Apr 12, 2024
ક્ષણોને-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-484
અધ્યાય-૨૦૦-દાનનું માહાત્મ્ય
II वैशंपायन उवाच II श्रुत्वा स राजा राजपिंरिंद्रध्युम्न्स्य तत्तदा I मर्कन्देयान्महाभागात्स्वर्गस्य प्रतिपादनम् II १ II
વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે મહાભાગ્યશાળી માર્કંડેયને મુખેથી યુધિષ્ઠિરરાજે રાજર્ષિ ઇંદ્રદ્યુમ્નને
ફરી થયેલી સ્વર્ગપ્રાપ્તિ વિશેનો વૃતાંત સાંભળ્યા પછી યુધિષ્ઠિરે ફરી મુનિને પૂછ્યું કે-હે મહામુનિ,
પુરુષ કેવી અવસ્થાઓમાં દાન આપવાથી ઇંદ્રલોકમાં જાય છે?માણસ ગૃહસ્થાશ્રમમાં,બાળપણમાં,
યુવાવસ્થામાં અથવા વૃદ્ધવયમાં દાનનું ફળ કેવી રીતે ભોગવે છે? તે વિષે કહો (3)
Apr 11, 2024
વૈરાગી-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-483
અધ્યાય-૧૯૯-ઇંદ્રદ્યુમ્નનું આખ્યાન
II वैशंपायन उवाच II मार्कण्डेयमृपयः पांडवा: पर्यप्रुच्छ्न्नस्ति कश्चिद्भवतश्विरजाततर इति II १ II
વૈશંપાયન બોલ્યા-ઋષિઓએ ને પાંડવોએ માર્કંડેયને ફરીથી પૂછ્યું કે-'તમારાથી પણ આગળ જન્મેલો કોઈ છે?'
માર્કંડેય બોલ્યા-હા,ઇંદ્રદ્યુમ્ન નામે એક રાજર્ષિ એવો છે.પુણ્ય ક્ષય થવાથી તે સ્વર્ગલોકમાંથી ભ્રષ્ટ થયો હતો,ત્યારે તેને વિચાર આવ્યો કે 'શું મારી કીર્તિ અહીં પૃથ્વી પર સાફ થઇ ગઈ હશે?' તે મારી પાસે આવીને મને પૂછવા લાગ્યો કે 'મને ઓળખો છો?' ત્યારે મેં કહ્યું કે-ના,પણ હિમાલયમાં પ્રાવારકર્ણ નામે એક ઘુવડ,મારાથી આગળ જન્મ્યો છે તે કદાચ તમને ઓળખાતો હોય.પણ હિમાલય તો ઘણો દૂર છે.