May 4, 2024

કલમથી-By અનિલ શુક્લ

 

નથી ચંચળતા કે નથી અસ્થિરતા,તો પછી આ સ્તબ્ધતા કેવી?
નથી શક્ય કોઈ હલન-ચલન,સમય પણ જાણે થંભી ગયો લાગે.

રંગો, રંગબેરંગી ફૂલોના થયા અદૃશ્ય,ને એક-રંગી ફૂલો લાગે,
લાલમ-લાલ થઈ ગયું,બધું,લાલો ને લાલ પણ લાલ જ લાગે.

વહી જ્યાં સૂરાવલી બંસરીની,કાન્હા ની નાની સુગંધી ફૂંક થી,
થઈ ગયો ન્યાલ,એ અનિલ,બની સુગંધી,સ્થિરત્વને પામ્યો લાગે.

દિવાલોની અંદર બેસીને પવન ખોળે દુનિયા ના સુખિયાઓને,
ના મળ્યું કોઈ તો, પરમાનંદી અનિલ,કલમથી કંઈ કહેતો લાગે.

અનિલ
જુલાઈ,૧૭,૨૦૧૫

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-506

 

અધ્યાય-૨૨૯-સ્કંદ દેવસેનાના પતિ થયા 


II मार्कण्डेय उवाच II उपविष्टं तु तं स्कन्दं हिरण्यकवचस्त्रजं I हिरण्यचूडमुकुटं हिरण्याक्षं महाप्रभं II १ II

માર્કંડેય બોલ્યા-પછી,સોના જેવા નેત્રવાળા,મહા કાંતિવાળા અને તીક્ષ્ણ દાઢવાળા તે કાર્તિકેય (સ્કન્દ)એક સ્થાન પર બેઠા.ત્યારે ઇન્દ્રે તેમને ઇન્દ્રપદ સ્વીકારવાનું કહ્યું,પણ તે પદનો તેણે અસ્વીકાર કર્યો,અને છેવટે,દેવોના સેનાપતિ પદે તેમનો અભિષેક થયો.શિવજી,ઉમાદેવી સાથે ત્યાં આવ્યા ને અતિ પ્રસન્ન થઇ તેનું સન્માન કર્યું.

May 3, 2024

અનકહી-By અનિલ શુક્લ

 

કહેલી વાત તો અનકહી થઇ ગઈ કે શું?
નહિ કહેલી,વાત આજ થઇ ગઈ લાગે.

લખાઈ શું ગયું? તેની ખબર રહી નહિ,
પડેલા શબ્દો જમીનમાંથી ઉગતા લાગે.

પ્રવાસ તો હતો નહિ બહુ  લાંબો -પણ,
અધ-વચ્ચે જ મંઝિલ મળી ગઈ લાગે.

છૂટા-છવાયા વાદળો ને ભેગા કર્યા અનિલે,
તે જ આજ ઝરમર ઝરમર વરસતાં લાગે.

અનિલ શુક્લ 
જુલાઈ-૨૦૧૫

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-505

 

અધ્યાય-૨૨૭-સ્કંદનું ઇન્દ્ર સાથે યુદ્ધ 


II मार्कण्डेय उवाच II ग्रहाः सोपग्र्हाश्चैव ऋषयो मातरस्तथा I हुताशन मुखाश्चैव दप्ताः पारिपदां गणाः II १ II

માર્કંડેય બોલ્યા-હવે,ગ્રહો,ઉપગ્રહો,ઋષિઓ,માતૃકાઓ,હુતાશન આદિ દેવો,પાર્ષદો ને અનેક સ્વર્ગનિવાસીઓ માતૃગણોની સાથે તે મહાસેન (સ્કંદ)ને વીંટળાઈને રહ્યાં.વિજયનો સંદેહ હોવા છતાં,ઇન્દ્ર,ઐરાવતની પર બેસીને,

ને વજ્ર ધારણ કરીને,તે સ્કંદનો વધ કરવાની ઇચ્છાએ નીકળ્યો.તેની સાથે 'દેવસેના' ચાલી રહી હતી.તે ઉગ્ર હતી ને મહાગર્જના કરતી હતી.ઇન્દ્ર વેગથી તે સ્કંદ (કાર્તિકેય) તરફ ચાલી રહ્યો.