Mar 29, 2024

ગીત-By અનિલ શુક્લ

 

જનમ્યું હજી જે નથી તેને દેખું છું,
હજુ ખીલ્યું નથી ફુલ તેને દેખું છું.

ઉત્કંઠિત થયેલા કાનનું શું કહેવું?
સ્વરો હજી જે સાજમાં છે,સાંભળું છું.

વિના માગ્યે મળી ગયું જ બધું,
જે ગીત ગવાયું નથી,તે સાંભળું છું.

મૂંગો છું પણ જે સ્વાદને સમજુ છું,
વાણી નથી પાસ તો લખીને કહું છું.

અનિલ
ડીસેમ્બર-૧૭-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-470

 

અધ્યાય-૧૮૪-બ્રાહ્મણનું માહાત્મ્ય 


II वैशंपायन उवाच II मार्कण्डेयं महात्मनमूचुः पांडुसुतास्तदा I माहात्म्यं द्विजमुख्यानां श्रोतुमिच्छामकथ्यताम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પાંડુપુત્રોએ મહાત્મા માર્કંડેયને પૂછ્યું-'અમે દ્વિજવરોના માહાત્મ્યને સાંભળવા ઇચ્છીએ છીએ તો તમે કહો' ત્યારે શાસ્ત્રોમાં નિપુણ,મહાતપસ્વી ને મહાતેજસ્વી તે માર્કંડેય બોલ્યા કે-હૈહયોના કુળનો એક પરપુરંજય નામનો રાજા મૃગયા માટે વનમાં ઘૂમતો હતો ત્યારે તેણે કાળિયારનું ચામડું ઓઢીને બેઠેલા એક મુનિને 

મૃગ માનીને મારી નાખ્યા.જયારે તેને ભાન થયું ત્યારે તેને અતિ દુઃખ થયું ને હૈહયોને આ વૃતાંત કહ્યો.

Mar 28, 2024

માયાધામ-By અનિલ શુક્લ

 

'એ' ને ખોળવો,એય ભ્રાંતિ નથી શું ભલા?
સમજાય છે એ 'એ' ખુદમાં મળી ગયા બાદ.

પ્રભુ,તેમનું દિલ બદલ કે પછી મારી વાણી,
હજાર કહું પણ ના સમજી શકે તે મારી વાત.

સર્વસ્થાને જે, તે રહે કેમ કોઈ એક સ્થાને?
સર્વનામ જેના તેનું ક્યાંથી હોય એક નામ?

બિંબ-પ્રતિબિંબ થયું,માયાની આ માયાજાળ,
હદ નહોતી,પણ સરહદ બની,બન્યું માયાધામ.

અનિલ
ડીસેમ્બર-૧૭-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-469

 

માર્કંડેય સમાસ્યા પર્વ 

અધ્યાય-૧૮૨-વર્ષા ને શરદઋતુનું વર્ણન 

II वैशंपायन उवाच II निदाघांतकरः कालः सर्वभूतसुखावहः I तत्रैव वसतां तेषां प्रावृद सममिषद्यत II १ II

વૈશંપાયન બોલ્યા-તે પાંડવો ત્યાં રહેતા હતા,ત્યારે પ્રાણીમાત્રને સુખ આપનારો તથા ઉનાળાના ઉકળાટને સમાવનારો વર્ષાકાળ આવ્યો.ત્યારે મહાગર્જના કરતાં વાદળોએ આકાશ તથા દિશાઓને છાઈ દીધાં હતાં.અને કાળાં વાદળો રાતદિવસ વરસી રહ્યાં હતાં.ધરતી પર ઘાસ ઉગી આવ્યું હતું ને તેમાં સર્પો ને જીવડાં ઘૂમતાં હતાં.

Mar 27, 2024

આત્મારામ-By અનિલ શુક્લ

 

ઝુકાવી દીધું શિર તો પછી તેને પાછું ઉઠાવવું શું?
મળી બેહોશી પરમપ્રેમની તો હોશમાં આવવું શું?

ડૂબ્યા પ્રાર્થનામાં તો પછી કરવી હવે પ્રાર્થના શું?
આશકી પરમપ્રેમની મળી તો બીજી વાતો શું?

જીવનની ઉપર ઉઠી ગયા પછી નીચા જવાનું શું?
અમર્યાદ થયું જીવન તો જીવનની મર્યાદાઓનું શું?

સરનામું છે,ખબર પણ છે તો પછી તેને ખોળવો શું? 
જ્યાં છે 'તે' ત્યાં ખોળે નહિ તો 'તે' મળી જાય શું? 

સ્તબ્ધતા છે,બંધ વાણી છે,અજબ આલમ થઇ ગયું, 
રામ,આત્મારામ થયો,જિંદગી રહે ના રહે, ફેર શું? 

અનિલ
ડીસેમ્બર-૨૧-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com