અધ્યાય-૨૦૩-મધુકૈટભનું વૃતાંત
II मार्कण्डेय उवाच II स एवमुक्तो राजर्षिरुतंकेनापराजित I उत्तकं कौरवश्रेष्ठ कृतांजलिरथाब्रवीत II १ II
માર્કંડેય બોલ્યા-તે પરાજિત રાજર્ષિને ઉત્તંકે આમ કહ્યું ત્યારે તેણે હાથ જોડીને જવાબ આપ્યો કે-
'હે બ્રહ્મન,તમારું મારી પાસે આવવું વ્યર્થ નહિ જ જાય,આ મારો પુત્ર કુવલાશ્વ તમારું પ્રિય અવશ્ય કરશે.એમાં મને
શંકા નથી,મને તમે રજા આપો કેમ કે મેં શસ્ત્રો ત્યજી દીધાં છે' આમ કહી પુત્રને આજ્ઞા આપી તે વનમાં ગયો.