અધ્યાય-૨૫૨-દુર્યોધનનો હસ્તિનાપુરમાં પ્રવેશ
II दानवा उचु: II भो दुर्योधन राजेन्द्र भरतानां कुलोद्वह I शूरैः परिवृतो नित्यं तथैव च महात्मभिः II १ II
દાનવો બોલ્યા-હે દુર્યોધન,તું નિત્ય શૂરાઓથી વીંટળાયેલો છે,છતાં,આ પ્રાયોપવેશનનું સાહસ કેમ માંડ્યું છે?
આપઘાત કરનારો મનુષ્ય નરકમાં પડે છે ને અપયશ પામે છે.માટે તું આ વિચારને છોડી દે.હે સમર્થ,તું તારા
આત્માની દિવ્યતાને ને શરીરની રચનાને તત્ત્વપૂર્વક સાંભળ.પૂર્વે,અમે તને મહેશ્વર પાસેથી તપપૂર્વક મેળવ્યો છે.
મહેશ્વરે,તારો પૂર્વકાય (નાભિથી ઉપરનો ભાગ) વજ્ર સમુહોથી રચ્યો છે ને તે ભાગ અસ્ત્રોથી ભેદી શકાય તેવો નથી.
ને તારો નીચેનો અર્ધદેહ ઉમાદેવીએ પુષ્પમય બનાવ્યો છે.ઉમા-મહેશ્વરથી ઘડાયેલો તારા દેહને લીધે
તું દિવ્ય પુરુષ છે,માનવીય મનુષ્ય નથી.તારે ખેદ કરવાની કે ભય રાખવાની જરૂર નથી.