Mar 19, 2024

પ્રારબ્ધ-By અનિલ શુક્લ

 

રામ-રામ કરી આરામમાં રહું છું,ને થોડુક કંઈ લખી કામમાં રહું છું!
ચેન તો દિલને છે જ,ને નથી પણ,પ્રારબ્ધને જ જાણે ભોગવતો ફરું છું.

ચારેય વેદ ખંખોળી,આખર તો રામનું નામ-તુલસી એમ કહે છે,
રામના નામનું કામ કરું,તો કદીક,શાસ્ત્રો પણ ફંગોળતો રહું છું !!

ભલે તેને બેચેની કહો તમે,પણ બેચેનીનો જ કોઈ અજબ આનંદ છે,
સતત નામમાં કે તેના કામમાં ડુબાવી,પરમાનંદ દેતો રહ્યો છે તે મને!!

અનિલ
ડીસેમ્બર-૧૩-૨૦૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-460

 

અધ્યાય-૧૭૧-માયાવી યુદ્ધ 


II अर्जुन उवाच II ततोSश्मवर्ष सुमहत्प्रादुरसित्समंततः I नगमात्रै शिलाखण्डैस्तन्मां दढमपीडयत  II १ II

અર્જુન બોલ્યો-તે સમયે મારા પર ચારે બાજુથી પથ્થરોની મહાન વૃષ્ટિ ચાલી અને પર્વત જેવા શિલાખંડોવાળી તે

ઝડી મને અત્યંત પીડવા લાગી.પણ,તે વૃષ્ટિ પર મેં,મહેન્દ્રાસ્ત્રથી મંત્રેલાં વજ્ર જેવાં બાણોની ઝડી વરસાવી ને તે

પથ્થરોના ચૂરેચૂરા કરી નાખ્યા.આમ,તેનો નાશ થયો ત્યારે મારી સામે મહાપ્રબળ જળવર્ષા થવા લાગી,

ને જોશભેર પવન ફૂંકાવા લાગ્યો,જેના કારણે કશું જ ઓળખાતું નહોતું,

Mar 18, 2024

માગું,હરપળ તને-By અનિલ શુક્લ

 
ધરતીમાએ,આજ બરફની શ્વેત ચાદર ઓઢી,
ને જાણે,જ્ઞાનની ચાદર આજ,ભક્તિએ ઓઢી.

નથી કમાવું પુણ્ય કે નથી કરવું કોઈ પાપ પણ હવે,
ને નથી માગવી ભુક્તિ કે નથી માગવી કોઈ મુક્તિ,

ઓઢી લીધી છે,ચાદર જયારે ભક્તિની,તો હવે,
માગું,હરપળ તને ને તને જ,બીજું કંઈ નહિ ખપે.

અનિલ
ડીસેમ્બર-૧૧-૨૦૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-459

 

અધ્યાય-૧૬૯-નિવાત-કવચ સાથે યુદ્ધ 


II अर्जुन उवाच II ततोSह स्तूयमानस्तु तत्र तत्र महर्षिभिः I अपस्यमुदधि भीममपांपतिमथाव्ययम्  II १ II

અર્જુન બોલ્યો-પછી,સ્થળે સ્થળે મહર્ષિઓથી સ્તુતિ કરાયેલા મેં,અનંત અને ભીષણ જલનાથ જળનિધિને જોયો.

મહાવેગવાળા તે જળનિધિને જોયા પછી,મેં દાનવોથી ભરેલા તે દૈત્યનગરને પાસેથી જોયું.માતલિએ ત્યાં જ

રથને એકદમ પૃથ્વીની સપાટી પર ઉતાર્યો.ને રથઘોષથી ત્રાસ વર્તાવતો તે રથ નગર તરફ દોડવા લાગ્યો.

Mar 17, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-458

 

અધ્યાય-૧૬૮-લોકપાલોનાં અસ્ત્રોની પ્રાપ્તિનું વર્ણન 


II अर्जुन उवाच II ततस्तामवसं प्रीतो रजनीं तत्र भारत I प्रसादादेवदेवस्य त्र्यम्बकस्य महात्मान:II १ II

અર્જુન બોલ્યો-પછી,હે ભારત,દેવાધિદેવ મહાત્મા શંકરની કૃપાથી હું તે રાત ત્યાં જ રહ્યો.બીજે દિવસે પ્રાતઃકાળે,

મેં ફરીથી પેલા બ્રાહ્મણને ત્યાં જોયો,એટલે મેં તેને શંકરને મળ્યાનો સર્વ વૃતાંત કહ્યો.પ્રસન્ન થયેલા તે બ્રાહ્મણે મને  કહ્યું કે-

તું મહાદેવનાં જેવાં દર્શન પામ્યો છું તેવાં દર્શન બીજા કોઈને એ થયાં નથી.હવે તું યમ આદિ સર્વ લોકપાલોને મળીને ઇંદ્રનાં દર્શન પામીશ તે તને અસ્ત્રો આપશે' આમ કહીને તે બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યો ગયો.