Mar 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-468

 

અધ્યાય-૧૮૧-ભીમનો છુટકારો 


II युधिष्ठिर उवाच II भवानेताद्शो लोकं वेदवेदांIगपारगः I ब्रूहि किं कुर्वतः कर्म भवेद्वतिरनुत्तमा I १ II

યુધિષ્ઠિર બોલ્યા-તમે આવી યોનિમાં છો,તો પણ વેદ અને વેદાંગમાં પારંગત છો,

તો કહો,શું કરવાથી મનુષ્યને ઉત્તમ ગતિ મળે?

સર્પ બોલ્યો-હે ભારત,સુપાત્રે દાન આપ્યાથી,પ્રિય વચનો કહેવાથી,સત્ય બોલવાથી 

અને અહિંસા-ધર્મમાં તત્પર રહેવાથી મનુષ્ય સ્વર્ગે જાય છે એવું મારુ માનવું છે.

Mar 26, 2024

નિર્વિચાર-By અનિલ શુક્લ

 

ધર્મશાળા કહો કે કેદખાનું- તે ઘરને,સ્થાયી થઇ ત્યાં કોઈ રહી ના શકે,
કરવટો બદલો ગમે તેટલી પણ શાંતિની નીંદ ત્યાં કેમે કરી મળી શકે?

રણમાં બનાવી ઘર કે જંગલોમાં જઈ-જેને ખોળવાની તમન્નાઓ હતી,
એક દિ' છોડવું પડશે-વિચાર્યું એમ  -તો 'એ' પાસમાં જ બેઠેલો હતો.

ખોળતા હતા જે નયન,'તે'ને ચોતરફ,તે જ નયનોમાં જ 'તે' બેઠેલો હતો.
વિચાર કરીને 'તે' ને કહેવો કેવી  રીતે? નિર્વિચાર અવસ્થામાં 'તે' મળ્યો હતો.

અનિલ
ફેબ્રુઆરી,૨,૨૦૧૯

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-467

 

અધ્યાય-૧૮૦-અજગર ને યુધિષ્ઠિર વચ્ચે સંવાદ 


II वैशंपायन उवाच II युधिष्ठिरस्तमासाद्य सर्पभोगेन वेष्टितं I दयितं भ्रातरं धिमानिदं वचनमब्रवीत II १ II

વૈશંપાયન બોલ્યા-બુદ્ધિમાન યુધિષ્ઠિર સર્પના શરીરથી વીંટળાયેલા પોતાના ભાઈ પાસે જઈને પૂછવા લાગ્યા કે-

'હે ભીમ,તું ક્યાંથી આ આપત્તિને પામ્યો?પર્વત જેવી કાયાવાળો આ નાગરાજ કોણ છે?'

ત્યારે ભીમે પોતાના પકડાવાથી માંડીને સર્વ હકીકત કહી.ને કહ્યું કે-રાજર્ષિ નહુષ આ દેહમાં રહેલો છે'

ત્યારે યુધિષ્ઠિરે તે સર્પને કહ્યું કે-તું મારા ભાઈનેમૂકી દે,તારી ભૂખ ટાળવા હું તને બીજો આહાર આપું'

Mar 25, 2024

આકાશમાં-By અનિલ શુક્લ

 

ભૂલોકમાંથી નીપજ્યું ગાન કાવ્યનું ને પ્રસરી રહ્યું આકાશમાં,
છૂપી રહી ના શકે હવામાં,ફૂલોની સુગંધ કદી,આ આકાશમાં.

કોણ ઉપજાવી રહ્યું અજબનું સંગીત ખુલ્લા આ આસમાનમાં,
લાગે કે મુરલીધરની મુરલીમાં વહી રહી સુગંધી હવા આકાશમાં.

શું કોઈ શબ્દ-બ્રહ્મનું બાણ તો વાગી નથી ગયું સૂતેલા સિંહને,
અહમ-શિવોહમ થયું,મધુર કાવ્ય-વીણા વાગી રહી આકાશમાં.

અનિલ
ફેબ્રુઆરી-૨૩,૨૦૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-466

 

અધ્યાય-૧૭૯-ભીમ-અજગર સંવાદ 


II वैशंपायन उवाच II स भीमसेनस्तेजस्वी तथा सर्पवशं गतः I चिंतयामास सर्पस्य वीर्यमत्यद्भुतं महत् II १ II

વૈશંપાયન બોલ્યા-તે તેજસ્વી ભીમ,આ પ્રમાણે અજગરને વશ થયો ત્યારે તે સર્પના અદભુત બળનો વિચાર કરવા લાગ્યો ને સર્પને કહેવા લાગ્યો કે-હે સર્પ તું કોણ છે? તું,મારુ શું કરવા ઈચ્છે છે? હું ધર્મરાજથી નાનો ભીમસેન પાંડવ છું.તેં મારા મહાબળને આમ રોકી લીધું છે તેથી મને ખાતરી થાય છે કે મનુષ્યોનું પરાક્રમ મિથ્યા છે