Mar 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-463

 

અધ્યાય-૧૭૫-દિવ્ય અસ્ત્રોનાં દર્શન 


II वैशंपायन उवाच II तस्यां रात्र्यां व्यतीतायां धर्मराजो युधिष्ठिरः I उत्थायावश्यकार्याणि कृतवान्भ्रात्रुभिः सह  II १ II

વૈશંપાયન બોલ્યા-તે રાત વીતી ગઈ,એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે,પોતાના ભાઈઓ સાથે આવશ્યક કર્મો કરીને અર્જુનને તે દિવ્ય એસ્ટ્રો બતાવવાનું કહ્યું.ત્યારે તે અર્જુને તે દિવ્ય અસ્ત્રો બતાવતા પહેલાં સ્નાનાદિથી પવિત્ર થઈને મનથી કલ્પેલા પૃથ્વીરૂપી રથમાં તે બેઠો.તેને દિવ્ય કવચ પહેર્યું,ને ગાંડીવ ને દેવદત્ત શંખ હાથમાં લીધા.ને અનુક્રમે દિવ્ય અસ્ત્રો બતાવવા લાગ્યો.હવે તેણે તે અસ્ત્રોનો પ્રયોગ કર્યો ત્યારે પૃથ્વી ડોલી ઉઠી,સરિતાઓ ને સાગરો ખળભળી ઉઠ્યા,પર્વતો ચિરાવા લાગ્યા,વાયુ થંભી ગયો ને અગ્નિ બળતો અટકી ગયો.(9)

Mar 21, 2024

લોકો-By અનિલ શુક્લ

 

સહુની એ સરખી સવાર પાડતો નથી શું એ પ્રભુ?
પણ પોતપોતાની રીતે સાંજ પાડી દેતા જ લોકો.

દોષ એનો તો ક્યાંથી હોઈ શકે,એ પ્રભુનો પછી?
પણ,સુખ-દુઃખનો દોષ 'એ'ની પર ઢાળી દેતા લોકો.

સમાઈ રહ્યો છે એ કણકણમાં 'આકાશ'ની પેઠે,
પણ શું મૂર્તિઓમાં કેદ 'એ'ને નથી કરી દેતા લોકો?

'જય શ્રી કૃષ્ણ' એમ બોલી,લખવાની ફુરસદ નથી,
તો,'જે.એસ.કે.' લખીને 'એ'ને પટાવી દેતા લોકો !

અનિલ
સપ્ટેબર-૧૧-૧૯૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-462

 

અધ્યાય-૧૭૪-અસ્ત્રદર્શનનો સંકેત 


II अर्जुन उवाच II ततो मामतिविश्वस्तं संरूढशरविक्षतं I देवराजो विगृहेदं काले वचनमब्रवीत II १ II

અર્જુન બોલ્યો-પછી,સમય આવતાં શત્રુઓને જીતવામાં વિશ્વાસપાત્ર પણ બાણોથી ઘાયલ થયેલા 

એવા મને,દેવરાજે કહ્યું કે-'હે ભારત,તારી પાસે હવે સર્વ દિવ્ય અસ્ત્રો છે,જેથી પૃથ્વી પરનો 

કોઈ મનુષ્ય તને પરાજય આપી શકે તેમ નથી.હે પુત્ર,તું સંગ્રામમાં ઉભો હોઈશ ત્યારે 

ભીષ્મ,દ્રોણ,કૃપ,કર્ણ,અને બીજાઓ તારી સોળમા ભાગની કલાની પણ તોલે આવશે નહિ' 

Mar 20, 2024

સંબંધ-By અનિલ શુક્લ

 

કોણ જાણે કેમ 'એ' લાગી રહ્યો છે દૂર દૂર દુનિયાને?
ને જાણે અભિમાની પણ શું લાગી રહ્યો તે દુનિયાને?

નથી 'એ' મતલબી,પણ સમજી સર્વને કરે સહુની કદર,
ન સમજે દુનિયા 'તે'ને,નથી કરતી તેની જ કોઈ કદર !

દરેક વાતનો જવાબ,શબ્દથી શું નથી રહ્યો 'તે'ની પાસે?
કિંમત રહે શું શબ્દની,રાખે નહિ કોઈ સંબંધ તેની સાથે !

અનિલ શુક્લ 
નવેંબર,10,૨૦૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-461

 

અધ્યાય-૧૭૩-હિરણ્યપુરના દૈત્યોનો વધ 


II अर्जुन उवाच II निवर्तमानेन मया महदद्दष्टं ततोSपरम् I पुरं कामचरं दिव्यं पावकार्कसमप्रभम्  II १ II

અર્જુન બોલ્યો-ત્યાંથી પાછા ફરતી વખતે એક બીજું નગર મારા જોવામાં આવ્યું.તે ઈચ્છાગતિવાળું ને સૂર્ય જેવા પ્રભાવવાળું હતું.તેમાં રત્નનાં વૃક્ષો ને મધુર સ્વરવાળાં પક્ષીઓ હતા,ને ત્યાં પૌલોમ અને કાલકંજ નામે દાનવો

નિત્ય વાસ કરતા હતા.તેમાં સહેલાઈથી પ્રવેશી શકાય તેમ નહોતું.શૂલ,મુશળ,ધનુષ્ય આદિ આયુધોને ધારણ

કરેલા અસુરો તે નગરને ચારે બાજુ વીંટી રહ્યા હતા,ત્યારે માતલિને તે સ્થાન વિષે પૂછ્યું.