Apr 17, 2024

ફૂલોને-By અનિલ શુક્લ


જરા સુગંધ જ લઇ ગયો,પવન,તો અકળાઈ કેમ જાઓ? તમે ફૂલો?
અસ્તિત્વ તમારું તો એનાથી જ છે,તેનાથી જ તો તમે ફૂલો ફાલો !

ના થશે ઓછું વજન,તમારું,જો સુગંધ ને લઇ ગયો પવન, ઓ ફૂલો,
પણ જુઓ ,અસ્તિત્વ તમારું એ સર્વ જગતમાં જાહેર કરી રહ્યો ફૂલો.

આસાન નથી મળવી આવી વફાદારી,જગતમાં વિચાર કરો,ફૂલો,
બાકી,તો ત્યજી દો છો,તમારા સ્થાન ને જ્યાં તમે ફાલ્યાં હતાં ફૂલો.

મૌન બની ફરી રહ્યો,સંગાથમાં રહી સર્વની,સુગંધ પ્રસરાવી તે રહ્યો,
પ્રાણ બનીને પવન,જગતના જીવનને,મહેકાવી, પ્રસારી રહ્યો,ફૂલો.

અનિલ શુક્લ
૨૨.નવેમ્બર,૨૦૧૬

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-489

 

અધ્યાય-૨૦૫-પતિવ્રતાનું માહાત્મ્ય 


II वैशंपायन उवाच II ततो युधिष्ठिरो राजा मार्कण्डेयं महाध्युतिम् I पप्रच्छ भरतश्रेष्ठ धर्मप्रश्नं सुदुर्विदम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,હે ભરતશ્રેષ્ઠ,યુધિષ્ઠિરે મહાકાંતિવાળા માર્કંડેયને સહેજે ન સમજી શકાય એવો આ ધર્મપ્રશ્ન પૂછ્યો કે-'હે ભગવન,હું સ્ત્રીઓનું ઉત્તમ માહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું તે યથાર્થ કહો.સૂર્ય,ચંદ્ર,વાયુ,પૃથ્વી,પિતા,

માતા,ગુરુ અને જે કોઈને દેવ કહેવામાં આવે છે,તે આ લોકમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે.સર્વ ગુરુજનો ને પતિવ્રતા સ્ત્રીઓ માનપાત્ર છે,આ બંનેમાં પતિવ્રતાઓની પતિસેવા મને ભારે કઠણ જણાય છે,કેમ કે તેઓ ઇન્દ્રિયોને વશ રાખી,મનનો નિરોધ કરી,પતિને જ દેવ માનીને તેમના જ ચિંતનમાં રહે છે,વળી તેમને માતપિતાની સેવા પણ કરવાની હોય છે,સ્ત્રીઓના અતિ કઠિન ધર્મ જેવું દુષ્કર હું કશું જોતો નથી.

Apr 16, 2024

સુગંધી પવન-By અનિલ શુક્લ

  

છે પવન તો સુગંધ છે,ને પવન આકાશ મહીં સમાણો,
લથડ્યો પવન જો શ્વાસનો,પૂછશે નહિ કેટલું કમાણો?

પાંગળો પ્રવાસ છે,જીવન-જીવને સમજાતું નથી કેમ?
સરહદ છે મૌનની,પણ કરી વ્યાપાર વાણીનો,ફસાણો.

કહો ભલે,કે ફૂલ છે તો સુગંધ છે,કાં કરો વાત પવનની?
ડૂબ્યાં ફૂલ જો,ભળી સુગંધ પવનમાં,પવન સુગંધ કમાણો.

અનિલ શુક્લ,
જાન્યુઆરી,૨૮,૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-488

 

અધ્યાય-૨૦૪-ધુંધુ દૈત્યનો વધ 


II मार्कण्डेय उवाच II धुंधुर्नाम महाराज तयोः पुत्रो महाध्युति: I स तपोतप्यत महन्महावीर्यपराक्रमः II १ II

માર્કંડેય બોલ્યા-હે મહારાજ,એ મધુકૈટભને ધુંધુ નામનો એક મહાકાંતિમાન પુત્ર હતો.તેણે એકપગે ઉભા રહીને મહાન તપ આદર્યું હતું.તપમાં એનું શરીર સુકાઈ ગયું ત્યારે બ્રહ્મા તેની પર પ્રસન્ન થઇ વરદાન માંગવા કહ્યું.

ત્યારે તે બોલ્યો કે-'દેવો,દાનવો,યક્ષો,સર્પો,ગંધર્વો અને રાક્ષસો એ સૌથી હું અવધ્ય થાઉં'

ત્યારે પિતામહ બ્રહ્માએ કહ્યું-ભલે તેમ જ થશે હવે તું જા' આ પ્રમાણે વરદાન પામીને તે પોતાના પિતાના વધનું સ્મરણ કરતો તરત જ વિષ્ણુ પાસે પહોંચ્યો.ને તેમને અને સર્વ દેવોને તે પીડવા લાગ્યો.આ જ ધુંધુ,ઉત્તંક ઋષિના આશ્રમ પાસે શ્વાસ છોડીને અગ્નિની  જવાળાઓ કાઢતો હતો,ને તેમને પણ પીડતો હતો.

Apr 15, 2024

ધ્યાન-By અનિલ શુક્લ


વ્યાપી રહ્યો સર્વ સ્થાને,તો એ પવનને કરવો પ્રવાસ શું?
ક્યાં પહોંચવું રહ્યું તેને? કે કરવો રહ્યો પાંગળો પ્રયાસ શું?

ક્યાંથી આવે ને ક્યાં જાય છે,તેનો વિચાર માત્ર  શું કરવો?
છોડાવી સ્થિરતા,કદી,આંખનો પલકારો કરી જાતો એ શું?

ઘડી અંદર તો ઘડી બહાર,આવ જ કરે છે,એ શ્વાસ બની,
તો ઘડી નાદ અનહતનો બની,રાસ-રચૈયો તો નથી એ શું?

અટકી ગયો જો પૂર્ણતાથી,તો મરણ કહેશે એને જગત,
થનગનાટ કે નાદને છોડી,બને સ્થિર તો ધ્યાન નથી શું?

અનિલ શુક્લ 
માર્ચ-૧૯-૨૦૧૭ 

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com