અધ્યાય-૧૮૯-વિષ્ણુએ પોતાનું સ્વરૂપ કહ્યું
II देव उवाच II कामं देवापि मां विप्र नहि जानंति तत्वतः I त्वत्प्रिया तु प्रवक्ष्यामि यथेदं विसृजाम्यहम् II १ II
દેવ બોલ્યા-હે વિપ્ર,દેવો પણ મને યથાર્થ રૂપે જાણતા નથી,તારા પર પ્રીતિને લીધે હું કેવી રીતે આ સૃષ્ટિનું સર્જન કરું છું
તે તને કહું છું.પૂર્વે મેં જળને 'નારા' એવું નામ આપ્યું છે,અને આ 'નારા' મારુ સદૈવનું 'અયન' (આશ્રય સ્થાન) છે
આથી હું 'નારાયણ' કહેવાયો છું (3) આમ હું નામે નારાયણ છું,હું સકળ સૃષ્ટિનું ઉત્પત્તિ સ્થાન છું,
સનાતન છું,અવિનાશી છું,પ્રાણીમાત્રનો વિધાતા ને સંહર્તા છું.હું જ વિષ્ણુ ને હું જ બ્રહ્મા છું.
હું જ ઇન્દ્ર છું,હું જ કુબેર છું,હું જ યમ છું,હું જ શિવ છું,સોમ છું,ને હું જ કશ્યપ છું.