Apr 5, 2024
જ્ઞાનથી મુક્તિ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-477
અધ્યાય-૧૯૧-યુધિષ્ઠિરને ઉપદેશ
II मार्कण्डेय उवाच II ततश्चोरक्षयं कृत्वा द्विजेभ्यः पृथिवीमिमाम् I वाजिमेधे महायज्ञे विधिवत्कल्पयिप्पति II १ II
માર્કંડેય બોલ્યા-પછી ચોરોનો નાશ કરીને કલ્કી,અશ્વમેઘ યજ્ઞ કરશે ને આ પૃથ્વી બ્રાહ્મણોને અર્પણ કરશે.
તે પોતે જ આ પૃથ્વીમાં શુભ ને હિતકારી મર્યાદાઓ સ્થાપશે ને પછી તે રમણીય વનમાં પ્રવેશશે.
પૃથ્વીલોકમાં વસનારા મનુષ્યો તેમના શીલને અનુસરશે,ને જગતમાં ફરીથી કલ્યાણ વર્તશે.
ત્યારે હે ભારત,અધર્મનો વિનાશ થશે અને ધર્મની વૃદ્ધિ થશે,લોકો ક્રિયાવાન થશે.(7)
Apr 4, 2024
સ્થિરતાને-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-476
અધ્યાય-૧૯૦-કળિયુગમાં લોકોની સ્થિતિ
II वैशंपायन उवाच II युधिष्ठिरस्तु कौन्तेयो मार्कण्डेयं महामुनिम् I पुनः पप्रच्छ साम्राज्ये भविष्यां जगतो गतिम् II १ II
વૈશંપાયન બોલ્યા-કુંતીપુત્ર યુધિષ્ઠિરે ફરીથી,મહામુનિ માર્કંડેયને પોતાના સામ્રાજ્ય પછીની,ભાવિ જગતની સ્થિતિ વિશે પૂછતાં બોલ્યા કે-'હે શ્રેષ્ઠ મુનિ,યુગના આદિકાળમાં જગતની ઉત્પત્તિ ને સંહાર સંબંધી આશ્ચર્યકારક વૃતાંત અમે સાંભળ્યો,પણ હે ભાર્ગવ,એ કળિયુગમાં સર્વ ધર્મોના નાશનો ગોટાળો થઇ જશે તો પછી બાકી શું રહેશે?
મને ફરીથી કુતુહલ થાય છેકે તે યુગક્ષયને વખતે માનવોનું બળ કેવું હશે?તેમના આહાર વિહાર કેવા હશે?
તેમનું આયુષ્ય કેટલું હશે?કઈ સ્થિતિ આવ્યા પછી સત્યયુગ પાછો આવશે? (6)