Apr 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-475

 

અધ્યાય-૧૮૯-વિષ્ણુએ પોતાનું સ્વરૂપ કહ્યું 


II देव उवाच II कामं देवापि मां विप्र नहि जानंति तत्वतः I त्वत्प्रिया तु प्रवक्ष्यामि यथेदं विसृजाम्यहम् II १ II

દેવ બોલ્યા-હે વિપ્ર,દેવો પણ મને યથાર્થ રૂપે જાણતા નથી,તારા પર પ્રીતિને લીધે હું કેવી રીતે આ સૃષ્ટિનું સર્જન કરું છું

તે તને કહું છું.પૂર્વે મેં જળને 'નારા' એવું નામ આપ્યું છે,અને આ 'નારા' મારુ સદૈવનું 'અયન' (આશ્રય સ્થાન) છે

આથી હું 'નારાયણ' કહેવાયો છું (3) આમ હું નામે નારાયણ છું,હું સકળ સૃષ્ટિનું ઉત્પત્તિ સ્થાન છું,

સનાતન છું,અવિનાશી છું,પ્રાણીમાત્રનો વિધાતા ને સંહર્તા છું.હું જ વિષ્ણુ ને હું જ બ્રહ્મા છું.

હું જ ઇન્દ્ર છું,હું જ કુબેર છું,હું જ યમ છું,હું જ શિવ છું,સોમ છું,ને હું જ કશ્યપ છું.

Apr 2, 2024

ચિદાકાશ-By અનિલ શુક્લ

 

લઈને સુગંધ,હવે હવાને વહેવું શું? કે તે વિશે વધુ કહેવું શું?
અંતર્ધાન થઇ ગયું જ્યાં દૃશ્ય છે,તો તે વિશે વધુ કહેવું શું?

મુઠ્ઠીમાં ભરી ના શકો આકાશને તો બંધન વિશે કહેવું શું?
નથી નાદ કે નથી ગંધ,તો આકાશ-પવન વિશે વધુ કહેવું શું?

આકાશને ભરી રહ્યો પવન,તો તેના વતન વિશે વધુ કહેવું શું?
સ્થિરતા પવનની થઇ કે ના થઇ મશહૂર,તે વિશે વધુ કહેવું શું?

આનંદ છે,પરમાનંદ છે,તો ચાહ-ચિંતા વિશે વધુ હવે કહેવું શું?
થયું સર્વ જ્યાં ચિદાકાશ તો દેહ કે ભભૂતિનું હવે રહ્યું કામ શું?

અનિલ
સપ્ટેબર,૨૭,૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-474

 

અધ્યાય-૧૮૮-યુગવર્ણન ને માર્કંડેયને માયાદર્શન 


II वैशंपायन उवाच II ततः स पुनरेवाय मार्कण्डेयं यशस्विनम् I प्रप्रच्छ विनयोपेतो धर्मराजो युधिष्ठिरः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,તે વિનયસંપન્ન યુધિષ્ઠિરે,યશસ્વી માર્કંડેયને ફરીથી પૂછ્યું કે-હે મહામુનિ,તમે સહસ્ત્રયુગોના અંતો જોયા છે,વળી આ લોકમાં તમારા જેવો કોઈ આયુષ્યમાન પણ દેખાતો નથી.હે વિપ્ર,જયારે આ લોક દેવ,દાનવ ને આકાશથી વિહીન થાય છે,ત્યારે પ્રલયકાળે તમે જ બ્રહ્મને ઉપાસો છે ને પ્રલય પછી તે પિતામહ જાગ્રત થાય છે ત્યારે તમે એક જ આ લોકમાં સર્જાતાં સર્વ ભૂતો ને સૃષ્ટિને જુઓ છો.બ્રહ્માના પ્રસાદથી મૃત્યુ ને જરા તમારા શરીરમાં પેસતાં નથી.સૃષ્ટિનો લય ને ઉત્પત્તિ એ તમારી પ્રત્યક્ષમાં થયો જેનો તમે એકલાએ જ અનુભવ કર્યો છે.સર્વલોકમાં કશું પણ તમારાથી અજાણ્યું નથી,આથી તે સર્વ કથા હું સાંભળવા ઈચ્છું છું.(16)

Apr 1, 2024

Audichya Brahmano-itihas-ઔદીચ્ય બ્રાહ્મણો-ઇતિહાસ

બેહોશી-By અનિલ શુક્લ

 

હોશ આવી ગયો અંદર,પણ બહાર જાણે છે બેહોશી,લાગે છે દિવાનગીની,
ભૂલ્યો ખુદને,ભળ્યો 'તે'માં,તો સમજાય છે તે બેહોશી,હોશમાં આવ્યા પછી.

વાગી રહી છે વીણા ગજબ અંદર ને અજબ સુગંધમય આ શ્વાસ લાગે છે,
ફુલો ખીલી ઉઠયાં છે અંદર,પણ બહારથી જગતને કાંટા જ કેમ દેખાય છે?

આપી દીધો સર્વ ભાર જ્યાં 'તે'ને,તો ભારહીન આ શરીર થઇ ગયું લાગે,
માથે રાખી ભારને ફરતા સંસારને,આ અજબ ભારહીનતા ક્યાં દેખાય છે?

દિલ દીધું,પ્રેમાનંદ દીધો,દર્દ પણ દીધું ને દર્દની મસ્ત નજાકત બેહોશી દીધી,
મારા પ્રભુની કૃપા તો જુઓ,પાત્રતાથી વધુ દઈ દીધું હોય એવું જ જણાય છે.

અનિલ
નવેમ્બર,૨૭,૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com