જણાતા હતા.