Mar 19, 2024
પ્રારબ્ધ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-460
અધ્યાય-૧૭૧-માયાવી યુદ્ધ
II अर्जुन उवाच II ततोSश्मवर्ष सुमहत्प्रादुरसित्समंततः I नगमात्रै शिलाखण्डैस्तन्मां दढमपीडयत II १ II
અર્જુન બોલ્યો-તે સમયે મારા પર ચારે બાજુથી પથ્થરોની મહાન વૃષ્ટિ ચાલી અને પર્વત જેવા શિલાખંડોવાળી તે
ઝડી મને અત્યંત પીડવા લાગી.પણ,તે વૃષ્ટિ પર મેં,મહેન્દ્રાસ્ત્રથી મંત્રેલાં વજ્ર જેવાં બાણોની ઝડી વરસાવી ને તે
પથ્થરોના ચૂરેચૂરા કરી નાખ્યા.આમ,તેનો નાશ થયો ત્યારે મારી સામે મહાપ્રબળ જળવર્ષા થવા લાગી,
ને જોશભેર પવન ફૂંકાવા લાગ્યો,જેના કારણે કશું જ ઓળખાતું નહોતું,
Mar 18, 2024
માગું,હરપળ તને-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-459
અધ્યાય-૧૬૯-નિવાત-કવચ સાથે યુદ્ધ
II अर्जुन उवाच II ततोSह स्तूयमानस्तु तत्र तत्र महर्षिभिः I अपस्यमुदधि भीममपांपतिमथाव्ययम् II १ II
અર્જુન બોલ્યો-પછી,સ્થળે સ્થળે મહર્ષિઓથી સ્તુતિ કરાયેલા મેં,અનંત અને ભીષણ જલનાથ જળનિધિને જોયો.
મહાવેગવાળા તે જળનિધિને જોયા પછી,મેં દાનવોથી ભરેલા તે દૈત્યનગરને પાસેથી જોયું.માતલિએ ત્યાં જ
રથને એકદમ પૃથ્વીની સપાટી પર ઉતાર્યો.ને રથઘોષથી ત્રાસ વર્તાવતો તે રથ નગર તરફ દોડવા લાગ્યો.
Mar 17, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-458
અધ્યાય-૧૬૮-લોકપાલોનાં અસ્ત્રોની પ્રાપ્તિનું વર્ણન
II अर्जुन उवाच II ततस्तामवसं प्रीतो रजनीं तत्र भारत I प्रसादादेवदेवस्य त्र्यम्बकस्य महात्मान:II १ II
અર્જુન બોલ્યો-પછી,હે ભારત,દેવાધિદેવ મહાત્મા શંકરની કૃપાથી હું તે રાત ત્યાં જ રહ્યો.બીજે દિવસે પ્રાતઃકાળે,
મેં ફરીથી પેલા બ્રાહ્મણને ત્યાં જોયો,એટલે મેં તેને શંકરને મળ્યાનો સર્વ વૃતાંત કહ્યો.પ્રસન્ન થયેલા તે બ્રાહ્મણે મને કહ્યું કે-
તું મહાદેવનાં જેવાં દર્શન પામ્યો છું તેવાં દર્શન બીજા કોઈને એ થયાં નથી.હવે તું યમ આદિ સર્વ લોકપાલોને મળીને ઇંદ્રનાં દર્શન પામીશ તે તને અસ્ત્રો આપશે' આમ કહીને તે બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યો ગયો.