અધ્યાય-૧૬૭-યુધિષ્ઠિર અને અર્જુનનો સંવાદ
II वैशंपायन उवाच II यथागतं गते शक्रे भ्रातृभिः सः संगतः I कृष्णया चैव विभत्सुर्धर्मपुत्र पुजयत् II १ II
વૈશંપાયન બોલ્યા-આમ,ઇન્દ્ર પોતાના સ્થાને પાછા ગયા,પછી,અર્જુને પોતાના ભાઈઓ ને દ્રૌપદી સાથે,ધર્મરાજ યુધિષ્ઠિરની પૂજા કરી.ધર્મરાજે વંદન કરતા તે અર્જુનના માથાને સુંઘયું ને પ્રસન્ન મનથી હર્ષથી ગદગદ થયેલી વાણીમાં તેને પૂછ્યું કે-'હે અર્જુન,સ્વર્ગમાં તારો સમય કેવી રીતે પસાર થયો હતો?તું કેવી રીતે અસ્ત્રો પ્રાપ્ત કરી શક્યો? તેં દેવરાજ ઇન્દ્રને કેવી રીતે પ્રસન્ન કર્યા? તે પિનાકપાણી શંકરના કેવી રીતે દર્શન કર્યા ને કેવી રીતે તેમના અસ્ત્રોની પ્રાપ્તિ થઇ? તેં શી રીતે દેવોને આરાધ્યા? ઈન્દ્રનું તેં કયું પ્રિય કાર્ય કર્યું છે? આ બધું તું મને કહે (8)